વંદે ભારત ટ્રેનમાં સર્જાઈ ટેક્નિકલ ખામી, અનેક મુસાફરો અટવાયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 18:26:51

વંદે ભારત ટ્રેન જ્યારથી શરૂ થઈ છે ત્યારથી કોઈને કોઈ કારણોસર ચર્ચમાં રહી છે. સળંગ બે દિવસ વંદે ભારત ટ્રેનનો અકસ્માત રખડતા ઢોર સાથે થયો છે. એક વખત ભેંસો વચ્ચે આવી હતી અને બીજા દિવસે ગાયો ટ્રેક પર આવતા ટ્રેનનો અકસ્માત સર્જાયો છે. ત્યારે આજે ટેકનિકલ ખામીને કારણે આ ટ્રેનની ફરી એક વખત ચર્ચાઈ રહી છે. ખુર્જા રેલવે જંકશન પર ટ્રેનની બ્રેક જામ થતા તમામ પેસેન્જરને શતાબ્દી એક્સપ્રેસમાં શિફ્ટ કરી દેવાયા હતા. ટ્રેનના કોચમાં પૈડા જામ થતા ટેક્નિકલ ખામી સર્જાઈ હતી.

ટ્રેનમાં ટેક્નિકલ ખામી સર્જાતા અટવાયા મુસાફરો

દિલ્હીથી વારાણસી જતી આ ટ્રેનમાં અચાનક ખામી સર્જાતા મુસાફરો અટવાઈ ગયા હતા. ટ્રેક્શન મોટર સીઝ થતા ટ્રેનની બ્રેક જામ થતા મુસાફરો અટવાયા હતા. ટ્રેનમાં સર્જાયેલ ખામીને ઠીક કરવાના અનેક પ્રયાસો કરાયા હતા. બુલંદશહરમાં ઉભી રહેતા રેલવે અધિકારીઓએ આ ખામીને ઠીક કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ઘણા પ્રયત્નો કર્યા બાદ પણ ટ્રેન શરૂ ન થતા મુસાફરોને બીજી ટ્રેનમાં સિફ્ટ કરાયા હતા.

 




પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.