દસ વર્ષ પહેલા અમેરિકાએ અને હવે રશિયાએ કર્યુ મહાત્ત્મા ગાંધીનુ અપમાન


  • Published By :
  • Published Date : 2025-02-14 17:04:53

હાલ સોશિયલ મીડિયા પર અમુક ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે કે જેમાં બિયરની બોટલ પર ગાંધીજીનું નામ અને ફોટા છાપેલા છે. આ બિયર બનાવતી એક રશિયન કંપની છે, કંપનીનુ નામ છે રિવોર્ટ બ્રુઅરી. જોકે, આ પહેલી વહેલી વાર બન્યુ છે એવુ નથી. લગભગ દસેક વર્ષ પહેલા આવુ જ કૃત્ય અમેરિકાની એક કંપની દ્વારા કરવામાં આવ્યુ હતું. ત્યારે પણ બિયરની બોટલ પર ગાંધીજીનું સ્કેચ અને બિયર કંપનીનું નામ પણ ગાંધી બોટ રાખવામાં આવ્યુ હતું. અને હવે આ હરકત ફરીથી દોહરાવવામાં આવી છે. આવામાં સવાલ એ થાય કે આ માર્કેટીંગ કરવાની તેમની ઘીનૌની રીત છે કે પછી સીધે સીધુ ભારતનાં લોકોને ઠેસ પહોંચાડવાનું અને અપમાન કરવાનું કાર્ય થઈ રહ્યુ છે. દસ વર્ષ પહેલા જ્યારે આ બન્યુ ત્યારે હૈદરાબાદનાં એક વકીલ દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી

અને હાલ ઓરિસ્સાનાં એક સમાજસેવક સુપર્ણો સત્પથીએ x પર ટ્વીટ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ બિયર બ્રાન્ડ પર પગલા લેવા કહ્યુ છે.

તેમજ ઘણા બધા ભારતીયોએ આ અંગે રોષ દાખવ્યો છે.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .