આ તારીખે યોજાશે TETની પરીક્ષા, TET-1 અને TET-2 પરીક્ષાની તારીખો જાહેર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-18 18:40:12

TET-1 અને TET-2 પરીક્ષાની તારીખો જાહેર થઈ ગઈ છે. જે મુજબ TET-1ની પરીક્ષા 16 એપ્રિલના રોજ યોજાશે જ્યારે TET-2ની પરીક્ષા 23 એપ્રિલના રોજ યોજાવાની છે. TET-1માં અંદાજીત 87 હજાર ઉમેદવારો પરીક્ષા આપવાના છે જ્યારે TET-2માં અંદાજે 2 લાખ 72 હજાર ઉમેદવારો પરીક્ષા આપવાના છે.

   

પરીક્ષા અંગે કરવામાં આવી જાહેરાત  

શિક્ષક બનવા માટે TET-TATની પરીક્ષા પાસ કરવી અનિવાર્ય હોય છે. અનેક વર્ષોથી આ પરીક્ષા નથી યોજાઈ. જેને કારણે ઉમેદવારોઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા TET-1 અને  TET-2 માટેની તારીખો જાહેર કરવામાં આવી છે. જે મુજબ TET-1ની પરીક્ષા 16 એપ્રિલના રોજ યોજાશે જ્યારે TET-2ની પરીક્ષા 23 એપ્રિલના રોજ યોજાવાની છે. વર્ષ 2018માં TET-1ની પરીક્ષા માટે 75 હજાર ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જ્યારે TET-2ની પરીક્ષા માટે 2017માં 2 લાખ 15 હજાર જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જ્યારે આ વર્ષે TET-1 ની પરીક્ષા 87 હજાર જેટલા ઉમેદવારો આપશે જ્યારે TET-2ની પરીક્ષા અંદાજીત 2 લાખ 72 હજાર ઉમેદવારો આપવાના છે.  

વર્ષો બાદ આ વર્ષે યોજાઈ રહી છે પરીક્ષા  

મહત્વનું છે ધોરણ 1થી 5ના શિક્ષક બનવું હોય તેને TET-1ની પરીક્ષા આપવી પડતી હોય છે જ્યારે ધોરણ 6થી ધોરણ 8ના શિક્ષક બનવું હોય તો TET-2ની પરીક્ષા આપવી પડતી હોય છે. માર્ચ 2018માં TET-1 ની પરીક્ષા યોજાઈ હતી જ્યારે TET-2ની પરીક્ષા 2017માં યોજાઈ હતી. આ વર્ષે પરીક્ષા યોજાતા ઉમેદવારોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે પરંતુ સાથે સાથેએ ડર પણ છે કે પરીક્ષાનો આરંભ થાય તે પહેલા આ પરીક્ષાનું પેપર ન ફૂટે.    



ગુજરાતમાં કોરોના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. શનિવારે કોરોનાના 372 નવા કેસ નોંધાયા છે. ફરી એક વખત અમદાવાદમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાના 128 કેસ નોંધાયા છે. વડોદરા જિલ્લામાંથી 34, સુરત જિલ્લામાં 35 તેમજ રાજકોટથી 19 કેસ નોંધાયા છે. બનાસકાંઠા જિલ્લામાંથી 14 કેસ નોંધાયા છે. અમરેલી જિલ્લાથી 8 કેસ સામે આવ્યા છે.

દીકરીને ન્યાય મળે તે માટે સમાજ દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા પણ આ મામલે તપાસ ઝડપથી કરવામાં આવી હતી. શનિવારે પોલીસને મોટી સફળતા મળી છે જેમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મહારાષ્ટ્રથી આરોપીને દબોચી લીધો છે.

ગેરકાયદેસર રીતે કોઈપણ દેશમાં લોકો ઘૂસવાની કોશિષ કરતા હોય છે અને જીવન ગુમાવતા હોય છે. ત્યારે કેનેડાથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે બે પરિવારના આઠ સભ્યો મોતને ભેટ્યાં છે. મરનાર લોકોમાં એક પરિવાર ભારતનો હતો.

જયસુખ પટેલ જામીન માટે સતત અરજી કરી રહ્યા છે. આજે પણ જયસુખ પટેલે જામીન માટે અરજી કરી હતી પરંતુ તેમની અરજીને ફગાવી દેવામાં આવી છે. રેગ્યુલર જામીન માટે મોરબી સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી પરંતુ કોર્ટે અરજીને નામંજૂર કરી છે.