બનાસકાંઠાના ધાનેરાના બજારમાં જોવા મળ્યો આખલાઓનો આતંક,પાણીપુરીની લારીને હવામાં ઉડાડી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-17 17:44:44

રખડતા ઢોરનો મુદ્દો દિવસેને દિવસે વકરી રહ્યો છે. અનેક લોકો ઢોરના હુમલાનો શિકાર બને છે. રખડતા ઢોરને કારણે લોકોને નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે ત્યારે બનાસકાંઠામાં ધાનેરા પાસે રખડતા આખલાનો આતંક જોવા મળ્યો હતો. જાહેર રસ્તા પર બે આખલાઓ લડી પડ્યા હતા. જેને કારણે રસ્તા પર ઉભા લોકો ભાગવા લાગ્યા હતા. નાશભાગ મચી ગઈ હતી. આખલાઓ લડતાં હતા તે દરમિયાન આખલાઓએ પાણીપુરીની લારીને અડફેટે લઈ લીધી હતી. લારીને ફૂટબોલની જેમ ઉછાળી જેને કારણે પાણીપુરી વાળા ભાઈને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.


પાણીપુરીની લારી બની આખલાના ઝઘડાનો ભોગ! 

સામાન્ય લોકો હવે રસ્તા પર જતા ડરી રહ્યા છે. લોકોમાં રખડતા ઢોર તેમજ રખડતા શ્વાનના હુમલાને લઈ ભય બેસી ગયો છે. એવા અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં ગમે ત્યારે રખડતા શ્વાન તેમજ ઢોર હુમલો કરી દેતા હોય છે. કોઈ વખત આખલાઓ એક બીજા સાથે લડતા હોય છે તો કોઈ વખત અચાનક રાહદારી અથવા તો વાહન ચાલક પર હુમલો કરી દેતા હોય છે. ત્યારે બનાસકાંઠાના ધાનેરાથી આખલાના આતંકનો વીડિયો સામે આવ્યો છે જેમાં આખલાએ પાણીપુરી લારીને પોતાની અડફેટમાં લઈ લીધી હતી. 


સમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા સામે 

રસ્તા પર આખલાઓએ ધમાલ મચાવી હતી. આખલાઓ વચ્ચે જંગ જામ્યો હતો. અફરા-તફરી અને નાસભાગ સર્જાઈ હતી. આખલાઓ લડતા હતા જેને કારણે બાજુમાં રેહલી પાણીપુરીની લારીને અડફેટે લીધી હતી. બંને આખલાઓ શિંગડા ભરાવી યુદ્ધ કરતા હતા. આખલાને શાંત કરવા સ્થાનિકોએ પાણીનો છંટકાવ પણ કર્યો હતો.. પરંતુ આખલાની લડાઈ શાંત થઈ ન હતી. રોડની સાઈડમાં રહેલી પાણીપુરીની લારી આખલાના ઝઘડાનો શિકાર બની હતી. લારીને હવામાં ઉછાળી હતી. સદનસીબે કોઈ વાહન ચાલક તે સમય દરમિયાન પસાર થઈ રહ્યો ન હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. અનેક વખત આ હુમલાનો શિકાર બનતા હોય છે પરંતુ તંત્ર દ્વારા આ અંગે કોઈ ગંભીર પગલા લેવામાં આવ્યા ન હતા.  




બનાસકાંઠા લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોરને ટિકીટ આપવામાં આવી છે. આક્રામક પ્રચાર કરતા ગેનીબેન દેખાય છે ત્યારે પોલીસને લઈ તેણે ફરી એક વાર નિવેદન આપ્યું છે.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની રચના આજે પ્રસ્તુત કરવી છે સાહિત્યના સમીપમાં.. આ રચનામાં મેઘાણી સાહેબે બાળકોની વાત કરી છે જમાવા માટે વલખાં મારવા મજબૂર છે..

ગુજરાતમાં એક તરફ પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતો વિવાદ છે તો બીજી તરફ કિરીટ પટેલ દ્વારા વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું જે આગમાં ઘી હોમવાનું કામ કરી શકે છે..

અમદાવાદ પૂર્વ બેઠક માટે ભાજપે હસમુખ પટેલને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત હિંમતસિંહ પટેલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આગામી પાંચ વર્ષ દરમિયાન તેઓ પોતાના મતવિસ્તારમાં શું કામ કરશે તે સવાલ જમાવટની ટીમ દ્વારા પૂછવામાં આવ્યો હતો.