જુની પેન્શન યોજનાની માગ ફરી બુલંદ, સૌરાષ્ટ્રના 13 જિલ્લાના શિક્ષકોએ આજે અમરેલીમાં કર્યા ધરણા


  • Published By :
  • Published Date : 2024-01-11 22:40:43

રાજ્યના સરકારી કર્મચારીઓ દ્વારા જુની પેન્શન યોજનાની માગ ફરી એક વખત બુલંદ બની છે. રાજ્યના સરકારી શિક્ષકો હવે આ મુદ્દે સક્રિય બન્યા છે. અમરેલી જિલ્લા સાથે સૌરાષ્ટ્ર સહિતના 13 જિલ્લાના શિક્ષકો દ્વારા અમરેલી ખાતે સરકાર સામે ધરણાં યોજીને વિરોધ પ્રદર્શન કરીને જૂની પેન્શન યોજના લાગુ કરવા શિક્ષકો મોટી સંખ્યામાં એકત્રીત થયા હતા.


જૂની પેન્શન યોજનાની માગ બુલંદ

 

આજે અમરેલીના આંગણે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકો દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે સરકાર વિરૂદ્ધ ધરણાં પ્રદર્શન યોજ્યું હતું ગુજરાત રાજ્ય શિક્ષક સંઘ દ્વારા અમરેલીની કોળી સમાજની વાડી ખાતે શિક્ષકો દ્વારા હાથમાં બેનરો સાથે રેલી સ્વરૂપે ધરણાં સ્થળે પહોંચ્યા હતા ને સૂત્રોચાર કરીને હમારી માંગે પૂરી કરો ના નાદ સાથે દેખાવો કર્યો હતો ને શિક્ષકો દ્વારા 1 એપ્રિલ 2005 પહેલાની જૂની પેન્શન યોજના સરકાર સાથે સમાધાન થયાને 1 વર્ષ જેવો સમય ગાળો વીતવા છતાં પણ સરકાર દ્વારા જૂની પેન્શન યોજના નો પરિપત્ર ના કરતા આજે અમરેલી ખાતે 13 જિલ્લાના શિક્ષકો ઉમટી પડ્યા હતા ને સરકાર વિરૂદ્ધ ઉગ્ર રોષ સાથે સૂત્રોચાર અને ધરણાં યોજાયા હતા. સૌરાષ્ટ્ર ઝોનના 13 જિલ્લાના શિક્ષકોએ આજે અમરેલી ખાતેથી સરકાર વિરુદ્ધ જૂની પેન્શન યોજના લાગુ કરવા આંદોલન શરૂ કરાયું છે જે તબક્કા વાર અન્ય જિલ્લાઓમાં આંદોલન કરીને સરકાર સામે શિક્ષકો મેદાનમાં ઉતરશે ત્યારે હવે સરકાર જૂની પેન્શન યોજના લાગુ કરે છે કે કેમ તે જોવું રહ્યું.



યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .

થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .