આ તારીખે યોજાશે TETની પરીક્ષા, TET-1 અને TET-2 પરીક્ષાની તારીખો જાહેર


  • Published By :
  • Published Date : 2023-03-18 18:40:12

TET-1 અને TET-2 પરીક્ષાની તારીખો જાહેર થઈ ગઈ છે. જે મુજબ TET-1ની પરીક્ષા 16 એપ્રિલના રોજ યોજાશે જ્યારે TET-2ની પરીક્ષા 23 એપ્રિલના રોજ યોજાવાની છે. TET-1માં અંદાજીત 87 હજાર ઉમેદવારો પરીક્ષા આપવાના છે જ્યારે TET-2માં અંદાજે 2 લાખ 72 હજાર ઉમેદવારો પરીક્ષા આપવાના છે.

   

પરીક્ષા અંગે કરવામાં આવી જાહેરાત  

શિક્ષક બનવા માટે TET-TATની પરીક્ષા પાસ કરવી અનિવાર્ય હોય છે. અનેક વર્ષોથી આ પરીક્ષા નથી યોજાઈ. જેને કારણે ઉમેદવારોઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા TET-1 અને  TET-2 માટેની તારીખો જાહેર કરવામાં આવી છે. જે મુજબ TET-1ની પરીક્ષા 16 એપ્રિલના રોજ યોજાશે જ્યારે TET-2ની પરીક્ષા 23 એપ્રિલના રોજ યોજાવાની છે. વર્ષ 2018માં TET-1ની પરીક્ષા માટે 75 હજાર ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જ્યારે TET-2ની પરીક્ષા માટે 2017માં 2 લાખ 15 હજાર જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જ્યારે આ વર્ષે TET-1 ની પરીક્ષા 87 હજાર જેટલા ઉમેદવારો આપશે જ્યારે TET-2ની પરીક્ષા અંદાજીત 2 લાખ 72 હજાર ઉમેદવારો આપવાના છે.  

વર્ષો બાદ આ વર્ષે યોજાઈ રહી છે પરીક્ષા  

મહત્વનું છે ધોરણ 1થી 5ના શિક્ષક બનવું હોય તેને TET-1ની પરીક્ષા આપવી પડતી હોય છે જ્યારે ધોરણ 6થી ધોરણ 8ના શિક્ષક બનવું હોય તો TET-2ની પરીક્ષા આપવી પડતી હોય છે. માર્ચ 2018માં TET-1 ની પરીક્ષા યોજાઈ હતી જ્યારે TET-2ની પરીક્ષા 2017માં યોજાઈ હતી. આ વર્ષે પરીક્ષા યોજાતા ઉમેદવારોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે પરંતુ સાથે સાથેએ ડર પણ છે કે પરીક્ષાનો આરંભ થાય તે પહેલા આ પરીક્ષાનું પેપર ન ફૂટે.    



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.