સ્વતંત્રતા દિને તેલંગાણા સરકારની ખેડૂતોને મોટી ભેટ, 9 લાખ ખેડૂતોની કૃષિ લોન કરી માફ


  • Published By :
  • Published Date : 2023-08-15 19:23:18

તેલંગાણા સરકારે 15 ઓગસ્ટ નિમિત્તે મહત્વની જાહેરાત કરતા 9 લાખ ખેડૂતોની કૃષિ લોન માફ કરી દીધી છે. સ્વતંત્રતા દિવસ સમારોહની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી કે. ચન્દ્રશેખર રાવે ચૂંટણી દરમિયાન આપેલું વચન નિભાવતા દેવા માફી માટે ફંડની ફાળવણીનો હુકમ કર્યો હતો. સીએમ ચન્દ્રશેખર રાવે કહ્યું કે એક લાખથી ઓછી લોન ધરાવતા ખેડૂતોને દેવામાંથી મુક્ત કરવામાં આવશે અને 99,999 રૂપિયા સુધીની કૃષિ લોનનની ચૂકવણી બેંકોને કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. 


બે વખત લોન માફી


રાજ્ય સરકારની આ જાહેરાતથી રાજ્યના 9,02,843 ખેડૂતોને ફાયદો થશે. રાજ્યના નાણા વિભાગે  9,02,843 ખેડૂતો માટે 5,809.78 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જમા કરાયેલી રકમ ખેડૂતોના ખાતામાં જમા કરાવવામાં આવશે. સીએમ કેસીઆરે 11 ડિસેમ્બર 2018ના રોજ  એક લાખથી ઓછી રકમની કૃષિ લોન માફ કરવાનું જનતાને વચન આપ્યું હતું. આ પહેલા રાજ્ય સરકારે 2 ઓગસ્ટન રોજ સીએમ ચન્દ્રશેખર રાવે 50 હજાર સુધીની કૃષિ લોન લેનારા 7,19,488 ખેડૂતોની લોન માફ કરવા માટે બેંકોને 1,943.64 કરોડ રૂપિયાની ચુકવણી કરી હતી. ઉલ્લેખનિય છે કે આટલા મોટા પ્રમાણમાં બે વખત કૃષિ લોન માફ કરનારૂ તેલંગાણા દેશમાં એકમાત્ર રાજ્ય છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .