દસ વર્ષ પહેલા અમેરિકાએ અને હવે રશિયાએ કર્યુ મહાત્ત્મા ગાંધીનુ અપમાન


  • Published By :
  • Published Date : 2025-02-14 17:04:53

હાલ સોશિયલ મીડિયા પર અમુક ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે કે જેમાં બિયરની બોટલ પર ગાંધીજીનું નામ અને ફોટા છાપેલા છે. આ બિયર બનાવતી એક રશિયન કંપની છે, કંપનીનુ નામ છે રિવોર્ટ બ્રુઅરી. જોકે, આ પહેલી વહેલી વાર બન્યુ છે એવુ નથી. લગભગ દસેક વર્ષ પહેલા આવુ જ કૃત્ય અમેરિકાની એક કંપની દ્વારા કરવામાં આવ્યુ હતું. ત્યારે પણ બિયરની બોટલ પર ગાંધીજીનું સ્કેચ અને બિયર કંપનીનું નામ પણ ગાંધી બોટ રાખવામાં આવ્યુ હતું. અને હવે આ હરકત ફરીથી દોહરાવવામાં આવી છે. આવામાં સવાલ એ થાય કે આ માર્કેટીંગ કરવાની તેમની ઘીનૌની રીત છે કે પછી સીધે સીધુ ભારતનાં લોકોને ઠેસ પહોંચાડવાનું અને અપમાન કરવાનું કાર્ય થઈ રહ્યુ છે. દસ વર્ષ પહેલા જ્યારે આ બન્યુ ત્યારે હૈદરાબાદનાં એક વકીલ દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી

અને હાલ ઓરિસ્સાનાં એક સમાજસેવક સુપર્ણો સત્પથીએ x પર ટ્વીટ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ બિયર બ્રાન્ડ પર પગલા લેવા કહ્યુ છે.

તેમજ ઘણા બધા ભારતીયોએ આ અંગે રોષ દાખવ્યો છે.



વિશ્વ યુદ્ધના ભયંકર સંકટ વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. અનેક માણસો જે શિપ પર પોતાના કામ માટે સવાર થઈને નીકળ્યા હતા એમના મૃત્યુના સમાચાર છે. સનકી નેતાઓનું દુનિયાભરમાં ફેલાતુ શાસન માણસ જાતના અસ્તિત્વ સામે પડકાર બનીને ઉભુ છે. ગુજરાત જેવુ વૈશ્વિક રાજ્ય આની અસરથી બાકાત નથી. સામાન્ય માણસ જેની પાસે ગેસનું પાઈપ કનેક્શન નથી એ તો એજન્સીને કોલ કરીને બુક કરેલો ગેસનો બાટલો નથી મળતો તો એની લાઈનમાં લાગે છે. મોરબીથી માંડીને મહેસાણાના કારખાના બંધ છે. અનેક એક્સપોર્ટ ઉદ્યોગને અસર થઈ છે. ટુંકમાં મુદ્દા પર આવુ તો ચિંતા કરવા માટે, ચર્ચા કરવા માટે અનેક વિષયો છે.. પણ આપણે ધ ગ્રેટ ગુજરાતી સમાજો… આપણી ચર્ચાનો મુખ્ય મુદ્દો શું છે? છોકરીએ લગ્ન ક્યાં કરવા તે.

ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીષા પટેલ પર હુમલો થયો હતો જેના કારણે , ત્યાંના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. આ પછી ગોંડલની પોલીસ દ્વારા જિગીષા પટેલ પર હુમલો કરનાર બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે . આ ઉપરાંત , પોલીસ દ્વારા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.