બનાસકાંઠાના ધાનેરાના બજારમાં જોવા મળ્યો આખલાઓનો આતંક,પાણીપુરીની લારીને હવામાં ઉડાડી


  • Published By :
  • Published Date : 2023-03-17 17:44:44

રખડતા ઢોરનો મુદ્દો દિવસેને દિવસે વકરી રહ્યો છે. અનેક લોકો ઢોરના હુમલાનો શિકાર બને છે. રખડતા ઢોરને કારણે લોકોને નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે ત્યારે બનાસકાંઠામાં ધાનેરા પાસે રખડતા આખલાનો આતંક જોવા મળ્યો હતો. જાહેર રસ્તા પર બે આખલાઓ લડી પડ્યા હતા. જેને કારણે રસ્તા પર ઉભા લોકો ભાગવા લાગ્યા હતા. નાશભાગ મચી ગઈ હતી. આખલાઓ લડતાં હતા તે દરમિયાન આખલાઓએ પાણીપુરીની લારીને અડફેટે લઈ લીધી હતી. લારીને ફૂટબોલની જેમ ઉછાળી જેને કારણે પાણીપુરી વાળા ભાઈને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.


પાણીપુરીની લારી બની આખલાના ઝઘડાનો ભોગ! 

સામાન્ય લોકો હવે રસ્તા પર જતા ડરી રહ્યા છે. લોકોમાં રખડતા ઢોર તેમજ રખડતા શ્વાનના હુમલાને લઈ ભય બેસી ગયો છે. એવા અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં ગમે ત્યારે રખડતા શ્વાન તેમજ ઢોર હુમલો કરી દેતા હોય છે. કોઈ વખત આખલાઓ એક બીજા સાથે લડતા હોય છે તો કોઈ વખત અચાનક રાહદારી અથવા તો વાહન ચાલક પર હુમલો કરી દેતા હોય છે. ત્યારે બનાસકાંઠાના ધાનેરાથી આખલાના આતંકનો વીડિયો સામે આવ્યો છે જેમાં આખલાએ પાણીપુરી લારીને પોતાની અડફેટમાં લઈ લીધી હતી. 


સમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા સામે 

રસ્તા પર આખલાઓએ ધમાલ મચાવી હતી. આખલાઓ વચ્ચે જંગ જામ્યો હતો. અફરા-તફરી અને નાસભાગ સર્જાઈ હતી. આખલાઓ લડતા હતા જેને કારણે બાજુમાં રેહલી પાણીપુરીની લારીને અડફેટે લીધી હતી. બંને આખલાઓ શિંગડા ભરાવી યુદ્ધ કરતા હતા. આખલાને શાંત કરવા સ્થાનિકોએ પાણીનો છંટકાવ પણ કર્યો હતો.. પરંતુ આખલાની લડાઈ શાંત થઈ ન હતી. રોડની સાઈડમાં રહેલી પાણીપુરીની લારી આખલાના ઝઘડાનો શિકાર બની હતી. લારીને હવામાં ઉછાળી હતી. સદનસીબે કોઈ વાહન ચાલક તે સમય દરમિયાન પસાર થઈ રહ્યો ન હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. અનેક વખત આ હુમલાનો શિકાર બનતા હોય છે પરંતુ તંત્ર દ્વારા આ અંગે કોઈ ગંભીર પગલા લેવામાં આવ્યા ન હતા.  




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.