તેજસ્વી યાદવ સામે વધુ તપાસનો અમદાવાદની મેટ્રો કોર્ટે કર્યો આદેશ, 20 મેના રોજ થશે સુનાવણી


  • Published By :
  • Published Date : 2023-05-08 18:02:20

બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ સામે આજે માનહાનિના કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં આજે સુનાવણી બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ટૂંકી સુનાવણી બાદ કોર્ટે 202 હેઠળ તપાસનો આદેશ આપ્યો હતો. ઇન્કવાયરી બાદ જ કોર્ટ નક્કી કરશે કે તેજસ્વી યાદવને સમન્સ મોકલવું કે નહીં,  આ કેસની વધુ સુનાવણી 20 મેના રોજ હાથ ધરાશે, આ દિવસે ફરિયાદીને તમામ દસ્તાવેજ, પૂરાવા અને સાક્ષીઓને ઉપસ્થિત રહેવા કહેવામાં આવ્યું છે.


બિઝનેસમેન હરેશ મહેતાએ કર્યો છે કેસ
 

અત્રે ઉલ્લેખનિય છે કે ગુજરાતના બિઝનેસમેન હરેશ મહેતાએ આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદના નાના પુત્ર તેજસ્વી યાદવ વિરુદ્ધ એડિશનલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ડીજે પરમારની કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. 21 માર્ચે આઈપીસીની કલમ 499 અને 500 હેઠળ ફોજદારી માનહાનિનો કેસ નોંધવામાં આવ્યો હતો. જે બાદ કોર્ટે સુનાવણી માટે 8મી મેના રોજ કહ્યું હતું. બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે જો માનહાનિનો મામલો બને છે તો તેમની સામે પણ સમન્સ જારી કરવામાં આવી શકે છે. આ કેસની છેલ્લી સુનાવણી 1 મેના રોજ થઈ હતી. 


ફરિયાદીએ કોર્ટમાં આપ્યા હતા પુરાવાઓ 


1 મેએ અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં આ મામલે ફરિયાદી હરેશ મહેતાનું નિવેદન લેવામાં આવ્યું હતું. ફરિયાદીએ કોર્ટમાં જણાવ્યું હતું કે તેજસ્વી યાદવના નિવેદનથી એક ગુજરાતી તરીકે તેમને દુઃખ થયું છે. આ ગુજરાતીઓની બદનક્ષી છે. ફરિયાદીએ કોર્ટમાં તેજસ્વી યાદવના વીડિયોની સીડી અને પેન ડ્રાઈવના પુરાવા, જરૂરી સર્ટિફિકેટ સાથે જમા કરાવ્યા હતા. 


તેજસ્વી યાદવ સામે આરોપ શું છે?


ફરિયાદી હરેશ મહેતાએ બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ પર આરોપ લગાવ્યો હતો કે બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે બિહાર વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન પટનામાં પત્રકારો સાથે વાત કરતી વખતે તેમણે ગુજરાતીઓને ઠગ કહ્યા હતા.તેજસ્વીએ તેમના નિવેદનમાં કહ્યું હતું કે "વર્તમાનમાં જે સ્થિતિ છે તે તેને જોઈએ તો માત્ર ગુજરાતીઓ જ ઠગ હોય છે, અને તેમને માફ પણ કરી દેવામાં આવે છે" આ વાત તેમણે ત્યારે કહીં હતી કે જ્યારે બેંકોના પૈસા લઈને વિદેશ ફરાર થઈ ગયેલા હીરાના વેપારી મેહુલ ચોક્સીનું નામ ઈન્ટરપોલની રેડ નોટિસમાંથી હટાવી દેવામાં આવ્યું હતું. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે