દસ વર્ષ પહેલા અમેરિકાએ અને હવે રશિયાએ કર્યુ મહાત્ત્મા ગાંધીનુ અપમાન


  • Published By :
  • Published Date : 2025-02-14 17:04:53

હાલ સોશિયલ મીડિયા પર અમુક ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે કે જેમાં બિયરની બોટલ પર ગાંધીજીનું નામ અને ફોટા છાપેલા છે. આ બિયર બનાવતી એક રશિયન કંપની છે, કંપનીનુ નામ છે રિવોર્ટ બ્રુઅરી. જોકે, આ પહેલી વહેલી વાર બન્યુ છે એવુ નથી. લગભગ દસેક વર્ષ પહેલા આવુ જ કૃત્ય અમેરિકાની એક કંપની દ્વારા કરવામાં આવ્યુ હતું. ત્યારે પણ બિયરની બોટલ પર ગાંધીજીનું સ્કેચ અને બિયર કંપનીનું નામ પણ ગાંધી બોટ રાખવામાં આવ્યુ હતું. અને હવે આ હરકત ફરીથી દોહરાવવામાં આવી છે. આવામાં સવાલ એ થાય કે આ માર્કેટીંગ કરવાની તેમની ઘીનૌની રીત છે કે પછી સીધે સીધુ ભારતનાં લોકોને ઠેસ પહોંચાડવાનું અને અપમાન કરવાનું કાર્ય થઈ રહ્યુ છે. દસ વર્ષ પહેલા જ્યારે આ બન્યુ ત્યારે હૈદરાબાદનાં એક વકીલ દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી

અને હાલ ઓરિસ્સાનાં એક સમાજસેવક સુપર્ણો સત્પથીએ x પર ટ્વીટ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ બિયર બ્રાન્ડ પર પગલા લેવા કહ્યુ છે.

તેમજ ઘણા બધા ભારતીયોએ આ અંગે રોષ દાખવ્યો છે.



ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.