TET-TAT ઉમેદવારો કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતીની માગ! મંત્રી Devusinh Chauhanની સભામાં જઈ રજૂઆત કરી, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-03-21 15:12:08

શિક્ષક બનવાના સપના અનેક આંખોએ જોયા છે. શિક્ષક બની વિદ્યાર્થીઓને આગળ વધારવાના સપના હજારો લોકોએ જોયા છે. ટેટ ટાટ પાસ ઉમેદવારોએ ઘણી મહેનત કરી હોય છે શિક્ષક બનવા માટે. વર્ષો સુધી પોતાના સપના જોયા હશે કે , મહેનત પણ કરી હોય કે એ આશા સાથે કે તેમને કાયમી નોકરી મળી જશે. પરંતુ આટલી મહેનત કર્યા બાદ પણ તેમના સપના કરાર આધારીત ભરતી પર આવીને અટકી જાય છે. ટેટ ટાટ પાસ ઉમેદવારોએ અનેક વખત રજૂઆત કરી પરંતુ તેમનો અવાજ સાંભળવામાં નથી આવતો. ત્યારે ટેટ ટાટ પાસ ઉમેદવારો પોતાની રજૂઆત કરવા દેવુસિંહ ચૌહાણની સભામાં પહોંચ્યા હતા. 

અલગ અલગ માધ્યમોથી ટેટ ટાટ પાસ ઉમેદવારોએ કરી છે રજૂઆત 

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ટેટ ટાટ પાસ ઉમેદવારો માગ કરી રહ્યા છે કે ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ છેલ્લા ઘણા સમયથી ઉમેદવારો કરી રહ્યા હતા. કરાર આધારિત અંતર્ગત જો શિક્ષકની નોકરી મળે છે તો 11 મહિના બાદ તમારો કરાર પૂર્ણ થઈ જશે અને તમે પાછા બેરોજગાર થઈ જશો.. ઉમેદવારોનું કહેવું હતું કે જે શિક્ષકોનું પોતાનું ભવિષ્ય કાયમ નથી, તે શિક્ષકો કેવી રીતે બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકે? સરકાર સુધી અનેક વખત રજૂઆત કરી કે તેમનો અવાજ સરકાર સુધી પહોંચે, અલગ અલગ માધ્યમો અપનાવ્યા પરંતુ સરકાર સુધી તેમનો અવાજ નથી પહોંચતો. 


સોશિયલ મીડિયા પર ઉમેદવારોએ ચલાવી હતી ઝુંબેશ!

ગાંધીનગર ખાતે પણ વિરોધ કરવા માટે ઉમેદવારો ભેગા થયા હતા અનેક વખત. પરંતુ જ્યારે જ્યારે ઉમેદવારો ભેગા થતા હતા ત્યારે ત્યારે તેમની અટકાયત કરી લેવામાં આવતી અને તેમના અવાજને દબાવી દેવામાં આવતો. તે ઉપરાંત અનેક પ્રકારે વિરોધ દર્શાવવાનો પણ પ્રયત્ન કર્યો છે. સોશિયલ મીડિયાના માધ્યથી અનેક વખત ઝુંબેશ ચલાવી છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. સરકાર તેમની વાત પર મક્કમ છે તો ઉમેદવારો પોતાની માગ પર મક્કમ છે. 


દેવુસિંહ ચૌહાણને કરી રજૂઆત ટેટ ટાટ પાસ ઉમેદવારોએ 

ત્યારે ઉમેદવારોએ ખેડા જિલ્લાના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણને આ અંગે રજૂઆત કરી હતી. સભાને સંબોધતા હતા ત્યારે ઉમેદવારો ત્યાં પહોંચ્યા અને તેમણે પોતાના વાતની રજૂઆત કરી. વાત પરથી એવું લાગતું હતું કે જાણે નેતાને ઉમેદવારોની વાતને સાંભળવી જ નથી!   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.