સ્વતંત્રતા દિને તેલંગાણા સરકારની ખેડૂતોને મોટી ભેટ, 9 લાખ ખેડૂતોની કૃષિ લોન કરી માફ


  • Published By :
  • Published Date : 2023-08-15 19:23:18

તેલંગાણા સરકારે 15 ઓગસ્ટ નિમિત્તે મહત્વની જાહેરાત કરતા 9 લાખ ખેડૂતોની કૃષિ લોન માફ કરી દીધી છે. સ્વતંત્રતા દિવસ સમારોહની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી કે. ચન્દ્રશેખર રાવે ચૂંટણી દરમિયાન આપેલું વચન નિભાવતા દેવા માફી માટે ફંડની ફાળવણીનો હુકમ કર્યો હતો. સીએમ ચન્દ્રશેખર રાવે કહ્યું કે એક લાખથી ઓછી લોન ધરાવતા ખેડૂતોને દેવામાંથી મુક્ત કરવામાં આવશે અને 99,999 રૂપિયા સુધીની કૃષિ લોનનની ચૂકવણી બેંકોને કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. 


બે વખત લોન માફી


રાજ્ય સરકારની આ જાહેરાતથી રાજ્યના 9,02,843 ખેડૂતોને ફાયદો થશે. રાજ્યના નાણા વિભાગે  9,02,843 ખેડૂતો માટે 5,809.78 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જમા કરાયેલી રકમ ખેડૂતોના ખાતામાં જમા કરાવવામાં આવશે. સીએમ કેસીઆરે 11 ડિસેમ્બર 2018ના રોજ  એક લાખથી ઓછી રકમની કૃષિ લોન માફ કરવાનું જનતાને વચન આપ્યું હતું. આ પહેલા રાજ્ય સરકારે 2 ઓગસ્ટન રોજ સીએમ ચન્દ્રશેખર રાવે 50 હજાર સુધીની કૃષિ લોન લેનારા 7,19,488 ખેડૂતોની લોન માફ કરવા માટે બેંકોને 1,943.64 કરોડ રૂપિયાની ચુકવણી કરી હતી. ઉલ્લેખનિય છે કે આટલા મોટા પ્રમાણમાં બે વખત કૃષિ લોન માફ કરનારૂ તેલંગાણા દેશમાં એકમાત્ર રાજ્ય છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.