TET-TATના ઉમેદવારોએ શિક્ષણમંત્રીની ટ્વિટ પર વ્યક્ત કર્યો રોષ, જાણો શિક્ષણમંત્રીએ શું કરી હતી ટ્વિટ


  • Published By :
  • Published Date : 2023-09-05 17:08:36

સમગ્ર દેશમાં આજે શિક્ષક દિવસની ઉજવણી થઈ રહી છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં બાળકોને ભણાવવા શિક્ષકો પોતાના જીવનને સમર્પિત કરી દેતા હોય છે. એવા અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં શિક્ષકો પોતાના ખર્ચે શાળાઓ તૈયાર કરે છે અને બાળકોને ભણાવે છે. ત્યારે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે એક ટ્વિટ કરી છે જેમાં એક ન્યુઝ પેપર કટિંગ છે. એ પેપર કટિંગમાં એક શિક્ષક દ્વારા કરવામાં આવેલી પ્રેરણાદાયક કહાણી છે. શિક્ષકે 20 લાખ રુપિયા ભેગા કરીને ડુંગર કોતરાવીને પ્રાથમિક સ્કૂલ બનાવી છે.

ડુંગર કોતરાવીને શિક્ષકે બનાવી પ્રાથમિક શાળા 

બાળકોના ઘડતરમાં શિક્ષકોનું યોગદાન મહત્વપૂર્ણ હોય છે. શાળામાં ન માત્ર બાળકોનું પરંતુ દેશના ભાવિનું ઘડતર થાય છે. પાંચ સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતને વિકાસશીલ, ગતિશિલ ગજરાત કહેવામાં આવે છે પરંતુ આજે પણ અંતરિયાળ વિસ્તાર એવા છે જ્યાં પાકા રસ્તા નથી પહોંચ્યા, પાણી નથી પહોંચ્યું, શાળાઓ નથી પહોંચ્યું. અનેક શિક્ષકો એવા પણ છે જે પોતાના ખર્ચે અથવા તો ફાળો ઉઘરાવી શાળા તૈયાર કરાવે છે. ત્યારે ભાવનગર ખાતે શાળા બનાવવા માટે જગ્યા તો ફાળવી પરંતુ તે જગ્યા ડુંગરોની વચ્ચે હતી. માત્ર એક રૂમ થાય તેટલી જ જગ્યા હતી. ત્યારે બાળકોના ભવિષ્ય સાથે ચેડા ન થાય તે માટે શિક્ષકે 20 લાખ ભેગા કર્યા અને ડુંગરને કોતરાવવની કામગીરી શરૂ કરી. અને પછી પ્રાથમિક શાળાનું નિર્માણ કર્યું.


શિક્ષણમંત્રીની ટ્વિટ પર ટેટ-ટાટના ઉમેદવારોએ વ્યક્ત કર્યો રોષ   

ત્યારે પ્રશ્ન એ થાય કે જગ્યાની ફાળવણી કરતા પહેલા શું સરકારને જગ્યાની વાસ્તવિક્તા ખબર નહીં હોય? ડુંગરો છે તેવી જાણ સરકારને ખબર નહીં હોય? જે જગ્યાએ શાળા બનાવવા માટે આપી છે તેની જાણકારી શું સરકારને નહીં હોય? જ્યારે શિક્ષકે આખી કામગીરી કરી તે દરમિયાન સરકારની ફરજ નતી કે સરકાર તેમની મદદ કરે. શિક્ષણમંત્રીની આ ટ્વિટ પર ટેટ ટાટના ઉમેદવારો આક્રોશ ઠાલવી રહ્યા છે. જે પ્રમાણે પોલીસે તેમની સાથે વર્તન કર્યું તેને લઈ ટેટ-ટાટના ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે.  



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.