ઉત્તર ભારતમાં ઠંડીનું જોર વધતા ગુજરાતમાં ગગડી શકે છે તાપમાનનો પારો


  • Published By :
  • Published Date : 2022-11-13 16:01:09

ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે. ત્યારે હવામાન વિભાગે ઠંડીને લઈ આગાહી કરી છે. આગાહી પ્રમાણે ડિસેમ્બર તેમજ જાન્યુઆરીમાં કડકડતી ઠંડીનો અનુભવ થશે. તાપમાનનો પારો પણ ગગડી શકે છે. હાલ બેવડી ઋતુનો અનુભવ થાય છે. વહેલી સવારે તેમજ મોડી રાત્રે ઠંડીનો અહેસાસ થાય છે જ્યારે બપોરના સમયે ગરમીનો અહેસાસ થાય છે. 

ગુજરાતમાં હવે ઠંડી કેવી રહેશે? આગામી દિવસોમાં કેટલું ઘટશે તાપમાન? હવામાન  વિભાગે કરી આગાહી - Samacharwala

ઉત્તરથી વહેતો પવન વધારશે ગુજરાતમાં ઠંડી 

ઉત્તરભારતમાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ઠંડો ઠંડો પવન ફૂંકાય છે. ઉત્તર તરફથી પવન ગુજરાત તરફ આવી રહ્યો છે. ઠંડો ઠંડો પવન આવવાને કારણે તાપમાન ગગડે છે. ગુજરાતમાં અત્યારે ઉત્તર ભારતથી પવન આવી રહ્યો છે. એક તરફ ગરમી પણ લાગે છે અને થોડા સમય માટે ઠંડીનો અહેસાસ પણ થાય છે. હવામાન વિભાગે આગાહી કરી છે આગામી 3 થી 4 દિવસ તાપમાન આવું જ રહેશે પરંતુ તે બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી શકે છે. નવેમ્બર મહિનામાં તાપમાન સામાન્ય રહેશે. ઉપરાંત 15 નવેમ્બરથી ધીમે ધીમે ઠંડીનું જોર વધશે અને ડિસેમ્બર તેમજ જાન્યુઆરીમાં ઠંડીનો અનુભવ થશે. ગુજરાતના કચ્છ, કંડલા તેમજ નલિયામાં ઠંડીની અસર સૌથી વધારે જોવા મળશે. સામાન્ય રીતે પણ દર શિયાળામાં ત્યાંનું તાપમાન સૌથી ઓછું નોંધાતું હોય છે.     




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.