આ તારીખે યોજાશે TETની પરીક્ષા, TET-1 અને TET-2 પરીક્ષાની તારીખો જાહેર


  • Published By :
  • Published Date : 2023-03-18 18:40:12

TET-1 અને TET-2 પરીક્ષાની તારીખો જાહેર થઈ ગઈ છે. જે મુજબ TET-1ની પરીક્ષા 16 એપ્રિલના રોજ યોજાશે જ્યારે TET-2ની પરીક્ષા 23 એપ્રિલના રોજ યોજાવાની છે. TET-1માં અંદાજીત 87 હજાર ઉમેદવારો પરીક્ષા આપવાના છે જ્યારે TET-2માં અંદાજે 2 લાખ 72 હજાર ઉમેદવારો પરીક્ષા આપવાના છે.

   

પરીક્ષા અંગે કરવામાં આવી જાહેરાત  

શિક્ષક બનવા માટે TET-TATની પરીક્ષા પાસ કરવી અનિવાર્ય હોય છે. અનેક વર્ષોથી આ પરીક્ષા નથી યોજાઈ. જેને કારણે ઉમેદવારોઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા TET-1 અને  TET-2 માટેની તારીખો જાહેર કરવામાં આવી છે. જે મુજબ TET-1ની પરીક્ષા 16 એપ્રિલના રોજ યોજાશે જ્યારે TET-2ની પરીક્ષા 23 એપ્રિલના રોજ યોજાવાની છે. વર્ષ 2018માં TET-1ની પરીક્ષા માટે 75 હજાર ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જ્યારે TET-2ની પરીક્ષા માટે 2017માં 2 લાખ 15 હજાર જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જ્યારે આ વર્ષે TET-1 ની પરીક્ષા 87 હજાર જેટલા ઉમેદવારો આપશે જ્યારે TET-2ની પરીક્ષા અંદાજીત 2 લાખ 72 હજાર ઉમેદવારો આપવાના છે.  

વર્ષો બાદ આ વર્ષે યોજાઈ રહી છે પરીક્ષા  

મહત્વનું છે ધોરણ 1થી 5ના શિક્ષક બનવું હોય તેને TET-1ની પરીક્ષા આપવી પડતી હોય છે જ્યારે ધોરણ 6થી ધોરણ 8ના શિક્ષક બનવું હોય તો TET-2ની પરીક્ષા આપવી પડતી હોય છે. માર્ચ 2018માં TET-1 ની પરીક્ષા યોજાઈ હતી જ્યારે TET-2ની પરીક્ષા 2017માં યોજાઈ હતી. આ વર્ષે પરીક્ષા યોજાતા ઉમેદવારોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે પરંતુ સાથે સાથેએ ડર પણ છે કે પરીક્ષાનો આરંભ થાય તે પહેલા આ પરીક્ષાનું પેપર ન ફૂટે.    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.