TET-TAT ઉમેદવારોએ લીધો નિર્ણય! જો કાયમી નિમણૂક નહીં મળે તો ગાંધીનગરનો ઘેરાવો કરશે? જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-14 12:06:01

ગુજરાતમાં TET-TATના ઉમેદવારો વિરોધ નોંધાવી રહ્યા છે. આંખોમાં હજારો સપનાઓ રાખી અનકે વર્ષો બાદ યોજાયેલી TET-TATની પરીક્ષા ઉમેદવારોએ આપીએ માનીને કે તેમને કાયમી નોકરી મળી જશે. પરંતુ ગુજરાતમાં જ્યારથી ગુજરાત સરકારના શિક્ષણ મંત્રીએ ભરતીની માહિતી આપી છે ત્યારથી વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવી રહ્યા છે. વિરોધ કરી રહેલા ઉમેદવારોનું કહેવું છે કે અમે આટ આટલા વર્ષોથી મહેનત કોન્ટ્રાક્ટની વાળી નોકરી મેળવવા માટે નહોતી કરતી. ઉમેદવારોનું કહેવું છે કે જો શિક્ષકોને જ પોતાના ભવિષ્યની નથી ખબર તે કઈ રીતે વિદ્યાર્થીઓના ભવિષ્યને સવારી શકે? 

છેલ્લા ઘણા સમયથી નથી થઈ શિક્ષકોની ભરતી 

કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે.  ઉમેદવારોનું કહેવું છે કે તેમને તો એ પણ ખબર નથી કે કોન્ટ્રાક્ટ ફરી રીન્યૂ થશે કે નહી. તેમની નોકરી સુરક્ષિત રહેશે. બીજી બાજુ સરકારના પક્ષની વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી શિક્ષકોની મોટી ભરતી નથી થઈ, શિક્ષકોની પણ ઘટ છે જે મામલે તે કામગીરી કરી રહ્યા છે અને શિક્ષકોની ભરતી મામલે એટલીસ્ટ વિચાર્યું તો ખરૂ. એ વાતનો આનંદ છે. 


જો માગ નહીં સ્વીકારાય તો ઉમેદવારો અપનાવશે ગાંધી ચીંધ્યો માર્ગ!

ઉમેદવારો જ્ઞાન સહાયક ભરતીનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. સહાયક ભરતીનો  ઠરાવ રદ કરી , ટેટ ટાટના પાસ ઉમેદવારોને કાયમી ભરતી કરવા મામલે ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો હતો. બનાસકાંઠાના લાખણી વિસ્તારના ટેટ ટાટના ઉમેદવારોએ મામલતદારને રજૂઆત કરી હતી અને આવેદન પાઠવ્યું હતું.. તેમની માગ આમતો આખું ગુજરાત જાણે છે પરંતુ સરકારના કાન સુધી તેમની વાત પહોંચે તે માટે તેમણે પોતાની વ્યથા રજૂ કરી હતી. ઉમેદવારોએ નવા ઠરાર આધારિત જ્ઞાન સહાયક કરાર પદ્ધતિ રદી કરી કાયમી ધોરણે ઉમેદવારોને નિમણૂક આપવા માગ કરી કર્યા છે. ટૂંક સમયમાં જો યોગ્ય નિર્ણય નહીં આવે તો ઉમેદવારોએ ચીમકી ઉચ્ચારી છે કે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે 18 જુલાઈના ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસ કરીને આંદોલન કરવાના છે.

11 મહિનાના કરાર પર સરકાર કરશે જ્ઞાનસહાયક ભરતી

પૂરા મુદ્દાની જો વાત કરીએ તો હમણાજ નવા પ્રસિદ્ધ થયેલા ઠરાવના કારણે વિદ્યાર્થીઓએવું અનુભવી રહ્યા છેકે તેમનીસાથેઅન્યાયથઈ રહ્યોછે... જ્ઞાન સહાયક કે પ્રવાસી શિક્ષકને 11 મહિના કરાર આધારે ભરતી કરવાનીછે...  વિચારકરોજેભણતરત ભણીને ઉમેદવાર 30 વર્ષનો થાય અને લિમિટ જ 35 વર્ષની હોય તો તેમની વાત છે કે અમને અન્યાય થઈ રહ્યો છે.. ટૂંકમાં તેમનું ભવિષ્ય જોખમમાં હોય તેવું લાગી રહ્યું છે... જેના કારણે વિદ્યાર્થીઓ હવે કહી રહ્યા છેકે ગુજરાતના તમામ પીટીસી અને બીએડ કરેલા ઉમેદવારો સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન પર ઉતરવાના છે...



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.