25 તારીખ સુધી ગુજરાતમાં પડશે ભયંકર ગરમી? આ જિલ્લાઓ માટે કરાઈ ઓરેન્જ એલર્ટની આગાહી, જાણો તમારો વિસ્તાર તો નથીને?


  • Published By :
  • Published Date : 2024-05-20 16:13:31

ગુજરાત જાણે અગનભઠ્ઠામાં ફેરવાઈ ગયું હોય તેવું લાગે છે.. ગરમીનું તાપમાન પ્રતિદિન વધી રહ્યું છે જેને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.. ગરમી ક્યારે ઓછી થાય તેની રાહ જોઈ રહ્યા છે. 17 તારીખ બાદ ગરમીનો માર વધારે સહન કરવો પડશે તેવી આગાહી કરાઈ હતી અને તેવો જ અનુભવ હમણાં થઈ રહ્યો છે.. અનેક શહેરો માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા અનેક શહેરો માટે ઓરેન્જ તેમજ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

5 days red alert forecast in Ahmedabad the system made this special appeal to the people Red Alert in Ahmedabad: અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ

હવામાન વિભાગે વિવિધ શહેરો માટે એલર્ટ જાહેર કર્યું

રાજ્યના અનેક ભાગોનું તાપમાન 44 ડિગ્રી આસપાસ નોંધાયું છે.. બપોરના સમયે તો ગરમી મહેસૂસ થાય છે પરંતુ રાત્રીના સમયે પણ ગરમી પીછો નથી છોડતી.. વરસાદ આ વખતે જલ્દી આવશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા લગાવવામાં આવ્યું છે. ચોમાસાની આતુરતા પૂર્વક લોકો રાહ જોઈ રહ્યા છે પરંતુ આ બધા વચ્ચે ગરમીનો પારો સતત વધી રહ્યો છે.. વિવિધ શહેરો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે હવામાન વિભાગ દ્વારા.. 


આ શહેરો માટે જાહેર કરાયું ઓરેન્જ એલર્ટ! 

હવામાન વિભાગે આગાહી કરી છે આગામી દિવસોમાં તાપમાનનો પારો હજી વધી શકે છે.. 45 ડિગ્રીને પાર તો અનેક શહેરોનું તાપમાન પહોંચી ગયું છે. આગામી પાંચ દિવસની આગાહી કરતા હવામાન વિભાગે બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ,ખેડા, સુરેન્દ્રનગર, ભાવનગર, સુરત, વલસાડ, જૂનાગઢ, પોરબંદર માટે ઓરેન્જ એલર્ટની આગાહી કરી છે જ્યારે પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અમરેલી માટે યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે.. મહત્વનું છે કે આવા એલર્ટ આપી લોકોને હવામાન વિભાગ તાપમાનને લઈ ચેતવણી આપે છે..



સુપ્રીમ કોર્ટમાં આજે અરવલ્લી પર્વતમાળાને લઇને સુનાવણી હાથ ધરાઈ છે . જેમાં , સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાની પરિભાષાને લઇને આજે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આજે સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચ જેમાં , CJI સૂર્યકાન્ત , જસ્ટિસ જે કે મહેશ્વરી અને જસ્ટિસ એજી મસીહ છે તેમના દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે , સુઓમોટો સંજ્ઞાન લીધું હતું.

લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થઇ ગયું છે. બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવવામાં આવ્યો છે. ધ્રુવરાજસિંહ ચૌહાણ પર ૧૨મી ઓગસ્ટના રોજ હુમલો થયો હતો. ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા બંને વચ્ચે તકરાર થઈ હતી. હવે સોશ્યિલ મીડિયા પર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણની આ તસ્વીર ખુબ જ વાઇરલ થઇ રહી છે.

Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા અને શહેરમાં બાકી રહેલી નિયુક્તિઓને લઇને કવાયત તેજ કરવામાં આવી છે. છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લા અને શહેર પ્રમુખની નિયુક્તિઓ માટે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ માટે પ્રદેશપ્રમુખ જગદીશ પંચાલ અને સંગઠનમંત્રી રત્નાકર પાંડે તબક્કાવાર બેઠકો કરી રહ્યા છે જે અંતર્ગત વિવિધ જિલ્લાઓના હોદ્દેદારો સાથે બેઠક યોજવામાં આવી છે.