સ્વતંત્રતા દિને તેલંગાણા સરકારની ખેડૂતોને મોટી ભેટ, 9 લાખ ખેડૂતોની કૃષિ લોન કરી માફ


  • Published By :
  • Published Date : 2023-08-15 19:23:18

તેલંગાણા સરકારે 15 ઓગસ્ટ નિમિત્તે મહત્વની જાહેરાત કરતા 9 લાખ ખેડૂતોની કૃષિ લોન માફ કરી દીધી છે. સ્વતંત્રતા દિવસ સમારોહની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી કે. ચન્દ્રશેખર રાવે ચૂંટણી દરમિયાન આપેલું વચન નિભાવતા દેવા માફી માટે ફંડની ફાળવણીનો હુકમ કર્યો હતો. સીએમ ચન્દ્રશેખર રાવે કહ્યું કે એક લાખથી ઓછી લોન ધરાવતા ખેડૂતોને દેવામાંથી મુક્ત કરવામાં આવશે અને 99,999 રૂપિયા સુધીની કૃષિ લોનનની ચૂકવણી બેંકોને કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. 


બે વખત લોન માફી


રાજ્ય સરકારની આ જાહેરાતથી રાજ્યના 9,02,843 ખેડૂતોને ફાયદો થશે. રાજ્યના નાણા વિભાગે  9,02,843 ખેડૂતો માટે 5,809.78 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જમા કરાયેલી રકમ ખેડૂતોના ખાતામાં જમા કરાવવામાં આવશે. સીએમ કેસીઆરે 11 ડિસેમ્બર 2018ના રોજ  એક લાખથી ઓછી રકમની કૃષિ લોન માફ કરવાનું જનતાને વચન આપ્યું હતું. આ પહેલા રાજ્ય સરકારે 2 ઓગસ્ટન રોજ સીએમ ચન્દ્રશેખર રાવે 50 હજાર સુધીની કૃષિ લોન લેનારા 7,19,488 ખેડૂતોની લોન માફ કરવા માટે બેંકોને 1,943.64 કરોડ રૂપિયાની ચુકવણી કરી હતી. ઉલ્લેખનિય છે કે આટલા મોટા પ્રમાણમાં બે વખત કૃષિ લોન માફ કરનારૂ તેલંગાણા દેશમાં એકમાત્ર રાજ્ય છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.