TET-TAT ઉમેદવારોએ લીધો નિર્ણય! જો કાયમી નિમણૂક નહીં મળે તો ગાંધીનગરનો ઘેરાવો કરશે? જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-14 12:06:01

ગુજરાતમાં TET-TATના ઉમેદવારો વિરોધ નોંધાવી રહ્યા છે. આંખોમાં હજારો સપનાઓ રાખી અનકે વર્ષો બાદ યોજાયેલી TET-TATની પરીક્ષા ઉમેદવારોએ આપીએ માનીને કે તેમને કાયમી નોકરી મળી જશે. પરંતુ ગુજરાતમાં જ્યારથી ગુજરાત સરકારના શિક્ષણ મંત્રીએ ભરતીની માહિતી આપી છે ત્યારથી વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવી રહ્યા છે. વિરોધ કરી રહેલા ઉમેદવારોનું કહેવું છે કે અમે આટ આટલા વર્ષોથી મહેનત કોન્ટ્રાક્ટની વાળી નોકરી મેળવવા માટે નહોતી કરતી. ઉમેદવારોનું કહેવું છે કે જો શિક્ષકોને જ પોતાના ભવિષ્યની નથી ખબર તે કઈ રીતે વિદ્યાર્થીઓના ભવિષ્યને સવારી શકે? 

છેલ્લા ઘણા સમયથી નથી થઈ શિક્ષકોની ભરતી 

કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે.  ઉમેદવારોનું કહેવું છે કે તેમને તો એ પણ ખબર નથી કે કોન્ટ્રાક્ટ ફરી રીન્યૂ થશે કે નહી. તેમની નોકરી સુરક્ષિત રહેશે. બીજી બાજુ સરકારના પક્ષની વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી શિક્ષકોની મોટી ભરતી નથી થઈ, શિક્ષકોની પણ ઘટ છે જે મામલે તે કામગીરી કરી રહ્યા છે અને શિક્ષકોની ભરતી મામલે એટલીસ્ટ વિચાર્યું તો ખરૂ. એ વાતનો આનંદ છે. 


જો માગ નહીં સ્વીકારાય તો ઉમેદવારો અપનાવશે ગાંધી ચીંધ્યો માર્ગ!

ઉમેદવારો જ્ઞાન સહાયક ભરતીનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. સહાયક ભરતીનો  ઠરાવ રદ કરી , ટેટ ટાટના પાસ ઉમેદવારોને કાયમી ભરતી કરવા મામલે ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો હતો. બનાસકાંઠાના લાખણી વિસ્તારના ટેટ ટાટના ઉમેદવારોએ મામલતદારને રજૂઆત કરી હતી અને આવેદન પાઠવ્યું હતું.. તેમની માગ આમતો આખું ગુજરાત જાણે છે પરંતુ સરકારના કાન સુધી તેમની વાત પહોંચે તે માટે તેમણે પોતાની વ્યથા રજૂ કરી હતી. ઉમેદવારોએ નવા ઠરાર આધારિત જ્ઞાન સહાયક કરાર પદ્ધતિ રદી કરી કાયમી ધોરણે ઉમેદવારોને નિમણૂક આપવા માગ કરી કર્યા છે. ટૂંક સમયમાં જો યોગ્ય નિર્ણય નહીં આવે તો ઉમેદવારોએ ચીમકી ઉચ્ચારી છે કે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે 18 જુલાઈના ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસ કરીને આંદોલન કરવાના છે.

11 મહિનાના કરાર પર સરકાર કરશે જ્ઞાનસહાયક ભરતી

પૂરા મુદ્દાની જો વાત કરીએ તો હમણાજ નવા પ્રસિદ્ધ થયેલા ઠરાવના કારણે વિદ્યાર્થીઓએવું અનુભવી રહ્યા છેકે તેમનીસાથેઅન્યાયથઈ રહ્યોછે... જ્ઞાન સહાયક કે પ્રવાસી શિક્ષકને 11 મહિના કરાર આધારે ભરતી કરવાનીછે...  વિચારકરોજેભણતરત ભણીને ઉમેદવાર 30 વર્ષનો થાય અને લિમિટ જ 35 વર્ષની હોય તો તેમની વાત છે કે અમને અન્યાય થઈ રહ્યો છે.. ટૂંકમાં તેમનું ભવિષ્ય જોખમમાં હોય તેવું લાગી રહ્યું છે... જેના કારણે વિદ્યાર્થીઓ હવે કહી રહ્યા છેકે ગુજરાતના તમામ પીટીસી અને બીએડ કરેલા ઉમેદવારો સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન પર ઉતરવાના છે...



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.