TET-TAT ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે પણ મંત્રીજી મળતા નહોતા |કોઈ ના આવ્યું તો આ બેન એકલા પહોંચી ગયા!


  • Published By :
  • Published Date : 2024-02-06 11:39:00

ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ અનેક સમયથી ટેટ-ટાટ પાસ ઉમેદવારો કરી રહ્યા છે. એક તરફ ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની કમી છે તો બીજી તરફ શાળામાં શિક્ષકોની ભરતી નથી કરવામાં આવતી! જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ છેલ્લા ઘણા સમયથી ટેટ ટાટ પાસ ઉમેદવારો કરી રહ્યા છે પરંતુ સરકાર તેમનો અવાજ નથી સાંભળી રહી. અનેક વખત રજૂઆત કરવા માટે ઉમેદવારો જાય છે પરંતુ કદાચ તેમને સમય નથી આપવામાં આવતો અને જો કોઈ વખત સમય આપવામાં આવે છે ત્યારે મંત્રીઓ ગોળગોળ જવાબ આપે છે.

ઉમેદવારો કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતીની માગ  

ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી સરકારને વિનંતી કરી રહ્યા છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે છે. જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ ઉમેદવારો કરી રહ્યા છે. સરકાર સુધી અવાજ પહોંચવાડવા માટે અલગ અલગ રસ્તાઓ અપનાવ્યા હતા. કોઈ વખત પતંગ પર માગ લખે છે તો કોઈ વખત નાટકના માધ્યમથી સરકાર સુધી પોતાની માગ પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. જ્યારે જ્યારે આંદોલન કરવા માટે ગાંધીનગર જાય છે ત્યારે ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવે છે.


શિક્ષણ મંત્રી સાથે ઉમેદવારે કરી મુલાકાત 

ત્યારે ટેટ ટાટ પાસ ઉમેદવારે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર તેમજ પ્રફુલ પાન્સેરિયા સાથે મુલાકાત કરી હતી. મહિલા ઉમેદવારે બીજા ઉમેદવારોને આવવા માટે કહ્યું હતું પરંતુ કોઈ ઉમેદવાર ન આવતા મહિલા ઉમેદવાર એકલા પહોંચી ગયા હતા. મંત્રીને રજૂઆત કરી પરંતુ દર વખતની જેમ ઉમેદવારને ગોળ ગોળ વાતો કરી. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.