જુની પેન્શન યોજનાની માગ ફરી બુલંદ, સૌરાષ્ટ્રના 13 જિલ્લાના શિક્ષકોએ આજે અમરેલીમાં કર્યા ધરણા


  • Published By :
  • Published Date : 2024-01-11 22:40:43

રાજ્યના સરકારી કર્મચારીઓ દ્વારા જુની પેન્શન યોજનાની માગ ફરી એક વખત બુલંદ બની છે. રાજ્યના સરકારી શિક્ષકો હવે આ મુદ્દે સક્રિય બન્યા છે. અમરેલી જિલ્લા સાથે સૌરાષ્ટ્ર સહિતના 13 જિલ્લાના શિક્ષકો દ્વારા અમરેલી ખાતે સરકાર સામે ધરણાં યોજીને વિરોધ પ્રદર્શન કરીને જૂની પેન્શન યોજના લાગુ કરવા શિક્ષકો મોટી સંખ્યામાં એકત્રીત થયા હતા.


જૂની પેન્શન યોજનાની માગ બુલંદ

 

આજે અમરેલીના આંગણે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકો દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે સરકાર વિરૂદ્ધ ધરણાં પ્રદર્શન યોજ્યું હતું ગુજરાત રાજ્ય શિક્ષક સંઘ દ્વારા અમરેલીની કોળી સમાજની વાડી ખાતે શિક્ષકો દ્વારા હાથમાં બેનરો સાથે રેલી સ્વરૂપે ધરણાં સ્થળે પહોંચ્યા હતા ને સૂત્રોચાર કરીને હમારી માંગે પૂરી કરો ના નાદ સાથે દેખાવો કર્યો હતો ને શિક્ષકો દ્વારા 1 એપ્રિલ 2005 પહેલાની જૂની પેન્શન યોજના સરકાર સાથે સમાધાન થયાને 1 વર્ષ જેવો સમય ગાળો વીતવા છતાં પણ સરકાર દ્વારા જૂની પેન્શન યોજના નો પરિપત્ર ના કરતા આજે અમરેલી ખાતે 13 જિલ્લાના શિક્ષકો ઉમટી પડ્યા હતા ને સરકાર વિરૂદ્ધ ઉગ્ર રોષ સાથે સૂત્રોચાર અને ધરણાં યોજાયા હતા. સૌરાષ્ટ્ર ઝોનના 13 જિલ્લાના શિક્ષકોએ આજે અમરેલી ખાતેથી સરકાર વિરુદ્ધ જૂની પેન્શન યોજના લાગુ કરવા આંદોલન શરૂ કરાયું છે જે તબક્કા વાર અન્ય જિલ્લાઓમાં આંદોલન કરીને સરકાર સામે શિક્ષકો મેદાનમાં ઉતરશે ત્યારે હવે સરકાર જૂની પેન્શન યોજના લાગુ કરે છે કે કેમ તે જોવું રહ્યું.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી