TET - TAT પાસ ઉમેદવારોના આંદોલન બાદ CM Bhupendra Patelની અધ્યક્ષતામાં બેઠક, ભરતીના નિયમોની ચર્ચા!


  • Published By :
  • Published Date : 2024-06-29 19:00:14

ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી કાયમી શિક્ષકોની ભરતી અટકેલી છે અને ભરતીની માંગણી સાથે છેલ્લા કેટલાઈ સમયથી આંદોલન કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા ગાંધીનગરમાં ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું હતું. તે બાદ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી ભરતી અંગેની.. હવે શિક્ષકોની ભરતીના મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક બાદ એક મિટિંગ કરી રહ્યા છે તો આજે પણ ભરતી મુદ્દે મિટિંગ થઈ હતી..  

શિક્ષકોની ભરતી મામલે મુખ્યમંત્રી પોતે રાખી રહ્યા છે નજર  

TET-TATના ઉમેદવારો માટે થોડા જ સમયમાં સારા સમાચાર આવી શકે છે કારણકે ઉમેદવારોના આંદોલન બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ વિષય પર નજર રાખી રહ્યા છે. આજે શિક્ષકોની ભરતી સંદર્ભે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી જેમાં નવી ભરતી અને નિયમો બાબતે ચર્ચા કરવામાં આવી છે અને આ પહેલી બેઠક હતી હજુ આગળ પણ બેઠકો થાય બાદમાં નિયમો ફાઇનલ કર્યા બાદ  નોટીફિકેશન જાહેર થવાની શક્યતા છે. આંદોલન બાદ મુખ્યમંત્રી આ ભરતી માટે સીધુ મોનિટરીંગ કરતા હોય તેવી સ્થિતિ લાગી રહી છે.



થોડા દિવસ જાહેરાત કરવામાં આવી કે... 

જોકે જે દિવસે ગાંધીનગરમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું ત્યારે જ મુખ્યમંત્રીએ બેઠક કરી અને જાહેરાત કરી હતી કે આગામી સમયમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે 7500 કાયમી શિક્ષકોની ભરતી થશે. ટાટ 1 અને 2 ક્લિયર કરનાર ઉમેદવારોમાંથી પસંદગી થશે. ત્રણ માસની અંદર ભરતી પ્રક્રિયા શરૂ થશે. આ જાહેરાત મંત્રી ઋષિકેશ પટેલે કરી હતી.. ઉમેદવારોએ આને લોલીપોપ ગણાવ્યો હતો.   


 

મુખ્યમંત્રી પોતે લઈ રહ્યા છે આ મામલે રસ

જાણે કે આ ગુજરાતની આ તાસીર બની ગઈ હોય કે જ્યાં સુધી આંદોલન નહીં થાય, ગાંધીનગરના રસ્તા પર હલ્લાબોલ નહીં થાય જ્યાં સુધી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી નિર્ણય લેવામાં આવતો નથી. ખેર અત્યારે જ્યારે આ વિષય અને ભરતી મુદ્દે મુખ્યમંત્રી રસ બતાવી રહ્યા છે તો એવું લાગી રહ્યું છે કે હવે આ ભરતી થઈ જશે.. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવજો..  



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .