તમિલનાડુમાં ભગવા પોશાકમાં આંબેડકરના પોસ્ટર લગાવતા થઈ બબાલ, એકની ધરપકડ


  • Published By :
  • Published Date : 2022-12-06 22:05:42

તમિલનાડુંના એક દક્ષિણ પંથી સંગઠન હિંદુ મુન્નાનીએ ડો. બી.આર.આંબેડકરની પુર્ણ્યતિથિ પર બંધારણના રચયિતા આંબેડકરને ભગવા રંગના પોશાકમાં બતાવતા વિવાદ સર્જાયો હતો. આ પોસ્ટરો તમિલનાડુંના તંજાવુર જિલ્લામાં વિવિધ સ્થળો પર લગાવવામાં આવ્યા હતા. પોસ્ટરોમાં બાબા સાહેબ આંબેડકરને ભગવા કમીજ અને માથા પર તિલક લગાવતા બતાવ્યા છે. તે સાથે જ પોસ્ટરોમાં 'ચલો ભગવા નેતાનું મહિમામંડન કરવા' આ ટેગલાઈન પણ આપવામાં આવી છે.


પોલીસે એક વ્યક્તીની કરી ધરપકડ


આ મુદ્દે વિવાદ વધતા તમિલનાડુંના જ એક અન્ય હિંદુ સંગઠન ઈંદુ મક્કલ કાચીના સ્થાપક અર્જુન સંપતે સવાલ કર્યો કે આંબેડકર એક હિંદુ નેતા છે. જો પોસ્ટરોમાં તેમને હિંદુ પોશાકમાં બતાવવામાં આવ્યા હોય તો તેને લઈ વિવાદ થવો જોઈએ નહીં.  જો કે વિદુથલાઈ ચિરૂથિગાલ કાચી (VCK)ના સ્થાનિક નેતાઓએ આ પોસ્ટરોને લઈ પોલીસ ફરિયાદ નોંધાવી છે.  ફરિયાદના આધારે કુંભકોણમ પોલીસે ગુરૂમૂર્તિ નામના એક હિંદુ મુન્નાનીના એક પદાધિકારીની ધરપકડ કરી હતી.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.