TET - TAT પાસ ઉમેદવારોના આંદોલન બાદ CM Bhupendra Patelની અધ્યક્ષતામાં બેઠક, ભરતીના નિયમોની ચર્ચા!


  • Published By :
  • Published Date : 2024-06-29 19:00:14

ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી કાયમી શિક્ષકોની ભરતી અટકેલી છે અને ભરતીની માંગણી સાથે છેલ્લા કેટલાઈ સમયથી આંદોલન કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા ગાંધીનગરમાં ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું હતું. તે બાદ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી ભરતી અંગેની.. હવે શિક્ષકોની ભરતીના મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક બાદ એક મિટિંગ કરી રહ્યા છે તો આજે પણ ભરતી મુદ્દે મિટિંગ થઈ હતી..  

શિક્ષકોની ભરતી મામલે મુખ્યમંત્રી પોતે રાખી રહ્યા છે નજર  

TET-TATના ઉમેદવારો માટે થોડા જ સમયમાં સારા સમાચાર આવી શકે છે કારણકે ઉમેદવારોના આંદોલન બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ વિષય પર નજર રાખી રહ્યા છે. આજે શિક્ષકોની ભરતી સંદર્ભે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી જેમાં નવી ભરતી અને નિયમો બાબતે ચર્ચા કરવામાં આવી છે અને આ પહેલી બેઠક હતી હજુ આગળ પણ બેઠકો થાય બાદમાં નિયમો ફાઇનલ કર્યા બાદ  નોટીફિકેશન જાહેર થવાની શક્યતા છે. આંદોલન બાદ મુખ્યમંત્રી આ ભરતી માટે સીધુ મોનિટરીંગ કરતા હોય તેવી સ્થિતિ લાગી રહી છે.



થોડા દિવસ જાહેરાત કરવામાં આવી કે... 

જોકે જે દિવસે ગાંધીનગરમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું ત્યારે જ મુખ્યમંત્રીએ બેઠક કરી અને જાહેરાત કરી હતી કે આગામી સમયમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે 7500 કાયમી શિક્ષકોની ભરતી થશે. ટાટ 1 અને 2 ક્લિયર કરનાર ઉમેદવારોમાંથી પસંદગી થશે. ત્રણ માસની અંદર ભરતી પ્રક્રિયા શરૂ થશે. આ જાહેરાત મંત્રી ઋષિકેશ પટેલે કરી હતી.. ઉમેદવારોએ આને લોલીપોપ ગણાવ્યો હતો.   


 

મુખ્યમંત્રી પોતે લઈ રહ્યા છે આ મામલે રસ

જાણે કે આ ગુજરાતની આ તાસીર બની ગઈ હોય કે જ્યાં સુધી આંદોલન નહીં થાય, ગાંધીનગરના રસ્તા પર હલ્લાબોલ નહીં થાય જ્યાં સુધી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી નિર્ણય લેવામાં આવતો નથી. ખેર અત્યારે જ્યારે આ વિષય અને ભરતી મુદ્દે મુખ્યમંત્રી રસ બતાવી રહ્યા છે તો એવું લાગી રહ્યું છે કે હવે આ ભરતી થઈ જશે.. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવજો..  



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.