Telangana: ભારતીય વાયુસેનાનાનું વધુ એક ટ્રેનર એરક્રાફ્ટ ક્રેશ, બે પાયલોટના મોત


  • Published By :
  • Published Date : 2023-12-04 15:11:22

ભારતીય વાયુસેનાનાનું વધુ એક ટ્રેનર એરક્રાફ્ટ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે. તેલંગાણાના મેદક જિલ્લામાં આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ભયાનક દુર્ઘટનામાં એક ટ્રેનર પાયલોટ અને એક ટ્રેની પાયલોટના મોત નિપજ્યા છે. બે પાયલટના મોતના સમાચારે ખળભળાટ મચી ગયો છે.  તેલંગાણાના ડિંડીગુલમાં એરફોર્સ એકેડેમીમાં ટ્રેનિંગ દરમિયાન 8:55 કલાકે તેમના ટ્રેનર એરક્રાફ્ટ  ક્રેશ થતાં ભારતીય વાયુસેનાના બે પાઇલોટ્સ માર્યા ગયા હતા.  


કઈ રીતે સર્જાઈ દુર્ઘટના?


ઈન્ડિયન એરફોર્સના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે તેલંગાણાના ડીંડીગુલ સ્થિત એરફોર્સ એકેડેમીમાં સવારના સમયે ટ્રેનર વિમાને ઉડાન ભરી હતી. ત્યાર બાદ સવારે 8:55 વાગ્યે આ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. દુર્ઘટનાનો શિકાર થયેલું વિમાન Pilatus PC 7 Mk II એરક્રાફ્ટ હતું. એરફોર્સે જણાવ્યું કે ટ્રેનર વિમાને રૂટીન ઉડાન ભરી હતી, દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા પાયલોટનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ મામલે ભારતીય હવાઈ દળે તપાસના આદેશ આપ્યા છે.


અગાઉ પણ સર્જાઈ હતી દુર્ઘટના


ઉલ્લેખનિય છે કે અગાઉ પણ ભારતીય એરફોર્સના બે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયા હતા. મધ્યપ્રદેશના મુરૈનામાં થયેલી આ દુર્ઘટનામાં ભારતીય એરફોર્સના બે ફાઈટર પ્લેન ક્રેશ થયા હતા. જેમાં એક પાયલોટનું મોત થયું હતું, આ વિમાન પણ રૂટીન ઓપરેશનલ ફ્લાઈંગ ટ્રેનિંગ મિશન પર હતું. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.