રાજ્યની તમામ શાળામાં ગુજરાતી ભણાવવું કરાયું ફરજિયાત, વિધાનસભામાં બીલ સર્વાનુમતે થયું પાસ


  • Published By :
  • Published Date : 2023-02-28 16:53:29

રાજ્યની તમામ શાળામાં ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષા ભણાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. સર્વાનુમતે વિધાનસભા ગૃહમાં આ બિલ પસાર થયું છે. જો કોઈ શાળા ગુજરાતી ભાષા નહીં ભણાવતી હોય તો તે શાળા વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું બીલ પાસ કરવામાં આવ્યું છે. આ નવો નિયમ શૈક્ષણિક વર્ષ 2023-24થી લાગુ કરવામાં આવશે. 


તમામ શાળાઓમાં ગુજરાતી ભણાવવું ફરજિયાત 

હાલ વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે. સત્ર દરમિયાન અનેક વિધેયક રજૂ થવાના છે. ત્યારે વિધાનસભામાં શાળાઓમાં ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવા અંગે વિધેયક રજૂ થયું હતું જે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર આ બિલ હેઠળ કાયદો બનાવશે અને આ કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રાજ્યમાં ગુજરાતી માધ્યમ, ઈંગ્લિશ માધ્યમની શાળાઓમાં ફરજિયાત ગુજરાતી ભાષા ભણાવવાની રહેશે. 


બીલમાં શું કરાઈ છે જોગવાઈ 

આ બીલમાં અનેક જોગવાઈ કરવામાં આવી હતી. જેમાં તમામ શાળાઓએ ધારણ 1થી ધોરણ 8 સુધી ગુજરાતી ફરજિયાત ભણાવવું પડશે. તે સિવાય જો નિયમનો ભંગ થશે તે પ્રથમ વખત 50 હજારનો દંડ ભરવો પડશે, બીજી વખત 1 લાખ સુધીનો દંડ ભરવો પડશે અને જો ત્રીજી વખત પણ નિયમનો ભંગ થશે તો 2 લાખ સુધીનો દંડ ભરવાની જોગવાઈ કરવામાં આવી છે. જો ત્રણથી વધારે વખત નિયમનો ભંગ થશે તો શેક્ષણિક સંસ્થાની માન્યતા રદ્દ કરી શકાય છે. ઉપરાંત આ કાયદો દરેક બોર્ડ અને સ્કુલને લાગુ થશે. વિધેયકના નિમયો પ્રમાણે દંડ ઉપરાંત સજાની જોગવાઈ છે. કાયદાનું અમલીકરણ વ્યવસ્થિત રીતે થાય તે માટે સરકાર નાયબ નિયામકની નિમણૂક કરશે. ગુજરાત બોર્ડ ઉપરાંત સીબીએસસી સહિત તમામ બોર્ડમાં આ કાયદો લાગુ કરાશે. 


તુષાર ચૌધરીએ આપી પ્રતિક્રિયા 

કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીએ જણાવ્યું હતુંકે હું ધોરણ 12 સુધી ગુજરાતી ભણ્યો છું. ત્યારબાદ ઈંગ્લિશ ભાષા મારે શીખવી પડી છે. આજના યુગમાં વાલીઓ પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમ તરફ ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે. પરંતુ બાળકો આજે ગુજરાતી ભાષા વાંચી શકતા નથી. ગુજરાતી ભાષાના વિકાસ વગર ગુજરાતનો વિકાસ શક્ય નથી 


મારા જિલ્લાની તમામ શાળાઓ રેડ ઝોનમાં છે - અર્જુન મોઢવાડિયા

તે ઉપરાંત અર્જુન મોઢવાડિયાએ પણ પ્રતિક્રિયા આપી છે. અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું કે સરકાર ગૃહમાં જે બીલ લાવી છે તેનું હું સમર્થન કરું છે. દરેક ધારાસભ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમની મુલાકાત લેવી જોઈએ. આની મુલાકાત લીધી તે બાદ મને ખ્યાલ આવ્યો કે મારા જિલ્લાની તમામ શાળાઓ રેડ ઝોનમાં છે. મારા ગામની શાળાઓ પણ રેડ ઝોનમાં છે. શાળાઓને રેડ ઝોનમાંથી ગ્રીન ઝોનમાં લાવવા માટે સરકારને સહકાર આપીશ. 


ધારાસભ્યોએ આપી પ્રતિક્રિયા 

તે ઉપરાંત ધવલસિંહ ઝાલાએ પણ આ બીલને લઈને પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે જે ભાષામાં લાગણીઓ વ્યક્ત કરવા માટે શબ્દો પડતા નથી તે ભાષા એટલે ગુજરાતી. આપણે સૌ જાણીએ છીએ કે માતૃભાષા ફરજિયાત ન હોત તો ગુજરાતી ભાષાની શું દશા હોત. ત્રિકમ છાંગાએ જણાવ્યું હતું કે ગુજરાત ઉચ્ચ સંસદિય પરંપરાને સ્થાપિત કરનાર રાજ્ય છે. સર્વોદયના સિદ્ધાંત કહે છે કે સૌના ભલામાં આપણું ભલુ છે. વિશ્વમાં 4 હજાર જેટલી ભાષાઓ છે. દર બે અઠવાડિયે એક ભાષા લુપ્ત થતી જાય છે. આ બીલ ગુજરાતી ભાષાની સેવા માટે લાવવામાં આવ્યું છે. ગુજરાત બહાર 18 લાખ ગુજરાતી ભાષા બોલે છે. તે ઉપરાંત ધારાસભ્ય સી.જે.ચાવડાએ જણાવ્યું હતું કે એક સમયે ગુજરાતી ભાષા બચાવવા ચળવળ ચલાવનાર દીકરા ઈંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણતા હતા. સ્વદેશી ચળવળ ચલાવનારા ઘરમાં ચાઈનિઝ ફર્નિચર હોય છે. સરકાર બીલ લાવી છે તેનું સમર્થન છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.