TET-TAT ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે પણ મંત્રીજી મળતા નહોતા |કોઈ ના આવ્યું તો આ બેન એકલા પહોંચી ગયા!


  • Published By :
  • Published Date : 2024-02-06 11:39:00

ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ અનેક સમયથી ટેટ-ટાટ પાસ ઉમેદવારો કરી રહ્યા છે. એક તરફ ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની કમી છે તો બીજી તરફ શાળામાં શિક્ષકોની ભરતી નથી કરવામાં આવતી! જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ છેલ્લા ઘણા સમયથી ટેટ ટાટ પાસ ઉમેદવારો કરી રહ્યા છે પરંતુ સરકાર તેમનો અવાજ નથી સાંભળી રહી. અનેક વખત રજૂઆત કરવા માટે ઉમેદવારો જાય છે પરંતુ કદાચ તેમને સમય નથી આપવામાં આવતો અને જો કોઈ વખત સમય આપવામાં આવે છે ત્યારે મંત્રીઓ ગોળગોળ જવાબ આપે છે.

ઉમેદવારો કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતીની માગ  

ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી સરકારને વિનંતી કરી રહ્યા છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે છે. જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ ઉમેદવારો કરી રહ્યા છે. સરકાર સુધી અવાજ પહોંચવાડવા માટે અલગ અલગ રસ્તાઓ અપનાવ્યા હતા. કોઈ વખત પતંગ પર માગ લખે છે તો કોઈ વખત નાટકના માધ્યમથી સરકાર સુધી પોતાની માગ પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. જ્યારે જ્યારે આંદોલન કરવા માટે ગાંધીનગર જાય છે ત્યારે ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવે છે.


શિક્ષણ મંત્રી સાથે ઉમેદવારે કરી મુલાકાત 

ત્યારે ટેટ ટાટ પાસ ઉમેદવારે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર તેમજ પ્રફુલ પાન્સેરિયા સાથે મુલાકાત કરી હતી. મહિલા ઉમેદવારે બીજા ઉમેદવારોને આવવા માટે કહ્યું હતું પરંતુ કોઈ ઉમેદવાર ન આવતા મહિલા ઉમેદવાર એકલા પહોંચી ગયા હતા. મંત્રીને રજૂઆત કરી પરંતુ દર વખતની જેમ ઉમેદવારને ગોળ ગોળ વાતો કરી. 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે