તથ્યકાંડ 2.0! છોકરાઓએ ફૂલ સ્પીડમાં રોલા પાડવા Live કર્યુ 140 ની સ્પીડને પછી.. વીડિયો જોઈને રૂંવાડા ઉભા થઈ જશે...


  • Published By :
  • Published Date : 2024-05-16 18:44:12

રોડ અકસ્માતમાં અનેક નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે... થોડા સમય પહેલા તથ્ય પટેલ દ્વારા એક અકસ્માત સર્જાયો હતો જેમાં અનેક લોકો કાળનો કોળિયો બન્યા હતા. જે કાંડને આપણે ક્યારેય નહીં ભુલી શકીએ... સવાલ એ થાય કે એ ઘટના પરથી આપણે કંઈ શીખ્યા ખરી? અનેક લોકો હા પાડશે તો અનેક લોકો ના પાડશે... અનેક લોકો ધીમે ગાડી ચલાવતા થઈ ગયા હશે પરંતુ અનેક લોકો એવા પણ હશે જે હજી પણ ફૂલ સ્પીડમાં ગાડી ચલાવતા હશે.. અનેક લોકોમાં તો કંઈ ફેર જ નહીં પડ્યો. ફરી એક વાર મોતનો એવો live વિડીયો આણંદથી આવ્યો છે જે જોઈને તમારા રૂંવાટા ઉભા થઈ જાય...! 

ગાડીની સ્પીડ પહોંચી 140 પર...

આજકાલ ગુજરાતમાં અકસ્માતોની અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..  


યુવાનો ગાડીમાં બેસી કરી રહ્યા હતા પાર્ટી

સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થયો છે તે વીડિયોમાં પાંચેય યુવકો પાર્ટી કરતા, જોરથી મ્યુઝિક પર નાચતા દેખાય છે. લાઈવ કરી દર્શકોને લાઇવ બતાવવા માંગતા હતા એટલે અત્યારની ભાષામાં કહીએ તો કલર મારતા દેખાય છે. લાઈવમાં દેખાય છે કે ગાડી 140ની સ્પીડે પહોંચી છે જો એ યુવાનોની વાત કરીએ તો, સાત યુવાનો કારમાં મુંબઈથી પાછા આણંદ આવતાં હતા. યુવાનોએ 140 કિમીની ઝડપે કાર ભગાવી હતી અને ઈન્સ્ટાગ્રામ પર લાઈવ કર્યું. ઓવરટેક કરતા ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો હતો અને કાર ટકરાઈ જેમાં 4 યુવાનોના મોત થઈ ગયાં... 


ભૂતકાળમાંથી આપણે ક્યારે શીખીશું? 

વારંવાર બનતી આવી ઘટનાઓ આપણને એ બતાવે છે કે આપણે ભૂતકાળમાંથી કશું શિખતા જ નથી. આપણી આદત થઈ ગઈ છે બૂમો પાડવાની કે આટલા મોત થયા એની પાછળ જવાબદાર કોણ? પણ આ યુવાનોને કોણ સમજાવશે કે રોલા પાડવા માટે પોતાનો અને બીજાનો જીવ જોખમમાં ના નાખવો જોઈએ. હજુ પણ બહુ વાર નથી થઈ. લોકો ભૂતકાળમાં બનેલી ઘટનાઓમાંથી કંઈ શીખે અને સુધારી જાય તો સારું..  અને માં બાપ પણ આ યુવાનોને ગાડીની ચાવી આપતા પહેલા એ જોવે કે એમના છોકરા એને કાબિલ છે કે નહીં? કોઈનો જીવ લેવાનો કોઈને અધિકાર નથી.! 



પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.