નબીરા તથ્ય પટેલે કોર્ટમાં કરી અરજી, ઘરના ભોજન, પરિવાર સાથે મુલાકાત અને શિક્ષણ સહિતની કરી માગ


  • Published By :
  • Published Date : 2023-08-07 22:20:12

અમદાવાદના ઇસ્કોન ઓવર બ્રિજ પર બેફામ રીતે જેગુઆર કાર ચલાવી 9 નિર્દોષ લોકોને કચડી નાખનારો નબીરો તથ્ય પટેલ હાલ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. તથ્ય પટેલે કોર્ટ સમક્ષ એક મહત્વની અરજી કરી હતી. આ અરજીમાં તેણે પોતાના જેલવાસમાં શિક્ષણ માટેની વ્યવસ્થા કરી આપવા તેમ જ ઘરેથી ભોજન આપવા માટે માગણી કરી હતી. કોલેજમાં ગુલ્લી મારનાર તથ્યને હવે અભ્યાસ યાદ આવતા આશ્ચર્ય થયું છે. તેણે જેલમાં સગા સબંધીઓને મળવા માટે વધુ સમયની પણ માગ કરતી ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી છે. જેને લઈ ગ્રામ્ય કોર્ટે જેલ ઓથોરિટીને જેલ મેન્યુઅલ અને માર્ગદર્શિકા મુજબ જ કાર્યવાહી કરવા સૂચન કર્યું હતું. આ કેસની આગામી 9 ઓગસ્ટે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.


તથ્ય પટેલે શું માગ કરી?


તથ્ય પટેલે આજની સુનાવણીમાં કોર્ટમાં અરજી કરી હતી, જેમાં તેણે વિવિધ માગણીઓ કરી હતી, તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ તરફથી કેટલીક માગણીઓ કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી, જે મુજબ તેમણે કેસને લગતા જરૂરી ડોક્યુમેન્ટની માગ, આ કેસમાં લેવાયેલા 164નાં નિવેદનની કોપી, બાઇકચાલકે ઉતારેલો વીડિયો અને સીસીટીવીના ફુટેજની માગ, ઘરનું ટિફિન જેલમાં મળે એવી માગ ઉપરાંત સૌથી મહત્ત્વની માગ તથ્ય 20 વર્ષનો હોવાથી તેણે ડિસ્ટન્સ લર્નિંગ માટે પરમિશનની માગ કરી હતી. ઉપરાંત આરોપીઓને સાથે પરિવારના સભ્યો જેલમાં અઠવાડિયામાં એક જ મુલાકાત કરવાની પરમિશન હોય છે, જેને વધારવાની માગ કરવામાં આવી હતી. તથ્ય પટેલ તરફથી હવે વકીલ નિસાર વૈદ્ય કેસ લડી રહ્યા નથી. તેની જગ્યાએ તિસ્તા સેતલવાડના વકીલ સોમનાથ વત્સ આ કેસમાં હાજર થયા હતા. 

 

આઈ વિઝન ટેસ્ટનો રિપોર્ટ આવ્યો 


ઈસ્કોન બ્રિજ પર પૂરપાટ ઝડપે કારથી હંકારી અકસ્માત સર્જી 9 લોકોના જીવ લેનાર તથ્ય પટેલની આંખોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. તથ્ય પટેલની આંખની વિઝનને લઈ કોઈ ખામી હતી કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી છે અને આ અંગે રિપોર્ટ પણ સામે આવ્યો છે. આ રિપોર્ટમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે તેની આંખની દ્રષ્ટિ એટલે કે વિઝનમાં કોઈ જ ખામી કે તકલીફ ન હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો છે. તથ્ય પટેલનો આઈ વિઝન ટેસ્ટનો ચાર્જશીટમાં સમાવેશ કરાયો છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.