તાપીની સુંદરપુર પ્રાથમિક શાળાના શિક્ષક નશામાં ચકચૂર રહેતા વાલીઓમાં રોષ, Video વાયરલ


  • Published By :
  • Published Date : 2024-01-30 21:16:20

આપણા દેશમાં પ્રાચીન સમયથી વિદ્યાર્થીઓને જ્ઞાન આપતા ગુરૂઓ તેમના શિષ્યો માટે આદર્શ મનાય છે. જો કે રાજ્યની શાળાઓમાં દારૂ પિધેલી હાલતમાં પકડાતા હોવાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. જેમ કે તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાની સુંદરપુર પ્રાથમિક શાળામાં નશામાં ચકચૂર રહેતા શિક્ષકના કારણે હોબાળો મચ્યો છે. શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટનાથી વાલીઓમાં ઉગ્ન રોષ ભભૂકી ઊઠ્યો છે. આ પિક્કડ શિક્ષકની તાકીદે બદલી કરવા અંગે આજરોજ એસ.એમ.સી. સમિતિ તથા વાલીઓએ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સહિતના સંબંધિત વિભાગોને આવેદનપત્ર આપ્યું છે.


વિદ્યાર્થીઓને દારુ લેવા મોકલતો હતો


તાપીમાં ઉચ્છલના સુંદરપુરની પ્રાથમિક શાળામાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શિક્ષક શિક્ષક લલ્લુભાઈ ગામીત ક્લાસમાં દારુ પીને પડી રહેતા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. શાળામાં શિક્ષક ભણાવવાને બદલે વિદ્યાર્થીઓને દારુ લેવા મોકલતો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. શિક્ષકની બદલી કરવા વાલીઓની શિક્ષણાધિકારીને રજૂઆત કરવામાં આવી છે. છેલ્લા 3 વર્ષથી શિક્ષક ક્લાસમાં દારુ પીને પડ્યા રહેતા હોવાની ગ્રામજનોએ રજૂઆત કરી છે.


શિક્ષક લલ્લુભાઈ ગામીતથી ગામ લોકો ત્રાહિમામ


તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાની સુંદરપુર ગામની કોંકણી ફળિયાની પ્રાથમિક શાળામાં ધો. 1થી 5 વર્ગો ચાલે છે. કોંકણી, માવચી, વસાવા, ગાવિત જેવા આદિવાસી સમાજના બાળકો શાળામાં અભ્યાસ કરે છે. શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા લલ્લુભાઈ સી.ગામીતની દારૂના વ્યસનની કુટેવથી ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓ પણ ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. અનેક વખત રજૂઆત છતાં પોતાની આદતમાં કોઈ પરિવર્તન ન દેખાતા આજરોજ ઉશ્કેરાયેલ અને એસ.એમ.સી. સમિતિએ તાલુકા પાથમિક શિક્ષણ અધિકારી, મામલતદાર સહિતના સંબંધિત વિભાગોને સંબોધતું આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે, સુંદરપુર (કોંકણી ફળિયા)ની શાળાના શિક્ષક દરરોજ દારૂનું વ્યસન કરી શાળામાં આવે છે, બાળકોને કંઇ પણ ભણાવતા નથી. શાળામાં વિદ્યાભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓના બાળ માનસ પર કેટલી ખરાબ અસર થઈ હશે મુદ્દો પણ શિક્ષણ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે.    



જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"

સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. તબીબોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો કેમ કે , ન્યુરો વિભાગના તબીબ પર જે હુમલો થયો તે હજુ પકડાયો નથી. તો હવે જુનિયર તબીબો ચાર મુખ્ય માંગણીઓ સાથે હડતાલ પર ઉતરી ચુક્યા છે. જેના કારણે , રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી સિવાય તમામ સેવાઓ ઠપ થઇ ગઈ છે. આમ , ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ પર સંકટના વાદળો છવાયા છે.