બનાસકાંઠાના ધાનેરાના બજારમાં જોવા મળ્યો આખલાઓનો આતંક,પાણીપુરીની લારીને હવામાં ઉડાડી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-17 17:44:44

રખડતા ઢોરનો મુદ્દો દિવસેને દિવસે વકરી રહ્યો છે. અનેક લોકો ઢોરના હુમલાનો શિકાર બને છે. રખડતા ઢોરને કારણે લોકોને નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે ત્યારે બનાસકાંઠામાં ધાનેરા પાસે રખડતા આખલાનો આતંક જોવા મળ્યો હતો. જાહેર રસ્તા પર બે આખલાઓ લડી પડ્યા હતા. જેને કારણે રસ્તા પર ઉભા લોકો ભાગવા લાગ્યા હતા. નાશભાગ મચી ગઈ હતી. આખલાઓ લડતાં હતા તે દરમિયાન આખલાઓએ પાણીપુરીની લારીને અડફેટે લઈ લીધી હતી. લારીને ફૂટબોલની જેમ ઉછાળી જેને કારણે પાણીપુરી વાળા ભાઈને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.


પાણીપુરીની લારી બની આખલાના ઝઘડાનો ભોગ! 

સામાન્ય લોકો હવે રસ્તા પર જતા ડરી રહ્યા છે. લોકોમાં રખડતા ઢોર તેમજ રખડતા શ્વાનના હુમલાને લઈ ભય બેસી ગયો છે. એવા અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં ગમે ત્યારે રખડતા શ્વાન તેમજ ઢોર હુમલો કરી દેતા હોય છે. કોઈ વખત આખલાઓ એક બીજા સાથે લડતા હોય છે તો કોઈ વખત અચાનક રાહદારી અથવા તો વાહન ચાલક પર હુમલો કરી દેતા હોય છે. ત્યારે બનાસકાંઠાના ધાનેરાથી આખલાના આતંકનો વીડિયો સામે આવ્યો છે જેમાં આખલાએ પાણીપુરી લારીને પોતાની અડફેટમાં લઈ લીધી હતી. 


સમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા સામે 

રસ્તા પર આખલાઓએ ધમાલ મચાવી હતી. આખલાઓ વચ્ચે જંગ જામ્યો હતો. અફરા-તફરી અને નાસભાગ સર્જાઈ હતી. આખલાઓ લડતા હતા જેને કારણે બાજુમાં રેહલી પાણીપુરીની લારીને અડફેટે લીધી હતી. બંને આખલાઓ શિંગડા ભરાવી યુદ્ધ કરતા હતા. આખલાને શાંત કરવા સ્થાનિકોએ પાણીનો છંટકાવ પણ કર્યો હતો.. પરંતુ આખલાની લડાઈ શાંત થઈ ન હતી. રોડની સાઈડમાં રહેલી પાણીપુરીની લારી આખલાના ઝઘડાનો શિકાર બની હતી. લારીને હવામાં ઉછાળી હતી. સદનસીબે કોઈ વાહન ચાલક તે સમય દરમિયાન પસાર થઈ રહ્યો ન હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. અનેક વખત આ હુમલાનો શિકાર બનતા હોય છે પરંતુ તંત્ર દ્વારા આ અંગે કોઈ ગંભીર પગલા લેવામાં આવ્યા ન હતા.  




ગુજરાતમાં કોરોના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. શનિવારે કોરોનાના 372 નવા કેસ નોંધાયા છે. ફરી એક વખત અમદાવાદમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાના 128 કેસ નોંધાયા છે. વડોદરા જિલ્લામાંથી 34, સુરત જિલ્લામાં 35 તેમજ રાજકોટથી 19 કેસ નોંધાયા છે. બનાસકાંઠા જિલ્લામાંથી 14 કેસ નોંધાયા છે. અમરેલી જિલ્લાથી 8 કેસ સામે આવ્યા છે.

દીકરીને ન્યાય મળે તે માટે સમાજ દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા પણ આ મામલે તપાસ ઝડપથી કરવામાં આવી હતી. શનિવારે પોલીસને મોટી સફળતા મળી છે જેમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મહારાષ્ટ્રથી આરોપીને દબોચી લીધો છે.

ગેરકાયદેસર રીતે કોઈપણ દેશમાં લોકો ઘૂસવાની કોશિષ કરતા હોય છે અને જીવન ગુમાવતા હોય છે. ત્યારે કેનેડાથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે બે પરિવારના આઠ સભ્યો મોતને ભેટ્યાં છે. મરનાર લોકોમાં એક પરિવાર ભારતનો હતો.

જયસુખ પટેલ જામીન માટે સતત અરજી કરી રહ્યા છે. આજે પણ જયસુખ પટેલે જામીન માટે અરજી કરી હતી પરંતુ તેમની અરજીને ફગાવી દેવામાં આવી છે. રેગ્યુલર જામીન માટે મોરબી સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી પરંતુ કોર્ટે અરજીને નામંજૂર કરી છે.