Terrorist Attack in Russia : મુંબઈ જેવી ઘટના મોસ્કોમાં બની, હોલમાં ફાયરિંગ અને વિસ્ફોટ માર્યા ગયા નિર્દોષ લોકો, આ આતંકવાદી સંગઠને લીધી હમલાની જવાબદારી


  • Published By :
  • Published Date : 2024-03-23 14:01:22

થોડા વર્ષો પહેલા મુંબઈની હોટલમાં આતંકી હુમલો થયો હતો જેમાં અનેક લોકોના મોત થયા હતા. ત્યારે વધુ એક ભયંકર આતંકવાદી હુમલો રશિયાની રાજધાની મોસ્કોમાં આવેલી ક્રોકસ સિટી હોલમાં થયો છે. અંધાધૂધ ફાયરિંગ તેમજ વિસ્ફોટ થવાને કારણે 60 જેટલા લોકોના મોત થઈ ગઈ છે. ઉપરાંત 140થી વધારે લોકો આ હુમલામાં ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર આ હુમલો લડાયક વર્ધીમાં અથવા તો આર્મીના યુનિફોર્મમાં આવ્યા હતા. તેમની પાસે હથિયારો પણ હતા. મળતી માહિતી અનુસાર હોલમાં કોન્સોર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેને કારણે મોટી સંખ્યામાં લોકો પણ હાજર હતા. હુમલાખોરો કોન્સર્ટ હોલમાં ઘૂસી ગયા અને અંધાધૂધ ફાયરિંગ કરવાની શરૂઆત કરી દીધી. 


આંતકી હુમલામાં થયા 60 જેટલા લોકોના મોત

આંતકવાદી હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે. આતંકી હુમલાને કારણે અનેક નિર્દોષ લોકોના જીવ જતા હોય છે. ત્યારે એક ભયંકર આતંકી હુમલાને અંજામ આઈએસઆઈએસ સંગઠન દ્વારા આપવામાં આવ્યો છે. રશિયાની રાજધાનીમાં થયેલા હુમલાની જવાબદારી આઈએસએસ આતંકી સંગઠને લીધી છે. જો આખી ઘટનાની વાત કરીએ તો 23 માર્ચના રોજ, મોસ્કોના પશ્ચિમ કિનારે ક્રોકસ સિટી હોલમાં રશિયન રોક બેન્ડ 'પિકનિક' દ્વારા એક કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ત્યાં  ત્યાં પહોંચ્યા હતા. 



આતંકવાદીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે... 

આ કાર્યક્રમમાં આવેલા કેટલાક લોકોએ દર્શકો પર ખુલ્લેઆમ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. અને બોમ્બબારી શરૂ કરી દીધો. એવી માહિતી સામે આવી છે કે બોમ્બ ધડાકાને કારણે હોલમાં પણ આગ લાગી હતી. ઘણા લોકો હોલની અંદર ફસાઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતાની સાથે જ રશિયન સ્પેશિયલ ફોર્સ ઘટનાસ્થળે પહોંચી અને ત્યાં હાજર આતંકવાદીઓને પકડવા માટે ઓપરેશન હાથ ધર્યું. 


આ હુમલાની જવાબદારી આઈએસએસ દ્વારા લેવામાં આવી છે 

કહેવાય છે કે આતંકીઓ પહેલાથી જ હોલમાં છુપાયેલા હતા. આ ઘટનાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તેમાં  બુલેટનો અવાજ સ્પષ્ટ રીતે સાંભળી શકો છો. તમને જણાવી દઈએ કે જે હોલમાં હુમલો થયો હતો ત્યાં એક સમયે લગભગ 6000 લોકો એકઠા થયા હતા. હુમલા બાદ તરત જ ઘાયલોની મદદ માટે સુરક્ષા દળોની સાથે 70 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. મહત્વનું છે કે આ હુમલાની જવાબદારી આઈએસએસ દ્વારા લેવામાં આવી છે.   



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.