તમિલનાડુએ "₹"ના સિમ્બોલને બદલતા , દક્ષિણ ભારતની રાજનીતિમાં ગરમાવો!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-14 11:58:20

"નવા સીમાંકન " અને "ત્રિભાષા" વિવાદ વચ્ચે હવે તમિલનાડુએ "₹" નો સિમ્બોલ બદલવાની જાહેરાત કરી છે . આ જાહેરાત તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે સ્તાલિને બજેટ દરમ્યાન કરી હતી .  "₹" નો સિમ્બોલ ચેન્જ કરીને તમિલ શબ્દ "રુબાઈનો" પેહલો અક્ષર રૂ. "ரூ" લેવામાં આવ્યો છે . આ બતાવે છે કે તમિલનાડુ સરકાર  હિંદીનો વિરોધ કરતા કરતા છેક રૂપિયા સુધી પહોંચી ચુકી છે . 

હાલમાં રૂપિયાનો સિમ્બોલ છે  તે દેવનાગરી લિપિનો "₹" જેની ઉપર રેખા ખેંચાયેલી છે તે છે.  હવે તમિલનાડુ સરકારે તમિલ લિપિના અક્ષર રૂ "ரூ" ને રૂપિયાના સિમ્બોલ તરીકે પસંદ કર્યો છે . આ કરવા પાછળનું કારણ આપતા તમિલનાડુ સરકારે કહ્યું છે કે , તમિલ ભાષાને બચાવવા માટે અને તેનો ફેલાવો કરવા માટે આ પગલું લેવાયું છે . તમિલ ભાષામાં રૂપિયાને "રુબિયા" તરીકે લખવામાં આવે છે , તેમણે તેનો પેહલો અક્ષર રૂ સિમ્બોલ તરીકે "ரூ" લીધો છે . આ પેહલીવાર છે કે , કોઈ પણ રાજ્ય સરકારે આ રીતે "રૂપિયાનો" સંકેત બદલવાની જાહેરાત કરી છે . તમિલનાડું સરકારે આ જાહેરાત ૨૦૨૫-૨૦૨૬ના બજેટ દરમ્યાન કરી હતી . તમિલનાડુના મુખ્યમંત્રી એમ . કે સ્તાલિને પ્લેટફોર્મ X પર આ વિશે એક ટ્વીટ કરીને જાણકારી આપી હતી જેમાં તેમણે લખ્યું છે , "તમિલનાડુના વ્યાપક વિકાસ અને સમાજના બધા જ સ્તરનો વિકાસ કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે . "  રૂપિયાનો સિમ્બોલ બદલવાનું એક બીજું ગર્ભિત કારણ એ પણ છે કે , આવતા વર્ષે ૨૦૨૬માં તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણીઓ છે , તમિલનાડુ સરકાર "હિન્દી" Vs "તમિલ" કરી તમિલ અસ્મિતા પર રાજનીતિ કરવા માંગે છે . 

વાત કરીએ હાલના રૂપિયાના સિમ્બોલની "₹" તો તેને એક તમિલ વ્યક્તિ દ્વારા જ ડિઝાઇન કરવામાં આવ્યો છે જેમનું નામ છે ઉદય કુમાર ધર્મલિંગમ છે. તેમના પિતા એન. ધર્મલિંગમ તમિલનાડુના સત્તારૂઢ પક્ષ દ્રવિડ મુનેત્ર કઝગમના ધારાસભ્ય પણ રહી ચુક્યા છે .  તમિલનાડુ સરકારના આ નિર્ણયને લઇને રાજનીતિમાં પણ ગરમાવો આવી ગયો છે . ત્યાંના ભારતીય જનતા પક્ષના પ્રદેશપ્રમુખ કે.અન્નામલાઈએ પ્લેટફોર્મ X પર પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે , "તમિલનાડુ આયોજન પંચના વાઇસ ચેરપરસને આ રૂપિયાનો સિમ્બોલ બદલતા કહ્યું છે કે , આ દેવનાગરી લિપિનો હતો એટલે તેને બદલી નખાયો છે . તમિલનાડુના મુખ્યમંત્રી આવા ચમચાઓથી ઘેરાયેલા છે . આ બધું માત્ર એટલે કરવામાં આવે છે કેમ કે જેનાથી સરકારની બિન - કાર્યક્ષમતા છુપાવી શકાય . છેલ્લા ચાર વર્ષના ડીએમકે શાસનની આ હકીકત છે . મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પિતાએ જેને સમર્થન આપ્યું  દીકરો હવે તેને અસ્વીકાર કરે છે . "

તમિલનાડુમાં સત્તારૂઢ પક્ષ ડીએમકે ને એક ડર બીજેપીનો પણ છે કેમ કે , તેમનો ફેલાવો દક્ષિણના રાજ્યોમાં ઝડપથી થઈ રહ્યો છે . ગયા વર્ષે થયેલી લોકસભાની ચૂંટણીઓમાં બીજેપીનો તમિલનાડુમાં વોટશેર ૧૧ ટકા રહ્યો હતો જયારે તેના પાડોશી રાજ્ય કેરળમાં બીજેપીને ૧ સીટ ૧૬ ટકા વોટશેર સાથે ફાળે ગઈ છે .  

તમિલનાડુના આ નિર્ણયથી બિહાર રાજ્યની રાજનીતિમાં પણ ગરમાવો આવી ગયો છે કેમ કે , આ વર્ષના અંતમાં ત્યાં ચૂંટણી છે , દક્ષિણમાં ભાષાનો જેટલો વિવાદ થશે ભાજપ તેનો બિહારમાં ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશે . આ પેહલા રાજદના નેતા તેજસ્વી યાદવની ચેન્નાઇ યાત્રાને ભાજપ મુદ્દો બનાવી ચુકી છે . હમણાંજ થોડા સમય પેહલા બિહારમાં નવા પક્ષ જન સુરાજના નેતા પ્રશાંત કિશોર પણ ચેન્નાઇ જઈને આવ્યા છે . તો હવે જોવાનું એ છે કે "હિન્દી"ની વિરુદ્ધમાં "તમિલ" પર રાજનીતિ ક્યાં સુધી થતી રહે છે. 




સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.