TET-TAT ઉમેદવારો કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતીની માગ! મંત્રી Devusinh Chauhanની સભામાં જઈ રજૂઆત કરી, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-03-21 15:12:08

શિક્ષક બનવાના સપના અનેક આંખોએ જોયા છે. શિક્ષક બની વિદ્યાર્થીઓને આગળ વધારવાના સપના હજારો લોકોએ જોયા છે. ટેટ ટાટ પાસ ઉમેદવારોએ ઘણી મહેનત કરી હોય છે શિક્ષક બનવા માટે. વર્ષો સુધી પોતાના સપના જોયા હશે કે , મહેનત પણ કરી હોય કે એ આશા સાથે કે તેમને કાયમી નોકરી મળી જશે. પરંતુ આટલી મહેનત કર્યા બાદ પણ તેમના સપના કરાર આધારીત ભરતી પર આવીને અટકી જાય છે. ટેટ ટાટ પાસ ઉમેદવારોએ અનેક વખત રજૂઆત કરી પરંતુ તેમનો અવાજ સાંભળવામાં નથી આવતો. ત્યારે ટેટ ટાટ પાસ ઉમેદવારો પોતાની રજૂઆત કરવા દેવુસિંહ ચૌહાણની સભામાં પહોંચ્યા હતા. 

અલગ અલગ માધ્યમોથી ટેટ ટાટ પાસ ઉમેદવારોએ કરી છે રજૂઆત 

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ટેટ ટાટ પાસ ઉમેદવારો માગ કરી રહ્યા છે કે ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ છેલ્લા ઘણા સમયથી ઉમેદવારો કરી રહ્યા હતા. કરાર આધારિત અંતર્ગત જો શિક્ષકની નોકરી મળે છે તો 11 મહિના બાદ તમારો કરાર પૂર્ણ થઈ જશે અને તમે પાછા બેરોજગાર થઈ જશો.. ઉમેદવારોનું કહેવું હતું કે જે શિક્ષકોનું પોતાનું ભવિષ્ય કાયમ નથી, તે શિક્ષકો કેવી રીતે બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકે? સરકાર સુધી અનેક વખત રજૂઆત કરી કે તેમનો અવાજ સરકાર સુધી પહોંચે, અલગ અલગ માધ્યમો અપનાવ્યા પરંતુ સરકાર સુધી તેમનો અવાજ નથી પહોંચતો. 


સોશિયલ મીડિયા પર ઉમેદવારોએ ચલાવી હતી ઝુંબેશ!

ગાંધીનગર ખાતે પણ વિરોધ કરવા માટે ઉમેદવારો ભેગા થયા હતા અનેક વખત. પરંતુ જ્યારે જ્યારે ઉમેદવારો ભેગા થતા હતા ત્યારે ત્યારે તેમની અટકાયત કરી લેવામાં આવતી અને તેમના અવાજને દબાવી દેવામાં આવતો. તે ઉપરાંત અનેક પ્રકારે વિરોધ દર્શાવવાનો પણ પ્રયત્ન કર્યો છે. સોશિયલ મીડિયાના માધ્યથી અનેક વખત ઝુંબેશ ચલાવી છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. સરકાર તેમની વાત પર મક્કમ છે તો ઉમેદવારો પોતાની માગ પર મક્કમ છે. 


દેવુસિંહ ચૌહાણને કરી રજૂઆત ટેટ ટાટ પાસ ઉમેદવારોએ 

ત્યારે ઉમેદવારોએ ખેડા જિલ્લાના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણને આ અંગે રજૂઆત કરી હતી. સભાને સંબોધતા હતા ત્યારે ઉમેદવારો ત્યાં પહોંચ્યા અને તેમણે પોતાના વાતની રજૂઆત કરી. વાત પરથી એવું લાગતું હતું કે જાણે નેતાને ઉમેદવારોની વાતને સાંભળવી જ નથી!   



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.