તમિલનાડુએ "₹"ના સિમ્બોલને બદલતા , દક્ષિણ ભારતની રાજનીતિમાં ગરમાવો!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-14 11:58:20

"નવા સીમાંકન " અને "ત્રિભાષા" વિવાદ વચ્ચે હવે તમિલનાડુએ "₹" નો સિમ્બોલ બદલવાની જાહેરાત કરી છે . આ જાહેરાત તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે સ્તાલિને બજેટ દરમ્યાન કરી હતી .  "₹" નો સિમ્બોલ ચેન્જ કરીને તમિલ શબ્દ "રુબાઈનો" પેહલો અક્ષર રૂ. "ரூ" લેવામાં આવ્યો છે . આ બતાવે છે કે તમિલનાડુ સરકાર  હિંદીનો વિરોધ કરતા કરતા છેક રૂપિયા સુધી પહોંચી ચુકી છે . 

હાલમાં રૂપિયાનો સિમ્બોલ છે  તે દેવનાગરી લિપિનો "₹" જેની ઉપર રેખા ખેંચાયેલી છે તે છે.  હવે તમિલનાડુ સરકારે તમિલ લિપિના અક્ષર રૂ "ரூ" ને રૂપિયાના સિમ્બોલ તરીકે પસંદ કર્યો છે . આ કરવા પાછળનું કારણ આપતા તમિલનાડુ સરકારે કહ્યું છે કે , તમિલ ભાષાને બચાવવા માટે અને તેનો ફેલાવો કરવા માટે આ પગલું લેવાયું છે . તમિલ ભાષામાં રૂપિયાને "રુબિયા" તરીકે લખવામાં આવે છે , તેમણે તેનો પેહલો અક્ષર રૂ સિમ્બોલ તરીકે "ரூ" લીધો છે . આ પેહલીવાર છે કે , કોઈ પણ રાજ્ય સરકારે આ રીતે "રૂપિયાનો" સંકેત બદલવાની જાહેરાત કરી છે . તમિલનાડું સરકારે આ જાહેરાત ૨૦૨૫-૨૦૨૬ના બજેટ દરમ્યાન કરી હતી . તમિલનાડુના મુખ્યમંત્રી એમ . કે સ્તાલિને પ્લેટફોર્મ X પર આ વિશે એક ટ્વીટ કરીને જાણકારી આપી હતી જેમાં તેમણે લખ્યું છે , "તમિલનાડુના વ્યાપક વિકાસ અને સમાજના બધા જ સ્તરનો વિકાસ કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે . "  રૂપિયાનો સિમ્બોલ બદલવાનું એક બીજું ગર્ભિત કારણ એ પણ છે કે , આવતા વર્ષે ૨૦૨૬માં તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણીઓ છે , તમિલનાડુ સરકાર "હિન્દી" Vs "તમિલ" કરી તમિલ અસ્મિતા પર રાજનીતિ કરવા માંગે છે . 

વાત કરીએ હાલના રૂપિયાના સિમ્બોલની "₹" તો તેને એક તમિલ વ્યક્તિ દ્વારા જ ડિઝાઇન કરવામાં આવ્યો છે જેમનું નામ છે ઉદય કુમાર ધર્મલિંગમ છે. તેમના પિતા એન. ધર્મલિંગમ તમિલનાડુના સત્તારૂઢ પક્ષ દ્રવિડ મુનેત્ર કઝગમના ધારાસભ્ય પણ રહી ચુક્યા છે .  તમિલનાડુ સરકારના આ નિર્ણયને લઇને રાજનીતિમાં પણ ગરમાવો આવી ગયો છે . ત્યાંના ભારતીય જનતા પક્ષના પ્રદેશપ્રમુખ કે.અન્નામલાઈએ પ્લેટફોર્મ X પર પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે , "તમિલનાડુ આયોજન પંચના વાઇસ ચેરપરસને આ રૂપિયાનો સિમ્બોલ બદલતા કહ્યું છે કે , આ દેવનાગરી લિપિનો હતો એટલે તેને બદલી નખાયો છે . તમિલનાડુના મુખ્યમંત્રી આવા ચમચાઓથી ઘેરાયેલા છે . આ બધું માત્ર એટલે કરવામાં આવે છે કેમ કે જેનાથી સરકારની બિન - કાર્યક્ષમતા છુપાવી શકાય . છેલ્લા ચાર વર્ષના ડીએમકે શાસનની આ હકીકત છે . મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પિતાએ જેને સમર્થન આપ્યું  દીકરો હવે તેને અસ્વીકાર કરે છે . "

તમિલનાડુમાં સત્તારૂઢ પક્ષ ડીએમકે ને એક ડર બીજેપીનો પણ છે કેમ કે , તેમનો ફેલાવો દક્ષિણના રાજ્યોમાં ઝડપથી થઈ રહ્યો છે . ગયા વર્ષે થયેલી લોકસભાની ચૂંટણીઓમાં બીજેપીનો તમિલનાડુમાં વોટશેર ૧૧ ટકા રહ્યો હતો જયારે તેના પાડોશી રાજ્ય કેરળમાં બીજેપીને ૧ સીટ ૧૬ ટકા વોટશેર સાથે ફાળે ગઈ છે .  

તમિલનાડુના આ નિર્ણયથી બિહાર રાજ્યની રાજનીતિમાં પણ ગરમાવો આવી ગયો છે કેમ કે , આ વર્ષના અંતમાં ત્યાં ચૂંટણી છે , દક્ષિણમાં ભાષાનો જેટલો વિવાદ થશે ભાજપ તેનો બિહારમાં ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશે . આ પેહલા રાજદના નેતા તેજસ્વી યાદવની ચેન્નાઇ યાત્રાને ભાજપ મુદ્દો બનાવી ચુકી છે . હમણાંજ થોડા સમય પેહલા બિહારમાં નવા પક્ષ જન સુરાજના નેતા પ્રશાંત કિશોર પણ ચેન્નાઇ જઈને આવ્યા છે . તો હવે જોવાનું એ છે કે "હિન્દી"ની વિરુદ્ધમાં "તમિલ" પર રાજનીતિ ક્યાં સુધી થતી રહે છે. 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.