શાળામાં બાળકોને ભૂલી શિક્ષકો ઘરે જતા રહ્યા! Surendranagarના પાટડીની ફતેહપુર પ્રાથમિક શાળામાં અણબનાવ


  • Published By :
  • Published Date : 2024-02-20 15:58:05

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બાળકોને શાળામાં ભૂલી શિક્ષકો ઘરે જતા રહ્યા હતા!  ઘટના છે સુરેન્દ્રનગરની... શિક્ષકો બાળકોને ભૂલી ઘરે જતા રહ્યા તે બાદ બાળકો કલ્પાંત કરતા રહ્યા. ઘટનાની જાણ થતા બાળકોના વાલીઓ ત્યાં આવી પહોંચ્યા હતા અને બાળકોને બહાર કાઢ્યા હતા. આ ઘટનાની જાણ શિક્ષણ અધિકારીને થઈ તે બાદ શિક્ષણ અધિકારીએ શિક્ષકો તેમજ આચાર્ય પાસેથી આ અંગેનો ખુલાસો માગ્યો હતો. 

શિક્ષણ અધિકારીએ આ ઘટનાને લઈ માગ્યો જવાબ 

શાળામાં જ્યારે નાના બાળકો ભણવા જતા હોય છે તો તે માસૂમ બાળકોની જવાબદારી આચાર્યો પર રહેલી હોય છે. બાળકો જ્યાં સુધી શાળામાં હોય છે ત્યાં સુધી શિક્ષકોની જવાબદારી તેમના પર રહેલી હોય છે. ત્યારે એક વીડિયો સામે આવ્યો છે જે સુરેન્દ્રનગરનો છે. સુરેન્દ્રનગર ખાતે શિક્ષકો રૂમને લોક મારીને ઘરે જતાં રહ્યા અને પછી શાળાના બાળકોએ આક્રાંદ કરી મૂકતા વાલીઓ શાળામાં દોડી ગયા હતા. તેમજ શાળાનો ગેટ તોડીને વાલીઓએ બાળકોને બહાર કાઢ્યા હતા. ઘટના અંગે શિક્ષણ અધિકારીને જાણ થતાં તેમણે કહ્યું કે, શિક્ષક અને આચાર્ય પાસે ખુલાસો મંગાયો છે.


વાલીઓ દોડી આવ્યા હતા શાળાએ!

આ અંગેની માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના પાટડીની ફતેપુર પ્રાથમિક શાળામાં 21 જેટલા બાળકોને બંધ કરી શિક્ષકો જતા રહ્યા હતા. આ બાદ ગભરાયેલા બાળકોએ રોકકળ કરતાં આજુબાજુના લોકોને ધ્યાને આવ્યું હતું. આ બાદ બાળકોના વાલીઓ શાળાએ દોડી આવ્યા હતા અને બાળકોને શાળામાં બંધ જોઇ વાલીઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. 


બાળકોને સ્કૂલમાં ભૂલી શિક્ષકો જતા રહ્યા ઘરે!   

શાળાએ આવેલા વાલીઓમાંથી એક વાલીએ આ ઘટનાનો વીડિયો ઉતાર્યો હતો. જેમાં બાળકો રડી રહ્યા હતા અને પોતાના માતા-પિતાને નામે બૂમ લગાવી રહ્ય હતા. આ પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 8ના અંદાજે 300 જેટલા બાળકો અભ્યાસ કરે છે. જ્યારે આ બનાવમાં શાળામાં બંધ થઇ ગયેલા તમામ 21 બાળકો પહેલા ધોરણમા અભ્યાસ કરે છે. આ સમગ્ર ઘટના સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ફતેપુર ગામે શાળાના શિક્ષક ગોવિંદભાઈ ડોડીયા નાના નાના બાળકોને સ્કુલમાં બંધ કરી જતા રહ્યા અને પછી ભુલી ગયા હતા. બપોરે 1 વાગે કોઈનું ધ્યાન ગયું કે સ્કૂલમાંથી બાળકોની બુમો પડી રહી છે અને રડારોળ કરી રહ્યા છે.


વાલીઓએ બાળકોને કાઢ્યા બહાર!

ત્યારે ગામના લોકો દ્વારા ત્યાં તાળા તોડીને બાળકોને બહાર કાઢવામાં આવ્યા છે. ગામ લોકોમાં ખુબજ આક્રોશ જોવા મળ્યો હતો .આ અંગે તાલુકા શિક્ષણાધિકારીએ જણાવ્યું કે, આ ઘટનાની જાણ થતાં બનાવની તપાસ કરતા જાણવા મળ્યું હતુ કે, ફતેપુર ગામમાં કોઈ તિથિ ભોજન હતુ. જેમાં બાળકો ત્યાં ભોજન માટે ગયા હતા. એટલે શાળાના શિક્ષકો જ્યારે સ્કૂલમાં આવ્યા ત્યારે એમને થયું કે બધા બાળકો ઘેર જતા રહ્યાં છે. એટલે એ લોકો બહારની જાળી લોક કરીને નીકળી ગયા હતા. બાદમાં એમણે બાળકો શાળામાં બંધ થયાનું ધ્યાનમા આવતા તેઓ તરત જ પાછા સ્કૂલમાં આવીને દરવાજો ખોલીને બાળકોને બહાર કાઢ્યા હતા. હાલ આ બાબતે શાળાના આચાર્ય ગોવિંદભાઇને બોલાવી એમનો ખુલાસો લેવાની સાથે નોટિસ આપવાની તજવીજ હાથ ધરી છે.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.