શાળામાં બાળકોને ભૂલી શિક્ષકો ઘરે જતા રહ્યા! Surendranagarના પાટડીની ફતેહપુર પ્રાથમિક શાળામાં અણબનાવ


  • Published By :
  • Published Date : 2024-02-20 15:58:05

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બાળકોને શાળામાં ભૂલી શિક્ષકો ઘરે જતા રહ્યા હતા!  ઘટના છે સુરેન્દ્રનગરની... શિક્ષકો બાળકોને ભૂલી ઘરે જતા રહ્યા તે બાદ બાળકો કલ્પાંત કરતા રહ્યા. ઘટનાની જાણ થતા બાળકોના વાલીઓ ત્યાં આવી પહોંચ્યા હતા અને બાળકોને બહાર કાઢ્યા હતા. આ ઘટનાની જાણ શિક્ષણ અધિકારીને થઈ તે બાદ શિક્ષણ અધિકારીએ શિક્ષકો તેમજ આચાર્ય પાસેથી આ અંગેનો ખુલાસો માગ્યો હતો. 

શિક્ષણ અધિકારીએ આ ઘટનાને લઈ માગ્યો જવાબ 

શાળામાં જ્યારે નાના બાળકો ભણવા જતા હોય છે તો તે માસૂમ બાળકોની જવાબદારી આચાર્યો પર રહેલી હોય છે. બાળકો જ્યાં સુધી શાળામાં હોય છે ત્યાં સુધી શિક્ષકોની જવાબદારી તેમના પર રહેલી હોય છે. ત્યારે એક વીડિયો સામે આવ્યો છે જે સુરેન્દ્રનગરનો છે. સુરેન્દ્રનગર ખાતે શિક્ષકો રૂમને લોક મારીને ઘરે જતાં રહ્યા અને પછી શાળાના બાળકોએ આક્રાંદ કરી મૂકતા વાલીઓ શાળામાં દોડી ગયા હતા. તેમજ શાળાનો ગેટ તોડીને વાલીઓએ બાળકોને બહાર કાઢ્યા હતા. ઘટના અંગે શિક્ષણ અધિકારીને જાણ થતાં તેમણે કહ્યું કે, શિક્ષક અને આચાર્ય પાસે ખુલાસો મંગાયો છે.


વાલીઓ દોડી આવ્યા હતા શાળાએ!

આ અંગેની માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના પાટડીની ફતેપુર પ્રાથમિક શાળામાં 21 જેટલા બાળકોને બંધ કરી શિક્ષકો જતા રહ્યા હતા. આ બાદ ગભરાયેલા બાળકોએ રોકકળ કરતાં આજુબાજુના લોકોને ધ્યાને આવ્યું હતું. આ બાદ બાળકોના વાલીઓ શાળાએ દોડી આવ્યા હતા અને બાળકોને શાળામાં બંધ જોઇ વાલીઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. 


બાળકોને સ્કૂલમાં ભૂલી શિક્ષકો જતા રહ્યા ઘરે!   

શાળાએ આવેલા વાલીઓમાંથી એક વાલીએ આ ઘટનાનો વીડિયો ઉતાર્યો હતો. જેમાં બાળકો રડી રહ્યા હતા અને પોતાના માતા-પિતાને નામે બૂમ લગાવી રહ્ય હતા. આ પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 8ના અંદાજે 300 જેટલા બાળકો અભ્યાસ કરે છે. જ્યારે આ બનાવમાં શાળામાં બંધ થઇ ગયેલા તમામ 21 બાળકો પહેલા ધોરણમા અભ્યાસ કરે છે. આ સમગ્ર ઘટના સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ફતેપુર ગામે શાળાના શિક્ષક ગોવિંદભાઈ ડોડીયા નાના નાના બાળકોને સ્કુલમાં બંધ કરી જતા રહ્યા અને પછી ભુલી ગયા હતા. બપોરે 1 વાગે કોઈનું ધ્યાન ગયું કે સ્કૂલમાંથી બાળકોની બુમો પડી રહી છે અને રડારોળ કરી રહ્યા છે.


વાલીઓએ બાળકોને કાઢ્યા બહાર!

ત્યારે ગામના લોકો દ્વારા ત્યાં તાળા તોડીને બાળકોને બહાર કાઢવામાં આવ્યા છે. ગામ લોકોમાં ખુબજ આક્રોશ જોવા મળ્યો હતો .આ અંગે તાલુકા શિક્ષણાધિકારીએ જણાવ્યું કે, આ ઘટનાની જાણ થતાં બનાવની તપાસ કરતા જાણવા મળ્યું હતુ કે, ફતેપુર ગામમાં કોઈ તિથિ ભોજન હતુ. જેમાં બાળકો ત્યાં ભોજન માટે ગયા હતા. એટલે શાળાના શિક્ષકો જ્યારે સ્કૂલમાં આવ્યા ત્યારે એમને થયું કે બધા બાળકો ઘેર જતા રહ્યાં છે. એટલે એ લોકો બહારની જાળી લોક કરીને નીકળી ગયા હતા. બાદમાં એમણે બાળકો શાળામાં બંધ થયાનું ધ્યાનમા આવતા તેઓ તરત જ પાછા સ્કૂલમાં આવીને દરવાજો ખોલીને બાળકોને બહાર કાઢ્યા હતા. હાલ આ બાબતે શાળાના આચાર્ય ગોવિંદભાઇને બોલાવી એમનો ખુલાસો લેવાની સાથે નોટિસ આપવાની તજવીજ હાથ ધરી છે.



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.