રાજકોટમાં ડાઘીયા કૂતરાઓનો આતંક, રાજકોટ મ્યુનિ. તંત્રની નિષ્ક્રિયતાથી લોકોમાં રોષ


  • Published By :
  • Published Date : 2023-12-07 15:42:29

રાજકોટમાં ડાઘીયા કુતરાઓને ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે, લોકો હુમલાઘોર કુતરાઓના આતંકથી ત્રાહિમામ પોકારી ગયા છે. તાજેતરમાં જ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં એક 5 વર્ષની  શ્રમિક વર્ગની બાળકીને રખડતા કુતરાઓએ ફાડી ખાતા સનસનાટી મચી ગઈ હતી. શહેરમાં ચોતરફ કુતરાઓના ત્રાસની ચર્ચા થઈ રહી છે. શહેરમાં દર મહિને 900 કરતા વધુ લોકોને શ્વાન કરડે છે. જોકે રાજકોટમાં શ્વાન કરડવાની ઘટના રોજીંદી બની ગઈ છે, પરંતુ તંત્રને આ બનાવો પ્રત્યે કોઈ જાતની રૂચિ ન હોય તેવું લાગી રહ્યું છે.


11 મહિનામાં 11,493 લોકોને કુતરાઓએ બચકા ભર્યા


સરકારી તંત્રના આંકડા મુજબ, જાન્યુઆરીથી નવેમ્બર સુધીના 11 મહિનાના ગાળામાં રખડતા કૂતરાઓએ 11,493 લોકોને બચકા ભરીને લોહીલુહાણ કર્યા છે. આ આંકડો માત્ર હોસ્પિટલમાં સારવાર માટે ગયેલા લોકોનો જ છે. જ્યારે ઘરે જ સારવાર લીધી હોય, તેવા તો અસંખ્ય લોકો હશે. કોર્પોરેશનના આંકડા અનુસાર, અત્યારે શહેરમાં 20,640 રખડતા કૂતરા છે. અવાર-નવાર કૂતરાઓનો ભોગ બનેલા લોકો મહાનગર પાલિકાને ફરિયાદ કરતાં હોય છે. આવી જ રીતે સરકારી હોસ્પિટલોમાં પણ કૂતરુ કરડ્યાની સારવાર લેવા માટે દર્દીઓનો એકધારો પ્રવાહ ચાલુ રહ્યો છે.


કોંગ્રેસના નેતાએ કરી હતી અપીલ


કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી ગોપાલભાઈ અનડકટ દ્વારા ગત 3 નવેમબરે મનપાના મેયર નયનાબેન અને કમિશનર આનંદ પટેલને પત્ર લખી ડાઘીયા કૂતરાઓના ત્રાસ અંગે ત્વરિત પગલાં લેવા રજૂઆત કરી હતી. તેમણે કહ્યું કે અમે અગાઉ પત્ર લખી કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિની માતા ગણાતી ગૌમાતા સામે બાંયો ચડાવતી સરકાર શેરીના રખડતાં કુતરાઓ સામે ઢીલી ઢફ સાબિત થઈ રહી છે. તંત્રના પાપે હજુ પણ રાજકોટવાસીઓ ઉપર કુતરાઓનું જોખમ યથાવત છે હવે અન્ય કોઈ રાજકોટવાસી કૂતરાઓનો શિકાર બને તે પૂર્વે તંત્ર જાગે તેવી કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે.


શા માટે RMC નિષ્ક્રિય છે?

 

રાજકોટના જંગલેશ્વરમાં એક બાળકી પર ડાઘીયા કુતરાના હુમલા બાદ લોકો દ્વારા કોર્પોરેશન શ્વાન પકડવાની કામગીરી હાથ ઘરે તેવી માગ ઉઠી રહી છે, પરંતુ મહાનગરપાલિકાના વેટરનરી અધિકારી ડો. ભાવેશ જાકાસણિયાના કહેવા મુજબ શ્વાન પકડવાની કામગીરી વર્ષોથી બંધ કરવામાં આવી છે. કોર્ટના આદેશ અનુસાર શ્વાનને પકડી શકાતા નથી. તેમજ જો જરૂરિયાત ઉભી થાય અને કોઈ એકલ-દોકલ કુતરાના-ત્રાસની ફરિયાદ આવે ત્યારે તેને પકડીને એનિમલ હોસ્ટેલમાં રાખવામાં આવેલ છે. ત્યાં તેની સારવાર કર્યા બાદ જે જગ્યાએથી ઉપાડવામાં આવ્યું હોય તે જ જગ્યાએ મુકવું પડે તેવો નિયમ અમલમાં છે. નગરપાલિકાઓ અને પાલિકાઓમાં હાલ કુતરાને પકડવાની કોઈ જાતની કામગીરી કરવામાં આવતી નથી.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.