તથ્યકાંડ 2.0! છોકરાઓએ ફૂલ સ્પીડમાં રોલા પાડવા Live કર્યુ 140 ની સ્પીડને પછી.. વીડિયો જોઈને રૂંવાડા ઉભા થઈ જશે...


  • Published By :
  • Published Date : 2024-05-16 18:44:12

રોડ અકસ્માતમાં અનેક નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે... થોડા સમય પહેલા તથ્ય પટેલ દ્વારા એક અકસ્માત સર્જાયો હતો જેમાં અનેક લોકો કાળનો કોળિયો બન્યા હતા. જે કાંડને આપણે ક્યારેય નહીં ભુલી શકીએ... સવાલ એ થાય કે એ ઘટના પરથી આપણે કંઈ શીખ્યા ખરી? અનેક લોકો હા પાડશે તો અનેક લોકો ના પાડશે... અનેક લોકો ધીમે ગાડી ચલાવતા થઈ ગયા હશે પરંતુ અનેક લોકો એવા પણ હશે જે હજી પણ ફૂલ સ્પીડમાં ગાડી ચલાવતા હશે.. અનેક લોકોમાં તો કંઈ ફેર જ નહીં પડ્યો. ફરી એક વાર મોતનો એવો live વિડીયો આણંદથી આવ્યો છે જે જોઈને તમારા રૂંવાટા ઉભા થઈ જાય...! 

ગાડીની સ્પીડ પહોંચી 140 પર...

આજકાલ ગુજરાતમાં અકસ્માતોની અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..  


યુવાનો ગાડીમાં બેસી કરી રહ્યા હતા પાર્ટી

સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થયો છે તે વીડિયોમાં પાંચેય યુવકો પાર્ટી કરતા, જોરથી મ્યુઝિક પર નાચતા દેખાય છે. લાઈવ કરી દર્શકોને લાઇવ બતાવવા માંગતા હતા એટલે અત્યારની ભાષામાં કહીએ તો કલર મારતા દેખાય છે. લાઈવમાં દેખાય છે કે ગાડી 140ની સ્પીડે પહોંચી છે જો એ યુવાનોની વાત કરીએ તો, સાત યુવાનો કારમાં મુંબઈથી પાછા આણંદ આવતાં હતા. યુવાનોએ 140 કિમીની ઝડપે કાર ભગાવી હતી અને ઈન્સ્ટાગ્રામ પર લાઈવ કર્યું. ઓવરટેક કરતા ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો હતો અને કાર ટકરાઈ જેમાં 4 યુવાનોના મોત થઈ ગયાં... 


ભૂતકાળમાંથી આપણે ક્યારે શીખીશું? 

વારંવાર બનતી આવી ઘટનાઓ આપણને એ બતાવે છે કે આપણે ભૂતકાળમાંથી કશું શિખતા જ નથી. આપણી આદત થઈ ગઈ છે બૂમો પાડવાની કે આટલા મોત થયા એની પાછળ જવાબદાર કોણ? પણ આ યુવાનોને કોણ સમજાવશે કે રોલા પાડવા માટે પોતાનો અને બીજાનો જીવ જોખમમાં ના નાખવો જોઈએ. હજુ પણ બહુ વાર નથી થઈ. લોકો ભૂતકાળમાં બનેલી ઘટનાઓમાંથી કંઈ શીખે અને સુધારી જાય તો સારું..  અને માં બાપ પણ આ યુવાનોને ગાડીની ચાવી આપતા પહેલા એ જોવે કે એમના છોકરા એને કાબિલ છે કે નહીં? કોઈનો જીવ લેવાનો કોઈને અધિકાર નથી.! 



ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.