Tata Tech: ટાટા ટેકનોલોજીસના શેરોનું કાલે થશે ધમાકેદાર લિસ્ટિંગ, રોકાણકારોના પૈસા થઈ શકે છે ડબલ


  • Published By :
  • Published Date : 2023-11-29 20:05:43

ટાટા ટેકનોલોજીસ (Tata Technologies Share) ના શેરોની ફાળવણી થઈ ગઈ છે અને આ સ્ટોક આવતીકાલે 30 નવેમ્બર, 2023ના રોજ  NSE અને BSEમાં લિસ્ટ થશે. આ IPO ને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હોવાથી, આજે (29 નવેમ્બર 2023) ટાટા મોટર્સના શેરો પણ આનંદથી ઉછળ્યા હતા. ટાટા મોટર્સ (Tata Motors Share)નો શેર આજે NSE પર 2.13 ટકાના વધારા સાથે રૂ. 712.35 પર બંધ રહ્યો હતો. આ શેરને 700ની ઉપર બંધ થવામાં 12 વર્ષ લાગ્યા હતા. ઘણા વિશ્લેષકોએ જણાવ્યું હતું કે ટાટા ટેક્નોલોજીના શેરનું વેલ્યૂએશન ખૂબ આકર્ષક છે. ટાટા ટેકનોલોજીસનો 3,042.51 કરોડ રૂપિયાનો IPO 22-24 નવેમ્બર દરમિયાન સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો હતો. તેને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો અને IPO 69.43 ગણો સબસ્ક્રાઈબ થયો હતો. ઉલ્લેખનિય છે કે  ટાટા ગ્રુપની કંપનીનો છેલ્લો IPO વર્ષ 2004માં આવ્યો હતો. લિસ્ટેડ થનારી કંપની TCS (ટાટા કન્સલ્ટન્સી સર્વિસ) હતી. હવે 19 વર્ષ બાદ જ્યારે ટાટાની બીજી કંપનીનો IPO આવ્યો છે ત્યારે રોકાણકારોમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળ્યો હતો. 


ગ્રે માર્કેટમાં જંગી પ્રીમિયમ


ટાટા ટેકના શેરોને ગ્રે માર્કેટમાં જબરદસ્ત પ્રીમિયમ મળી રહ્યું છે.  ગ્રે માર્કેટ તરફથી મળેલા સંકેતો અનુસાર ટાટા ટેકનોલોજીસના શેર 80 થી 82 ટકાના પ્રીમિયમ પર શેરબજારમાં લિસ્ટિંગ થઈ શકે છે. લિસ્ટિંગના એક દિવસ પહેલા તે 389-399 રૂપિયાની વચ્ચે હતો. તેના આધારે એવું કહેવામાં આવી રહ્યું છે કે શેરનું લિસ્ટિંગ 889-899ની આસપાસ થઈ શકે છે. ઉલ્લેખનિય છે કે ટાટા ટેકના આ શેરની ઈશ્યુ પ્રાઇસ 500 રૂપિયા હતી, એટલે કે જેમને IPOમાં શેર ફાળવવામાં આવ્યા હતા તેમને 500 રૂપિયાના ભાવે શેર મળ્યા હતા. ગ્રે માર્કેટમાં ટાટા ટેકના IPOનો સૌથી ઓછો ભાવ 240 રૂપિયા અને મહત્તમ 414 રૂપિયા પ્રતિ શેર રહ્યો હતો.ગ્રે માર્કેટની કિંમત અનધિકૃત છે. માર્કેટમાં લિસ્ટ થતા પહેલા, ગ્રે માર્કેટમાં શેરની ખરીદી અને વેચાણ કરવામાં આવે છે. સામાન્ય રીતે, રોકાણકારો IPOના લિસ્ટિંગ રેટ જાણવા માટે ગ્રે માર્કેટ પ્રાઈસ ટ્રેક કરે છે. શેર બજારના નિષ્ણાતોના જણાવ્યા મુજબ, "ટાટા ટેકના શેર પહેલા જ દિવસે રોકાણકારોના નાણાં બમણા કરે તેવી સંભાવનાઓ છે." નવેમ્બરના ઓટો વેચાણના આંકડાઓ પહેલા ટાટા મોટર્સના શેર પણ ફોકસમાં હતા. 



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.