TET-TATના ઉમેદવારોને મળી નિરાશા, જ્ઞાનસહાયક રદ્દ કરાવા માટે PMOને લખી હતી ચિઠ્ઠી, સાંભળો PMOથી ઉમેદવારને શું મળ્યો જવાબ?


  • Published By :
  • Published Date : 2023-09-30 11:47:26

ગુજરાતમાં ભાવિ શિક્ષકો લડી લેવાના મૂડમાં છે. શિક્ષકોની કાયમી ભરતી થાય તે માટે તે આંદોલન કરી રહ્યા છે. કરાર આધારિત ભરતીને રદ્દ કરવામાં આવે તે માટે અલગ અલગ માર્ગ અપનાવ્યો હતો. TET-TAT પાસ શિક્ષકોએ શરૂઆતના સમયે ગુજરાત મુખ્યમંત્રી કાર્યાલય, પ્રધાનમંત્રી કાર્યાલય, શિવજી અને હનુમાનજીને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે ગુજરાત સરકારની જ્ઞાન સહાયક યોજના મામલે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. ગુજરાતના લગભગ દોઢ લાખ શિક્ષકોએ પ્રધાનમંત્રીને પત્ર લખ્યો હતો જેનો જવાબ મળ્યો હતો. 

પીએમો કાર્યલયથી આવ્યો જવાબ

ગુજરાતના શિક્ષકો ગુજરાત સરકારની કરાર આધારીત જ્ઞાન સહાયક ભરતી સામે જાણે મોરચો માંડ્યો છે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે એક પત્ર સામે આવ્યો છે. આ પત્ર પ્રધાનમંત્રી કાર્યાલયનો છે. ગુજરાતના શિક્ષકોએ બહુ સમય પહેલા પ્રધાનમંત્રી કાર્યાલયમાં પત્ર લખ્યો હતો તેનો જવાબ અત્યારે આવ્યો છે. જવાબમાં તેમણે કહ્યું કે રાજ્યકક્ષામાં ભરતી પ્રોસેસ ચાલુ છે. આનાથી અમારે કોઈ લેવા-દેવા નથી. આ જવાબ એ ઉમેદવારને આપવામાં આવ્યો જેમણે ચિઠ્ઠી લખી હતી.

પીએમ કાર્યાલયથી ઉમેદવારોને નથી મળ્યો સરખો જવાબ!

ટૂંકમાં પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી નવી શિક્ષણ નીતિ અંતર્ગત જવાબ આપવામાં આવ્યો છે. કહેવામાં આવ્યું છે કે જ્ઞાન સહાયકની ભરતી પ્રક્રિયા ચાલુ છે જે ધ્યાને લઈ અરજી પર કોઈ કાર્યવાહી કરવાની નથી રહેતી. ટૂંકમાં સરકારની બાજુથી વાત કરીએ તો તેમણે પોતાનો સત્તાવાર જવાબ પ્રધાનમંત્રી કાર્યાલયથી આપી દીધો છે અને ટેટ ટાટ પાસ શિક્ષકો અથવા જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરતા શિક્ષકો તરફથી વાત કરીએ તો તેમને યોગ્ય જવાબ નથી મળ્યો કારણ કે તે તો યોજના જ રદ કરવાની વાત કરી રહ્યા છે. 

ભગવાનને પણ પત્ર લખી ઉમેદવારોએ કરી રજૂઆત

ટેટ ટાટના શિક્ષકો હવે ગાંધીનગર તો આવી શકતા નથી કારણ કે તે આવે અને વિરોધ કરે તેના પહેલા તો ઘરેથી જ તેમની ધરપકડ થઈ જાય છે. આગળ કઈ રીતે રણનીતિ રહેશે એ જોવાનું રહેશે કારણ કે જ્યાંથી તેમને કંઈક આશા હતી તે તો કામ ન લાગી. મહત્વનું છે કે અલગ અલગ રીતે સરકાર સુધી તેમનો અવાજ પહોંચે તે માટે આંદોલન કરી રહ્યા છે. ભોળેનાથને પત્ર લખ્યો, હનુમાનજીને પત્ર લખ્યો, ગણપતિજીને પત્ર લખ્યો. મહત્વનું છે કે અનંત પટેલ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.