TET-TATના ઉમેદવારોએ શિક્ષણમંત્રીની ટ્વિટ પર વ્યક્ત કર્યો રોષ, જાણો શિક્ષણમંત્રીએ શું કરી હતી ટ્વિટ


  • Published By :
  • Published Date : 2023-09-05 17:08:36

સમગ્ર દેશમાં આજે શિક્ષક દિવસની ઉજવણી થઈ રહી છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં બાળકોને ભણાવવા શિક્ષકો પોતાના જીવનને સમર્પિત કરી દેતા હોય છે. એવા અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં શિક્ષકો પોતાના ખર્ચે શાળાઓ તૈયાર કરે છે અને બાળકોને ભણાવે છે. ત્યારે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે એક ટ્વિટ કરી છે જેમાં એક ન્યુઝ પેપર કટિંગ છે. એ પેપર કટિંગમાં એક શિક્ષક દ્વારા કરવામાં આવેલી પ્રેરણાદાયક કહાણી છે. શિક્ષકે 20 લાખ રુપિયા ભેગા કરીને ડુંગર કોતરાવીને પ્રાથમિક સ્કૂલ બનાવી છે.

ડુંગર કોતરાવીને શિક્ષકે બનાવી પ્રાથમિક શાળા 

બાળકોના ઘડતરમાં શિક્ષકોનું યોગદાન મહત્વપૂર્ણ હોય છે. શાળામાં ન માત્ર બાળકોનું પરંતુ દેશના ભાવિનું ઘડતર થાય છે. પાંચ સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતને વિકાસશીલ, ગતિશિલ ગજરાત કહેવામાં આવે છે પરંતુ આજે પણ અંતરિયાળ વિસ્તાર એવા છે જ્યાં પાકા રસ્તા નથી પહોંચ્યા, પાણી નથી પહોંચ્યું, શાળાઓ નથી પહોંચ્યું. અનેક શિક્ષકો એવા પણ છે જે પોતાના ખર્ચે અથવા તો ફાળો ઉઘરાવી શાળા તૈયાર કરાવે છે. ત્યારે ભાવનગર ખાતે શાળા બનાવવા માટે જગ્યા તો ફાળવી પરંતુ તે જગ્યા ડુંગરોની વચ્ચે હતી. માત્ર એક રૂમ થાય તેટલી જ જગ્યા હતી. ત્યારે બાળકોના ભવિષ્ય સાથે ચેડા ન થાય તે માટે શિક્ષકે 20 લાખ ભેગા કર્યા અને ડુંગરને કોતરાવવની કામગીરી શરૂ કરી. અને પછી પ્રાથમિક શાળાનું નિર્માણ કર્યું.


શિક્ષણમંત્રીની ટ્વિટ પર ટેટ-ટાટના ઉમેદવારોએ વ્યક્ત કર્યો રોષ   

ત્યારે પ્રશ્ન એ થાય કે જગ્યાની ફાળવણી કરતા પહેલા શું સરકારને જગ્યાની વાસ્તવિક્તા ખબર નહીં હોય? ડુંગરો છે તેવી જાણ સરકારને ખબર નહીં હોય? જે જગ્યાએ શાળા બનાવવા માટે આપી છે તેની જાણકારી શું સરકારને નહીં હોય? જ્યારે શિક્ષકે આખી કામગીરી કરી તે દરમિયાન સરકારની ફરજ નતી કે સરકાર તેમની મદદ કરે. શિક્ષણમંત્રીની આ ટ્વિટ પર ટેટ ટાટના ઉમેદવારો આક્રોશ ઠાલવી રહ્યા છે. જે પ્રમાણે પોલીસે તેમની સાથે વર્તન કર્યું તેને લઈ ટેટ-ટાટના ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.