25 તારીખ સુધી ગુજરાતમાં પડશે ભયંકર ગરમી? આ જિલ્લાઓ માટે કરાઈ ઓરેન્જ એલર્ટની આગાહી, જાણો તમારો વિસ્તાર તો નથીને?


  • Published By :
  • Published Date : 2024-05-20 16:13:31

ગુજરાત જાણે અગનભઠ્ઠામાં ફેરવાઈ ગયું હોય તેવું લાગે છે.. ગરમીનું તાપમાન પ્રતિદિન વધી રહ્યું છે જેને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.. ગરમી ક્યારે ઓછી થાય તેની રાહ જોઈ રહ્યા છે. 17 તારીખ બાદ ગરમીનો માર વધારે સહન કરવો પડશે તેવી આગાહી કરાઈ હતી અને તેવો જ અનુભવ હમણાં થઈ રહ્યો છે.. અનેક શહેરો માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા અનેક શહેરો માટે ઓરેન્જ તેમજ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

5 days red alert forecast in Ahmedabad the system made this special appeal to the people Red Alert in Ahmedabad: અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ

હવામાન વિભાગે વિવિધ શહેરો માટે એલર્ટ જાહેર કર્યું

રાજ્યના અનેક ભાગોનું તાપમાન 44 ડિગ્રી આસપાસ નોંધાયું છે.. બપોરના સમયે તો ગરમી મહેસૂસ થાય છે પરંતુ રાત્રીના સમયે પણ ગરમી પીછો નથી છોડતી.. વરસાદ આ વખતે જલ્દી આવશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા લગાવવામાં આવ્યું છે. ચોમાસાની આતુરતા પૂર્વક લોકો રાહ જોઈ રહ્યા છે પરંતુ આ બધા વચ્ચે ગરમીનો પારો સતત વધી રહ્યો છે.. વિવિધ શહેરો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે હવામાન વિભાગ દ્વારા.. 


આ શહેરો માટે જાહેર કરાયું ઓરેન્જ એલર્ટ! 

હવામાન વિભાગે આગાહી કરી છે આગામી દિવસોમાં તાપમાનનો પારો હજી વધી શકે છે.. 45 ડિગ્રીને પાર તો અનેક શહેરોનું તાપમાન પહોંચી ગયું છે. આગામી પાંચ દિવસની આગાહી કરતા હવામાન વિભાગે બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ,ખેડા, સુરેન્દ્રનગર, ભાવનગર, સુરત, વલસાડ, જૂનાગઢ, પોરબંદર માટે ઓરેન્જ એલર્ટની આગાહી કરી છે જ્યારે પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અમરેલી માટે યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે.. મહત્વનું છે કે આવા એલર્ટ આપી લોકોને હવામાન વિભાગ તાપમાનને લઈ ચેતવણી આપે છે..



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે