Jammu-kashmir: અનંતનાગમાં અથડામણ, કર્નલ, મેજર અને DSP શહીદ, આતંકી સંગઠન TRFએ લીધી જવાબદારી, એન્કાઉન્ટર ચાલુ


  • Published By :
  • Published Date : 2023-09-13 21:46:09

જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં ત્રણ જવાનોએ આતંકવાદીઓ સામે લડતા દેશ માટે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું છે. શહીદ થયેલા જવાનોમાં બે આર્મી ઓફિસર છે અને એક જવાન જમ્મુ-કાશ્મીર પોલીસનો છે. આતંકવાદી સંગઠન TRF એ અનંતનાગ એન્કાઉન્ટરની જવાબદારી લીધી છે. જમ્મુ અને કાશ્મીરના અનંતનાગના કોકરનાગ વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં આર્મીના કર્નલ, મેજર અને ડીએસપી શહીદ થયા છે. અધિકારીઓએ આ માહિતી આપી. અધિકારીએ વધુમાં જણાવ્યું કે કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશિષ, જમ્મુ-કાશ્મીર પોલીસના ડીએસપી હુમાયુ ભટ્ટ ગોળીબારમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા,બાદમાં તેમનું મૃત્યુ થયું હતું. તેમણે કહ્યું કે ભટ્ટનું મૃત્યુ અતિશય રક્તસ્રાવને કારણે થયું હતું. 


સર્ચ ઓપરેશન આખી રાત ચાલ્યું


ભારતીય સેનાના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ગાડોલ વિસ્તારમાં આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન મંગળવાર (12 સપ્ટેમ્બર)ની સાંજે શરૂ થયું હતું, પરંતુ તેને રાત્રે બંધ કરી દેવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે બુધવારે સવારે આતંકવાદીઓની શોધ ફરી શરૂ કરવામાં આવી હતી જ્યારે માહિતી મળી હતી કે તેઓ એક સ્થાને પર જોવા મળ્યા હતા. કર્નલ સિંહે  પોતાની ટીમનું નેતૃત્વ કર્યું અને આતંકવાદીઓ પર હુમલો કર્યો હતો. જોકે, આતંકીઓએ તેમના પર ગોળીબાર કર્યો હતો. આ વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓને ખતમ કરવા માટે વિશેષ દળો તૈનાત કરવામાં આવ્યા છે. આશંકા છે કે આ વિસ્તારમાં 3 થી 4 આતંકીઓ છુપાયા છે. અહીં સર્ચ ઓપરેશન આખી રાત ચાલુ રહેશે.


આ વર્ષમાં 26 આતંકીનો સફાયો


જમ્મુ કાશ્મિરના આતંકવાદથી પ્રભાવિત સરહદી જિલ્લાઓ રાજૌરી અને પૂંચમાં આ વર્ષે થયેલા એન્કાઉન્ટરમાં લગભગ 26 આતંકવાદીઓ માર્યા ગયા હતા અને 10 સુરક્ષા જવાનો શહીદ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે સરહદ પારથી આ તરફ ઘૂસવાનો પ્રયાસ કરતી વખતે મોટાભાગના આતંકવાદીઓ માર્યા ગયા હતા. રિયાસી જિલ્લાના ચાસના વિસ્તાર નજીક ગલી સોહેબ ગામમાં 4 સપ્ટેમ્બરે એક આતંકવાદી માર્યો ગયો હતો. જેમાં બે સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા.



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .