બનાસકાંઠાના ધાનેરાના બજારમાં જોવા મળ્યો આખલાઓનો આતંક,પાણીપુરીની લારીને હવામાં ઉડાડી


  • Published By :
  • Published Date : 2023-03-17 17:44:44

રખડતા ઢોરનો મુદ્દો દિવસેને દિવસે વકરી રહ્યો છે. અનેક લોકો ઢોરના હુમલાનો શિકાર બને છે. રખડતા ઢોરને કારણે લોકોને નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે ત્યારે બનાસકાંઠામાં ધાનેરા પાસે રખડતા આખલાનો આતંક જોવા મળ્યો હતો. જાહેર રસ્તા પર બે આખલાઓ લડી પડ્યા હતા. જેને કારણે રસ્તા પર ઉભા લોકો ભાગવા લાગ્યા હતા. નાશભાગ મચી ગઈ હતી. આખલાઓ લડતાં હતા તે દરમિયાન આખલાઓએ પાણીપુરીની લારીને અડફેટે લઈ લીધી હતી. લારીને ફૂટબોલની જેમ ઉછાળી જેને કારણે પાણીપુરી વાળા ભાઈને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.


પાણીપુરીની લારી બની આખલાના ઝઘડાનો ભોગ! 

સામાન્ય લોકો હવે રસ્તા પર જતા ડરી રહ્યા છે. લોકોમાં રખડતા ઢોર તેમજ રખડતા શ્વાનના હુમલાને લઈ ભય બેસી ગયો છે. એવા અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં ગમે ત્યારે રખડતા શ્વાન તેમજ ઢોર હુમલો કરી દેતા હોય છે. કોઈ વખત આખલાઓ એક બીજા સાથે લડતા હોય છે તો કોઈ વખત અચાનક રાહદારી અથવા તો વાહન ચાલક પર હુમલો કરી દેતા હોય છે. ત્યારે બનાસકાંઠાના ધાનેરાથી આખલાના આતંકનો વીડિયો સામે આવ્યો છે જેમાં આખલાએ પાણીપુરી લારીને પોતાની અડફેટમાં લઈ લીધી હતી. 


સમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા સામે 

રસ્તા પર આખલાઓએ ધમાલ મચાવી હતી. આખલાઓ વચ્ચે જંગ જામ્યો હતો. અફરા-તફરી અને નાસભાગ સર્જાઈ હતી. આખલાઓ લડતા હતા જેને કારણે બાજુમાં રેહલી પાણીપુરીની લારીને અડફેટે લીધી હતી. બંને આખલાઓ શિંગડા ભરાવી યુદ્ધ કરતા હતા. આખલાને શાંત કરવા સ્થાનિકોએ પાણીનો છંટકાવ પણ કર્યો હતો.. પરંતુ આખલાની લડાઈ શાંત થઈ ન હતી. રોડની સાઈડમાં રહેલી પાણીપુરીની લારી આખલાના ઝઘડાનો શિકાર બની હતી. લારીને હવામાં ઉછાળી હતી. સદનસીબે કોઈ વાહન ચાલક તે સમય દરમિયાન પસાર થઈ રહ્યો ન હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. અનેક વખત આ હુમલાનો શિકાર બનતા હોય છે પરંતુ તંત્ર દ્વારા આ અંગે કોઈ ગંભીર પગલા લેવામાં આવ્યા ન હતા.  




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.