નબીરા તથ્ય પટેલે કોર્ટમાં કરી અરજી, ઘરના ભોજન, પરિવાર સાથે મુલાકાત અને શિક્ષણ સહિતની કરી માગ


  • Published By :
  • Published Date : 2023-08-07 22:20:12

અમદાવાદના ઇસ્કોન ઓવર બ્રિજ પર બેફામ રીતે જેગુઆર કાર ચલાવી 9 નિર્દોષ લોકોને કચડી નાખનારો નબીરો તથ્ય પટેલ હાલ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. તથ્ય પટેલે કોર્ટ સમક્ષ એક મહત્વની અરજી કરી હતી. આ અરજીમાં તેણે પોતાના જેલવાસમાં શિક્ષણ માટેની વ્યવસ્થા કરી આપવા તેમ જ ઘરેથી ભોજન આપવા માટે માગણી કરી હતી. કોલેજમાં ગુલ્લી મારનાર તથ્યને હવે અભ્યાસ યાદ આવતા આશ્ચર્ય થયું છે. તેણે જેલમાં સગા સબંધીઓને મળવા માટે વધુ સમયની પણ માગ કરતી ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી છે. જેને લઈ ગ્રામ્ય કોર્ટે જેલ ઓથોરિટીને જેલ મેન્યુઅલ અને માર્ગદર્શિકા મુજબ જ કાર્યવાહી કરવા સૂચન કર્યું હતું. આ કેસની આગામી 9 ઓગસ્ટે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.


તથ્ય પટેલે શું માગ કરી?


તથ્ય પટેલે આજની સુનાવણીમાં કોર્ટમાં અરજી કરી હતી, જેમાં તેણે વિવિધ માગણીઓ કરી હતી, તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ તરફથી કેટલીક માગણીઓ કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી, જે મુજબ તેમણે કેસને લગતા જરૂરી ડોક્યુમેન્ટની માગ, આ કેસમાં લેવાયેલા 164નાં નિવેદનની કોપી, બાઇકચાલકે ઉતારેલો વીડિયો અને સીસીટીવીના ફુટેજની માગ, ઘરનું ટિફિન જેલમાં મળે એવી માગ ઉપરાંત સૌથી મહત્ત્વની માગ તથ્ય 20 વર્ષનો હોવાથી તેણે ડિસ્ટન્સ લર્નિંગ માટે પરમિશનની માગ કરી હતી. ઉપરાંત આરોપીઓને સાથે પરિવારના સભ્યો જેલમાં અઠવાડિયામાં એક જ મુલાકાત કરવાની પરમિશન હોય છે, જેને વધારવાની માગ કરવામાં આવી હતી. તથ્ય પટેલ તરફથી હવે વકીલ નિસાર વૈદ્ય કેસ લડી રહ્યા નથી. તેની જગ્યાએ તિસ્તા સેતલવાડના વકીલ સોમનાથ વત્સ આ કેસમાં હાજર થયા હતા. 

 

આઈ વિઝન ટેસ્ટનો રિપોર્ટ આવ્યો 


ઈસ્કોન બ્રિજ પર પૂરપાટ ઝડપે કારથી હંકારી અકસ્માત સર્જી 9 લોકોના જીવ લેનાર તથ્ય પટેલની આંખોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. તથ્ય પટેલની આંખની વિઝનને લઈ કોઈ ખામી હતી કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી છે અને આ અંગે રિપોર્ટ પણ સામે આવ્યો છે. આ રિપોર્ટમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે તેની આંખની દ્રષ્ટિ એટલે કે વિઝનમાં કોઈ જ ખામી કે તકલીફ ન હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો છે. તથ્ય પટેલનો આઈ વિઝન ટેસ્ટનો ચાર્જશીટમાં સમાવેશ કરાયો છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.