રાજ્યની તમામ શાળામાં ગુજરાતી ભણાવવું કરાયું ફરજિયાત, વિધાનસભામાં બીલ સર્વાનુમતે થયું પાસ


  • Published By :
  • Published Date : 2023-02-28 16:53:29

રાજ્યની તમામ શાળામાં ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષા ભણાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. સર્વાનુમતે વિધાનસભા ગૃહમાં આ બિલ પસાર થયું છે. જો કોઈ શાળા ગુજરાતી ભાષા નહીં ભણાવતી હોય તો તે શાળા વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું બીલ પાસ કરવામાં આવ્યું છે. આ નવો નિયમ શૈક્ષણિક વર્ષ 2023-24થી લાગુ કરવામાં આવશે. 


તમામ શાળાઓમાં ગુજરાતી ભણાવવું ફરજિયાત 

હાલ વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે. સત્ર દરમિયાન અનેક વિધેયક રજૂ થવાના છે. ત્યારે વિધાનસભામાં શાળાઓમાં ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવા અંગે વિધેયક રજૂ થયું હતું જે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર આ બિલ હેઠળ કાયદો બનાવશે અને આ કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રાજ્યમાં ગુજરાતી માધ્યમ, ઈંગ્લિશ માધ્યમની શાળાઓમાં ફરજિયાત ગુજરાતી ભાષા ભણાવવાની રહેશે. 


બીલમાં શું કરાઈ છે જોગવાઈ 

આ બીલમાં અનેક જોગવાઈ કરવામાં આવી હતી. જેમાં તમામ શાળાઓએ ધારણ 1થી ધોરણ 8 સુધી ગુજરાતી ફરજિયાત ભણાવવું પડશે. તે સિવાય જો નિયમનો ભંગ થશે તે પ્રથમ વખત 50 હજારનો દંડ ભરવો પડશે, બીજી વખત 1 લાખ સુધીનો દંડ ભરવો પડશે અને જો ત્રીજી વખત પણ નિયમનો ભંગ થશે તો 2 લાખ સુધીનો દંડ ભરવાની જોગવાઈ કરવામાં આવી છે. જો ત્રણથી વધારે વખત નિયમનો ભંગ થશે તો શેક્ષણિક સંસ્થાની માન્યતા રદ્દ કરી શકાય છે. ઉપરાંત આ કાયદો દરેક બોર્ડ અને સ્કુલને લાગુ થશે. વિધેયકના નિમયો પ્રમાણે દંડ ઉપરાંત સજાની જોગવાઈ છે. કાયદાનું અમલીકરણ વ્યવસ્થિત રીતે થાય તે માટે સરકાર નાયબ નિયામકની નિમણૂક કરશે. ગુજરાત બોર્ડ ઉપરાંત સીબીએસસી સહિત તમામ બોર્ડમાં આ કાયદો લાગુ કરાશે. 


તુષાર ચૌધરીએ આપી પ્રતિક્રિયા 

કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીએ જણાવ્યું હતુંકે હું ધોરણ 12 સુધી ગુજરાતી ભણ્યો છું. ત્યારબાદ ઈંગ્લિશ ભાષા મારે શીખવી પડી છે. આજના યુગમાં વાલીઓ પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમ તરફ ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે. પરંતુ બાળકો આજે ગુજરાતી ભાષા વાંચી શકતા નથી. ગુજરાતી ભાષાના વિકાસ વગર ગુજરાતનો વિકાસ શક્ય નથી 


મારા જિલ્લાની તમામ શાળાઓ રેડ ઝોનમાં છે - અર્જુન મોઢવાડિયા

તે ઉપરાંત અર્જુન મોઢવાડિયાએ પણ પ્રતિક્રિયા આપી છે. અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું કે સરકાર ગૃહમાં જે બીલ લાવી છે તેનું હું સમર્થન કરું છે. દરેક ધારાસભ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમની મુલાકાત લેવી જોઈએ. આની મુલાકાત લીધી તે બાદ મને ખ્યાલ આવ્યો કે મારા જિલ્લાની તમામ શાળાઓ રેડ ઝોનમાં છે. મારા ગામની શાળાઓ પણ રેડ ઝોનમાં છે. શાળાઓને રેડ ઝોનમાંથી ગ્રીન ઝોનમાં લાવવા માટે સરકારને સહકાર આપીશ. 


ધારાસભ્યોએ આપી પ્રતિક્રિયા 

તે ઉપરાંત ધવલસિંહ ઝાલાએ પણ આ બીલને લઈને પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે જે ભાષામાં લાગણીઓ વ્યક્ત કરવા માટે શબ્દો પડતા નથી તે ભાષા એટલે ગુજરાતી. આપણે સૌ જાણીએ છીએ કે માતૃભાષા ફરજિયાત ન હોત તો ગુજરાતી ભાષાની શું દશા હોત. ત્રિકમ છાંગાએ જણાવ્યું હતું કે ગુજરાત ઉચ્ચ સંસદિય પરંપરાને સ્થાપિત કરનાર રાજ્ય છે. સર્વોદયના સિદ્ધાંત કહે છે કે સૌના ભલામાં આપણું ભલુ છે. વિશ્વમાં 4 હજાર જેટલી ભાષાઓ છે. દર બે અઠવાડિયે એક ભાષા લુપ્ત થતી જાય છે. આ બીલ ગુજરાતી ભાષાની સેવા માટે લાવવામાં આવ્યું છે. ગુજરાત બહાર 18 લાખ ગુજરાતી ભાષા બોલે છે. તે ઉપરાંત ધારાસભ્ય સી.જે.ચાવડાએ જણાવ્યું હતું કે એક સમયે ગુજરાતી ભાષા બચાવવા ચળવળ ચલાવનાર દીકરા ઈંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણતા હતા. સ્વદેશી ચળવળ ચલાવનારા ઘરમાં ચાઈનિઝ ફર્નિચર હોય છે. સરકાર બીલ લાવી છે તેનું સમર્થન છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.