કોલ ડ્રોપ અને ઈન્ટરનેટ સર્વિસને લઈ ટેલિકોમ કંપનીઓને સરકારની ફટકાર


  • Published By :
  • Published Date : 2022-12-27 18:47:26

દેશમાં 5G નેટવર્ક લોન્ચ થવા છતાં પણ કોલ ડ્રોપ જેવી સમસ્યાઓથી મોબાઈલ સબ્સક્રાઈબર્સ પરેશાન છે. વધતા જતા કોલ ડ્રોપીંગની સમસ્યાને લઈ સરકારે આવતી કાલે ટેલિકોમ ઓપરેટર કંપનીઓની તાકીદની બેઠક બોલાવી છે. સરકારના હાલમાં સતત કોલ ડ્રોપ ઉપરાંત ઇન્ટરનેટની સ્પીડ ધીમી પડવાની કે અચાનક જ ઇન્ટરનેટ સેવા ખોરવાઈ જવાની અનેક ફરિયાદો મળી છે અને તેના પર હવે સરકાર ટેલિકોમ કંપનીઓને સીધા જવાબદાર ગણાવીને આકરા પગલા લે તેવા સંકેત છે. ટેલિકોમ ડિપોર્ટમેન્ટની સાથે જ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈંડિયા (TRAI) પણ સર્વિસ ક્વોલિટીને લઈને ચિંતિત છે.  


કંપનીઓની મનમાની રોકવા તાકિદ


મોબાઈલ ફોન સેવાઓમાં એક તરફ 5-જી ટેકનોલોજીના આગમન માટે ચર્ચા થઇ રહી છે અને લોકોને ટેલિકોમ કંપનીઓ વધુ ઝડપી કોલ તથા ડેટા સર્વિસ પૂરા પાડવાની ખાતરી આપે છે તે વચ્ચે લાંબા સમયથી સરકારી પોર્ટલ પર અને અન્ય રીતે કોલ ડ્રોપીંગની ફરિયાદો વધી છે. ટેલિકોમ કંપનીઓને તેના નેટવર્ક માટે પૂરતા ટાવર ફાળવવા તેમજ ડેટા સર્વિસ માટે યોગ્ય સેન્ટર ઉભા કરવા અનેક વખત તાકીદ કરી છે. પરંતુ આ અંગે કોઇ સેવાઓમાં સુધારો ન જણાતા આવતીકાલે ટેલિકોમ કંપનીઓને જવાબ આપવા સરકારે અગાઉ જણાવ્યું હતું અને ખાસ કરીને 5-જી સેવાના આગમન સાથે 4-જી કે અન્ય સેવાઓ ખોરવાય નહીં કે તે સેવાના ભોગે ટેલિકોમ કંપનીઓને ગ્રાહકોને 5-જી સેવા ફરજ ન પાડે તે જોવા પણ સરકાર માગે છે. 


ટેલિકોમ સચિવની અધ્યક્ષતામાં બેઠક


કોલ ડ્રોપની સમસ્યા મુદ્દે યોજાનારી બેઠકમાં ટેલિકોમ સચિવની અધ્યક્ષતામાં ચર્ચા યોજાશે. જો કે ટેલિકોમ સર્કલ્સ પ્રમાણે ટેલિકોમ સર્વિસની ક્વોલિટી (QoS)ની તપાસ કરવામાં આવી રહી છે. આ બેઠકમાં વિવિધ ટેલિકોમ કંપનીઓના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. દેશમાં અંદાજે 1 અબજથી વધુ મોબાઈલ ગ્રાહકો છે અને હવે ફક્ત કોલીંગ જ નહીં પરંતુ અનેક પ્રકારની બેંકીંગ સહિતની સરકારી સેવાઓમાં પણ મોબાઈલના ડેટા સહિતની કામગીરી મહત્વની બની છે તે સમયે આ પ્રકારની ફરિયાદો સામે સરકારે આકરા પગલાની તૈયારી કરી છે.


સર્વિસની ગુણવત્તા સુધારવા દબાણ 


કેન્દ્ર સરકાર દ્વારા ટેલિકોમ કંપનીઓ પર સર્વિસીસની ક્વોલિટીને સુધારવા માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું છે. ટેલિકોમ કંપનીઓના સંગઠન સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (COAI)નું કહેવું છે કે દેશમાં એક અબજથી વધુ મોબાઈલ યુઝર્સ માટે નેટવર્કના પ્રદર્શનમાં સુધારો કરવા માટે મુડીરોકાણ કરવામાં આવી રહ્યું છે. ટેલિકોમ કંપનીઓ આગામી માર્ચ સુધીમાં ટેરિફને 10 ટકા સુધી વધારી શકે છે, તેની પાછળ આ કંપનીઓના રેવન્યુ અને માર્જિન પર વધી રહેલું પ્રેસર પણ મોટું કારણ છે. દેશની ત્રણ મોટી ટેલિકોમ કંપનીઓના સપ્ટેમ્બર ત્રિમાસિકમાં એવરેજ રેવન્યુ પ્રતિ યૂઝર (ARPU)માં સામાન્ય વૃધ્ધી થઈ છે.  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.