રાજકોટમાં ઝડપાયેલા 3 આતંકીના 14 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર, અલકાયદા સાથે સાંઠગાંઠ હોવાની શંકા


  • Published By :
  • Published Date : 2023-08-01 21:51:57

ગુજરાત ATSએ ઝડપેલા 3 શંકાસ્પદ આતંકીઓના કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.  આતંકીઓ અમન મલિક, અબ્દુલ શુકુર અને સૈફ નવાઝને રાજકોટના જજ નેહા કારીયાની કોર્ટમાં રજુ કરવામાં આવી હતી. આ ત્રણેયના આગામી 14 તારીખે સાંજે પાંચ વાગ્યા સુધી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. રિમાન્ડ દરમિયાન રજૂ કરવામાં આવેલા મુદ્દાઓને રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને જાહેર કરવામાં નથી આવ્યા. રાજકોટના જજ નેહા કારીયાની કોર્ટમાં રિમાન્ડ અરજી મૂકવામાં આવી હતી. રાજકોટની જ્યુડિશયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રિમાન્ડ અંગેની સુનવણી હાથ ધરવામાં આવી હતી. સરકારી વકીલ તરીકે ભરતભાઈ સોલંકીએ કોર્ટમાં દલીલ કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે ગુજરાત ATSએ સફળ ઓપરેશન કરી, રાજકોટમાંથી આતંકી સંગઠન અલકાયદા (Al Qaeda) સાથે સાંઠગાંઠ ધરાવતા 3 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી છે. અમન મલિક, અબ્દુલ શુકુર અને સૈફ નવાઝ ઉપરાંત અન્ય 8થી 10 લોકોની ધરપકડ કરી હતી.  આ ત્રણેય આતંકી છેલ્લાં 6 મહિનાથી રાજકોટની સોની બજારમાં કામ કરતા હતા.


ATSનાં એસીપીએ આપી જાણકારી


ઝડપાયેલા ત્રણેય આતંકીઓ મુદ્દે ATS દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં ATSનાં એસીપી  ઓમપ્રકાશ જાટે જણાવ્યું હતું કે, આતંકીઓ અંગે એટીએસને માહિતી મળી હતી કે, પશ્ચિમ બંગાળનાં ત્રણ લોકો રાજકોટમાં કામ કરે છે. તેમજ તેઓ અલકાયદા માટે પ્રચાર કરે છે. અને હથિયારની ખરીદી કરી હોવાની પણ બાતમી મળી હતી. ટેકનિકલ સર્વેલન્સનાં આધારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા ત્રણ આરોપીઓસ છેલ્લા 6 મહિનાથી રાજકોટ ખાતે રહેતા હતા. 


NIA કરશે તપાસ 


ગુજરાત ATS દ્વારા થોડા દિવસ પહેલાં પણ અલકાયદા સાથે જોડાયેલા શખ્સોને ઝડપી પાડ્યા હતા. આ લોકો મૂળ પશ્ચિમ બંગાળના રહેવાસી હતા. આ લોકોની વધુ તપાસ NIAને સોંપવામાં આવી હતી. આ તપાસમાં ત્રણ લોકોની વિગતો પણ સામે આવી હતી. આ ઝડપાયેલા પશ્ચિમ બંગાળના શખ્સો અલકાયદાથી પ્રભાવિત થઇને તનો પ્રચાર કરતા હતા.


ઇનપુટના આધારે ગુજરાત ATSએ કરી ધરપકડ


ગુજરાત ATSએ અગાઉ પોરબંદરમાંથી અફઘાનિસ્તાન ભાગી રહેલા ચાર શકમંદોની ધરપકડ કરી હતી. આ પછી ATS ઘણા વધુ શકમંદોની ધરપકડ કરી હતી. બાદમાં આ સમગ્ર મામલો તપાસ માટે NIAને સોંપવામાં આવ્યો હતો. આ પછી એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં ધરપકડ કરાયેલા શકમંદોએ ભારત પરના હુમલા અંગેના શપથ પણ લીધા હતા. હવે ATSએ રાજકોટમાં આ ત્રણ નવા શકમંદોની ધરપકડ કરી છે. PM મોદીની રાજકોટ મુલાકાત બાદ ATSની આ મોટી કાર્યવાહી થઈ છે. PM મોદી ગયા અઠવાડિયે જ રાજકોટની મુલાકાતે આવ્યા હતા. ATSના અધિકારીઓએ તેમની પાસેથી ઘણી વસ્તુઓ રિકવર કરી છે. અધિકારીઓનું કહેવું છે કે, તેઓ સર્વેલન્સમાંથી મળેલા ઇનપુટ પર પકડાયા હતા. વધુ તપાસમાં વધુ કેટલાક ખુલાસા થઈ શકે છે. ગત મહિનામાં ગુજરાત ATS દ્વારા પોરબંદરમાં સૌથી મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતુ.  પોરબંદરમાંથી ગુજરાત ATS દ્વારા મહિલા સહિત ચાર લોકોને દબોચી લીધા હતા. મળતી માહિતી પ્રમાણે આ ચારેય આતંકીઓ અલ કાયદાના સક્રિય ગૃપના સભ્યો છે. આ લોકો છેલ્લા એક વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા. આ અંગેની કાર્યવાહી કરવા માટે IG દિપેન ભદ્રન સહિતનો કાફલો પોરબંદર પહોંચ્યો હતો. ગુપ્ત બાતમીના આધારે પોરબંદર પહોંચીને ગુજરાત ATSએ આ કાવતરાનો પર્દાફાશ કર્યો હતો.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી