તિસ્તા સેતલવાડ સહિતના 3 આરોપીઓ સામે ચાર્જફ્રેમ પ્રક્રિયા હાથ ધરાઈ, પૂર્વ DGP શ્રીકુમારે કોર્ટમાં કરી ડિસ્ચાર્જ અરજી


  • Published By :
  • Published Date : 2023-05-08 17:16:43

વર્ષ 2002નાં ગુજરાત રમખાણો બાદ તત્કાલીન CM અને વર્તમાન PM નરેન્દ્ર મોદી અને ગુજરાતને બદનામ કરવાના મામલે તિસ્તા સેતલવાડ, પૂર્વ DGP આર.બી. શ્રીકુમાર અને પૂર્વ IPS ઓફિસર સંજીવ ભટ્ટ સામે SITની તપાસ ચાલી રહી છે. આ કેસના મુખ્ય આરોપી તિસ્તા સેતલવાડ અને અન્ય આરોપીઓ સામે ચાર્જફ્રેમની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જો કે આ મામલે પૂર્વ DGP આર.બી. શ્રીકુમારે આજે ડિસ્ચાર્જ અરજી કરી છે. શ્રીકુમારે આજે ડિસ્ચાર્જ અરજી કરી છે. આ મામલે તિસ્તા સેતલવાડ આજે સેશન્સ કોર્ટમાં ઉપસ્થિત રહ્યાં હતાં. અત્રે ઉલ્લેખનિય છે કે આ મામલે અગાઉ અનેક વખત મુદત પડી છે.


શ્રીકુમારે કરી ડિસ્ચાર્જ અરજી


આ કેસમાં પૂર્વ DGP શ્રીકુમારના વકીલ મનીષ ઓઝાએ જણાવ્યું હતું કે આજે ડિસ્ચાર્જ અરજી કરી છે. આ કેસમાં અગાઉ અનેક વખત મુદત પડી ચૂકી છે. વકીલે જણાવ્યું હતું કે, આજે આરોપી નંબર બે જે શ્રીકુમાર છે, તેઓ દ્વારા આજે ડિસ્ચાર્જ અરજી આપવામાં આવી છે. સેશન્સ કોર્ટમાં ચાર્જફ્રેમ પ્રક્રિયામાં સતત ગેરહાજર રહેનાર આર.બી શ્રીકુમારે આજે ડિસ્ચાર્જ અરજી ફાઈલ કરીને પોતાને દોષમુક્ત કરવા માગ કરી હતી. તેમના દ્વારા રજૂઆત કરાઈ હતી કે તેમની સામે કોઈ કેસ બનતો નથી. પૂર્વગ્રહ રાખીને તેમની સામે ફરિયાદ થઈ છે. આ મામલે વધુ હિયરિંગ 22 મેના રોજ રાખવામાં આવ્યું છે.


તિસ્તાની અરજી પર 22 મેના રોજ સુનાવણી


અત્રે ઉલ્લેખનિય છે કે આ મામલે આરોપી નંબર એક તિસ્તા સેતલવાડ છે તેમના તરફથી CRPC સેક્શન 207 અને 208 હેઠળ જે કોઈ ડોક્યુમેન્ટ ઉપર પ્રોસિક્યુશન રિલાઇ કરતા હોય અને કોઈ ડોક્યુમેન્ટ ઉપર રિલાઇ ન કરતા હોય એવા પણ ડોક્યુમેન્ટ પ્રોવાઇડ કરવા જોઈએ, એવી અરજી તિસ્તા સેતલવાડ તરફથી આપવામાં આવી છે.તિસ્તા સેતલવાડ તરફથી CRPCની કલમ 307 અને 308 અંતર્ગત પુરાવારૂપે અન્ય ડોક્યુમેન્ટ સ્વીકારાય તેવી કોર્ટમાં અરજી કરવામાં આવી છે. આરોપીને પોતાનો પક્ષ રજૂ કરવાનો હક હોવાનો અરજીમાં ઉલ્લેખ કરાયો છે. તિસ્તા સેતલવાડની અરજી પર આગામી 22 મેએ સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે