વંદે ભારત ટ્રેનમાં સર્જાઈ ટેક્નિકલ ખામી, અનેક મુસાફરો અટવાયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 18:26:51

વંદે ભારત ટ્રેન જ્યારથી શરૂ થઈ છે ત્યારથી કોઈને કોઈ કારણોસર ચર્ચમાં રહી છે. સળંગ બે દિવસ વંદે ભારત ટ્રેનનો અકસ્માત રખડતા ઢોર સાથે થયો છે. એક વખત ભેંસો વચ્ચે આવી હતી અને બીજા દિવસે ગાયો ટ્રેક પર આવતા ટ્રેનનો અકસ્માત સર્જાયો છે. ત્યારે આજે ટેકનિકલ ખામીને કારણે આ ટ્રેનની ફરી એક વખત ચર્ચાઈ રહી છે. ખુર્જા રેલવે જંકશન પર ટ્રેનની બ્રેક જામ થતા તમામ પેસેન્જરને શતાબ્દી એક્સપ્રેસમાં શિફ્ટ કરી દેવાયા હતા. ટ્રેનના કોચમાં પૈડા જામ થતા ટેક્નિકલ ખામી સર્જાઈ હતી.

ટ્રેનમાં ટેક્નિકલ ખામી સર્જાતા અટવાયા મુસાફરો

દિલ્હીથી વારાણસી જતી આ ટ્રેનમાં અચાનક ખામી સર્જાતા મુસાફરો અટવાઈ ગયા હતા. ટ્રેક્શન મોટર સીઝ થતા ટ્રેનની બ્રેક જામ થતા મુસાફરો અટવાયા હતા. ટ્રેનમાં સર્જાયેલ ખામીને ઠીક કરવાના અનેક પ્રયાસો કરાયા હતા. બુલંદશહરમાં ઉભી રહેતા રેલવે અધિકારીઓએ આ ખામીને ઠીક કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ઘણા પ્રયત્નો કર્યા બાદ પણ ટ્રેન શરૂ ન થતા મુસાફરોને બીજી ટ્રેનમાં સિફ્ટ કરાયા હતા.

 




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે