વંદે ભારત ટ્રેનમાં સર્જાઈ ટેક્નિકલ ખામી, અનેક મુસાફરો અટવાયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 18:26:51

વંદે ભારત ટ્રેન જ્યારથી શરૂ થઈ છે ત્યારથી કોઈને કોઈ કારણોસર ચર્ચમાં રહી છે. સળંગ બે દિવસ વંદે ભારત ટ્રેનનો અકસ્માત રખડતા ઢોર સાથે થયો છે. એક વખત ભેંસો વચ્ચે આવી હતી અને બીજા દિવસે ગાયો ટ્રેક પર આવતા ટ્રેનનો અકસ્માત સર્જાયો છે. ત્યારે આજે ટેકનિકલ ખામીને કારણે આ ટ્રેનની ફરી એક વખત ચર્ચાઈ રહી છે. ખુર્જા રેલવે જંકશન પર ટ્રેનની બ્રેક જામ થતા તમામ પેસેન્જરને શતાબ્દી એક્સપ્રેસમાં શિફ્ટ કરી દેવાયા હતા. ટ્રેનના કોચમાં પૈડા જામ થતા ટેક્નિકલ ખામી સર્જાઈ હતી.

ટ્રેનમાં ટેક્નિકલ ખામી સર્જાતા અટવાયા મુસાફરો

દિલ્હીથી વારાણસી જતી આ ટ્રેનમાં અચાનક ખામી સર્જાતા મુસાફરો અટવાઈ ગયા હતા. ટ્રેક્શન મોટર સીઝ થતા ટ્રેનની બ્રેક જામ થતા મુસાફરો અટવાયા હતા. ટ્રેનમાં સર્જાયેલ ખામીને ઠીક કરવાના અનેક પ્રયાસો કરાયા હતા. બુલંદશહરમાં ઉભી રહેતા રેલવે અધિકારીઓએ આ ખામીને ઠીક કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ઘણા પ્રયત્નો કર્યા બાદ પણ ટ્રેન શરૂ ન થતા મુસાફરોને બીજી ટ્રેનમાં સિફ્ટ કરાયા હતા.

 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.