જમ્મુ-કશ્મીરના પુલવામામાં લશ્કર કમાન્ડર સહિત બે આતંકી ઠાર, સર્ચ ઓપરેશન ચાલુ


  • Published By :
  • Published Date : 2023-08-21 10:25:30

જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લાના લૈરો-પરિગામ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં લશ્કરે  તોયબાના કમાન્ડર સહિત બે આતંકીઓના મોત થયા છે.  આ ઓપરેશન જમ્મુ કાશ્મિર પોલીસ અને કેન્દ્રિય સુરક્ષા દળોએ સાથે મળીને શરૂ કર્યું છે. 


સેનાએ વિસ્તારને કોર્ડન કર્યો


કશ્મિર ઝોન પોલીસે રવિવારે રાત્રે એનકાઉન્ટર શરૂ થવાની જાણકારી આપી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કશ્મીર ઝોન પોલીસના સત્તાવાર પેજ પર લખ્યું હતું કે પુલવામાના લૈરો-પરિગામ વિસ્તારમાં અથડામણ થઈ છે. પોલીસ અને સુરક્ષા દળોએ વિસ્તારનો કોર્ડન કરી લીધો છે.


ઈનપુટ બાદ સર્ચ ઓપરેશન 


સુરક્ષા દળોને વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગે ગુપ્ત બાતમી મળી હતી. ત્યાર બાદ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન રવિવારે મોડી રાત્રે અથડામણ થઈ. સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરી લીધો હતો. જો કે કેટલા આતંકવાદી છુપાયા છે, ફરી ઓપરેશનમાં સામેલ જવાનોની સંખ્યા અંગે કોઈ પણ જાણકારી મળી નથી. 



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .