Tata Tech: ટાટા ટેકનોલોજીસના શેરોનું કાલે થશે ધમાકેદાર લિસ્ટિંગ, રોકાણકારોના પૈસા થઈ શકે છે ડબલ


  • Published By :
  • Published Date : 2023-11-29 20:05:43

ટાટા ટેકનોલોજીસ (Tata Technologies Share) ના શેરોની ફાળવણી થઈ ગઈ છે અને આ સ્ટોક આવતીકાલે 30 નવેમ્બર, 2023ના રોજ  NSE અને BSEમાં લિસ્ટ થશે. આ IPO ને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હોવાથી, આજે (29 નવેમ્બર 2023) ટાટા મોટર્સના શેરો પણ આનંદથી ઉછળ્યા હતા. ટાટા મોટર્સ (Tata Motors Share)નો શેર આજે NSE પર 2.13 ટકાના વધારા સાથે રૂ. 712.35 પર બંધ રહ્યો હતો. આ શેરને 700ની ઉપર બંધ થવામાં 12 વર્ષ લાગ્યા હતા. ઘણા વિશ્લેષકોએ જણાવ્યું હતું કે ટાટા ટેક્નોલોજીના શેરનું વેલ્યૂએશન ખૂબ આકર્ષક છે. ટાટા ટેકનોલોજીસનો 3,042.51 કરોડ રૂપિયાનો IPO 22-24 નવેમ્બર દરમિયાન સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો હતો. તેને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો અને IPO 69.43 ગણો સબસ્ક્રાઈબ થયો હતો. ઉલ્લેખનિય છે કે  ટાટા ગ્રુપની કંપનીનો છેલ્લો IPO વર્ષ 2004માં આવ્યો હતો. લિસ્ટેડ થનારી કંપની TCS (ટાટા કન્સલ્ટન્સી સર્વિસ) હતી. હવે 19 વર્ષ બાદ જ્યારે ટાટાની બીજી કંપનીનો IPO આવ્યો છે ત્યારે રોકાણકારોમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળ્યો હતો. 


ગ્રે માર્કેટમાં જંગી પ્રીમિયમ


ટાટા ટેકના શેરોને ગ્રે માર્કેટમાં જબરદસ્ત પ્રીમિયમ મળી રહ્યું છે.  ગ્રે માર્કેટ તરફથી મળેલા સંકેતો અનુસાર ટાટા ટેકનોલોજીસના શેર 80 થી 82 ટકાના પ્રીમિયમ પર શેરબજારમાં લિસ્ટિંગ થઈ શકે છે. લિસ્ટિંગના એક દિવસ પહેલા તે 389-399 રૂપિયાની વચ્ચે હતો. તેના આધારે એવું કહેવામાં આવી રહ્યું છે કે શેરનું લિસ્ટિંગ 889-899ની આસપાસ થઈ શકે છે. ઉલ્લેખનિય છે કે ટાટા ટેકના આ શેરની ઈશ્યુ પ્રાઇસ 500 રૂપિયા હતી, એટલે કે જેમને IPOમાં શેર ફાળવવામાં આવ્યા હતા તેમને 500 રૂપિયાના ભાવે શેર મળ્યા હતા. ગ્રે માર્કેટમાં ટાટા ટેકના IPOનો સૌથી ઓછો ભાવ 240 રૂપિયા અને મહત્તમ 414 રૂપિયા પ્રતિ શેર રહ્યો હતો.ગ્રે માર્કેટની કિંમત અનધિકૃત છે. માર્કેટમાં લિસ્ટ થતા પહેલા, ગ્રે માર્કેટમાં શેરની ખરીદી અને વેચાણ કરવામાં આવે છે. સામાન્ય રીતે, રોકાણકારો IPOના લિસ્ટિંગ રેટ જાણવા માટે ગ્રે માર્કેટ પ્રાઈસ ટ્રેક કરે છે. શેર બજારના નિષ્ણાતોના જણાવ્યા મુજબ, "ટાટા ટેકના શેર પહેલા જ દિવસે રોકાણકારોના નાણાં બમણા કરે તેવી સંભાવનાઓ છે." નવેમ્બરના ઓટો વેચાણના આંકડાઓ પહેલા ટાટા મોટર્સના શેર પણ ફોકસમાં હતા. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.