તિસ્તા સેતલવાડ સહિતના 3 આરોપીઓ સામે ચાર્જફ્રેમ પ્રક્રિયા હાથ ધરાઈ, પૂર્વ DGP શ્રીકુમારે કોર્ટમાં કરી ડિસ્ચાર્જ અરજી


  • Published By :
  • Published Date : 2023-05-08 17:16:43

વર્ષ 2002નાં ગુજરાત રમખાણો બાદ તત્કાલીન CM અને વર્તમાન PM નરેન્દ્ર મોદી અને ગુજરાતને બદનામ કરવાના મામલે તિસ્તા સેતલવાડ, પૂર્વ DGP આર.બી. શ્રીકુમાર અને પૂર્વ IPS ઓફિસર સંજીવ ભટ્ટ સામે SITની તપાસ ચાલી રહી છે. આ કેસના મુખ્ય આરોપી તિસ્તા સેતલવાડ અને અન્ય આરોપીઓ સામે ચાર્જફ્રેમની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જો કે આ મામલે પૂર્વ DGP આર.બી. શ્રીકુમારે આજે ડિસ્ચાર્જ અરજી કરી છે. શ્રીકુમારે આજે ડિસ્ચાર્જ અરજી કરી છે. આ મામલે તિસ્તા સેતલવાડ આજે સેશન્સ કોર્ટમાં ઉપસ્થિત રહ્યાં હતાં. અત્રે ઉલ્લેખનિય છે કે આ મામલે અગાઉ અનેક વખત મુદત પડી છે.


શ્રીકુમારે કરી ડિસ્ચાર્જ અરજી


આ કેસમાં પૂર્વ DGP શ્રીકુમારના વકીલ મનીષ ઓઝાએ જણાવ્યું હતું કે આજે ડિસ્ચાર્જ અરજી કરી છે. આ કેસમાં અગાઉ અનેક વખત મુદત પડી ચૂકી છે. વકીલે જણાવ્યું હતું કે, આજે આરોપી નંબર બે જે શ્રીકુમાર છે, તેઓ દ્વારા આજે ડિસ્ચાર્જ અરજી આપવામાં આવી છે. સેશન્સ કોર્ટમાં ચાર્જફ્રેમ પ્રક્રિયામાં સતત ગેરહાજર રહેનાર આર.બી શ્રીકુમારે આજે ડિસ્ચાર્જ અરજી ફાઈલ કરીને પોતાને દોષમુક્ત કરવા માગ કરી હતી. તેમના દ્વારા રજૂઆત કરાઈ હતી કે તેમની સામે કોઈ કેસ બનતો નથી. પૂર્વગ્રહ રાખીને તેમની સામે ફરિયાદ થઈ છે. આ મામલે વધુ હિયરિંગ 22 મેના રોજ રાખવામાં આવ્યું છે.


તિસ્તાની અરજી પર 22 મેના રોજ સુનાવણી


અત્રે ઉલ્લેખનિય છે કે આ મામલે આરોપી નંબર એક તિસ્તા સેતલવાડ છે તેમના તરફથી CRPC સેક્શન 207 અને 208 હેઠળ જે કોઈ ડોક્યુમેન્ટ ઉપર પ્રોસિક્યુશન રિલાઇ કરતા હોય અને કોઈ ડોક્યુમેન્ટ ઉપર રિલાઇ ન કરતા હોય એવા પણ ડોક્યુમેન્ટ પ્રોવાઇડ કરવા જોઈએ, એવી અરજી તિસ્તા સેતલવાડ તરફથી આપવામાં આવી છે.તિસ્તા સેતલવાડ તરફથી CRPCની કલમ 307 અને 308 અંતર્ગત પુરાવારૂપે અન્ય ડોક્યુમેન્ટ સ્વીકારાય તેવી કોર્ટમાં અરજી કરવામાં આવી છે. આરોપીને પોતાનો પક્ષ રજૂ કરવાનો હક હોવાનો અરજીમાં ઉલ્લેખ કરાયો છે. તિસ્તા સેતલવાડની અરજી પર આગામી 22 મેએ સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.