દસ વર્ષ પહેલા અમેરિકાએ અને હવે રશિયાએ કર્યુ મહાત્ત્મા ગાંધીનુ અપમાન


  • Published By :
  • Published Date : 2025-02-14 17:04:53

હાલ સોશિયલ મીડિયા પર અમુક ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે કે જેમાં બિયરની બોટલ પર ગાંધીજીનું નામ અને ફોટા છાપેલા છે. આ બિયર બનાવતી એક રશિયન કંપની છે, કંપનીનુ નામ છે રિવોર્ટ બ્રુઅરી. જોકે, આ પહેલી વહેલી વાર બન્યુ છે એવુ નથી. લગભગ દસેક વર્ષ પહેલા આવુ જ કૃત્ય અમેરિકાની એક કંપની દ્વારા કરવામાં આવ્યુ હતું. ત્યારે પણ બિયરની બોટલ પર ગાંધીજીનું સ્કેચ અને બિયર કંપનીનું નામ પણ ગાંધી બોટ રાખવામાં આવ્યુ હતું. અને હવે આ હરકત ફરીથી દોહરાવવામાં આવી છે. આવામાં સવાલ એ થાય કે આ માર્કેટીંગ કરવાની તેમની ઘીનૌની રીત છે કે પછી સીધે સીધુ ભારતનાં લોકોને ઠેસ પહોંચાડવાનું અને અપમાન કરવાનું કાર્ય થઈ રહ્યુ છે. દસ વર્ષ પહેલા જ્યારે આ બન્યુ ત્યારે હૈદરાબાદનાં એક વકીલ દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી

અને હાલ ઓરિસ્સાનાં એક સમાજસેવક સુપર્ણો સત્પથીએ x પર ટ્વીટ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ બિયર બ્રાન્ડ પર પગલા લેવા કહ્યુ છે.

તેમજ ઘણા બધા ભારતીયોએ આ અંગે રોષ દાખવ્યો છે.



એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.