કોલ ડ્રોપ અને ઈન્ટરનેટ સર્વિસને લઈ ટેલિકોમ કંપનીઓને સરકારની ફટકાર


  • Published By :
  • Published Date : 2022-12-27 18:47:26

દેશમાં 5G નેટવર્ક લોન્ચ થવા છતાં પણ કોલ ડ્રોપ જેવી સમસ્યાઓથી મોબાઈલ સબ્સક્રાઈબર્સ પરેશાન છે. વધતા જતા કોલ ડ્રોપીંગની સમસ્યાને લઈ સરકારે આવતી કાલે ટેલિકોમ ઓપરેટર કંપનીઓની તાકીદની બેઠક બોલાવી છે. સરકારના હાલમાં સતત કોલ ડ્રોપ ઉપરાંત ઇન્ટરનેટની સ્પીડ ધીમી પડવાની કે અચાનક જ ઇન્ટરનેટ સેવા ખોરવાઈ જવાની અનેક ફરિયાદો મળી છે અને તેના પર હવે સરકાર ટેલિકોમ કંપનીઓને સીધા જવાબદાર ગણાવીને આકરા પગલા લે તેવા સંકેત છે. ટેલિકોમ ડિપોર્ટમેન્ટની સાથે જ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈંડિયા (TRAI) પણ સર્વિસ ક્વોલિટીને લઈને ચિંતિત છે.  


કંપનીઓની મનમાની રોકવા તાકિદ


મોબાઈલ ફોન સેવાઓમાં એક તરફ 5-જી ટેકનોલોજીના આગમન માટે ચર્ચા થઇ રહી છે અને લોકોને ટેલિકોમ કંપનીઓ વધુ ઝડપી કોલ તથા ડેટા સર્વિસ પૂરા પાડવાની ખાતરી આપે છે તે વચ્ચે લાંબા સમયથી સરકારી પોર્ટલ પર અને અન્ય રીતે કોલ ડ્રોપીંગની ફરિયાદો વધી છે. ટેલિકોમ કંપનીઓને તેના નેટવર્ક માટે પૂરતા ટાવર ફાળવવા તેમજ ડેટા સર્વિસ માટે યોગ્ય સેન્ટર ઉભા કરવા અનેક વખત તાકીદ કરી છે. પરંતુ આ અંગે કોઇ સેવાઓમાં સુધારો ન જણાતા આવતીકાલે ટેલિકોમ કંપનીઓને જવાબ આપવા સરકારે અગાઉ જણાવ્યું હતું અને ખાસ કરીને 5-જી સેવાના આગમન સાથે 4-જી કે અન્ય સેવાઓ ખોરવાય નહીં કે તે સેવાના ભોગે ટેલિકોમ કંપનીઓને ગ્રાહકોને 5-જી સેવા ફરજ ન પાડે તે જોવા પણ સરકાર માગે છે. 


ટેલિકોમ સચિવની અધ્યક્ષતામાં બેઠક


કોલ ડ્રોપની સમસ્યા મુદ્દે યોજાનારી બેઠકમાં ટેલિકોમ સચિવની અધ્યક્ષતામાં ચર્ચા યોજાશે. જો કે ટેલિકોમ સર્કલ્સ પ્રમાણે ટેલિકોમ સર્વિસની ક્વોલિટી (QoS)ની તપાસ કરવામાં આવી રહી છે. આ બેઠકમાં વિવિધ ટેલિકોમ કંપનીઓના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. દેશમાં અંદાજે 1 અબજથી વધુ મોબાઈલ ગ્રાહકો છે અને હવે ફક્ત કોલીંગ જ નહીં પરંતુ અનેક પ્રકારની બેંકીંગ સહિતની સરકારી સેવાઓમાં પણ મોબાઈલના ડેટા સહિતની કામગીરી મહત્વની બની છે તે સમયે આ પ્રકારની ફરિયાદો સામે સરકારે આકરા પગલાની તૈયારી કરી છે.


સર્વિસની ગુણવત્તા સુધારવા દબાણ 


કેન્દ્ર સરકાર દ્વારા ટેલિકોમ કંપનીઓ પર સર્વિસીસની ક્વોલિટીને સુધારવા માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું છે. ટેલિકોમ કંપનીઓના સંગઠન સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (COAI)નું કહેવું છે કે દેશમાં એક અબજથી વધુ મોબાઈલ યુઝર્સ માટે નેટવર્કના પ્રદર્શનમાં સુધારો કરવા માટે મુડીરોકાણ કરવામાં આવી રહ્યું છે. ટેલિકોમ કંપનીઓ આગામી માર્ચ સુધીમાં ટેરિફને 10 ટકા સુધી વધારી શકે છે, તેની પાછળ આ કંપનીઓના રેવન્યુ અને માર્જિન પર વધી રહેલું પ્રેસર પણ મોટું કારણ છે. દેશની ત્રણ મોટી ટેલિકોમ કંપનીઓના સપ્ટેમ્બર ત્રિમાસિકમાં એવરેજ રેવન્યુ પ્રતિ યૂઝર (ARPU)માં સામાન્ય વૃધ્ધી થઈ છે.  



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.