ઉત્તર ભારતમાં ઠંડીનું જોર વધતા ગુજરાતમાં ગગડી શકે છે તાપમાનનો પારો


  • Published By :
  • Published Date : 2022-11-13 16:01:09

ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે. ત્યારે હવામાન વિભાગે ઠંડીને લઈ આગાહી કરી છે. આગાહી પ્રમાણે ડિસેમ્બર તેમજ જાન્યુઆરીમાં કડકડતી ઠંડીનો અનુભવ થશે. તાપમાનનો પારો પણ ગગડી શકે છે. હાલ બેવડી ઋતુનો અનુભવ થાય છે. વહેલી સવારે તેમજ મોડી રાત્રે ઠંડીનો અહેસાસ થાય છે જ્યારે બપોરના સમયે ગરમીનો અહેસાસ થાય છે. 

ગુજરાતમાં હવે ઠંડી કેવી રહેશે? આગામી દિવસોમાં કેટલું ઘટશે તાપમાન? હવામાન  વિભાગે કરી આગાહી - Samacharwala

ઉત્તરથી વહેતો પવન વધારશે ગુજરાતમાં ઠંડી 

ઉત્તરભારતમાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ઠંડો ઠંડો પવન ફૂંકાય છે. ઉત્તર તરફથી પવન ગુજરાત તરફ આવી રહ્યો છે. ઠંડો ઠંડો પવન આવવાને કારણે તાપમાન ગગડે છે. ગુજરાતમાં અત્યારે ઉત્તર ભારતથી પવન આવી રહ્યો છે. એક તરફ ગરમી પણ લાગે છે અને થોડા સમય માટે ઠંડીનો અહેસાસ પણ થાય છે. હવામાન વિભાગે આગાહી કરી છે આગામી 3 થી 4 દિવસ તાપમાન આવું જ રહેશે પરંતુ તે બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી શકે છે. નવેમ્બર મહિનામાં તાપમાન સામાન્ય રહેશે. ઉપરાંત 15 નવેમ્બરથી ધીમે ધીમે ઠંડીનું જોર વધશે અને ડિસેમ્બર તેમજ જાન્યુઆરીમાં ઠંડીનો અનુભવ થશે. ગુજરાતના કચ્છ, કંડલા તેમજ નલિયામાં ઠંડીની અસર સૌથી વધારે જોવા મળશે. સામાન્ય રીતે પણ દર શિયાળામાં ત્યાંનું તાપમાન સૌથી ઓછું નોંધાતું હોય છે.     




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે