Electionના દિવસે વધ્યો તાપમાનનો પારો? જાણો હિટવેવને લઈ શું હવામાન વિભાગે કરી છે આગાહી, ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-07 10:28:25

ગુજરાતમાં એક તરફ મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે તો બીજી તરફ રાજ્યના હવામાનમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. અનેક જગ્યાઓ માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.. આકરી ગરમીની સંભાવનાઓ વચ્ચે મતદાતાઓ સવારથી મતદાન કરવા પહોંચી રહ્યા છે.. રાજ્યના અનેક ભાગોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની આસપાસ પહોંચી ગયો છે અને અનેક ભાગોમાં તાપમાનનો પારો હજી પણ વધી શકે છે તેવી વાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. આજે તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી શકે છે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે...


અનેક ભાગો માટે કરવામાં આવી હિટવેવની આગાહી

ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.. એપ્રિલ મહિનો જ એટલો આકરો રહ્યો હતો કે લોકોને મનમાં પ્રશ્ન થતો હતો કે જૂન મહિનામાં આ ગરમી શું હાલત કરશે... તાપમાનનો પારો સતત વધી રહ્યો હતો. હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહી કરવામાં આવી છે...હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આગામી ત્રણ દિવસ કચ્છ, સૌરાષ્ટ્રના અનેક ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.. તે ઉપરાંત સુરત, ભાવનગર, પોરદંબર, દિવ તેમજ કચ્છના અનેક ભાગો માટે હિટ વેવની આગાહી કરવામાં આવી છે... 


ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા અનુસાર સોમવારે અમદાવાદમાં 41.2 ડિગ્રી, ડીસામાં 39.2 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 4.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.. સુરતનું તાપમાન 37.0, વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 39.7 જ્યારે વલસાડનું તાપમાન 37.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. દમણનું તાપમાન 34.0 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 38.6  ડિગ્રી નોંધાયું હતું. નલિયાનું તાપમાન 34.2 ડિગ્રી નોંધાયું હતું. લોકોને ગરમીનો પ્રકોપ સહન કરવો પડી રહ્યો છે.. ગરમીથી બિમાર ના પડાય તેનું ધ્યાન રાખવું જોઈએ. વધારે પાણી પીવું જોઈએ.. કામ વગર ઘરની બહાર જવાનું ટાળવું જોઈએ..     



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે