નબીરા તથ્ય પટેલે કોર્ટમાં કરી અરજી, ઘરના ભોજન, પરિવાર સાથે મુલાકાત અને શિક્ષણ સહિતની કરી માગ


  • Published By :
  • Published Date : 2023-08-07 22:20:12

અમદાવાદના ઇસ્કોન ઓવર બ્રિજ પર બેફામ રીતે જેગુઆર કાર ચલાવી 9 નિર્દોષ લોકોને કચડી નાખનારો નબીરો તથ્ય પટેલ હાલ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. તથ્ય પટેલે કોર્ટ સમક્ષ એક મહત્વની અરજી કરી હતી. આ અરજીમાં તેણે પોતાના જેલવાસમાં શિક્ષણ માટેની વ્યવસ્થા કરી આપવા તેમ જ ઘરેથી ભોજન આપવા માટે માગણી કરી હતી. કોલેજમાં ગુલ્લી મારનાર તથ્યને હવે અભ્યાસ યાદ આવતા આશ્ચર્ય થયું છે. તેણે જેલમાં સગા સબંધીઓને મળવા માટે વધુ સમયની પણ માગ કરતી ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી છે. જેને લઈ ગ્રામ્ય કોર્ટે જેલ ઓથોરિટીને જેલ મેન્યુઅલ અને માર્ગદર્શિકા મુજબ જ કાર્યવાહી કરવા સૂચન કર્યું હતું. આ કેસની આગામી 9 ઓગસ્ટે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.


તથ્ય પટેલે શું માગ કરી?


તથ્ય પટેલે આજની સુનાવણીમાં કોર્ટમાં અરજી કરી હતી, જેમાં તેણે વિવિધ માગણીઓ કરી હતી, તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ તરફથી કેટલીક માગણીઓ કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી, જે મુજબ તેમણે કેસને લગતા જરૂરી ડોક્યુમેન્ટની માગ, આ કેસમાં લેવાયેલા 164નાં નિવેદનની કોપી, બાઇકચાલકે ઉતારેલો વીડિયો અને સીસીટીવીના ફુટેજની માગ, ઘરનું ટિફિન જેલમાં મળે એવી માગ ઉપરાંત સૌથી મહત્ત્વની માગ તથ્ય 20 વર્ષનો હોવાથી તેણે ડિસ્ટન્સ લર્નિંગ માટે પરમિશનની માગ કરી હતી. ઉપરાંત આરોપીઓને સાથે પરિવારના સભ્યો જેલમાં અઠવાડિયામાં એક જ મુલાકાત કરવાની પરમિશન હોય છે, જેને વધારવાની માગ કરવામાં આવી હતી. તથ્ય પટેલ તરફથી હવે વકીલ નિસાર વૈદ્ય કેસ લડી રહ્યા નથી. તેની જગ્યાએ તિસ્તા સેતલવાડના વકીલ સોમનાથ વત્સ આ કેસમાં હાજર થયા હતા. 

 

આઈ વિઝન ટેસ્ટનો રિપોર્ટ આવ્યો 


ઈસ્કોન બ્રિજ પર પૂરપાટ ઝડપે કારથી હંકારી અકસ્માત સર્જી 9 લોકોના જીવ લેનાર તથ્ય પટેલની આંખોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. તથ્ય પટેલની આંખની વિઝનને લઈ કોઈ ખામી હતી કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી છે અને આ અંગે રિપોર્ટ પણ સામે આવ્યો છે. આ રિપોર્ટમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે તેની આંખની દ્રષ્ટિ એટલે કે વિઝનમાં કોઈ જ ખામી કે તકલીફ ન હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો છે. તથ્ય પટેલનો આઈ વિઝન ટેસ્ટનો ચાર્જશીટમાં સમાવેશ કરાયો છે.



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે