ઉત્તર ભારતમાં ઠંડીનું જોર વધતા ગુજરાતમાં ગગડી શકે છે તાપમાનનો પારો


  • Published By :
  • Published Date : 2022-11-13 16:01:09

ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે. ત્યારે હવામાન વિભાગે ઠંડીને લઈ આગાહી કરી છે. આગાહી પ્રમાણે ડિસેમ્બર તેમજ જાન્યુઆરીમાં કડકડતી ઠંડીનો અનુભવ થશે. તાપમાનનો પારો પણ ગગડી શકે છે. હાલ બેવડી ઋતુનો અનુભવ થાય છે. વહેલી સવારે તેમજ મોડી રાત્રે ઠંડીનો અહેસાસ થાય છે જ્યારે બપોરના સમયે ગરમીનો અહેસાસ થાય છે. 

ગુજરાતમાં હવે ઠંડી કેવી રહેશે? આગામી દિવસોમાં કેટલું ઘટશે તાપમાન? હવામાન  વિભાગે કરી આગાહી - Samacharwala

ઉત્તરથી વહેતો પવન વધારશે ગુજરાતમાં ઠંડી 

ઉત્તરભારતમાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ઠંડો ઠંડો પવન ફૂંકાય છે. ઉત્તર તરફથી પવન ગુજરાત તરફ આવી રહ્યો છે. ઠંડો ઠંડો પવન આવવાને કારણે તાપમાન ગગડે છે. ગુજરાતમાં અત્યારે ઉત્તર ભારતથી પવન આવી રહ્યો છે. એક તરફ ગરમી પણ લાગે છે અને થોડા સમય માટે ઠંડીનો અહેસાસ પણ થાય છે. હવામાન વિભાગે આગાહી કરી છે આગામી 3 થી 4 દિવસ તાપમાન આવું જ રહેશે પરંતુ તે બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી શકે છે. નવેમ્બર મહિનામાં તાપમાન સામાન્ય રહેશે. ઉપરાંત 15 નવેમ્બરથી ધીમે ધીમે ઠંડીનું જોર વધશે અને ડિસેમ્બર તેમજ જાન્યુઆરીમાં ઠંડીનો અનુભવ થશે. ગુજરાતના કચ્છ, કંડલા તેમજ નલિયામાં ઠંડીની અસર સૌથી વધારે જોવા મળશે. સામાન્ય રીતે પણ દર શિયાળામાં ત્યાંનું તાપમાન સૌથી ઓછું નોંધાતું હોય છે.     




સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"