Jammu-kashmir: અનંતનાગમાં અથડામણ, કર્નલ, મેજર અને DSP શહીદ, આતંકી સંગઠન TRFએ લીધી જવાબદારી, એન્કાઉન્ટર ચાલુ


  • Published By :
  • Published Date : 2023-09-13 21:46:09

જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં ત્રણ જવાનોએ આતંકવાદીઓ સામે લડતા દેશ માટે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું છે. શહીદ થયેલા જવાનોમાં બે આર્મી ઓફિસર છે અને એક જવાન જમ્મુ-કાશ્મીર પોલીસનો છે. આતંકવાદી સંગઠન TRF એ અનંતનાગ એન્કાઉન્ટરની જવાબદારી લીધી છે. જમ્મુ અને કાશ્મીરના અનંતનાગના કોકરનાગ વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં આર્મીના કર્નલ, મેજર અને ડીએસપી શહીદ થયા છે. અધિકારીઓએ આ માહિતી આપી. અધિકારીએ વધુમાં જણાવ્યું કે કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશિષ, જમ્મુ-કાશ્મીર પોલીસના ડીએસપી હુમાયુ ભટ્ટ ગોળીબારમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા,બાદમાં તેમનું મૃત્યુ થયું હતું. તેમણે કહ્યું કે ભટ્ટનું મૃત્યુ અતિશય રક્તસ્રાવને કારણે થયું હતું. 


સર્ચ ઓપરેશન આખી રાત ચાલ્યું


ભારતીય સેનાના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ગાડોલ વિસ્તારમાં આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન મંગળવાર (12 સપ્ટેમ્બર)ની સાંજે શરૂ થયું હતું, પરંતુ તેને રાત્રે બંધ કરી દેવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે બુધવારે સવારે આતંકવાદીઓની શોધ ફરી શરૂ કરવામાં આવી હતી જ્યારે માહિતી મળી હતી કે તેઓ એક સ્થાને પર જોવા મળ્યા હતા. કર્નલ સિંહે  પોતાની ટીમનું નેતૃત્વ કર્યું અને આતંકવાદીઓ પર હુમલો કર્યો હતો. જોકે, આતંકીઓએ તેમના પર ગોળીબાર કર્યો હતો. આ વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓને ખતમ કરવા માટે વિશેષ દળો તૈનાત કરવામાં આવ્યા છે. આશંકા છે કે આ વિસ્તારમાં 3 થી 4 આતંકીઓ છુપાયા છે. અહીં સર્ચ ઓપરેશન આખી રાત ચાલુ રહેશે.


આ વર્ષમાં 26 આતંકીનો સફાયો


જમ્મુ કાશ્મિરના આતંકવાદથી પ્રભાવિત સરહદી જિલ્લાઓ રાજૌરી અને પૂંચમાં આ વર્ષે થયેલા એન્કાઉન્ટરમાં લગભગ 26 આતંકવાદીઓ માર્યા ગયા હતા અને 10 સુરક્ષા જવાનો શહીદ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે સરહદ પારથી આ તરફ ઘૂસવાનો પ્રયાસ કરતી વખતે મોટાભાગના આતંકવાદીઓ માર્યા ગયા હતા. રિયાસી જિલ્લાના ચાસના વિસ્તાર નજીક ગલી સોહેબ ગામમાં 4 સપ્ટેમ્બરે એક આતંકવાદી માર્યો ગયો હતો. જેમાં બે સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.