Terrorist Attack in Russia : મુંબઈ જેવી ઘટના મોસ્કોમાં બની, હોલમાં ફાયરિંગ અને વિસ્ફોટ માર્યા ગયા નિર્દોષ લોકો, આ આતંકવાદી સંગઠને લીધી હમલાની જવાબદારી


  • Published By :
  • Published Date : 2024-03-23 14:01:22

થોડા વર્ષો પહેલા મુંબઈની હોટલમાં આતંકી હુમલો થયો હતો જેમાં અનેક લોકોના મોત થયા હતા. ત્યારે વધુ એક ભયંકર આતંકવાદી હુમલો રશિયાની રાજધાની મોસ્કોમાં આવેલી ક્રોકસ સિટી હોલમાં થયો છે. અંધાધૂધ ફાયરિંગ તેમજ વિસ્ફોટ થવાને કારણે 60 જેટલા લોકોના મોત થઈ ગઈ છે. ઉપરાંત 140થી વધારે લોકો આ હુમલામાં ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર આ હુમલો લડાયક વર્ધીમાં અથવા તો આર્મીના યુનિફોર્મમાં આવ્યા હતા. તેમની પાસે હથિયારો પણ હતા. મળતી માહિતી અનુસાર હોલમાં કોન્સોર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેને કારણે મોટી સંખ્યામાં લોકો પણ હાજર હતા. હુમલાખોરો કોન્સર્ટ હોલમાં ઘૂસી ગયા અને અંધાધૂધ ફાયરિંગ કરવાની શરૂઆત કરી દીધી. 


આંતકી હુમલામાં થયા 60 જેટલા લોકોના મોત

આંતકવાદી હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે. આતંકી હુમલાને કારણે અનેક નિર્દોષ લોકોના જીવ જતા હોય છે. ત્યારે એક ભયંકર આતંકી હુમલાને અંજામ આઈએસઆઈએસ સંગઠન દ્વારા આપવામાં આવ્યો છે. રશિયાની રાજધાનીમાં થયેલા હુમલાની જવાબદારી આઈએસએસ આતંકી સંગઠને લીધી છે. જો આખી ઘટનાની વાત કરીએ તો 23 માર્ચના રોજ, મોસ્કોના પશ્ચિમ કિનારે ક્રોકસ સિટી હોલમાં રશિયન રોક બેન્ડ 'પિકનિક' દ્વારા એક કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ત્યાં  ત્યાં પહોંચ્યા હતા. 



આતંકવાદીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે... 

આ કાર્યક્રમમાં આવેલા કેટલાક લોકોએ દર્શકો પર ખુલ્લેઆમ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. અને બોમ્બબારી શરૂ કરી દીધો. એવી માહિતી સામે આવી છે કે બોમ્બ ધડાકાને કારણે હોલમાં પણ આગ લાગી હતી. ઘણા લોકો હોલની અંદર ફસાઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતાની સાથે જ રશિયન સ્પેશિયલ ફોર્સ ઘટનાસ્થળે પહોંચી અને ત્યાં હાજર આતંકવાદીઓને પકડવા માટે ઓપરેશન હાથ ધર્યું. 


આ હુમલાની જવાબદારી આઈએસએસ દ્વારા લેવામાં આવી છે 

કહેવાય છે કે આતંકીઓ પહેલાથી જ હોલમાં છુપાયેલા હતા. આ ઘટનાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તેમાં  બુલેટનો અવાજ સ્પષ્ટ રીતે સાંભળી શકો છો. તમને જણાવી દઈએ કે જે હોલમાં હુમલો થયો હતો ત્યાં એક સમયે લગભગ 6000 લોકો એકઠા થયા હતા. હુમલા બાદ તરત જ ઘાયલોની મદદ માટે સુરક્ષા દળોની સાથે 70 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. મહત્વનું છે કે આ હુમલાની જવાબદારી આઈએસએસ દ્વારા લેવામાં આવી છે.   



વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે આઝાદીના પર્વ લાલ કિલ્લાની પ્રાચીર પરથી , દેશના યુવાનોને રોજગાર આપવા માટે , "પીએમ વિકસિત ભારત રોજગાર યોજના"ની જાહેરાત કરી હતી. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , "આ યોજનાનો કુલ ખર્ચો ૧ લાખ કરોડ છે સાથે જ આવનારા બે વર્ષમાં ૩.૫ કરોડથી વધારે નોકરીઓનું સર્જન થશે." તો હવે લોકસભાના વિરોધપક્ષના નેતા નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આ યોજનાને લઇને કહ્યું છે કે , "આ ૧ લાખ કરોડનો નવો જુમલો આપવામાં આવ્યો. મોદીજી પાસે નવા કોઈ જ નવા આઈડિયા નથી. "

આજના દિવસે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં વલસાડના ધરમપુર ખાતે કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી હતી. ત્યારે સરકારે એવી જાહેરાત કરી છે કે, આ પ્રોજેક્ટ થવાનો જ નથી ઉપરાંત કોંગ્રેસ આદિવાસીઓને ઉશ્કેરી રહી છે. તો હવે આજે વીડિયોમાં સૌપ્રથમ આપણે સમજીશું કે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ શું છે? એ પણ સમજીશું કોંગ્રેસ કેમ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહી છે.

આણંદ અમુલ નિયામક મંડળની ચૂંટણી જાહેર થઇ ચુકી છે. આ ચૂંટણીઓ ૧૦મી સપ્ટેમ્બરના રોજ યોજાશે. આ માટે આણંદ અમુલ ડેરીએ આખરી મતદાર યાદી પણ પ્રસ્સિદ્ધ કરી નાખી છે. હવે ચૂંટણીનો ધમધમાટ તેજ થવા સાથે ઉમેદવારની દાવેદારી કરવા ઇચ્છતા નેતાઓ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આણંદ નિયામક મંડળની ૧૩ બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં મહિલાઓ માટે બે બેઠકો અનામત રાખવામાં આવી છે.

ભારત દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર પછી , હવે ફરી એકવાર બેઉ દેશ ભારત અને પાકિસ્તાન આરબ સાગરમાં યુદ્ધ અભ્યાસ કરવા જઈ રહ્યા છે . ભારત અને પાકિસ્તાનની નૌકા સેનાઓ બે દિવસો ૧૧ અને ૧૨ ઓગસ્ટ માટે , આરબ સાગરમાં યુદ્ધ અબ્યાસ હાથ ધરશે. બને દેશના ફાયરિંગ ઝોન વચ્ચે ૬૦ નોટિકલ માઈલનું અંતર રહેશે. તો હવે બીજી તરફ પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અમેરિકાની મુલાકાતે છે . જ્યાંથી તેમણે ભારત માટે પરમાણુ બોમ્બની ધમકી ઉચ્ચારી છે.