ટાટા-એરબસ વચ્ચે થઈ ડીલ, સંયુક્ત રીતે વડોદરામાં બનાવશે H125 હેલિકોપ્ટર, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-26 19:27:52

ફ્રાન્સની કંપની એરબસ અને ટાટાએ સંયુક્ત રીતે હેલિકોપ્ટર (Airbus Tata Helicopter) બનાવવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રો ભારતના 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીનો ભાગ બનવા માટે ભારતની મુલાકાતે છે. બંને કંપનીઓએ ઈમેન્યુઅલ મેક્રોની મુલાકાત દરમિયાન આ કરારને અંતિમ સ્વરૂપ આપ્યું છે. ટાટા અને ફ્રેન્ચ કંપની એરબસ H125 હેલિકોપ્ટર બનાવવા માટે સાથે મળીને કામ કરશે. તેનું ઉત્પાદન ગુજરાતના વડોદરામાં થશે. એરબસ અને ટાટા ગ્રૂપે સંયુક્ત રીતે H125 સિંગલ એન્જિન હેલિકોપ્ટર બનાવવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. બંને કંપનીઓ વડોદરા ફેસિલિટી ખાતે ઓછામાં ઓછા 40 C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું પણ ઉત્પાદન કરશે. તેની દેખરેખ ટાટા એડવાન્સ સિસ્ટમ્સ લિમિટેડ દ્વારા કરવામાં આવશે.


કોમર્શિયલ યુઝ માટે કરવામાં આવશે બાંધકામ 


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ હેલિકોપ્ટર કોમર્શિયલ ઉપયોગ માટે બનાવવામાં આવશે. ટાટા ગ્રુપની ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ કંપની (TASL) આ હેલિકોપ્ટર માટે એસેમ્બલી લાઇન મેનેજ કરશે. ડેવલપમેન્ટ સાથે સંકળાયેલા સૂત્રોએ મીડિયાને જણાવ્યું કે રસ ધરાવતા ખરીદદારો તરફથી બજારમાં 600 થી 800 હેલિકોપ્ટરની માંગ પહેલેથી જ છે. આ હેલિકોપ્ટરનું ઉત્પાદન ગુજરાતના વડોદરામાં થશે. ટાટા અને એરબસ પહેલેથી જ સંયુક્ત રીતે અહીં 40 C295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું ઉત્પાદન કરી રહ્યાં છે.



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"