Jammu-kashmir: અનંતનાગમાં અથડામણ, કર્નલ, મેજર અને DSP શહીદ, આતંકી સંગઠન TRFએ લીધી જવાબદારી, એન્કાઉન્ટર ચાલુ


  • Published By :
  • Published Date : 2023-09-13 21:46:09

જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં ત્રણ જવાનોએ આતંકવાદીઓ સામે લડતા દેશ માટે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું છે. શહીદ થયેલા જવાનોમાં બે આર્મી ઓફિસર છે અને એક જવાન જમ્મુ-કાશ્મીર પોલીસનો છે. આતંકવાદી સંગઠન TRF એ અનંતનાગ એન્કાઉન્ટરની જવાબદારી લીધી છે. જમ્મુ અને કાશ્મીરના અનંતનાગના કોકરનાગ વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં આર્મીના કર્નલ, મેજર અને ડીએસપી શહીદ થયા છે. અધિકારીઓએ આ માહિતી આપી. અધિકારીએ વધુમાં જણાવ્યું કે કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશિષ, જમ્મુ-કાશ્મીર પોલીસના ડીએસપી હુમાયુ ભટ્ટ ગોળીબારમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા,બાદમાં તેમનું મૃત્યુ થયું હતું. તેમણે કહ્યું કે ભટ્ટનું મૃત્યુ અતિશય રક્તસ્રાવને કારણે થયું હતું. 


સર્ચ ઓપરેશન આખી રાત ચાલ્યું


ભારતીય સેનાના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ગાડોલ વિસ્તારમાં આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન મંગળવાર (12 સપ્ટેમ્બર)ની સાંજે શરૂ થયું હતું, પરંતુ તેને રાત્રે બંધ કરી દેવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે બુધવારે સવારે આતંકવાદીઓની શોધ ફરી શરૂ કરવામાં આવી હતી જ્યારે માહિતી મળી હતી કે તેઓ એક સ્થાને પર જોવા મળ્યા હતા. કર્નલ સિંહે  પોતાની ટીમનું નેતૃત્વ કર્યું અને આતંકવાદીઓ પર હુમલો કર્યો હતો. જોકે, આતંકીઓએ તેમના પર ગોળીબાર કર્યો હતો. આ વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓને ખતમ કરવા માટે વિશેષ દળો તૈનાત કરવામાં આવ્યા છે. આશંકા છે કે આ વિસ્તારમાં 3 થી 4 આતંકીઓ છુપાયા છે. અહીં સર્ચ ઓપરેશન આખી રાત ચાલુ રહેશે.


આ વર્ષમાં 26 આતંકીનો સફાયો


જમ્મુ કાશ્મિરના આતંકવાદથી પ્રભાવિત સરહદી જિલ્લાઓ રાજૌરી અને પૂંચમાં આ વર્ષે થયેલા એન્કાઉન્ટરમાં લગભગ 26 આતંકવાદીઓ માર્યા ગયા હતા અને 10 સુરક્ષા જવાનો શહીદ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે સરહદ પારથી આ તરફ ઘૂસવાનો પ્રયાસ કરતી વખતે મોટાભાગના આતંકવાદીઓ માર્યા ગયા હતા. રિયાસી જિલ્લાના ચાસના વિસ્તાર નજીક ગલી સોહેબ ગામમાં 4 સપ્ટેમ્બરે એક આતંકવાદી માર્યો ગયો હતો. જેમાં બે સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .