ઉત્તર ભારતમાં ઠંડીનું જોર વધતા ગુજરાતમાં ગગડી શકે છે તાપમાનનો પારો


  • Published By :
  • Published Date : 2022-11-13 16:01:09

ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે. ત્યારે હવામાન વિભાગે ઠંડીને લઈ આગાહી કરી છે. આગાહી પ્રમાણે ડિસેમ્બર તેમજ જાન્યુઆરીમાં કડકડતી ઠંડીનો અનુભવ થશે. તાપમાનનો પારો પણ ગગડી શકે છે. હાલ બેવડી ઋતુનો અનુભવ થાય છે. વહેલી સવારે તેમજ મોડી રાત્રે ઠંડીનો અહેસાસ થાય છે જ્યારે બપોરના સમયે ગરમીનો અહેસાસ થાય છે. 

ગુજરાતમાં હવે ઠંડી કેવી રહેશે? આગામી દિવસોમાં કેટલું ઘટશે તાપમાન? હવામાન  વિભાગે કરી આગાહી - Samacharwala

ઉત્તરથી વહેતો પવન વધારશે ગુજરાતમાં ઠંડી 

ઉત્તરભારતમાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ઠંડો ઠંડો પવન ફૂંકાય છે. ઉત્તર તરફથી પવન ગુજરાત તરફ આવી રહ્યો છે. ઠંડો ઠંડો પવન આવવાને કારણે તાપમાન ગગડે છે. ગુજરાતમાં અત્યારે ઉત્તર ભારતથી પવન આવી રહ્યો છે. એક તરફ ગરમી પણ લાગે છે અને થોડા સમય માટે ઠંડીનો અહેસાસ પણ થાય છે. હવામાન વિભાગે આગાહી કરી છે આગામી 3 થી 4 દિવસ તાપમાન આવું જ રહેશે પરંતુ તે બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી શકે છે. નવેમ્બર મહિનામાં તાપમાન સામાન્ય રહેશે. ઉપરાંત 15 નવેમ્બરથી ધીમે ધીમે ઠંડીનું જોર વધશે અને ડિસેમ્બર તેમજ જાન્યુઆરીમાં ઠંડીનો અનુભવ થશે. ગુજરાતના કચ્છ, કંડલા તેમજ નલિયામાં ઠંડીની અસર સૌથી વધારે જોવા મળશે. સામાન્ય રીતે પણ દર શિયાળામાં ત્યાંનું તાપમાન સૌથી ઓછું નોંધાતું હોય છે.     




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.