રાજ્યની તમામ શાળામાં ગુજરાતી ભણાવવું કરાયું ફરજિયાત, વિધાનસભામાં બીલ સર્વાનુમતે થયું પાસ


  • Published By :
  • Published Date : 2023-02-28 16:53:29

રાજ્યની તમામ શાળામાં ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષા ભણાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. સર્વાનુમતે વિધાનસભા ગૃહમાં આ બિલ પસાર થયું છે. જો કોઈ શાળા ગુજરાતી ભાષા નહીં ભણાવતી હોય તો તે શાળા વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું બીલ પાસ કરવામાં આવ્યું છે. આ નવો નિયમ શૈક્ષણિક વર્ષ 2023-24થી લાગુ કરવામાં આવશે. 


તમામ શાળાઓમાં ગુજરાતી ભણાવવું ફરજિયાત 

હાલ વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે. સત્ર દરમિયાન અનેક વિધેયક રજૂ થવાના છે. ત્યારે વિધાનસભામાં શાળાઓમાં ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવા અંગે વિધેયક રજૂ થયું હતું જે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર આ બિલ હેઠળ કાયદો બનાવશે અને આ કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રાજ્યમાં ગુજરાતી માધ્યમ, ઈંગ્લિશ માધ્યમની શાળાઓમાં ફરજિયાત ગુજરાતી ભાષા ભણાવવાની રહેશે. 


બીલમાં શું કરાઈ છે જોગવાઈ 

આ બીલમાં અનેક જોગવાઈ કરવામાં આવી હતી. જેમાં તમામ શાળાઓએ ધારણ 1થી ધોરણ 8 સુધી ગુજરાતી ફરજિયાત ભણાવવું પડશે. તે સિવાય જો નિયમનો ભંગ થશે તે પ્રથમ વખત 50 હજારનો દંડ ભરવો પડશે, બીજી વખત 1 લાખ સુધીનો દંડ ભરવો પડશે અને જો ત્રીજી વખત પણ નિયમનો ભંગ થશે તો 2 લાખ સુધીનો દંડ ભરવાની જોગવાઈ કરવામાં આવી છે. જો ત્રણથી વધારે વખત નિયમનો ભંગ થશે તો શેક્ષણિક સંસ્થાની માન્યતા રદ્દ કરી શકાય છે. ઉપરાંત આ કાયદો દરેક બોર્ડ અને સ્કુલને લાગુ થશે. વિધેયકના નિમયો પ્રમાણે દંડ ઉપરાંત સજાની જોગવાઈ છે. કાયદાનું અમલીકરણ વ્યવસ્થિત રીતે થાય તે માટે સરકાર નાયબ નિયામકની નિમણૂક કરશે. ગુજરાત બોર્ડ ઉપરાંત સીબીએસસી સહિત તમામ બોર્ડમાં આ કાયદો લાગુ કરાશે. 


તુષાર ચૌધરીએ આપી પ્રતિક્રિયા 

કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીએ જણાવ્યું હતુંકે હું ધોરણ 12 સુધી ગુજરાતી ભણ્યો છું. ત્યારબાદ ઈંગ્લિશ ભાષા મારે શીખવી પડી છે. આજના યુગમાં વાલીઓ પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમ તરફ ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે. પરંતુ બાળકો આજે ગુજરાતી ભાષા વાંચી શકતા નથી. ગુજરાતી ભાષાના વિકાસ વગર ગુજરાતનો વિકાસ શક્ય નથી 


મારા જિલ્લાની તમામ શાળાઓ રેડ ઝોનમાં છે - અર્જુન મોઢવાડિયા

તે ઉપરાંત અર્જુન મોઢવાડિયાએ પણ પ્રતિક્રિયા આપી છે. અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું કે સરકાર ગૃહમાં જે બીલ લાવી છે તેનું હું સમર્થન કરું છે. દરેક ધારાસભ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમની મુલાકાત લેવી જોઈએ. આની મુલાકાત લીધી તે બાદ મને ખ્યાલ આવ્યો કે મારા જિલ્લાની તમામ શાળાઓ રેડ ઝોનમાં છે. મારા ગામની શાળાઓ પણ રેડ ઝોનમાં છે. શાળાઓને રેડ ઝોનમાંથી ગ્રીન ઝોનમાં લાવવા માટે સરકારને સહકાર આપીશ. 


ધારાસભ્યોએ આપી પ્રતિક્રિયા 

તે ઉપરાંત ધવલસિંહ ઝાલાએ પણ આ બીલને લઈને પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે જે ભાષામાં લાગણીઓ વ્યક્ત કરવા માટે શબ્દો પડતા નથી તે ભાષા એટલે ગુજરાતી. આપણે સૌ જાણીએ છીએ કે માતૃભાષા ફરજિયાત ન હોત તો ગુજરાતી ભાષાની શું દશા હોત. ત્રિકમ છાંગાએ જણાવ્યું હતું કે ગુજરાત ઉચ્ચ સંસદિય પરંપરાને સ્થાપિત કરનાર રાજ્ય છે. સર્વોદયના સિદ્ધાંત કહે છે કે સૌના ભલામાં આપણું ભલુ છે. વિશ્વમાં 4 હજાર જેટલી ભાષાઓ છે. દર બે અઠવાડિયે એક ભાષા લુપ્ત થતી જાય છે. આ બીલ ગુજરાતી ભાષાની સેવા માટે લાવવામાં આવ્યું છે. ગુજરાત બહાર 18 લાખ ગુજરાતી ભાષા બોલે છે. તે ઉપરાંત ધારાસભ્ય સી.જે.ચાવડાએ જણાવ્યું હતું કે એક સમયે ગુજરાતી ભાષા બચાવવા ચળવળ ચલાવનાર દીકરા ઈંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણતા હતા. સ્વદેશી ચળવળ ચલાવનારા ઘરમાં ચાઈનિઝ ફર્નિચર હોય છે. સરકાર બીલ લાવી છે તેનું સમર્થન છે. 



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.