સાર્વજનિક માધ્યમિક શાળાના શિક્ષકોએ આવી રીતે મનાવી દિવાળી, આ વિદ્યાર્થીઓને આપી ભેટ..


  • Published By :
  • Published Date : 2024-10-29 16:04:49

દિવાળીનો તહેવાર આવે અને લોકોના જીવનમાં ખુશીઓ આવે તેવી પ્રાર્થના કરતા હોઈ છીએ... નાના છોકરાઓને ઉત્સાહ હોય છે નવા કપડા, ફટાકડાની ખરીદી કરવાનો પરંતુ અનેક બાળકો એવા હોય છે જે આર્થિક પરિસ્થિતિને કારણે નવા કપડા અને ફટાકડા નથી ખરીદી શકતા.. અનેક સંસ્થાઓ, લોકો એવા હોય છે જે બાળકોને નવા કપડાઓ અપાવતા હોય છે. ત્યારે સરખેજ કેળવણી મંડળ સંચાલિત સાર્વજનિક માધ્યમિક શાળાના આચાર્ય અને સુપરવાઈઝર તેમજ શિક્ષકોએ શાળાના ખૂબ જ જરૂરિયાતમંદ તેમજ માતા પિતાની છત્રછાયા ગુમાવનાર વિદ્યાર્થીઓની મુલાકાત લીધી હતી અને ભેટ સોગાદો આપ્યા હતા.. 

 

શિક્ષકો પર મોટી જવાબદારી હોય છે જ્યારે.... 

બાળક ઘર પછી સૌથી વધારે સમય જો ક્યાંય પસાર કરતો હોય તો તે જગ્યા શાળા હોય છે.. માતા પિતા પછી બાળકના ભવિષ્યની કોઈને ચિંતા હોય તો તે હોય છે શિક્ષકો... શિક્ષક માટે આપણે ત્યાં ઘણું બધું લખાયું છે.. કહેવાય છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા.. પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હેં.. શિક્ષકો પર જવાબદારી વધી જતી હોય છે કારણ કે માતા પિતા એ ભરોસા સાથે બાળકને શાળાએ મોકલે છે કે બાળક સારા વાતાવરણમાં છે, સારા લોકો સાથે છે. 



જરૂરીયાતમંદ બાળકોને આપી દિવાળીની ભેટ

શાળામાં આવતા દરેક બાળકો પર માતા પિતાનો સાયો હોય તે જરૂરી નથી હોતું... શાળામાં એવા બાળકો પણ આવતા હોય છે જેમના માતા પિતા અથવા તો માતા કે પિતાની છત્રછાયા ના હોય.. ત્યારે સરખેજ કેળવણી મંડળ સંચાલિત સાર્વજનિક માધ્યમિક શાળાના આચાર્ય ડો ટીનાબેન જોશી તેમજ સુપરવાઇઝર શિલ્પાબેન ત્રિવેદી અને વરિષ્ઠ શિક્ષક દર્શનભાઈ પટેલ દ્વારા શાળાના ખૂબ જ જરૂરિયાત મંદ તેમજ માતા પિતા અથવા તો માતા કે પિતાની છત્રછાયા ગુમાવનાર વિદ્યાર્થીઓની આજે દિવાળી પર્વ નિમિત્તે મુલાકાત લીધી હતી અને તેમને ભેટ સોગાદો આપી હતી.. ભેટ સોગાદો મળતા વિદ્યાર્થીઓ આનંદિત તેમજ ભાવ વિભોર થઈ ગયા હતા.. આપણે પણ કોઈ માટે આ તહેવાર યાદગાર બનાવીએ....



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.