આજે રાજ્યના 600થી વધુ કેન્દ્ર પર યોજાશે TAT-Sની પ્રિલિમનરી પરીક્ષા, 1.65 લાખથી વધુ ઉમેદવારે આપશે પરીક્ષા


  • Published By :
  • Published Date : 2023-06-04 11:33:27

રાજ્યની હાઈસ્કૂલોમાં શિક્ષક થવા માટે યોજાતી દ્વીસ્તરીય શિક્ષક અભિરુચી કસોટી TAT-Sની પ્રિલિમનરી પરીક્ષા આજે યોજાશે. રાજ્યમાં આજે 1 લાખ 65 હજાર 646 ઉમેદવાર શિક્ષક અભિરુચી કસોટી TAT-Sની પ્રિલિમનરી પરીક્ષા આપશે. રાજ્યભરમાં 600થી વધુ કેન્દ્ર પર આ પરીક્ષા લેવાની તૈયારી થઈ ચૂકી છે. આ પરીક્ષાને લઈને પરીક્ષા કેન્દ્રો પર 144ની કલમ લગાડવામાં આવી છે. બોર્ડ દ્વારા પણ આ પરીક્ષા ગેરરીતિથી દુર રહે અને શાંતિથી પૂર્ણ થાય તે માટે જડબેલાક વ્યસ્થા કરવામાં આવી છે.


આજ 12થી 3 કલાક દરમિયાન યોજાશે પરીક્ષા 


TAT-Sની પ્રિલિમનરી આ પરીક્ષા ત્રણ કલાક અને કુલ 200 ગુણની રહેશે. માધ્યમિક શિક્ષણ માટે યોજાનાર આ પરીક્ષા માટે તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. રાજ્યના 600થી વધારે કેન્દ્રો પર TAT-Sની પરીક્ષા યોજાવાની છે. આજે રવિવારે આ પરીક્ષા બપોરે 12થી 3 કલાક દરમિયાન યોજાશે. TAT-Sની આ પ્રિલિમનરી પરીક્ષાના 1.65 લાખ ઉમેદવારોમાં 2292 અંગ્રેજી માધ્યમના જ્યારે 966 હિન્દી માધ્યમના ઉમેદવારો પણ પરીક્ષા આપવાના છે. અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં 53813 ઉમેદવારો, રાજકોટમાં 26957, સુરતમાં 32173, વડોદરામાં 39173 અને ગાંધીનગરમાં 13530 ઉમેદવારો પરીક્ષા આપશે. 


ગેરરીતી માટે કેન્દ્ર સંચાલકો રહેશે જવાબદાર 


રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ પરીક્ષાને લઈ અમદાવાદમાં કેન્દ્ર સંચાલકોની બેઠક યોજવામાં આવી હતી. પરીક્ષા દરમિયાન જાહેરનામા ઉપરાંત કેન્દ્રમાં સીસીટીવી, સ્ટ્રોંગરૂમ અને પોલીસ બંદોબસ્ત રાખવાનું નક્કી કરાયું છે. ગેરરીતિ પકડાય તો કેન્દ્ર સંચાલકને સસ્પેન્ડ કરવા સુધીના પગલા લેવાઈ શકે છે.  આ પરીક્ષા ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં લેવાશે. આ પરીક્ષામાં દરેક બિલ્ડિંગમાં 20નો સ્ટાફને જોતા કુલ 2થી 3 હજાર સ્ટાફ ગોઠવવામાં આવશે. ઈલેક્ટ્રોનિક ડિવાઈસ લઈ જવા પર પ્રતિબંધની સાથે હોલ ટિકિટ, પેન અને આઈકાર્ડ સિવાય કોઈપણ વસ્તુ ઉમેદવારને લઈ જવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. પરીક્ષા દરમિયાન કોઇપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે પરીક્ષા કેન્દ્રના સંચાલક, પટાવાળા સહિતના સ્ટાફ માટે પરીક્ષા કેન્દ્રની અંદર મોબાઇલ લઇ જવાની મનાઇ ફરમાવવામાં આવી છે.


ORSના પેકેટ સહિતની કરાઈ વ્યવસ્થા


પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાયેલી રહે તે માટે વીજ પુરવઠો ખોરવાઇ ન જાય તે માટે વીજતંત્રને પણ જાણ કરી દેવામાં આવી છે. ગરમીને ધ્યાનમાં રાખીને ઓઆરએસના પેકેટ સહિતની પ્રાથમિક વ્યવસ્થા રાખવામાં આવી છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.