તમિલનાડુએ "₹"ના સિમ્બોલને બદલતા , દક્ષિણ ભારતની રાજનીતિમાં ગરમાવો!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-14 11:58:20

"નવા સીમાંકન " અને "ત્રિભાષા" વિવાદ વચ્ચે હવે તમિલનાડુએ "₹" નો સિમ્બોલ બદલવાની જાહેરાત કરી છે . આ જાહેરાત તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે સ્તાલિને બજેટ દરમ્યાન કરી હતી .  "₹" નો સિમ્બોલ ચેન્જ કરીને તમિલ શબ્દ "રુબાઈનો" પેહલો અક્ષર રૂ. "ரூ" લેવામાં આવ્યો છે . આ બતાવે છે કે તમિલનાડુ સરકાર  હિંદીનો વિરોધ કરતા કરતા છેક રૂપિયા સુધી પહોંચી ચુકી છે . 

હાલમાં રૂપિયાનો સિમ્બોલ છે  તે દેવનાગરી લિપિનો "₹" જેની ઉપર રેખા ખેંચાયેલી છે તે છે.  હવે તમિલનાડુ સરકારે તમિલ લિપિના અક્ષર રૂ "ரூ" ને રૂપિયાના સિમ્બોલ તરીકે પસંદ કર્યો છે . આ કરવા પાછળનું કારણ આપતા તમિલનાડુ સરકારે કહ્યું છે કે , તમિલ ભાષાને બચાવવા માટે અને તેનો ફેલાવો કરવા માટે આ પગલું લેવાયું છે . તમિલ ભાષામાં રૂપિયાને "રુબિયા" તરીકે લખવામાં આવે છે , તેમણે તેનો પેહલો અક્ષર રૂ સિમ્બોલ તરીકે "ரூ" લીધો છે . આ પેહલીવાર છે કે , કોઈ પણ રાજ્ય સરકારે આ રીતે "રૂપિયાનો" સંકેત બદલવાની જાહેરાત કરી છે . તમિલનાડું સરકારે આ જાહેરાત ૨૦૨૫-૨૦૨૬ના બજેટ દરમ્યાન કરી હતી . તમિલનાડુના મુખ્યમંત્રી એમ . કે સ્તાલિને પ્લેટફોર્મ X પર આ વિશે એક ટ્વીટ કરીને જાણકારી આપી હતી જેમાં તેમણે લખ્યું છે , "તમિલનાડુના વ્યાપક વિકાસ અને સમાજના બધા જ સ્તરનો વિકાસ કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે . "  રૂપિયાનો સિમ્બોલ બદલવાનું એક બીજું ગર્ભિત કારણ એ પણ છે કે , આવતા વર્ષે ૨૦૨૬માં તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણીઓ છે , તમિલનાડુ સરકાર "હિન્દી" Vs "તમિલ" કરી તમિલ અસ્મિતા પર રાજનીતિ કરવા માંગે છે . 

વાત કરીએ હાલના રૂપિયાના સિમ્બોલની "₹" તો તેને એક તમિલ વ્યક્તિ દ્વારા જ ડિઝાઇન કરવામાં આવ્યો છે જેમનું નામ છે ઉદય કુમાર ધર્મલિંગમ છે. તેમના પિતા એન. ધર્મલિંગમ તમિલનાડુના સત્તારૂઢ પક્ષ દ્રવિડ મુનેત્ર કઝગમના ધારાસભ્ય પણ રહી ચુક્યા છે .  તમિલનાડુ સરકારના આ નિર્ણયને લઇને રાજનીતિમાં પણ ગરમાવો આવી ગયો છે . ત્યાંના ભારતીય જનતા પક્ષના પ્રદેશપ્રમુખ કે.અન્નામલાઈએ પ્લેટફોર્મ X પર પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે , "તમિલનાડુ આયોજન પંચના વાઇસ ચેરપરસને આ રૂપિયાનો સિમ્બોલ બદલતા કહ્યું છે કે , આ દેવનાગરી લિપિનો હતો એટલે તેને બદલી નખાયો છે . તમિલનાડુના મુખ્યમંત્રી આવા ચમચાઓથી ઘેરાયેલા છે . આ બધું માત્ર એટલે કરવામાં આવે છે કેમ કે જેનાથી સરકારની બિન - કાર્યક્ષમતા છુપાવી શકાય . છેલ્લા ચાર વર્ષના ડીએમકે શાસનની આ હકીકત છે . મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પિતાએ જેને સમર્થન આપ્યું  દીકરો હવે તેને અસ્વીકાર કરે છે . "

તમિલનાડુમાં સત્તારૂઢ પક્ષ ડીએમકે ને એક ડર બીજેપીનો પણ છે કેમ કે , તેમનો ફેલાવો દક્ષિણના રાજ્યોમાં ઝડપથી થઈ રહ્યો છે . ગયા વર્ષે થયેલી લોકસભાની ચૂંટણીઓમાં બીજેપીનો તમિલનાડુમાં વોટશેર ૧૧ ટકા રહ્યો હતો જયારે તેના પાડોશી રાજ્ય કેરળમાં બીજેપીને ૧ સીટ ૧૬ ટકા વોટશેર સાથે ફાળે ગઈ છે .  

તમિલનાડુના આ નિર્ણયથી બિહાર રાજ્યની રાજનીતિમાં પણ ગરમાવો આવી ગયો છે કેમ કે , આ વર્ષના અંતમાં ત્યાં ચૂંટણી છે , દક્ષિણમાં ભાષાનો જેટલો વિવાદ થશે ભાજપ તેનો બિહારમાં ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશે . આ પેહલા રાજદના નેતા તેજસ્વી યાદવની ચેન્નાઇ યાત્રાને ભાજપ મુદ્દો બનાવી ચુકી છે . હમણાંજ થોડા સમય પેહલા બિહારમાં નવા પક્ષ જન સુરાજના નેતા પ્રશાંત કિશોર પણ ચેન્નાઇ જઈને આવ્યા છે . તો હવે જોવાનું એ છે કે "હિન્દી"ની વિરુદ્ધમાં "તમિલ" પર રાજનીતિ ક્યાં સુધી થતી રહે છે. 




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી