Electionના દિવસે વધ્યો તાપમાનનો પારો? જાણો હિટવેવને લઈ શું હવામાન વિભાગે કરી છે આગાહી, ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2024-05-07 10:28:25

ગુજરાતમાં એક તરફ મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે તો બીજી તરફ રાજ્યના હવામાનમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. અનેક જગ્યાઓ માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.. આકરી ગરમીની સંભાવનાઓ વચ્ચે મતદાતાઓ સવારથી મતદાન કરવા પહોંચી રહ્યા છે.. રાજ્યના અનેક ભાગોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની આસપાસ પહોંચી ગયો છે અને અનેક ભાગોમાં તાપમાનનો પારો હજી પણ વધી શકે છે તેવી વાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. આજે તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી શકે છે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે...


અનેક ભાગો માટે કરવામાં આવી હિટવેવની આગાહી

ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.. એપ્રિલ મહિનો જ એટલો આકરો રહ્યો હતો કે લોકોને મનમાં પ્રશ્ન થતો હતો કે જૂન મહિનામાં આ ગરમી શું હાલત કરશે... તાપમાનનો પારો સતત વધી રહ્યો હતો. હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહી કરવામાં આવી છે...હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આગામી ત્રણ દિવસ કચ્છ, સૌરાષ્ટ્રના અનેક ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.. તે ઉપરાંત સુરત, ભાવનગર, પોરદંબર, દિવ તેમજ કચ્છના અનેક ભાગો માટે હિટ વેવની આગાહી કરવામાં આવી છે... 


ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા અનુસાર સોમવારે અમદાવાદમાં 41.2 ડિગ્રી, ડીસામાં 39.2 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 4.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.. સુરતનું તાપમાન 37.0, વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 39.7 જ્યારે વલસાડનું તાપમાન 37.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. દમણનું તાપમાન 34.0 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 38.6  ડિગ્રી નોંધાયું હતું. નલિયાનું તાપમાન 34.2 ડિગ્રી નોંધાયું હતું. લોકોને ગરમીનો પ્રકોપ સહન કરવો પડી રહ્યો છે.. ગરમીથી બિમાર ના પડાય તેનું ધ્યાન રાખવું જોઈએ. વધારે પાણી પીવું જોઈએ.. કામ વગર ઘરની બહાર જવાનું ટાળવું જોઈએ..     



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે