શાળામાં બાળકોને ભૂલી શિક્ષકો ઘરે જતા રહ્યા! Surendranagarના પાટડીની ફતેહપુર પ્રાથમિક શાળામાં અણબનાવ


  • Published By :
  • Published Date : 2024-02-20 15:58:05

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બાળકોને શાળામાં ભૂલી શિક્ષકો ઘરે જતા રહ્યા હતા!  ઘટના છે સુરેન્દ્રનગરની... શિક્ષકો બાળકોને ભૂલી ઘરે જતા રહ્યા તે બાદ બાળકો કલ્પાંત કરતા રહ્યા. ઘટનાની જાણ થતા બાળકોના વાલીઓ ત્યાં આવી પહોંચ્યા હતા અને બાળકોને બહાર કાઢ્યા હતા. આ ઘટનાની જાણ શિક્ષણ અધિકારીને થઈ તે બાદ શિક્ષણ અધિકારીએ શિક્ષકો તેમજ આચાર્ય પાસેથી આ અંગેનો ખુલાસો માગ્યો હતો. 

શિક્ષણ અધિકારીએ આ ઘટનાને લઈ માગ્યો જવાબ 

શાળામાં જ્યારે નાના બાળકો ભણવા જતા હોય છે તો તે માસૂમ બાળકોની જવાબદારી આચાર્યો પર રહેલી હોય છે. બાળકો જ્યાં સુધી શાળામાં હોય છે ત્યાં સુધી શિક્ષકોની જવાબદારી તેમના પર રહેલી હોય છે. ત્યારે એક વીડિયો સામે આવ્યો છે જે સુરેન્દ્રનગરનો છે. સુરેન્દ્રનગર ખાતે શિક્ષકો રૂમને લોક મારીને ઘરે જતાં રહ્યા અને પછી શાળાના બાળકોએ આક્રાંદ કરી મૂકતા વાલીઓ શાળામાં દોડી ગયા હતા. તેમજ શાળાનો ગેટ તોડીને વાલીઓએ બાળકોને બહાર કાઢ્યા હતા. ઘટના અંગે શિક્ષણ અધિકારીને જાણ થતાં તેમણે કહ્યું કે, શિક્ષક અને આચાર્ય પાસે ખુલાસો મંગાયો છે.


વાલીઓ દોડી આવ્યા હતા શાળાએ!

આ અંગેની માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના પાટડીની ફતેપુર પ્રાથમિક શાળામાં 21 જેટલા બાળકોને બંધ કરી શિક્ષકો જતા રહ્યા હતા. આ બાદ ગભરાયેલા બાળકોએ રોકકળ કરતાં આજુબાજુના લોકોને ધ્યાને આવ્યું હતું. આ બાદ બાળકોના વાલીઓ શાળાએ દોડી આવ્યા હતા અને બાળકોને શાળામાં બંધ જોઇ વાલીઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. 


બાળકોને સ્કૂલમાં ભૂલી શિક્ષકો જતા રહ્યા ઘરે!   

શાળાએ આવેલા વાલીઓમાંથી એક વાલીએ આ ઘટનાનો વીડિયો ઉતાર્યો હતો. જેમાં બાળકો રડી રહ્યા હતા અને પોતાના માતા-પિતાને નામે બૂમ લગાવી રહ્ય હતા. આ પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 8ના અંદાજે 300 જેટલા બાળકો અભ્યાસ કરે છે. જ્યારે આ બનાવમાં શાળામાં બંધ થઇ ગયેલા તમામ 21 બાળકો પહેલા ધોરણમા અભ્યાસ કરે છે. આ સમગ્ર ઘટના સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ફતેપુર ગામે શાળાના શિક્ષક ગોવિંદભાઈ ડોડીયા નાના નાના બાળકોને સ્કુલમાં બંધ કરી જતા રહ્યા અને પછી ભુલી ગયા હતા. બપોરે 1 વાગે કોઈનું ધ્યાન ગયું કે સ્કૂલમાંથી બાળકોની બુમો પડી રહી છે અને રડારોળ કરી રહ્યા છે.


વાલીઓએ બાળકોને કાઢ્યા બહાર!

ત્યારે ગામના લોકો દ્વારા ત્યાં તાળા તોડીને બાળકોને બહાર કાઢવામાં આવ્યા છે. ગામ લોકોમાં ખુબજ આક્રોશ જોવા મળ્યો હતો .આ અંગે તાલુકા શિક્ષણાધિકારીએ જણાવ્યું કે, આ ઘટનાની જાણ થતાં બનાવની તપાસ કરતા જાણવા મળ્યું હતુ કે, ફતેપુર ગામમાં કોઈ તિથિ ભોજન હતુ. જેમાં બાળકો ત્યાં ભોજન માટે ગયા હતા. એટલે શાળાના શિક્ષકો જ્યારે સ્કૂલમાં આવ્યા ત્યારે એમને થયું કે બધા બાળકો ઘેર જતા રહ્યાં છે. એટલે એ લોકો બહારની જાળી લોક કરીને નીકળી ગયા હતા. બાદમાં એમણે બાળકો શાળામાં બંધ થયાનું ધ્યાનમા આવતા તેઓ તરત જ પાછા સ્કૂલમાં આવીને દરવાજો ખોલીને બાળકોને બહાર કાઢ્યા હતા. હાલ આ બાબતે શાળાના આચાર્ય ગોવિંદભાઇને બોલાવી એમનો ખુલાસો લેવાની સાથે નોટિસ આપવાની તજવીજ હાથ ધરી છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.