રાજકોટમાં વ્યાજખોરોનો આતંક, માત્ર રૂ.200ના વ્યાજ માટે યુવકની કરી હત્યા, પરિવાર શોકાતૂર


  • Published By :
  • Published Date : 2024-01-09 16:02:12

રાજકોટમાં વ્યાજખોરોનો આતંક સતત વધી રહ્યો છે, વ્યાજખોરોને જાણે કાયદા કે પોલીસનો ભય જ ન હોય તેમ બેફામ બની રહ્યા છે. રાજકોટમાં આજે માત્ર 200 રૂપિયાની વસૂલાતમાં એક વ્યક્તિની હત્યા કરાતા હાહાકાર મચી ગયો છે. રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં ગતરાત્રીએ એક યુવાન સુરજ ઠાકરની વ્યાજખોરોએ હત્યા કરી નાખી હતી. યુવાન પુત્રની હત્યા બાદ તેના પરિવારજનો પર જાણે આભ તુટી પડ્યું છે, પરિવારમાં હાલનો માહોલ જોવા મળી રહ્યા છે. આ સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ દ્વારા ફરિયાદ નોંધી આરોપીઓને પકડવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.  


શા માટે કરાઈ હત્યા?


મૃતક સુરજ ઠાકરના ભાઈ મિહિર ઠાકરે આ સમગ્ર મામલે જણાવ્યું હતું કે, મૃતકના પિતા તેજસભાઈ ઠાકરે કમલેશગીરી ગોસાઈ નામના વ્યક્તિ પાસેથી 20,000 રૂપિયા લીધા હતા. જેનો દરરોજનું વ્યાજ 200 રૂપિયા હતું. તેજસ ઠાકર જ્યારે રૂપિયા આપવા ગયા ત્યારે તેમની સાથે વ્યાજના પૈસા મામલે મારામારી કરવામાં આવી હતી. જે બાદ તેજસ ઠાકર ઘરે પરત ફર્યા હતા અને સમગ્ર બનાવની જાણ તેમના પરિવારને કરી હતી. ત્યાર બાદ મૃતક સુરજ ઠાકર તેમના પિતા તેજસ ઠાકર અને તેમની માતા સુનિતાબેન ઠાકર કમલેશ ગોસાઈના ઘરે ગયા હતા. જે સમયે તેમનો પુત્ર જીગર ગોસાઈ હતો. જે બાદ કમલેશ ગોસાઈ અને તેમનો પુત્ર તેમના માતા અને ભાઈ પણ તૂટી પડ્યા હતા. તેમના ભાઈ સુરજને પેટના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દીધા હતા. ઈજાગ્રસ્ત સુરજને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યો હતો.  


પરિવારજનોનો મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર


વ્યાજખોર કમલેશગીરી ગોસાઈ અને તેના પુત્ર જયદેવ અને જિગરે વ્યાજખોરીના રૂપિયા મામલે 23 વર્ષીય સૂરજ ઠાકર નામના યુવાનને મોતને ઘાટ ઉતારી દેતા પરિવારજનોમાં આઘાત સાથે આરોપી સામે આક્રોશ ફેલાયો હતો અને જ્યાં સુધી ત્રણેય આરોપીની ધરપકડ નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.