રાજકોટમાં ડાઘીયા કૂતરાઓનો આતંક, રાજકોટ મ્યુનિ. તંત્રની નિષ્ક્રિયતાથી લોકોમાં રોષ


  • Published By :
  • Published Date : 2023-12-07 15:42:29

રાજકોટમાં ડાઘીયા કુતરાઓને ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે, લોકો હુમલાઘોર કુતરાઓના આતંકથી ત્રાહિમામ પોકારી ગયા છે. તાજેતરમાં જ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં એક 5 વર્ષની  શ્રમિક વર્ગની બાળકીને રખડતા કુતરાઓએ ફાડી ખાતા સનસનાટી મચી ગઈ હતી. શહેરમાં ચોતરફ કુતરાઓના ત્રાસની ચર્ચા થઈ રહી છે. શહેરમાં દર મહિને 900 કરતા વધુ લોકોને શ્વાન કરડે છે. જોકે રાજકોટમાં શ્વાન કરડવાની ઘટના રોજીંદી બની ગઈ છે, પરંતુ તંત્રને આ બનાવો પ્રત્યે કોઈ જાતની રૂચિ ન હોય તેવું લાગી રહ્યું છે.


11 મહિનામાં 11,493 લોકોને કુતરાઓએ બચકા ભર્યા


સરકારી તંત્રના આંકડા મુજબ, જાન્યુઆરીથી નવેમ્બર સુધીના 11 મહિનાના ગાળામાં રખડતા કૂતરાઓએ 11,493 લોકોને બચકા ભરીને લોહીલુહાણ કર્યા છે. આ આંકડો માત્ર હોસ્પિટલમાં સારવાર માટે ગયેલા લોકોનો જ છે. જ્યારે ઘરે જ સારવાર લીધી હોય, તેવા તો અસંખ્ય લોકો હશે. કોર્પોરેશનના આંકડા અનુસાર, અત્યારે શહેરમાં 20,640 રખડતા કૂતરા છે. અવાર-નવાર કૂતરાઓનો ભોગ બનેલા લોકો મહાનગર પાલિકાને ફરિયાદ કરતાં હોય છે. આવી જ રીતે સરકારી હોસ્પિટલોમાં પણ કૂતરુ કરડ્યાની સારવાર લેવા માટે દર્દીઓનો એકધારો પ્રવાહ ચાલુ રહ્યો છે.


કોંગ્રેસના નેતાએ કરી હતી અપીલ


કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી ગોપાલભાઈ અનડકટ દ્વારા ગત 3 નવેમબરે મનપાના મેયર નયનાબેન અને કમિશનર આનંદ પટેલને પત્ર લખી ડાઘીયા કૂતરાઓના ત્રાસ અંગે ત્વરિત પગલાં લેવા રજૂઆત કરી હતી. તેમણે કહ્યું કે અમે અગાઉ પત્ર લખી કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિની માતા ગણાતી ગૌમાતા સામે બાંયો ચડાવતી સરકાર શેરીના રખડતાં કુતરાઓ સામે ઢીલી ઢફ સાબિત થઈ રહી છે. તંત્રના પાપે હજુ પણ રાજકોટવાસીઓ ઉપર કુતરાઓનું જોખમ યથાવત છે હવે અન્ય કોઈ રાજકોટવાસી કૂતરાઓનો શિકાર બને તે પૂર્વે તંત્ર જાગે તેવી કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે.


શા માટે RMC નિષ્ક્રિય છે?

 

રાજકોટના જંગલેશ્વરમાં એક બાળકી પર ડાઘીયા કુતરાના હુમલા બાદ લોકો દ્વારા કોર્પોરેશન શ્વાન પકડવાની કામગીરી હાથ ઘરે તેવી માગ ઉઠી રહી છે, પરંતુ મહાનગરપાલિકાના વેટરનરી અધિકારી ડો. ભાવેશ જાકાસણિયાના કહેવા મુજબ શ્વાન પકડવાની કામગીરી વર્ષોથી બંધ કરવામાં આવી છે. કોર્ટના આદેશ અનુસાર શ્વાનને પકડી શકાતા નથી. તેમજ જો જરૂરિયાત ઉભી થાય અને કોઈ એકલ-દોકલ કુતરાના-ત્રાસની ફરિયાદ આવે ત્યારે તેને પકડીને એનિમલ હોસ્ટેલમાં રાખવામાં આવેલ છે. ત્યાં તેની સારવાર કર્યા બાદ જે જગ્યાએથી ઉપાડવામાં આવ્યું હોય તે જ જગ્યાએ મુકવું પડે તેવો નિયમ અમલમાં છે. નગરપાલિકાઓ અને પાલિકાઓમાં હાલ કુતરાને પકડવાની કોઈ જાતની કામગીરી કરવામાં આવતી નથી.



પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.