કોલ ડ્રોપ અને ઈન્ટરનેટ સર્વિસને લઈ ટેલિકોમ કંપનીઓને સરકારની ફટકાર


  • Published By :
  • Published Date : 2022-12-27 18:47:26

દેશમાં 5G નેટવર્ક લોન્ચ થવા છતાં પણ કોલ ડ્રોપ જેવી સમસ્યાઓથી મોબાઈલ સબ્સક્રાઈબર્સ પરેશાન છે. વધતા જતા કોલ ડ્રોપીંગની સમસ્યાને લઈ સરકારે આવતી કાલે ટેલિકોમ ઓપરેટર કંપનીઓની તાકીદની બેઠક બોલાવી છે. સરકારના હાલમાં સતત કોલ ડ્રોપ ઉપરાંત ઇન્ટરનેટની સ્પીડ ધીમી પડવાની કે અચાનક જ ઇન્ટરનેટ સેવા ખોરવાઈ જવાની અનેક ફરિયાદો મળી છે અને તેના પર હવે સરકાર ટેલિકોમ કંપનીઓને સીધા જવાબદાર ગણાવીને આકરા પગલા લે તેવા સંકેત છે. ટેલિકોમ ડિપોર્ટમેન્ટની સાથે જ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈંડિયા (TRAI) પણ સર્વિસ ક્વોલિટીને લઈને ચિંતિત છે.  


કંપનીઓની મનમાની રોકવા તાકિદ


મોબાઈલ ફોન સેવાઓમાં એક તરફ 5-જી ટેકનોલોજીના આગમન માટે ચર્ચા થઇ રહી છે અને લોકોને ટેલિકોમ કંપનીઓ વધુ ઝડપી કોલ તથા ડેટા સર્વિસ પૂરા પાડવાની ખાતરી આપે છે તે વચ્ચે લાંબા સમયથી સરકારી પોર્ટલ પર અને અન્ય રીતે કોલ ડ્રોપીંગની ફરિયાદો વધી છે. ટેલિકોમ કંપનીઓને તેના નેટવર્ક માટે પૂરતા ટાવર ફાળવવા તેમજ ડેટા સર્વિસ માટે યોગ્ય સેન્ટર ઉભા કરવા અનેક વખત તાકીદ કરી છે. પરંતુ આ અંગે કોઇ સેવાઓમાં સુધારો ન જણાતા આવતીકાલે ટેલિકોમ કંપનીઓને જવાબ આપવા સરકારે અગાઉ જણાવ્યું હતું અને ખાસ કરીને 5-જી સેવાના આગમન સાથે 4-જી કે અન્ય સેવાઓ ખોરવાય નહીં કે તે સેવાના ભોગે ટેલિકોમ કંપનીઓને ગ્રાહકોને 5-જી સેવા ફરજ ન પાડે તે જોવા પણ સરકાર માગે છે. 


ટેલિકોમ સચિવની અધ્યક્ષતામાં બેઠક


કોલ ડ્રોપની સમસ્યા મુદ્દે યોજાનારી બેઠકમાં ટેલિકોમ સચિવની અધ્યક્ષતામાં ચર્ચા યોજાશે. જો કે ટેલિકોમ સર્કલ્સ પ્રમાણે ટેલિકોમ સર્વિસની ક્વોલિટી (QoS)ની તપાસ કરવામાં આવી રહી છે. આ બેઠકમાં વિવિધ ટેલિકોમ કંપનીઓના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. દેશમાં અંદાજે 1 અબજથી વધુ મોબાઈલ ગ્રાહકો છે અને હવે ફક્ત કોલીંગ જ નહીં પરંતુ અનેક પ્રકારની બેંકીંગ સહિતની સરકારી સેવાઓમાં પણ મોબાઈલના ડેટા સહિતની કામગીરી મહત્વની બની છે તે સમયે આ પ્રકારની ફરિયાદો સામે સરકારે આકરા પગલાની તૈયારી કરી છે.


સર્વિસની ગુણવત્તા સુધારવા દબાણ 


કેન્દ્ર સરકાર દ્વારા ટેલિકોમ કંપનીઓ પર સર્વિસીસની ક્વોલિટીને સુધારવા માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું છે. ટેલિકોમ કંપનીઓના સંગઠન સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (COAI)નું કહેવું છે કે દેશમાં એક અબજથી વધુ મોબાઈલ યુઝર્સ માટે નેટવર્કના પ્રદર્શનમાં સુધારો કરવા માટે મુડીરોકાણ કરવામાં આવી રહ્યું છે. ટેલિકોમ કંપનીઓ આગામી માર્ચ સુધીમાં ટેરિફને 10 ટકા સુધી વધારી શકે છે, તેની પાછળ આ કંપનીઓના રેવન્યુ અને માર્જિન પર વધી રહેલું પ્રેસર પણ મોટું કારણ છે. દેશની ત્રણ મોટી ટેલિકોમ કંપનીઓના સપ્ટેમ્બર ત્રિમાસિકમાં એવરેજ રેવન્યુ પ્રતિ યૂઝર (ARPU)માં સામાન્ય વૃધ્ધી થઈ છે.  



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.