તાપીની સુંદરપુર પ્રાથમિક શાળાના શિક્ષક નશામાં ચકચૂર રહેતા વાલીઓમાં રોષ, Video વાયરલ


  • Published By :
  • Published Date : 2024-01-30 21:16:20

આપણા દેશમાં પ્રાચીન સમયથી વિદ્યાર્થીઓને જ્ઞાન આપતા ગુરૂઓ તેમના શિષ્યો માટે આદર્શ મનાય છે. જો કે રાજ્યની શાળાઓમાં દારૂ પિધેલી હાલતમાં પકડાતા હોવાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. જેમ કે તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાની સુંદરપુર પ્રાથમિક શાળામાં નશામાં ચકચૂર રહેતા શિક્ષકના કારણે હોબાળો મચ્યો છે. શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટનાથી વાલીઓમાં ઉગ્ન રોષ ભભૂકી ઊઠ્યો છે. આ પિક્કડ શિક્ષકની તાકીદે બદલી કરવા અંગે આજરોજ એસ.એમ.સી. સમિતિ તથા વાલીઓએ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સહિતના સંબંધિત વિભાગોને આવેદનપત્ર આપ્યું છે.


વિદ્યાર્થીઓને દારુ લેવા મોકલતો હતો


તાપીમાં ઉચ્છલના સુંદરપુરની પ્રાથમિક શાળામાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શિક્ષક શિક્ષક લલ્લુભાઈ ગામીત ક્લાસમાં દારુ પીને પડી રહેતા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. શાળામાં શિક્ષક ભણાવવાને બદલે વિદ્યાર્થીઓને દારુ લેવા મોકલતો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. શિક્ષકની બદલી કરવા વાલીઓની શિક્ષણાધિકારીને રજૂઆત કરવામાં આવી છે. છેલ્લા 3 વર્ષથી શિક્ષક ક્લાસમાં દારુ પીને પડ્યા રહેતા હોવાની ગ્રામજનોએ રજૂઆત કરી છે.


શિક્ષક લલ્લુભાઈ ગામીતથી ગામ લોકો ત્રાહિમામ


તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાની સુંદરપુર ગામની કોંકણી ફળિયાની પ્રાથમિક શાળામાં ધો. 1થી 5 વર્ગો ચાલે છે. કોંકણી, માવચી, વસાવા, ગાવિત જેવા આદિવાસી સમાજના બાળકો શાળામાં અભ્યાસ કરે છે. શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા લલ્લુભાઈ સી.ગામીતની દારૂના વ્યસનની કુટેવથી ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓ પણ ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. અનેક વખત રજૂઆત છતાં પોતાની આદતમાં કોઈ પરિવર્તન ન દેખાતા આજરોજ ઉશ્કેરાયેલ અને એસ.એમ.સી. સમિતિએ તાલુકા પાથમિક શિક્ષણ અધિકારી, મામલતદાર સહિતના સંબંધિત વિભાગોને સંબોધતું આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે, સુંદરપુર (કોંકણી ફળિયા)ની શાળાના શિક્ષક દરરોજ દારૂનું વ્યસન કરી શાળામાં આવે છે, બાળકોને કંઇ પણ ભણાવતા નથી. શાળામાં વિદ્યાભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓના બાળ માનસ પર કેટલી ખરાબ અસર થઈ હશે મુદ્દો પણ શિક્ષણ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે.    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.