Telangana: ભારતીય વાયુસેનાનાનું વધુ એક ટ્રેનર એરક્રાફ્ટ ક્રેશ, બે પાયલોટના મોત


  • Published By :
  • Published Date : 2023-12-04 15:11:22

ભારતીય વાયુસેનાનાનું વધુ એક ટ્રેનર એરક્રાફ્ટ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે. તેલંગાણાના મેદક જિલ્લામાં આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ભયાનક દુર્ઘટનામાં એક ટ્રેનર પાયલોટ અને એક ટ્રેની પાયલોટના મોત નિપજ્યા છે. બે પાયલટના મોતના સમાચારે ખળભળાટ મચી ગયો છે.  તેલંગાણાના ડિંડીગુલમાં એરફોર્સ એકેડેમીમાં ટ્રેનિંગ દરમિયાન 8:55 કલાકે તેમના ટ્રેનર એરક્રાફ્ટ  ક્રેશ થતાં ભારતીય વાયુસેનાના બે પાઇલોટ્સ માર્યા ગયા હતા.  


કઈ રીતે સર્જાઈ દુર્ઘટના?


ઈન્ડિયન એરફોર્સના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે તેલંગાણાના ડીંડીગુલ સ્થિત એરફોર્સ એકેડેમીમાં સવારના સમયે ટ્રેનર વિમાને ઉડાન ભરી હતી. ત્યાર બાદ સવારે 8:55 વાગ્યે આ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. દુર્ઘટનાનો શિકાર થયેલું વિમાન Pilatus PC 7 Mk II એરક્રાફ્ટ હતું. એરફોર્સે જણાવ્યું કે ટ્રેનર વિમાને રૂટીન ઉડાન ભરી હતી, દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા પાયલોટનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ મામલે ભારતીય હવાઈ દળે તપાસના આદેશ આપ્યા છે.


અગાઉ પણ સર્જાઈ હતી દુર્ઘટના


ઉલ્લેખનિય છે કે અગાઉ પણ ભારતીય એરફોર્સના બે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયા હતા. મધ્યપ્રદેશના મુરૈનામાં થયેલી આ દુર્ઘટનામાં ભારતીય એરફોર્સના બે ફાઈટર પ્લેન ક્રેશ થયા હતા. જેમાં એક પાયલોટનું મોત થયું હતું, આ વિમાન પણ રૂટીન ઓપરેશનલ ફ્લાઈંગ ટ્રેનિંગ મિશન પર હતું. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે