તાપીની સુંદરપુર પ્રાથમિક શાળાના શિક્ષક નશામાં ચકચૂર રહેતા વાલીઓમાં રોષ, Video વાયરલ


  • Published By :
  • Published Date : 2024-01-30 21:16:20

આપણા દેશમાં પ્રાચીન સમયથી વિદ્યાર્થીઓને જ્ઞાન આપતા ગુરૂઓ તેમના શિષ્યો માટે આદર્શ મનાય છે. જો કે રાજ્યની શાળાઓમાં દારૂ પિધેલી હાલતમાં પકડાતા હોવાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. જેમ કે તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાની સુંદરપુર પ્રાથમિક શાળામાં નશામાં ચકચૂર રહેતા શિક્ષકના કારણે હોબાળો મચ્યો છે. શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટનાથી વાલીઓમાં ઉગ્ન રોષ ભભૂકી ઊઠ્યો છે. આ પિક્કડ શિક્ષકની તાકીદે બદલી કરવા અંગે આજરોજ એસ.એમ.સી. સમિતિ તથા વાલીઓએ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સહિતના સંબંધિત વિભાગોને આવેદનપત્ર આપ્યું છે.


વિદ્યાર્થીઓને દારુ લેવા મોકલતો હતો


તાપીમાં ઉચ્છલના સુંદરપુરની પ્રાથમિક શાળામાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શિક્ષક શિક્ષક લલ્લુભાઈ ગામીત ક્લાસમાં દારુ પીને પડી રહેતા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. શાળામાં શિક્ષક ભણાવવાને બદલે વિદ્યાર્થીઓને દારુ લેવા મોકલતો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. શિક્ષકની બદલી કરવા વાલીઓની શિક્ષણાધિકારીને રજૂઆત કરવામાં આવી છે. છેલ્લા 3 વર્ષથી શિક્ષક ક્લાસમાં દારુ પીને પડ્યા રહેતા હોવાની ગ્રામજનોએ રજૂઆત કરી છે.


શિક્ષક લલ્લુભાઈ ગામીતથી ગામ લોકો ત્રાહિમામ


તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાની સુંદરપુર ગામની કોંકણી ફળિયાની પ્રાથમિક શાળામાં ધો. 1થી 5 વર્ગો ચાલે છે. કોંકણી, માવચી, વસાવા, ગાવિત જેવા આદિવાસી સમાજના બાળકો શાળામાં અભ્યાસ કરે છે. શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા લલ્લુભાઈ સી.ગામીતની દારૂના વ્યસનની કુટેવથી ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓ પણ ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. અનેક વખત રજૂઆત છતાં પોતાની આદતમાં કોઈ પરિવર્તન ન દેખાતા આજરોજ ઉશ્કેરાયેલ અને એસ.એમ.સી. સમિતિએ તાલુકા પાથમિક શિક્ષણ અધિકારી, મામલતદાર સહિતના સંબંધિત વિભાગોને સંબોધતું આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે, સુંદરપુર (કોંકણી ફળિયા)ની શાળાના શિક્ષક દરરોજ દારૂનું વ્યસન કરી શાળામાં આવે છે, બાળકોને કંઇ પણ ભણાવતા નથી. શાળામાં વિદ્યાભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓના બાળ માનસ પર કેટલી ખરાબ અસર થઈ હશે મુદ્દો પણ શિક્ષણ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે.    



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.