TET-TATના ઉમેદવારોએ શિક્ષણમંત્રીની ટ્વિટ પર વ્યક્ત કર્યો રોષ, જાણો શિક્ષણમંત્રીએ શું કરી હતી ટ્વિટ


  • Published By :
  • Published Date : 2023-09-05 17:08:36

સમગ્ર દેશમાં આજે શિક્ષક દિવસની ઉજવણી થઈ રહી છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં બાળકોને ભણાવવા શિક્ષકો પોતાના જીવનને સમર્પિત કરી દેતા હોય છે. એવા અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં શિક્ષકો પોતાના ખર્ચે શાળાઓ તૈયાર કરે છે અને બાળકોને ભણાવે છે. ત્યારે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે એક ટ્વિટ કરી છે જેમાં એક ન્યુઝ પેપર કટિંગ છે. એ પેપર કટિંગમાં એક શિક્ષક દ્વારા કરવામાં આવેલી પ્રેરણાદાયક કહાણી છે. શિક્ષકે 20 લાખ રુપિયા ભેગા કરીને ડુંગર કોતરાવીને પ્રાથમિક સ્કૂલ બનાવી છે.

ડુંગર કોતરાવીને શિક્ષકે બનાવી પ્રાથમિક શાળા 

બાળકોના ઘડતરમાં શિક્ષકોનું યોગદાન મહત્વપૂર્ણ હોય છે. શાળામાં ન માત્ર બાળકોનું પરંતુ દેશના ભાવિનું ઘડતર થાય છે. પાંચ સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતને વિકાસશીલ, ગતિશિલ ગજરાત કહેવામાં આવે છે પરંતુ આજે પણ અંતરિયાળ વિસ્તાર એવા છે જ્યાં પાકા રસ્તા નથી પહોંચ્યા, પાણી નથી પહોંચ્યું, શાળાઓ નથી પહોંચ્યું. અનેક શિક્ષકો એવા પણ છે જે પોતાના ખર્ચે અથવા તો ફાળો ઉઘરાવી શાળા તૈયાર કરાવે છે. ત્યારે ભાવનગર ખાતે શાળા બનાવવા માટે જગ્યા તો ફાળવી પરંતુ તે જગ્યા ડુંગરોની વચ્ચે હતી. માત્ર એક રૂમ થાય તેટલી જ જગ્યા હતી. ત્યારે બાળકોના ભવિષ્ય સાથે ચેડા ન થાય તે માટે શિક્ષકે 20 લાખ ભેગા કર્યા અને ડુંગરને કોતરાવવની કામગીરી શરૂ કરી. અને પછી પ્રાથમિક શાળાનું નિર્માણ કર્યું.


શિક્ષણમંત્રીની ટ્વિટ પર ટેટ-ટાટના ઉમેદવારોએ વ્યક્ત કર્યો રોષ   

ત્યારે પ્રશ્ન એ થાય કે જગ્યાની ફાળવણી કરતા પહેલા શું સરકારને જગ્યાની વાસ્તવિક્તા ખબર નહીં હોય? ડુંગરો છે તેવી જાણ સરકારને ખબર નહીં હોય? જે જગ્યાએ શાળા બનાવવા માટે આપી છે તેની જાણકારી શું સરકારને નહીં હોય? જ્યારે શિક્ષકે આખી કામગીરી કરી તે દરમિયાન સરકારની ફરજ નતી કે સરકાર તેમની મદદ કરે. શિક્ષણમંત્રીની આ ટ્વિટ પર ટેટ ટાટના ઉમેદવારો આક્રોશ ઠાલવી રહ્યા છે. જે પ્રમાણે પોલીસે તેમની સાથે વર્તન કર્યું તેને લઈ ટેટ-ટાટના ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.