ટાટા-એરબસ વચ્ચે થઈ ડીલ, સંયુક્ત રીતે વડોદરામાં બનાવશે H125 હેલિકોપ્ટર, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-26 19:27:52

ફ્રાન્સની કંપની એરબસ અને ટાટાએ સંયુક્ત રીતે હેલિકોપ્ટર (Airbus Tata Helicopter) બનાવવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રો ભારતના 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીનો ભાગ બનવા માટે ભારતની મુલાકાતે છે. બંને કંપનીઓએ ઈમેન્યુઅલ મેક્રોની મુલાકાત દરમિયાન આ કરારને અંતિમ સ્વરૂપ આપ્યું છે. ટાટા અને ફ્રેન્ચ કંપની એરબસ H125 હેલિકોપ્ટર બનાવવા માટે સાથે મળીને કામ કરશે. તેનું ઉત્પાદન ગુજરાતના વડોદરામાં થશે. એરબસ અને ટાટા ગ્રૂપે સંયુક્ત રીતે H125 સિંગલ એન્જિન હેલિકોપ્ટર બનાવવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. બંને કંપનીઓ વડોદરા ફેસિલિટી ખાતે ઓછામાં ઓછા 40 C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું પણ ઉત્પાદન કરશે. તેની દેખરેખ ટાટા એડવાન્સ સિસ્ટમ્સ લિમિટેડ દ્વારા કરવામાં આવશે.


કોમર્શિયલ યુઝ માટે કરવામાં આવશે બાંધકામ 


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ હેલિકોપ્ટર કોમર્શિયલ ઉપયોગ માટે બનાવવામાં આવશે. ટાટા ગ્રુપની ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ કંપની (TASL) આ હેલિકોપ્ટર માટે એસેમ્બલી લાઇન મેનેજ કરશે. ડેવલપમેન્ટ સાથે સંકળાયેલા સૂત્રોએ મીડિયાને જણાવ્યું કે રસ ધરાવતા ખરીદદારો તરફથી બજારમાં 600 થી 800 હેલિકોપ્ટરની માંગ પહેલેથી જ છે. આ હેલિકોપ્ટરનું ઉત્પાદન ગુજરાતના વડોદરામાં થશે. ટાટા અને એરબસ પહેલેથી જ સંયુક્ત રીતે અહીં 40 C295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું ઉત્પાદન કરી રહ્યાં છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.