વિદ્યુત સહાયક ભરતી કૌભાંડમાં સંખેડાના બે શિક્ષક સસ્પેન્ડ, સુરત પોલીસે કરી ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-07-12 19:15:24

વિદ્યુત સહાયક ભરતી કૌભાંડ કેસમાં સંખેડાના શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિદ્યુત સહાયક ભરતી કૌભાડની સુરત પોલીસને ફરિયાદ મળી હતી. આ જ ફરિયાદની અંદર શિક્ષકોના નામ ખુલ્યા હતા. સંખેડાના શિક્ષક મીતેશ પટેલ અને ગોવિંદપુરા પ્રાથમિક શાળાના શિક્ષક પીયૂષ પટેલનું નામ આ કૌભાંડમાં સામે આવ્યું હતું. હાલ બંનેને સુરત જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. વિદ્યુત સહાયક ભરતી કૌભાંડમાં છોટાઉદેપુરના સંખેડાના બે શિક્ષકોને છૂટા કરવામાં આવતા હાહાકાર મચી ગયો છે. આ ભરતી કૌંભાંડમાં હજું પણ વધુ ધરપકડો થાય તેની શક્યતા છે.


સમગ્ર મામલો શું હતો?


વર્ષ 2021માં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ, એમજીવીસીએલ અને જીએસઈસીએલમાં 2,156 વિદ્યુત સહાયોકની ભરતી માટે પરીક્ષા લેવામાં આવી હતી. ગજબની વાત તો એ છે કે ગુજરાતમાં આ પરીક્ષાના 20 પરીક્ષા કેન્દ્રો હતા તેમાંથી 8 કેન્દ્ર પર સંચાલકો અને દલાલોએ મળીને કોમ્પ્યુટરમાં છેડછાડ કરીને છોકરાઓને પાસ કરવાની મહેનત કરી હતી. વિદ્યુત સહાયકોને લાલચ આપવામાં આવી કે 15 લાખ રૂપિયા આપો અને સરકારી નોકરી મેળવો. અંતે આ મામલે સંડોવાયેલા લોકો સસ્પેન્ડ થાય છે.


સુરતમાં એક વ્યક્તિ પકડાતા કૌભાંડ સામે આવ્યું


હમણા થોડા સમય પહેલા સુરતથી પણ એક વ્યક્તિને પકડવામાં આવ્યો હતો જેણે સરકારી વિદ્યુત સહાયક ભરતીનો આખો કૌભાંડ પોલીસ સામે રાખી દીધો હતો કે કેવી રીતે કોમ્પ્યુટરમાં છેડછાડ કરીને ડિજિટલ ચોરી કરવામાં આવતી હતી, ઉમેદવારોને પાસ થવા માટે કેટલા રૂપિયા આપવા પડતા હતા તેનો ભાંડો ફોડ્યો હતો.રાજ્યમાં 300 જેટલા વિદ્યુત સહાયકોના ઉમેદવારો પાસેથી કરોડો રૂપિયા લઈ લેવામાં આવ્યા હતા. એજન્ટોએ વડોદરા, અમદાવાદ અને સુરત જેવા કેન્દ્ર પર 300થી વધુ વિદ્યાર્થીઓને પરીક્ષા અપાવડાવી હતી અને કરોડો રૂપિયા કમાયા હતા. આ એ જ પરીક્ષા હતી જેમાં ભાષ્કર ચૌધરી, નિશીકાંત સિન્હા, કેતન બારોટના નામ ખુલ્યા હતા. વિગતવાર વાત કરીએ તો ડીજીવીસીએલમાં એટલે કે વડોદરા, સાબરકાંઠા, અરવલ્લીથી સાત જેટલા લોકો ઝડપાયા હતા, વધારે તપાસ કરવામાં આવી હતી તો 300થી વધુ લોકોના નામ આમાં ખુલ્યા હતા. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ઉજાગર કરેલા વિદ્યુત સહાયક ભરતી ભ્રષ્ટાચારના કેસમાં હજુ આગળ શું કાર્યવાહી થશે તે જોવાનું રહેશે.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.