તથ્યકાંડ 2.0! છોકરાઓએ ફૂલ સ્પીડમાં રોલા પાડવા Live કર્યુ 140 ની સ્પીડને પછી.. વીડિયો જોઈને રૂંવાડા ઉભા થઈ જશે...


  • Published By :
  • Published Date : 2024-05-16 18:44:12

રોડ અકસ્માતમાં અનેક નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે... થોડા સમય પહેલા તથ્ય પટેલ દ્વારા એક અકસ્માત સર્જાયો હતો જેમાં અનેક લોકો કાળનો કોળિયો બન્યા હતા. જે કાંડને આપણે ક્યારેય નહીં ભુલી શકીએ... સવાલ એ થાય કે એ ઘટના પરથી આપણે કંઈ શીખ્યા ખરી? અનેક લોકો હા પાડશે તો અનેક લોકો ના પાડશે... અનેક લોકો ધીમે ગાડી ચલાવતા થઈ ગયા હશે પરંતુ અનેક લોકો એવા પણ હશે જે હજી પણ ફૂલ સ્પીડમાં ગાડી ચલાવતા હશે.. અનેક લોકોમાં તો કંઈ ફેર જ નહીં પડ્યો. ફરી એક વાર મોતનો એવો live વિડીયો આણંદથી આવ્યો છે જે જોઈને તમારા રૂંવાટા ઉભા થઈ જાય...! 

ગાડીની સ્પીડ પહોંચી 140 પર...

આજકાલ ગુજરાતમાં અકસ્માતોની અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..  


યુવાનો ગાડીમાં બેસી કરી રહ્યા હતા પાર્ટી

સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થયો છે તે વીડિયોમાં પાંચેય યુવકો પાર્ટી કરતા, જોરથી મ્યુઝિક પર નાચતા દેખાય છે. લાઈવ કરી દર્શકોને લાઇવ બતાવવા માંગતા હતા એટલે અત્યારની ભાષામાં કહીએ તો કલર મારતા દેખાય છે. લાઈવમાં દેખાય છે કે ગાડી 140ની સ્પીડે પહોંચી છે જો એ યુવાનોની વાત કરીએ તો, સાત યુવાનો કારમાં મુંબઈથી પાછા આણંદ આવતાં હતા. યુવાનોએ 140 કિમીની ઝડપે કાર ભગાવી હતી અને ઈન્સ્ટાગ્રામ પર લાઈવ કર્યું. ઓવરટેક કરતા ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો હતો અને કાર ટકરાઈ જેમાં 4 યુવાનોના મોત થઈ ગયાં... 


ભૂતકાળમાંથી આપણે ક્યારે શીખીશું? 

વારંવાર બનતી આવી ઘટનાઓ આપણને એ બતાવે છે કે આપણે ભૂતકાળમાંથી કશું શિખતા જ નથી. આપણી આદત થઈ ગઈ છે બૂમો પાડવાની કે આટલા મોત થયા એની પાછળ જવાબદાર કોણ? પણ આ યુવાનોને કોણ સમજાવશે કે રોલા પાડવા માટે પોતાનો અને બીજાનો જીવ જોખમમાં ના નાખવો જોઈએ. હજુ પણ બહુ વાર નથી થઈ. લોકો ભૂતકાળમાં બનેલી ઘટનાઓમાંથી કંઈ શીખે અને સુધારી જાય તો સારું..  અને માં બાપ પણ આ યુવાનોને ગાડીની ચાવી આપતા પહેલા એ જોવે કે એમના છોકરા એને કાબિલ છે કે નહીં? કોઈનો જીવ લેવાનો કોઈને અધિકાર નથી.! 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.