Telangana: ભારતીય વાયુસેનાનાનું વધુ એક ટ્રેનર એરક્રાફ્ટ ક્રેશ, બે પાયલોટના મોત


  • Published By :
  • Published Date : 2023-12-04 15:11:22

ભારતીય વાયુસેનાનાનું વધુ એક ટ્રેનર એરક્રાફ્ટ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે. તેલંગાણાના મેદક જિલ્લામાં આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ભયાનક દુર્ઘટનામાં એક ટ્રેનર પાયલોટ અને એક ટ્રેની પાયલોટના મોત નિપજ્યા છે. બે પાયલટના મોતના સમાચારે ખળભળાટ મચી ગયો છે.  તેલંગાણાના ડિંડીગુલમાં એરફોર્સ એકેડેમીમાં ટ્રેનિંગ દરમિયાન 8:55 કલાકે તેમના ટ્રેનર એરક્રાફ્ટ  ક્રેશ થતાં ભારતીય વાયુસેનાના બે પાઇલોટ્સ માર્યા ગયા હતા.  


કઈ રીતે સર્જાઈ દુર્ઘટના?


ઈન્ડિયન એરફોર્સના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે તેલંગાણાના ડીંડીગુલ સ્થિત એરફોર્સ એકેડેમીમાં સવારના સમયે ટ્રેનર વિમાને ઉડાન ભરી હતી. ત્યાર બાદ સવારે 8:55 વાગ્યે આ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. દુર્ઘટનાનો શિકાર થયેલું વિમાન Pilatus PC 7 Mk II એરક્રાફ્ટ હતું. એરફોર્સે જણાવ્યું કે ટ્રેનર વિમાને રૂટીન ઉડાન ભરી હતી, દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા પાયલોટનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ મામલે ભારતીય હવાઈ દળે તપાસના આદેશ આપ્યા છે.


અગાઉ પણ સર્જાઈ હતી દુર્ઘટના


ઉલ્લેખનિય છે કે અગાઉ પણ ભારતીય એરફોર્સના બે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયા હતા. મધ્યપ્રદેશના મુરૈનામાં થયેલી આ દુર્ઘટનામાં ભારતીય એરફોર્સના બે ફાઈટર પ્લેન ક્રેશ થયા હતા. જેમાં એક પાયલોટનું મોત થયું હતું, આ વિમાન પણ રૂટીન ઓપરેશનલ ફ્લાઈંગ ટ્રેનિંગ મિશન પર હતું. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.