તથ્ય પટેલ સામે ત્રીજી FIR નોંધાઈ, ગત 31 ડિસેમ્બરે વાંસજડા ગામના મંદિરમાં કાર ઘુસાડી હતી


  • Published By :
  • Published Date : 2023-07-26 17:43:25

અમદાવાદના ઈસ્કોન ફ્લાયઓવર બ્રિજ પર પુરપાટ ગાડી ચલાવી 10 નિર્દોશ લોકોનો જીવ લેનારા તથ્ય પટેલની મુશ્કેલી વધી રહી છે. નબીરા તથ્ય પટેલ સામે ગાંધીનગરના સાંતેજ પોલીસ સ્ટેશનમા વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આમ અકસ્માતના અલગ- અલગ કેસમાં તથ્ય પટેલ સામે અત્યાર સુધીમાં 3 FIR નોંધાઈ ચુકી છે. પોલીસ ફરિયાદ મુજબ આરોપી તથ્ય પટેલે જેગુઆર કાર ગાંધીનગરના એક મંદિરમાં ઘૂસાડી દીધી હતી. થર્ટી ફર્સ્ટની પાર્ટી બાદ તથ્ય પટેલે આ અકસ્માત સર્જ્યો હતો.  


સાંતેજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ


ગાંધીનગરનાં સાંતેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ સાંતેજ પોલીસ હદમાં આવતા વાંસજડા ગામ પાસે સાણંદ જવાના મેઇન રોડ ઉપર આવેલ બળિયા દેવના મંદીરમાં જેગુઆર કાર ઘૂસાડી હતી. વાંસજડા ગામના પૂર્વ સરપંચે આ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, 1લી જાન્યુઆરી 2023ના રોજ 3થી 5 વાગ્યાના અરસામાં એક કાર ચાલકે ગામના ભાગોળે મેઈન રોડ પર સાણંદ તરફ જતા બળીયાદેવ મંદિરના આગળના સાઈડના પિલ્લરને નુકસાન કર્યું હતું, જેથી મંદિરના ધાબાનો ભાગ નમી ગયો હતો અને મંદિરને રૂ.20,000નું નુકસાન કર્યું હતું. તાજેતરમાં ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતને લઈ સમાચાર પત્રોમાં વાંચતા જાણવા મળ્યું કે આ કારચાલક તથ્ય પટેલ હતો.


સિંધુભવન રૉડ પરઅકસ્માત સર્જ્યો હતો 


ઇસ્કોન કાંડ પહેલા જ તથ્ય પટેલે થોડા દિવસ પહેલા એક મોટો અકસ્માત સર્જ્યો હતો, જેમાં તે થાર ગાડી હંકારી રહ્યો હતો અને આ દરમિયાન તેને સિંધુભવન રૉડ પર આવેલા ના મોવ કાફેમાં કાર ઘૂસાડી દીધી હતી. આ ઘટના 3જી જુલાઇએ બની હતી, આના CCTV ફૂટેજ અને વીડિયો પણ સામે આવ્યા છે. આ મામલે પણ પોલીસે હવે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસમાં પણ મોડી રાત્રે તથ્ય પટેલ કાર બેદરકારી ભરી રીતે હંકારીને દિવાલમાં ઘુસાડી દીધી હતી.  તેણે કેફે માલિકને પૈસા આપીને કેસને રફેદફે કરાવી દેતા FIR નોંધાઈ નહોતી, જોકે ઈસ્કોન બ્રિજ પર અકસ્માત બાદ તેની સામે ફરિયાદ નોંધાઈ હતી.



ઓપરેશન સિંદૂર પછી ભારતે પાકિસ્તાનને વિશ્વ સમક્ષ ઉઘાડું પાડવા માટે ૭ મલ્ટીપાર્ટી ડેલિગેશન બનાવ્યા છે. આમાંથી એક ડેલિગેશન એટલેકે પ્રતિનિધિ મંડળ રશિયાની રાજધાની મોસ્કો પહોંચ્યું છે. પરંતુ આ પ્રતિનિધિ મંડળને લઈ જનારા વિમાનને મોસ્કો એરપોર્ટ પર લેન્ડ થવામાં મુશ્કેલી પડી હતી. કેમ કે યુક્રેને રશિયાના મોસ્કો એરપોર્ટ પર જોરદાર ડ્રોન હુમલો કર્યો હતો. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી .

અમેરિકામાં થોડાક સમય પેહલા જ , ઇઝરાયેલી એમ્બેસીના બે સ્ટાફ પર. જીવલેણ હુમલો થયો છે. આ હુમલો વોશિંગટન ડીસીમાં જે જ્યુઈશ મ્યુઝિયમ આવેલું છે તેની નજીક આ હુમલો કરવામાં આવ્યો છે. આ બાબતે ત્યાંના મેટ્રોપોલિટન પોલીસ ડિપાર્ટમેન્ટએ એક સસ્પેક્ટને કસ્ટડીમાં લીધો છે. પ્રાથમિક માહિતી એ સામે આવી છે કે આ હિંસક હુમલો ઈલિયાસ રોડ્રિગુએઝ દ્વારા કરવામાં આવ્યો છે. જયારે પોલીસે તેની ધરપકડ કરી ત્યારે તેણે "ફ્રી પેલેસ્ટાઇન ફ્રી પેલેસ્ટાઇન" નામની બૂમો પાડી હતી.

અમદાવાદમાં ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનના ભાગ રૂપે ચંડોળામાં આજે પણ ફેઝ 2ની કામગીરી ચાલુ જ છે . ચંડોળા તળાવમાં આવેલી તમામ મસ્જિદ સહિતના ધાર્મિક સ્થાનોને તોડવાની શરૂઆત કરવામાં આવી છે. આ કામગીરી દરમ્યાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ક્રાઇમ બ્રાન્ચ સહીત પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો આવો જાણીએ ચંડોળામાં ચાલી રહેલા ફેઝ ૨ના મેગા ડિમોલિશન વિશે.

પાછલા ઘણા સમયથી પાકિસ્તાનમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે . ભારતની વિરુદ્ધમાં જે આતંકીઓએ ભૂતકાળમાં આતંકવાદી હુમલાઓની સાજીશ કરી હતી તે આંતકીઓની હવે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હત્યા થઇ રહી છે. આ ક્રમમાં હવે લશ્કરના આતંકી સૈફુલ્લા ખાલિદનો નંબર આવ્યો છે . જેની હત્યા અજાણ્યા હુમલાવરો દ્વારા કરી દેવાઈ છે. તેની પર આરોપ હતો કે ૨૦૦૬માં RSSના નાગપુર સ્થિત મુખ્યાલય પરના અટેકનો તે માસ્ટરમાઈન્ડ હતો . પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ત્રણ ગનમેન દ્વારા સૈફુલ્લા ખાલિદની હત્યા કર દેવાઈ છે.