જમ્મુ-કશ્મીરના પુલવામામાં લશ્કર કમાન્ડર સહિત બે આતંકી ઠાર, સર્ચ ઓપરેશન ચાલુ


  • Published By :
  • Published Date : 2023-08-21 10:25:30

જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લાના લૈરો-પરિગામ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં લશ્કરે  તોયબાના કમાન્ડર સહિત બે આતંકીઓના મોત થયા છે.  આ ઓપરેશન જમ્મુ કાશ્મિર પોલીસ અને કેન્દ્રિય સુરક્ષા દળોએ સાથે મળીને શરૂ કર્યું છે. 


સેનાએ વિસ્તારને કોર્ડન કર્યો


કશ્મિર ઝોન પોલીસે રવિવારે રાત્રે એનકાઉન્ટર શરૂ થવાની જાણકારી આપી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કશ્મીર ઝોન પોલીસના સત્તાવાર પેજ પર લખ્યું હતું કે પુલવામાના લૈરો-પરિગામ વિસ્તારમાં અથડામણ થઈ છે. પોલીસ અને સુરક્ષા દળોએ વિસ્તારનો કોર્ડન કરી લીધો છે.


ઈનપુટ બાદ સર્ચ ઓપરેશન 


સુરક્ષા દળોને વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગે ગુપ્ત બાતમી મળી હતી. ત્યાર બાદ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન રવિવારે મોડી રાત્રે અથડામણ થઈ. સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરી લીધો હતો. જો કે કેટલા આતંકવાદી છુપાયા છે, ફરી ઓપરેશનમાં સામેલ જવાનોની સંખ્યા અંગે કોઈ પણ જાણકારી મળી નથી. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .