તથ્યકાંડ 2.0! છોકરાઓએ ફૂલ સ્પીડમાં રોલા પાડવા Live કર્યુ 140 ની સ્પીડને પછી.. વીડિયો જોઈને રૂંવાડા ઉભા થઈ જશે...


  • Published By :
  • Published Date : 2024-05-16 18:44:12

રોડ અકસ્માતમાં અનેક નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે... થોડા સમય પહેલા તથ્ય પટેલ દ્વારા એક અકસ્માત સર્જાયો હતો જેમાં અનેક લોકો કાળનો કોળિયો બન્યા હતા. જે કાંડને આપણે ક્યારેય નહીં ભુલી શકીએ... સવાલ એ થાય કે એ ઘટના પરથી આપણે કંઈ શીખ્યા ખરી? અનેક લોકો હા પાડશે તો અનેક લોકો ના પાડશે... અનેક લોકો ધીમે ગાડી ચલાવતા થઈ ગયા હશે પરંતુ અનેક લોકો એવા પણ હશે જે હજી પણ ફૂલ સ્પીડમાં ગાડી ચલાવતા હશે.. અનેક લોકોમાં તો કંઈ ફેર જ નહીં પડ્યો. ફરી એક વાર મોતનો એવો live વિડીયો આણંદથી આવ્યો છે જે જોઈને તમારા રૂંવાટા ઉભા થઈ જાય...! 

ગાડીની સ્પીડ પહોંચી 140 પર...

આજકાલ ગુજરાતમાં અકસ્માતોની અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..  


યુવાનો ગાડીમાં બેસી કરી રહ્યા હતા પાર્ટી

સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થયો છે તે વીડિયોમાં પાંચેય યુવકો પાર્ટી કરતા, જોરથી મ્યુઝિક પર નાચતા દેખાય છે. લાઈવ કરી દર્શકોને લાઇવ બતાવવા માંગતા હતા એટલે અત્યારની ભાષામાં કહીએ તો કલર મારતા દેખાય છે. લાઈવમાં દેખાય છે કે ગાડી 140ની સ્પીડે પહોંચી છે જો એ યુવાનોની વાત કરીએ તો, સાત યુવાનો કારમાં મુંબઈથી પાછા આણંદ આવતાં હતા. યુવાનોએ 140 કિમીની ઝડપે કાર ભગાવી હતી અને ઈન્સ્ટાગ્રામ પર લાઈવ કર્યું. ઓવરટેક કરતા ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો હતો અને કાર ટકરાઈ જેમાં 4 યુવાનોના મોત થઈ ગયાં... 


ભૂતકાળમાંથી આપણે ક્યારે શીખીશું? 

વારંવાર બનતી આવી ઘટનાઓ આપણને એ બતાવે છે કે આપણે ભૂતકાળમાંથી કશું શિખતા જ નથી. આપણી આદત થઈ ગઈ છે બૂમો પાડવાની કે આટલા મોત થયા એની પાછળ જવાબદાર કોણ? પણ આ યુવાનોને કોણ સમજાવશે કે રોલા પાડવા માટે પોતાનો અને બીજાનો જીવ જોખમમાં ના નાખવો જોઈએ. હજુ પણ બહુ વાર નથી થઈ. લોકો ભૂતકાળમાં બનેલી ઘટનાઓમાંથી કંઈ શીખે અને સુધારી જાય તો સારું..  અને માં બાપ પણ આ યુવાનોને ગાડીની ચાવી આપતા પહેલા એ જોવે કે એમના છોકરા એને કાબિલ છે કે નહીં? કોઈનો જીવ લેવાનો કોઈને અધિકાર નથી.! 



એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આજે પરિણામ આવી ગયા છે. રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ ૧૦,૦૦૫ બેઠક પર 26,196 ઉમેદવારના ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. 26 એપ્રિલે આ બેઠકો પર સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. જેમાં મહાનગરપાલિકાઓ , નગરપાલિકાઓ , જિલ્લા પંચાયત , તાલુકા પંચાયતોમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.