સાર્વજનિક માધ્યમિક શાળાના શિક્ષકોએ આવી રીતે મનાવી દિવાળી, આ વિદ્યાર્થીઓને આપી ભેટ..


  • Published By :
  • Published Date : 2024-10-29 16:04:49

દિવાળીનો તહેવાર આવે અને લોકોના જીવનમાં ખુશીઓ આવે તેવી પ્રાર્થના કરતા હોઈ છીએ... નાના છોકરાઓને ઉત્સાહ હોય છે નવા કપડા, ફટાકડાની ખરીદી કરવાનો પરંતુ અનેક બાળકો એવા હોય છે જે આર્થિક પરિસ્થિતિને કારણે નવા કપડા અને ફટાકડા નથી ખરીદી શકતા.. અનેક સંસ્થાઓ, લોકો એવા હોય છે જે બાળકોને નવા કપડાઓ અપાવતા હોય છે. ત્યારે સરખેજ કેળવણી મંડળ સંચાલિત સાર્વજનિક માધ્યમિક શાળાના આચાર્ય અને સુપરવાઈઝર તેમજ શિક્ષકોએ શાળાના ખૂબ જ જરૂરિયાતમંદ તેમજ માતા પિતાની છત્રછાયા ગુમાવનાર વિદ્યાર્થીઓની મુલાકાત લીધી હતી અને ભેટ સોગાદો આપ્યા હતા.. 

 

શિક્ષકો પર મોટી જવાબદારી હોય છે જ્યારે.... 

બાળક ઘર પછી સૌથી વધારે સમય જો ક્યાંય પસાર કરતો હોય તો તે જગ્યા શાળા હોય છે.. માતા પિતા પછી બાળકના ભવિષ્યની કોઈને ચિંતા હોય તો તે હોય છે શિક્ષકો... શિક્ષક માટે આપણે ત્યાં ઘણું બધું લખાયું છે.. કહેવાય છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા.. પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હેં.. શિક્ષકો પર જવાબદારી વધી જતી હોય છે કારણ કે માતા પિતા એ ભરોસા સાથે બાળકને શાળાએ મોકલે છે કે બાળક સારા વાતાવરણમાં છે, સારા લોકો સાથે છે. 



જરૂરીયાતમંદ બાળકોને આપી દિવાળીની ભેટ

શાળામાં આવતા દરેક બાળકો પર માતા પિતાનો સાયો હોય તે જરૂરી નથી હોતું... શાળામાં એવા બાળકો પણ આવતા હોય છે જેમના માતા પિતા અથવા તો માતા કે પિતાની છત્રછાયા ના હોય.. ત્યારે સરખેજ કેળવણી મંડળ સંચાલિત સાર્વજનિક માધ્યમિક શાળાના આચાર્ય ડો ટીનાબેન જોશી તેમજ સુપરવાઇઝર શિલ્પાબેન ત્રિવેદી અને વરિષ્ઠ શિક્ષક દર્શનભાઈ પટેલ દ્વારા શાળાના ખૂબ જ જરૂરિયાત મંદ તેમજ માતા પિતા અથવા તો માતા કે પિતાની છત્રછાયા ગુમાવનાર વિદ્યાર્થીઓની આજે દિવાળી પર્વ નિમિત્તે મુલાકાત લીધી હતી અને તેમને ભેટ સોગાદો આપી હતી.. ભેટ સોગાદો મળતા વિદ્યાર્થીઓ આનંદિત તેમજ ભાવ વિભોર થઈ ગયા હતા.. આપણે પણ કોઈ માટે આ તહેવાર યાદગાર બનાવીએ....



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.