કોલ ડ્રોપ અને ઈન્ટરનેટ સર્વિસને લઈ ટેલિકોમ કંપનીઓને સરકારની ફટકાર


  • Published By :
  • Published Date : 2022-12-27 18:47:26

દેશમાં 5G નેટવર્ક લોન્ચ થવા છતાં પણ કોલ ડ્રોપ જેવી સમસ્યાઓથી મોબાઈલ સબ્સક્રાઈબર્સ પરેશાન છે. વધતા જતા કોલ ડ્રોપીંગની સમસ્યાને લઈ સરકારે આવતી કાલે ટેલિકોમ ઓપરેટર કંપનીઓની તાકીદની બેઠક બોલાવી છે. સરકારના હાલમાં સતત કોલ ડ્રોપ ઉપરાંત ઇન્ટરનેટની સ્પીડ ધીમી પડવાની કે અચાનક જ ઇન્ટરનેટ સેવા ખોરવાઈ જવાની અનેક ફરિયાદો મળી છે અને તેના પર હવે સરકાર ટેલિકોમ કંપનીઓને સીધા જવાબદાર ગણાવીને આકરા પગલા લે તેવા સંકેત છે. ટેલિકોમ ડિપોર્ટમેન્ટની સાથે જ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈંડિયા (TRAI) પણ સર્વિસ ક્વોલિટીને લઈને ચિંતિત છે.  


કંપનીઓની મનમાની રોકવા તાકિદ


મોબાઈલ ફોન સેવાઓમાં એક તરફ 5-જી ટેકનોલોજીના આગમન માટે ચર્ચા થઇ રહી છે અને લોકોને ટેલિકોમ કંપનીઓ વધુ ઝડપી કોલ તથા ડેટા સર્વિસ પૂરા પાડવાની ખાતરી આપે છે તે વચ્ચે લાંબા સમયથી સરકારી પોર્ટલ પર અને અન્ય રીતે કોલ ડ્રોપીંગની ફરિયાદો વધી છે. ટેલિકોમ કંપનીઓને તેના નેટવર્ક માટે પૂરતા ટાવર ફાળવવા તેમજ ડેટા સર્વિસ માટે યોગ્ય સેન્ટર ઉભા કરવા અનેક વખત તાકીદ કરી છે. પરંતુ આ અંગે કોઇ સેવાઓમાં સુધારો ન જણાતા આવતીકાલે ટેલિકોમ કંપનીઓને જવાબ આપવા સરકારે અગાઉ જણાવ્યું હતું અને ખાસ કરીને 5-જી સેવાના આગમન સાથે 4-જી કે અન્ય સેવાઓ ખોરવાય નહીં કે તે સેવાના ભોગે ટેલિકોમ કંપનીઓને ગ્રાહકોને 5-જી સેવા ફરજ ન પાડે તે જોવા પણ સરકાર માગે છે. 


ટેલિકોમ સચિવની અધ્યક્ષતામાં બેઠક


કોલ ડ્રોપની સમસ્યા મુદ્દે યોજાનારી બેઠકમાં ટેલિકોમ સચિવની અધ્યક્ષતામાં ચર્ચા યોજાશે. જો કે ટેલિકોમ સર્કલ્સ પ્રમાણે ટેલિકોમ સર્વિસની ક્વોલિટી (QoS)ની તપાસ કરવામાં આવી રહી છે. આ બેઠકમાં વિવિધ ટેલિકોમ કંપનીઓના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. દેશમાં અંદાજે 1 અબજથી વધુ મોબાઈલ ગ્રાહકો છે અને હવે ફક્ત કોલીંગ જ નહીં પરંતુ અનેક પ્રકારની બેંકીંગ સહિતની સરકારી સેવાઓમાં પણ મોબાઈલના ડેટા સહિતની કામગીરી મહત્વની બની છે તે સમયે આ પ્રકારની ફરિયાદો સામે સરકારે આકરા પગલાની તૈયારી કરી છે.


સર્વિસની ગુણવત્તા સુધારવા દબાણ 


કેન્દ્ર સરકાર દ્વારા ટેલિકોમ કંપનીઓ પર સર્વિસીસની ક્વોલિટીને સુધારવા માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું છે. ટેલિકોમ કંપનીઓના સંગઠન સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (COAI)નું કહેવું છે કે દેશમાં એક અબજથી વધુ મોબાઈલ યુઝર્સ માટે નેટવર્કના પ્રદર્શનમાં સુધારો કરવા માટે મુડીરોકાણ કરવામાં આવી રહ્યું છે. ટેલિકોમ કંપનીઓ આગામી માર્ચ સુધીમાં ટેરિફને 10 ટકા સુધી વધારી શકે છે, તેની પાછળ આ કંપનીઓના રેવન્યુ અને માર્જિન પર વધી રહેલું પ્રેસર પણ મોટું કારણ છે. દેશની ત્રણ મોટી ટેલિકોમ કંપનીઓના સપ્ટેમ્બર ત્રિમાસિકમાં એવરેજ રેવન્યુ પ્રતિ યૂઝર (ARPU)માં સામાન્ય વૃધ્ધી થઈ છે.  



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.