વિદ્યુત સહાયક ભરતી કૌભાંડમાં સંખેડાના બે શિક્ષક સસ્પેન્ડ, સુરત પોલીસે કરી ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-07-12 19:15:24

વિદ્યુત સહાયક ભરતી કૌભાંડ કેસમાં સંખેડાના શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિદ્યુત સહાયક ભરતી કૌભાડની સુરત પોલીસને ફરિયાદ મળી હતી. આ જ ફરિયાદની અંદર શિક્ષકોના નામ ખુલ્યા હતા. સંખેડાના શિક્ષક મીતેશ પટેલ અને ગોવિંદપુરા પ્રાથમિક શાળાના શિક્ષક પીયૂષ પટેલનું નામ આ કૌભાંડમાં સામે આવ્યું હતું. હાલ બંનેને સુરત જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. વિદ્યુત સહાયક ભરતી કૌભાંડમાં છોટાઉદેપુરના સંખેડાના બે શિક્ષકોને છૂટા કરવામાં આવતા હાહાકાર મચી ગયો છે. આ ભરતી કૌંભાંડમાં હજું પણ વધુ ધરપકડો થાય તેની શક્યતા છે.


સમગ્ર મામલો શું હતો?


વર્ષ 2021માં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ, એમજીવીસીએલ અને જીએસઈસીએલમાં 2,156 વિદ્યુત સહાયોકની ભરતી માટે પરીક્ષા લેવામાં આવી હતી. ગજબની વાત તો એ છે કે ગુજરાતમાં આ પરીક્ષાના 20 પરીક્ષા કેન્દ્રો હતા તેમાંથી 8 કેન્દ્ર પર સંચાલકો અને દલાલોએ મળીને કોમ્પ્યુટરમાં છેડછાડ કરીને છોકરાઓને પાસ કરવાની મહેનત કરી હતી. વિદ્યુત સહાયકોને લાલચ આપવામાં આવી કે 15 લાખ રૂપિયા આપો અને સરકારી નોકરી મેળવો. અંતે આ મામલે સંડોવાયેલા લોકો સસ્પેન્ડ થાય છે.


સુરતમાં એક વ્યક્તિ પકડાતા કૌભાંડ સામે આવ્યું


હમણા થોડા સમય પહેલા સુરતથી પણ એક વ્યક્તિને પકડવામાં આવ્યો હતો જેણે સરકારી વિદ્યુત સહાયક ભરતીનો આખો કૌભાંડ પોલીસ સામે રાખી દીધો હતો કે કેવી રીતે કોમ્પ્યુટરમાં છેડછાડ કરીને ડિજિટલ ચોરી કરવામાં આવતી હતી, ઉમેદવારોને પાસ થવા માટે કેટલા રૂપિયા આપવા પડતા હતા તેનો ભાંડો ફોડ્યો હતો.રાજ્યમાં 300 જેટલા વિદ્યુત સહાયકોના ઉમેદવારો પાસેથી કરોડો રૂપિયા લઈ લેવામાં આવ્યા હતા. એજન્ટોએ વડોદરા, અમદાવાદ અને સુરત જેવા કેન્દ્ર પર 300થી વધુ વિદ્યાર્થીઓને પરીક્ષા અપાવડાવી હતી અને કરોડો રૂપિયા કમાયા હતા. આ એ જ પરીક્ષા હતી જેમાં ભાષ્કર ચૌધરી, નિશીકાંત સિન્હા, કેતન બારોટના નામ ખુલ્યા હતા. વિગતવાર વાત કરીએ તો ડીજીવીસીએલમાં એટલે કે વડોદરા, સાબરકાંઠા, અરવલ્લીથી સાત જેટલા લોકો ઝડપાયા હતા, વધારે તપાસ કરવામાં આવી હતી તો 300થી વધુ લોકોના નામ આમાં ખુલ્યા હતા. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ઉજાગર કરેલા વિદ્યુત સહાયક ભરતી ભ્રષ્ટાચારના કેસમાં હજુ આગળ શું કાર્યવાહી થશે તે જોવાનું રહેશે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.