તમિલનાડુમાં ભગવા પોશાકમાં આંબેડકરના પોસ્ટર લગાવતા થઈ બબાલ, એકની ધરપકડ


  • Published By :
  • Published Date : 2022-12-06 22:05:42

તમિલનાડુંના એક દક્ષિણ પંથી સંગઠન હિંદુ મુન્નાનીએ ડો. બી.આર.આંબેડકરની પુર્ણ્યતિથિ પર બંધારણના રચયિતા આંબેડકરને ભગવા રંગના પોશાકમાં બતાવતા વિવાદ સર્જાયો હતો. આ પોસ્ટરો તમિલનાડુંના તંજાવુર જિલ્લામાં વિવિધ સ્થળો પર લગાવવામાં આવ્યા હતા. પોસ્ટરોમાં બાબા સાહેબ આંબેડકરને ભગવા કમીજ અને માથા પર તિલક લગાવતા બતાવ્યા છે. તે સાથે જ પોસ્ટરોમાં 'ચલો ભગવા નેતાનું મહિમામંડન કરવા' આ ટેગલાઈન પણ આપવામાં આવી છે.


પોલીસે એક વ્યક્તીની કરી ધરપકડ


આ મુદ્દે વિવાદ વધતા તમિલનાડુંના જ એક અન્ય હિંદુ સંગઠન ઈંદુ મક્કલ કાચીના સ્થાપક અર્જુન સંપતે સવાલ કર્યો કે આંબેડકર એક હિંદુ નેતા છે. જો પોસ્ટરોમાં તેમને હિંદુ પોશાકમાં બતાવવામાં આવ્યા હોય તો તેને લઈ વિવાદ થવો જોઈએ નહીં.  જો કે વિદુથલાઈ ચિરૂથિગાલ કાચી (VCK)ના સ્થાનિક નેતાઓએ આ પોસ્ટરોને લઈ પોલીસ ફરિયાદ નોંધાવી છે.  ફરિયાદના આધારે કુંભકોણમ પોલીસે ગુરૂમૂર્તિ નામના એક હિંદુ મુન્નાનીના એક પદાધિકારીની ધરપકડ કરી હતી.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.