Tatya Patel અકસ્માતમાં આપણેએ સગીરને તો ભૂલી ગયા જેણે થાર ઠોકી હતી! સગીરે Police સમક્ષ કર્યા આ મોટા ખુલાસા


  • Published By :
  • Published Date : 2023-08-09 15:40:58

અમદાવાદમાં થયેલા અકસ્માતમાં દરેક જગ્યા પર તથ્ય પટેલની વાતો થઈ રહી છે. તથ્ય પટેલના અપડેટ અનેક વખત આપવામાં આવી છે ત્યારે આજે તથ્ય પટેલના અકસ્માતને લઈ વાત નથી કરવી પરંતુ એ થાર ગાડીવાળાની કરવી છે. તથ્ય પેટલ દ્વારા જે અકસ્માત સર્જાયો તેમાં 10 નિર્દોષ લોકોના જીવ જતા રહ્યા હતા એટલે તેની ચર્ચાઓ થઈ રહી છે. પરંતુ આ બધામાં આપણે થાર ગાડીના અકસ્માત, ગાડી ચલાવનાર સગીરને તો ભૂલી ગયા. અકસ્માત પહેલા થારનો સર્જાયો હતો જેને લઈ લોકો ઉભા હતા ત્યારે તથ્ય પટેલની ગાડી આવી અને લોકોને ઉડાવી લઈ ગઈ.  

થારને ચલાવનાર ચાલક હતો માત્ર 15 વર્ષનો 

અમદાવાદ શહેરમાં 19 જુલાઈની મોડી રાત્રે ઈસ્કોન ફ્લાયઓવર પર તથ્ય પટેલ નામના નબીરાએ 140 કરતાં વધુ ઝડપે કાર ચલાવી અને 10 લોકોને ઉડાવીને જતો રહ્યો. તથ્ય પટેલનો અકસ્માત સર્જાયો તેના થોડા સમય પહેલાં જ ડમ્પર પાછળ એક થાર અથડાઈ હતી. આ અકસ્માતમાં મદદ માટે આવેલા લોકો ત્યાં ઊભા હતા અને એ જ સમયે તથ્યએ પૂરપાટ ઝડપે જેગુઆર કાર લોકોનાં ટોળાં પર ચડાવી દીધી હતી, પરંતુ સૌને હજુ પણ એક જ સવાલ સતાવી રહ્યો હતો કે તથ્યએ કરેલા અકસ્માત પહેલાં જે થાર અથડાઈ તે કોણ ચલાવી રહ્યું હતું? થારના અકસ્માત સમયે શું થયું હતું? ડમ્પર પાછળ થાર અથડાવનાર એક સગીર હતો.


પોલીસ સામે સગીરે કબૂલ્યો પોતાનો ગુન્હો!

એક મીડિયા અહેવાલ મુજબ જ્યારે તે સગીરે પોલીસ સામે નિવેદન આપ્યું ત્યારે કબૂલ્યું કે તેની ઉંમર 15 વર્ષ છે અને હું કર્ણાવતી કલબ પાછળ માતા-પિતા સાથે રહું છું. મારા પિતા સાથે ખેતીકામ કરું છું. આ અગાઉ હું જોધપુર રોડ ખાતે આવેલી એક સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતો હતો, પરંતુ હું ધોરણ 9માં નપાસ થયો અને મેં ભણવાનું છોડી દીધું છે અને હાલમાં મારા પિતાજીને ખેતીકામમાં મદદ કરું છું. અમારી પાસે એક મહિન્દ્રા થાર ગાડી છે, જે ગાડી મારા પિતાના નામે ખરીદી છે અને એ ગાડીનું મારા પિતા પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ હોવાથી મારા પિતા ચલાવે છે. 


આગળ સગીરે કહ્યું કે, મેં ડ્રાઇવિંગ લાઇસન્સ લીધેલું નથી કે લાઇસન્સ કઢાવવાની તજવીજ કરી નથી.એ રાત્રે આઠેક વાગ્યે હું તથા મારા ઘરના તમામ સભ્યો, મારાં બહેન-બનેવી આવ્યાં હોવાથી તેમની સાથે શાંતિપુરા સર્કલ પાસે આવેલી હોટલમાં અમારી ગાડી લઇને જમવા માટે ગયા હતા. એ વખતે ગાડી મારા બનેવી ચલાવી રહ્યા હતા અને રાત્રિના સાડા દસ વાગ્યાની આસપાસ ઘરે પાછા આવી ગયા હતા, ગાડી બહાર મૂકી અમે ઘરમાં ગયા હતા. જ્યારે હું એકાદ કલાક ઘરમાં બેસી બહાર નીકળ્યો હતો અને મારા પિતાને પૂછ્યા વગર ગાડીની ચાવી લીધી અને ગાડી લઈ બહાર નીકળ્યો હતો. અને પછી કર્ણાવતી કલબ પાસે બ્રિજ ઉતરતા કાર એક કન્ટેનર સાથે અથડાઈ. 


સગીરના પિતાએ આપ્યું આ નિવદેન 

પિતાએ નિવેદન આપ્યું તે મુજબ "હું બાવળા તાલુકાના કાવીઠા ગામની સીમમાં મારી જમીન આવેલી છે અને ત્યાં ખેતીકામ કરું છું. મારી સાથે મારાં પત્ની રહે છે અને તે ઘરકામ કરે છે. મારે સંતાનમાં બે દીકરા તથા બે દીકરી છે. મારા બે દીકરામાંથી એકના લગ્ન થઈ ગયા છે. આ બન્ને દીકરા મારા ભેગા જ રહે છે. 


પોલીસે આવીને મને અકસ્માત અંગે જાણ કરી - સગીરના પિતા

જ્યારે નાનો દીકરો જેની ઉંમર 15 વર્ષ, 10 માસ છે. મેં ઘરના કામકાજ માટે એક મહિન્દ્રા થાર મારા નામ પર ખરીદેલી છે. આ ગાડી હું ચલાવું છુ અને મારી પાસે ફોર-વ્હીલર ચલાવવાનું ડ્રાઇવિંગ લાઇસન્સ છે.એ દિવસે રાતે અમે સૂઈ ગયા હતા ત્યારે મારો દીકરો કાર લઈ ગયો હતો અને અચાનક સાડા ચારેક વાગ્યે પોલીસ અમારા ઘરે આવી હતી અને મને જગાડીને કહ્યું હતું કે તમારા દીકરાએ ઇસ્કોન ઓવરબ્રિજ ઉપર એક અજાણ્યા કન્ટેનર પાછળ અકસ્માત કર્યો છે.

ઘરવાળાને જાણ ન હતી તો અને બાળક ગાડીને નિકળી ગયો!

આ બંને નિવેદનમાં એક વસ્તુ કોમન છે, જાહેર થાય છે કે થાર ચલાવનાર  સગીર માત્ર 15 વર્ષનો હતો અને કેટલું ભયાનક કહેવાય કે તેના પિતાને કે પરિવારને ખબર જ નથી કે 15 વર્ષનો છોકરો કાર લઈને રાત્રે નિકળી ગયો છે. સજા તો આ સગીર અને તેના પિતાને પણ એટલી જ થવી જોઈએ કારણ કે બેદરકારી અને અકસ્માતની પહેલી શરૂઆત તો એ 15 વર્ષના નબીરાને કારણે થઈ!



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.