વિદ્યુત સહાયક ભરતી કૌભાંડમાં સંખેડાના બે શિક્ષક સસ્પેન્ડ, સુરત પોલીસે કરી ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-07-12 19:15:24

વિદ્યુત સહાયક ભરતી કૌભાંડ કેસમાં સંખેડાના શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિદ્યુત સહાયક ભરતી કૌભાડની સુરત પોલીસને ફરિયાદ મળી હતી. આ જ ફરિયાદની અંદર શિક્ષકોના નામ ખુલ્યા હતા. સંખેડાના શિક્ષક મીતેશ પટેલ અને ગોવિંદપુરા પ્રાથમિક શાળાના શિક્ષક પીયૂષ પટેલનું નામ આ કૌભાંડમાં સામે આવ્યું હતું. હાલ બંનેને સુરત જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. વિદ્યુત સહાયક ભરતી કૌભાંડમાં છોટાઉદેપુરના સંખેડાના બે શિક્ષકોને છૂટા કરવામાં આવતા હાહાકાર મચી ગયો છે. આ ભરતી કૌંભાંડમાં હજું પણ વધુ ધરપકડો થાય તેની શક્યતા છે.


સમગ્ર મામલો શું હતો?


વર્ષ 2021માં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ, એમજીવીસીએલ અને જીએસઈસીએલમાં 2,156 વિદ્યુત સહાયોકની ભરતી માટે પરીક્ષા લેવામાં આવી હતી. ગજબની વાત તો એ છે કે ગુજરાતમાં આ પરીક્ષાના 20 પરીક્ષા કેન્દ્રો હતા તેમાંથી 8 કેન્દ્ર પર સંચાલકો અને દલાલોએ મળીને કોમ્પ્યુટરમાં છેડછાડ કરીને છોકરાઓને પાસ કરવાની મહેનત કરી હતી. વિદ્યુત સહાયકોને લાલચ આપવામાં આવી કે 15 લાખ રૂપિયા આપો અને સરકારી નોકરી મેળવો. અંતે આ મામલે સંડોવાયેલા લોકો સસ્પેન્ડ થાય છે.


સુરતમાં એક વ્યક્તિ પકડાતા કૌભાંડ સામે આવ્યું


હમણા થોડા સમય પહેલા સુરતથી પણ એક વ્યક્તિને પકડવામાં આવ્યો હતો જેણે સરકારી વિદ્યુત સહાયક ભરતીનો આખો કૌભાંડ પોલીસ સામે રાખી દીધો હતો કે કેવી રીતે કોમ્પ્યુટરમાં છેડછાડ કરીને ડિજિટલ ચોરી કરવામાં આવતી હતી, ઉમેદવારોને પાસ થવા માટે કેટલા રૂપિયા આપવા પડતા હતા તેનો ભાંડો ફોડ્યો હતો.રાજ્યમાં 300 જેટલા વિદ્યુત સહાયકોના ઉમેદવારો પાસેથી કરોડો રૂપિયા લઈ લેવામાં આવ્યા હતા. એજન્ટોએ વડોદરા, અમદાવાદ અને સુરત જેવા કેન્દ્ર પર 300થી વધુ વિદ્યાર્થીઓને પરીક્ષા અપાવડાવી હતી અને કરોડો રૂપિયા કમાયા હતા. આ એ જ પરીક્ષા હતી જેમાં ભાષ્કર ચૌધરી, નિશીકાંત સિન્હા, કેતન બારોટના નામ ખુલ્યા હતા. વિગતવાર વાત કરીએ તો ડીજીવીસીએલમાં એટલે કે વડોદરા, સાબરકાંઠા, અરવલ્લીથી સાત જેટલા લોકો ઝડપાયા હતા, વધારે તપાસ કરવામાં આવી હતી તો 300થી વધુ લોકોના નામ આમાં ખુલ્યા હતા. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ઉજાગર કરેલા વિદ્યુત સહાયક ભરતી ભ્રષ્ટાચારના કેસમાં હજુ આગળ શું કાર્યવાહી થશે તે જોવાનું રહેશે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.