TET-TAT ઉમેદવારો કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતીની માગ! મંત્રી Devusinh Chauhanની સભામાં જઈ રજૂઆત કરી, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-03-21 15:12:08

શિક્ષક બનવાના સપના અનેક આંખોએ જોયા છે. શિક્ષક બની વિદ્યાર્થીઓને આગળ વધારવાના સપના હજારો લોકોએ જોયા છે. ટેટ ટાટ પાસ ઉમેદવારોએ ઘણી મહેનત કરી હોય છે શિક્ષક બનવા માટે. વર્ષો સુધી પોતાના સપના જોયા હશે કે , મહેનત પણ કરી હોય કે એ આશા સાથે કે તેમને કાયમી નોકરી મળી જશે. પરંતુ આટલી મહેનત કર્યા બાદ પણ તેમના સપના કરાર આધારીત ભરતી પર આવીને અટકી જાય છે. ટેટ ટાટ પાસ ઉમેદવારોએ અનેક વખત રજૂઆત કરી પરંતુ તેમનો અવાજ સાંભળવામાં નથી આવતો. ત્યારે ટેટ ટાટ પાસ ઉમેદવારો પોતાની રજૂઆત કરવા દેવુસિંહ ચૌહાણની સભામાં પહોંચ્યા હતા. 

અલગ અલગ માધ્યમોથી ટેટ ટાટ પાસ ઉમેદવારોએ કરી છે રજૂઆત 

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ટેટ ટાટ પાસ ઉમેદવારો માગ કરી રહ્યા છે કે ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ છેલ્લા ઘણા સમયથી ઉમેદવારો કરી રહ્યા હતા. કરાર આધારિત અંતર્ગત જો શિક્ષકની નોકરી મળે છે તો 11 મહિના બાદ તમારો કરાર પૂર્ણ થઈ જશે અને તમે પાછા બેરોજગાર થઈ જશો.. ઉમેદવારોનું કહેવું હતું કે જે શિક્ષકોનું પોતાનું ભવિષ્ય કાયમ નથી, તે શિક્ષકો કેવી રીતે બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકે? સરકાર સુધી અનેક વખત રજૂઆત કરી કે તેમનો અવાજ સરકાર સુધી પહોંચે, અલગ અલગ માધ્યમો અપનાવ્યા પરંતુ સરકાર સુધી તેમનો અવાજ નથી પહોંચતો. 


સોશિયલ મીડિયા પર ઉમેદવારોએ ચલાવી હતી ઝુંબેશ!

ગાંધીનગર ખાતે પણ વિરોધ કરવા માટે ઉમેદવારો ભેગા થયા હતા અનેક વખત. પરંતુ જ્યારે જ્યારે ઉમેદવારો ભેગા થતા હતા ત્યારે ત્યારે તેમની અટકાયત કરી લેવામાં આવતી અને તેમના અવાજને દબાવી દેવામાં આવતો. તે ઉપરાંત અનેક પ્રકારે વિરોધ દર્શાવવાનો પણ પ્રયત્ન કર્યો છે. સોશિયલ મીડિયાના માધ્યથી અનેક વખત ઝુંબેશ ચલાવી છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. સરકાર તેમની વાત પર મક્કમ છે તો ઉમેદવારો પોતાની માગ પર મક્કમ છે. 


દેવુસિંહ ચૌહાણને કરી રજૂઆત ટેટ ટાટ પાસ ઉમેદવારોએ 

ત્યારે ઉમેદવારોએ ખેડા જિલ્લાના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણને આ અંગે રજૂઆત કરી હતી. સભાને સંબોધતા હતા ત્યારે ઉમેદવારો ત્યાં પહોંચ્યા અને તેમણે પોતાના વાતની રજૂઆત કરી. વાત પરથી એવું લાગતું હતું કે જાણે નેતાને ઉમેદવારોની વાતને સાંભળવી જ નથી!   



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.