25 તારીખ સુધી ગુજરાતમાં પડશે ભયંકર ગરમી? આ જિલ્લાઓ માટે કરાઈ ઓરેન્જ એલર્ટની આગાહી, જાણો તમારો વિસ્તાર તો નથીને?


  • Published By :
  • Published Date : 2024-05-20 16:13:31

ગુજરાત જાણે અગનભઠ્ઠામાં ફેરવાઈ ગયું હોય તેવું લાગે છે.. ગરમીનું તાપમાન પ્રતિદિન વધી રહ્યું છે જેને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.. ગરમી ક્યારે ઓછી થાય તેની રાહ જોઈ રહ્યા છે. 17 તારીખ બાદ ગરમીનો માર વધારે સહન કરવો પડશે તેવી આગાહી કરાઈ હતી અને તેવો જ અનુભવ હમણાં થઈ રહ્યો છે.. અનેક શહેરો માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા અનેક શહેરો માટે ઓરેન્જ તેમજ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

5 days red alert forecast in Ahmedabad the system made this special appeal to the people Red Alert in Ahmedabad: અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ

હવામાન વિભાગે વિવિધ શહેરો માટે એલર્ટ જાહેર કર્યું

રાજ્યના અનેક ભાગોનું તાપમાન 44 ડિગ્રી આસપાસ નોંધાયું છે.. બપોરના સમયે તો ગરમી મહેસૂસ થાય છે પરંતુ રાત્રીના સમયે પણ ગરમી પીછો નથી છોડતી.. વરસાદ આ વખતે જલ્દી આવશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા લગાવવામાં આવ્યું છે. ચોમાસાની આતુરતા પૂર્વક લોકો રાહ જોઈ રહ્યા છે પરંતુ આ બધા વચ્ચે ગરમીનો પારો સતત વધી રહ્યો છે.. વિવિધ શહેરો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે હવામાન વિભાગ દ્વારા.. 


આ શહેરો માટે જાહેર કરાયું ઓરેન્જ એલર્ટ! 

હવામાન વિભાગે આગાહી કરી છે આગામી દિવસોમાં તાપમાનનો પારો હજી વધી શકે છે.. 45 ડિગ્રીને પાર તો અનેક શહેરોનું તાપમાન પહોંચી ગયું છે. આગામી પાંચ દિવસની આગાહી કરતા હવામાન વિભાગે બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ,ખેડા, સુરેન્દ્રનગર, ભાવનગર, સુરત, વલસાડ, જૂનાગઢ, પોરબંદર માટે ઓરેન્જ એલર્ટની આગાહી કરી છે જ્યારે પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અમરેલી માટે યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે.. મહત્વનું છે કે આવા એલર્ટ આપી લોકોને હવામાન વિભાગ તાપમાનને લઈ ચેતવણી આપે છે..



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.