Electionના દિવસે વધ્યો તાપમાનનો પારો? જાણો હિટવેવને લઈ શું હવામાન વિભાગે કરી છે આગાહી, ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2024-05-07 10:28:25

ગુજરાતમાં એક તરફ મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે તો બીજી તરફ રાજ્યના હવામાનમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. અનેક જગ્યાઓ માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.. આકરી ગરમીની સંભાવનાઓ વચ્ચે મતદાતાઓ સવારથી મતદાન કરવા પહોંચી રહ્યા છે.. રાજ્યના અનેક ભાગોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની આસપાસ પહોંચી ગયો છે અને અનેક ભાગોમાં તાપમાનનો પારો હજી પણ વધી શકે છે તેવી વાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. આજે તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી શકે છે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે...


અનેક ભાગો માટે કરવામાં આવી હિટવેવની આગાહી

ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.. એપ્રિલ મહિનો જ એટલો આકરો રહ્યો હતો કે લોકોને મનમાં પ્રશ્ન થતો હતો કે જૂન મહિનામાં આ ગરમી શું હાલત કરશે... તાપમાનનો પારો સતત વધી રહ્યો હતો. હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહી કરવામાં આવી છે...હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આગામી ત્રણ દિવસ કચ્છ, સૌરાષ્ટ્રના અનેક ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.. તે ઉપરાંત સુરત, ભાવનગર, પોરદંબર, દિવ તેમજ કચ્છના અનેક ભાગો માટે હિટ વેવની આગાહી કરવામાં આવી છે... 


ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા અનુસાર સોમવારે અમદાવાદમાં 41.2 ડિગ્રી, ડીસામાં 39.2 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 4.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.. સુરતનું તાપમાન 37.0, વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 39.7 જ્યારે વલસાડનું તાપમાન 37.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. દમણનું તાપમાન 34.0 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 38.6  ડિગ્રી નોંધાયું હતું. નલિયાનું તાપમાન 34.2 ડિગ્રી નોંધાયું હતું. લોકોને ગરમીનો પ્રકોપ સહન કરવો પડી રહ્યો છે.. ગરમીથી બિમાર ના પડાય તેનું ધ્યાન રાખવું જોઈએ. વધારે પાણી પીવું જોઈએ.. કામ વગર ઘરની બહાર જવાનું ટાળવું જોઈએ..     



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.