ટાટા-એરબસ વચ્ચે થઈ ડીલ, સંયુક્ત રીતે વડોદરામાં બનાવશે H125 હેલિકોપ્ટર, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-26 19:27:52

ફ્રાન્સની કંપની એરબસ અને ટાટાએ સંયુક્ત રીતે હેલિકોપ્ટર (Airbus Tata Helicopter) બનાવવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રો ભારતના 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીનો ભાગ બનવા માટે ભારતની મુલાકાતે છે. બંને કંપનીઓએ ઈમેન્યુઅલ મેક્રોની મુલાકાત દરમિયાન આ કરારને અંતિમ સ્વરૂપ આપ્યું છે. ટાટા અને ફ્રેન્ચ કંપની એરબસ H125 હેલિકોપ્ટર બનાવવા માટે સાથે મળીને કામ કરશે. તેનું ઉત્પાદન ગુજરાતના વડોદરામાં થશે. એરબસ અને ટાટા ગ્રૂપે સંયુક્ત રીતે H125 સિંગલ એન્જિન હેલિકોપ્ટર બનાવવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. બંને કંપનીઓ વડોદરા ફેસિલિટી ખાતે ઓછામાં ઓછા 40 C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું પણ ઉત્પાદન કરશે. તેની દેખરેખ ટાટા એડવાન્સ સિસ્ટમ્સ લિમિટેડ દ્વારા કરવામાં આવશે.


કોમર્શિયલ યુઝ માટે કરવામાં આવશે બાંધકામ 


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ હેલિકોપ્ટર કોમર્શિયલ ઉપયોગ માટે બનાવવામાં આવશે. ટાટા ગ્રુપની ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ કંપની (TASL) આ હેલિકોપ્ટર માટે એસેમ્બલી લાઇન મેનેજ કરશે. ડેવલપમેન્ટ સાથે સંકળાયેલા સૂત્રોએ મીડિયાને જણાવ્યું કે રસ ધરાવતા ખરીદદારો તરફથી બજારમાં 600 થી 800 હેલિકોપ્ટરની માંગ પહેલેથી જ છે. આ હેલિકોપ્ટરનું ઉત્પાદન ગુજરાતના વડોદરામાં થશે. ટાટા અને એરબસ પહેલેથી જ સંયુક્ત રીતે અહીં 40 C295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું ઉત્પાદન કરી રહ્યાં છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.