વિદ્યુત સહાયક ભરતી કૌભાંડમાં સંખેડાના બે શિક્ષક સસ્પેન્ડ, સુરત પોલીસે કરી ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-07-12 19:15:24

વિદ્યુત સહાયક ભરતી કૌભાંડ કેસમાં સંખેડાના શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિદ્યુત સહાયક ભરતી કૌભાડની સુરત પોલીસને ફરિયાદ મળી હતી. આ જ ફરિયાદની અંદર શિક્ષકોના નામ ખુલ્યા હતા. સંખેડાના શિક્ષક મીતેશ પટેલ અને ગોવિંદપુરા પ્રાથમિક શાળાના શિક્ષક પીયૂષ પટેલનું નામ આ કૌભાંડમાં સામે આવ્યું હતું. હાલ બંનેને સુરત જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. વિદ્યુત સહાયક ભરતી કૌભાંડમાં છોટાઉદેપુરના સંખેડાના બે શિક્ષકોને છૂટા કરવામાં આવતા હાહાકાર મચી ગયો છે. આ ભરતી કૌંભાંડમાં હજું પણ વધુ ધરપકડો થાય તેની શક્યતા છે.


સમગ્ર મામલો શું હતો?


વર્ષ 2021માં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ, એમજીવીસીએલ અને જીએસઈસીએલમાં 2,156 વિદ્યુત સહાયોકની ભરતી માટે પરીક્ષા લેવામાં આવી હતી. ગજબની વાત તો એ છે કે ગુજરાતમાં આ પરીક્ષાના 20 પરીક્ષા કેન્દ્રો હતા તેમાંથી 8 કેન્દ્ર પર સંચાલકો અને દલાલોએ મળીને કોમ્પ્યુટરમાં છેડછાડ કરીને છોકરાઓને પાસ કરવાની મહેનત કરી હતી. વિદ્યુત સહાયકોને લાલચ આપવામાં આવી કે 15 લાખ રૂપિયા આપો અને સરકારી નોકરી મેળવો. અંતે આ મામલે સંડોવાયેલા લોકો સસ્પેન્ડ થાય છે.


સુરતમાં એક વ્યક્તિ પકડાતા કૌભાંડ સામે આવ્યું


હમણા થોડા સમય પહેલા સુરતથી પણ એક વ્યક્તિને પકડવામાં આવ્યો હતો જેણે સરકારી વિદ્યુત સહાયક ભરતીનો આખો કૌભાંડ પોલીસ સામે રાખી દીધો હતો કે કેવી રીતે કોમ્પ્યુટરમાં છેડછાડ કરીને ડિજિટલ ચોરી કરવામાં આવતી હતી, ઉમેદવારોને પાસ થવા માટે કેટલા રૂપિયા આપવા પડતા હતા તેનો ભાંડો ફોડ્યો હતો.રાજ્યમાં 300 જેટલા વિદ્યુત સહાયકોના ઉમેદવારો પાસેથી કરોડો રૂપિયા લઈ લેવામાં આવ્યા હતા. એજન્ટોએ વડોદરા, અમદાવાદ અને સુરત જેવા કેન્દ્ર પર 300થી વધુ વિદ્યાર્થીઓને પરીક્ષા અપાવડાવી હતી અને કરોડો રૂપિયા કમાયા હતા. આ એ જ પરીક્ષા હતી જેમાં ભાષ્કર ચૌધરી, નિશીકાંત સિન્હા, કેતન બારોટના નામ ખુલ્યા હતા. વિગતવાર વાત કરીએ તો ડીજીવીસીએલમાં એટલે કે વડોદરા, સાબરકાંઠા, અરવલ્લીથી સાત જેટલા લોકો ઝડપાયા હતા, વધારે તપાસ કરવામાં આવી હતી તો 300થી વધુ લોકોના નામ આમાં ખુલ્યા હતા. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ઉજાગર કરેલા વિદ્યુત સહાયક ભરતી ભ્રષ્ટાચારના કેસમાં હજુ આગળ શું કાર્યવાહી થશે તે જોવાનું રહેશે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.