TET-TATના ઉમેદવારોને મળી નિરાશા, જ્ઞાનસહાયક રદ્દ કરાવા માટે PMOને લખી હતી ચિઠ્ઠી, સાંભળો PMOથી ઉમેદવારને શું મળ્યો જવાબ?


  • Published By :
  • Published Date : 2023-09-30 11:47:26

ગુજરાતમાં ભાવિ શિક્ષકો લડી લેવાના મૂડમાં છે. શિક્ષકોની કાયમી ભરતી થાય તે માટે તે આંદોલન કરી રહ્યા છે. કરાર આધારિત ભરતીને રદ્દ કરવામાં આવે તે માટે અલગ અલગ માર્ગ અપનાવ્યો હતો. TET-TAT પાસ શિક્ષકોએ શરૂઆતના સમયે ગુજરાત મુખ્યમંત્રી કાર્યાલય, પ્રધાનમંત્રી કાર્યાલય, શિવજી અને હનુમાનજીને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે ગુજરાત સરકારની જ્ઞાન સહાયક યોજના મામલે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. ગુજરાતના લગભગ દોઢ લાખ શિક્ષકોએ પ્રધાનમંત્રીને પત્ર લખ્યો હતો જેનો જવાબ મળ્યો હતો. 

પીએમો કાર્યલયથી આવ્યો જવાબ

ગુજરાતના શિક્ષકો ગુજરાત સરકારની કરાર આધારીત જ્ઞાન સહાયક ભરતી સામે જાણે મોરચો માંડ્યો છે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે એક પત્ર સામે આવ્યો છે. આ પત્ર પ્રધાનમંત્રી કાર્યાલયનો છે. ગુજરાતના શિક્ષકોએ બહુ સમય પહેલા પ્રધાનમંત્રી કાર્યાલયમાં પત્ર લખ્યો હતો તેનો જવાબ અત્યારે આવ્યો છે. જવાબમાં તેમણે કહ્યું કે રાજ્યકક્ષામાં ભરતી પ્રોસેસ ચાલુ છે. આનાથી અમારે કોઈ લેવા-દેવા નથી. આ જવાબ એ ઉમેદવારને આપવામાં આવ્યો જેમણે ચિઠ્ઠી લખી હતી.

પીએમ કાર્યાલયથી ઉમેદવારોને નથી મળ્યો સરખો જવાબ!

ટૂંકમાં પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી નવી શિક્ષણ નીતિ અંતર્ગત જવાબ આપવામાં આવ્યો છે. કહેવામાં આવ્યું છે કે જ્ઞાન સહાયકની ભરતી પ્રક્રિયા ચાલુ છે જે ધ્યાને લઈ અરજી પર કોઈ કાર્યવાહી કરવાની નથી રહેતી. ટૂંકમાં સરકારની બાજુથી વાત કરીએ તો તેમણે પોતાનો સત્તાવાર જવાબ પ્રધાનમંત્રી કાર્યાલયથી આપી દીધો છે અને ટેટ ટાટ પાસ શિક્ષકો અથવા જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરતા શિક્ષકો તરફથી વાત કરીએ તો તેમને યોગ્ય જવાબ નથી મળ્યો કારણ કે તે તો યોજના જ રદ કરવાની વાત કરી રહ્યા છે. 

ભગવાનને પણ પત્ર લખી ઉમેદવારોએ કરી રજૂઆત

ટેટ ટાટના શિક્ષકો હવે ગાંધીનગર તો આવી શકતા નથી કારણ કે તે આવે અને વિરોધ કરે તેના પહેલા તો ઘરેથી જ તેમની ધરપકડ થઈ જાય છે. આગળ કઈ રીતે રણનીતિ રહેશે એ જોવાનું રહેશે કારણ કે જ્યાંથી તેમને કંઈક આશા હતી તે તો કામ ન લાગી. મહત્વનું છે કે અલગ અલગ રીતે સરકાર સુધી તેમનો અવાજ પહોંચે તે માટે આંદોલન કરી રહ્યા છે. ભોળેનાથને પત્ર લખ્યો, હનુમાનજીને પત્ર લખ્યો, ગણપતિજીને પત્ર લખ્યો. મહત્વનું છે કે અનંત પટેલ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.