રાજકોટમાં ડાઘીયા કૂતરાઓનો આતંક, રાજકોટ મ્યુનિ. તંત્રની નિષ્ક્રિયતાથી લોકોમાં રોષ


  • Published By :
  • Published Date : 2023-12-07 15:42:29

રાજકોટમાં ડાઘીયા કુતરાઓને ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે, લોકો હુમલાઘોર કુતરાઓના આતંકથી ત્રાહિમામ પોકારી ગયા છે. તાજેતરમાં જ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં એક 5 વર્ષની  શ્રમિક વર્ગની બાળકીને રખડતા કુતરાઓએ ફાડી ખાતા સનસનાટી મચી ગઈ હતી. શહેરમાં ચોતરફ કુતરાઓના ત્રાસની ચર્ચા થઈ રહી છે. શહેરમાં દર મહિને 900 કરતા વધુ લોકોને શ્વાન કરડે છે. જોકે રાજકોટમાં શ્વાન કરડવાની ઘટના રોજીંદી બની ગઈ છે, પરંતુ તંત્રને આ બનાવો પ્રત્યે કોઈ જાતની રૂચિ ન હોય તેવું લાગી રહ્યું છે.


11 મહિનામાં 11,493 લોકોને કુતરાઓએ બચકા ભર્યા


સરકારી તંત્રના આંકડા મુજબ, જાન્યુઆરીથી નવેમ્બર સુધીના 11 મહિનાના ગાળામાં રખડતા કૂતરાઓએ 11,493 લોકોને બચકા ભરીને લોહીલુહાણ કર્યા છે. આ આંકડો માત્ર હોસ્પિટલમાં સારવાર માટે ગયેલા લોકોનો જ છે. જ્યારે ઘરે જ સારવાર લીધી હોય, તેવા તો અસંખ્ય લોકો હશે. કોર્પોરેશનના આંકડા અનુસાર, અત્યારે શહેરમાં 20,640 રખડતા કૂતરા છે. અવાર-નવાર કૂતરાઓનો ભોગ બનેલા લોકો મહાનગર પાલિકાને ફરિયાદ કરતાં હોય છે. આવી જ રીતે સરકારી હોસ્પિટલોમાં પણ કૂતરુ કરડ્યાની સારવાર લેવા માટે દર્દીઓનો એકધારો પ્રવાહ ચાલુ રહ્યો છે.


કોંગ્રેસના નેતાએ કરી હતી અપીલ


કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી ગોપાલભાઈ અનડકટ દ્વારા ગત 3 નવેમબરે મનપાના મેયર નયનાબેન અને કમિશનર આનંદ પટેલને પત્ર લખી ડાઘીયા કૂતરાઓના ત્રાસ અંગે ત્વરિત પગલાં લેવા રજૂઆત કરી હતી. તેમણે કહ્યું કે અમે અગાઉ પત્ર લખી કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિની માતા ગણાતી ગૌમાતા સામે બાંયો ચડાવતી સરકાર શેરીના રખડતાં કુતરાઓ સામે ઢીલી ઢફ સાબિત થઈ રહી છે. તંત્રના પાપે હજુ પણ રાજકોટવાસીઓ ઉપર કુતરાઓનું જોખમ યથાવત છે હવે અન્ય કોઈ રાજકોટવાસી કૂતરાઓનો શિકાર બને તે પૂર્વે તંત્ર જાગે તેવી કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે.


શા માટે RMC નિષ્ક્રિય છે?

 

રાજકોટના જંગલેશ્વરમાં એક બાળકી પર ડાઘીયા કુતરાના હુમલા બાદ લોકો દ્વારા કોર્પોરેશન શ્વાન પકડવાની કામગીરી હાથ ઘરે તેવી માગ ઉઠી રહી છે, પરંતુ મહાનગરપાલિકાના વેટરનરી અધિકારી ડો. ભાવેશ જાકાસણિયાના કહેવા મુજબ શ્વાન પકડવાની કામગીરી વર્ષોથી બંધ કરવામાં આવી છે. કોર્ટના આદેશ અનુસાર શ્વાનને પકડી શકાતા નથી. તેમજ જો જરૂરિયાત ઉભી થાય અને કોઈ એકલ-દોકલ કુતરાના-ત્રાસની ફરિયાદ આવે ત્યારે તેને પકડીને એનિમલ હોસ્ટેલમાં રાખવામાં આવેલ છે. ત્યાં તેની સારવાર કર્યા બાદ જે જગ્યાએથી ઉપાડવામાં આવ્યું હોય તે જ જગ્યાએ મુકવું પડે તેવો નિયમ અમલમાં છે. નગરપાલિકાઓ અને પાલિકાઓમાં હાલ કુતરાને પકડવાની કોઈ જાતની કામગીરી કરવામાં આવતી નથી.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.