સાર્વજનિક માધ્યમિક શાળાના શિક્ષકોએ આવી રીતે મનાવી દિવાળી, આ વિદ્યાર્થીઓને આપી ભેટ..


  • Published By :
  • Published Date : 2024-10-29 16:04:49

દિવાળીનો તહેવાર આવે અને લોકોના જીવનમાં ખુશીઓ આવે તેવી પ્રાર્થના કરતા હોઈ છીએ... નાના છોકરાઓને ઉત્સાહ હોય છે નવા કપડા, ફટાકડાની ખરીદી કરવાનો પરંતુ અનેક બાળકો એવા હોય છે જે આર્થિક પરિસ્થિતિને કારણે નવા કપડા અને ફટાકડા નથી ખરીદી શકતા.. અનેક સંસ્થાઓ, લોકો એવા હોય છે જે બાળકોને નવા કપડાઓ અપાવતા હોય છે. ત્યારે સરખેજ કેળવણી મંડળ સંચાલિત સાર્વજનિક માધ્યમિક શાળાના આચાર્ય અને સુપરવાઈઝર તેમજ શિક્ષકોએ શાળાના ખૂબ જ જરૂરિયાતમંદ તેમજ માતા પિતાની છત્રછાયા ગુમાવનાર વિદ્યાર્થીઓની મુલાકાત લીધી હતી અને ભેટ સોગાદો આપ્યા હતા.. 

 

શિક્ષકો પર મોટી જવાબદારી હોય છે જ્યારે.... 

બાળક ઘર પછી સૌથી વધારે સમય જો ક્યાંય પસાર કરતો હોય તો તે જગ્યા શાળા હોય છે.. માતા પિતા પછી બાળકના ભવિષ્યની કોઈને ચિંતા હોય તો તે હોય છે શિક્ષકો... શિક્ષક માટે આપણે ત્યાં ઘણું બધું લખાયું છે.. કહેવાય છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા.. પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હેં.. શિક્ષકો પર જવાબદારી વધી જતી હોય છે કારણ કે માતા પિતા એ ભરોસા સાથે બાળકને શાળાએ મોકલે છે કે બાળક સારા વાતાવરણમાં છે, સારા લોકો સાથે છે. 



જરૂરીયાતમંદ બાળકોને આપી દિવાળીની ભેટ

શાળામાં આવતા દરેક બાળકો પર માતા પિતાનો સાયો હોય તે જરૂરી નથી હોતું... શાળામાં એવા બાળકો પણ આવતા હોય છે જેમના માતા પિતા અથવા તો માતા કે પિતાની છત્રછાયા ના હોય.. ત્યારે સરખેજ કેળવણી મંડળ સંચાલિત સાર્વજનિક માધ્યમિક શાળાના આચાર્ય ડો ટીનાબેન જોશી તેમજ સુપરવાઇઝર શિલ્પાબેન ત્રિવેદી અને વરિષ્ઠ શિક્ષક દર્શનભાઈ પટેલ દ્વારા શાળાના ખૂબ જ જરૂરિયાત મંદ તેમજ માતા પિતા અથવા તો માતા કે પિતાની છત્રછાયા ગુમાવનાર વિદ્યાર્થીઓની આજે દિવાળી પર્વ નિમિત્તે મુલાકાત લીધી હતી અને તેમને ભેટ સોગાદો આપી હતી.. ભેટ સોગાદો મળતા વિદ્યાર્થીઓ આનંદિત તેમજ ભાવ વિભોર થઈ ગયા હતા.. આપણે પણ કોઈ માટે આ તહેવાર યાદગાર બનાવીએ....



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .