TET-TATના ઉમેદવારોને મળી નિરાશા, જ્ઞાનસહાયક રદ્દ કરાવા માટે PMOને લખી હતી ચિઠ્ઠી, સાંભળો PMOથી ઉમેદવારને શું મળ્યો જવાબ?


  • Published By :
  • Published Date : 2023-09-30 11:47:26

ગુજરાતમાં ભાવિ શિક્ષકો લડી લેવાના મૂડમાં છે. શિક્ષકોની કાયમી ભરતી થાય તે માટે તે આંદોલન કરી રહ્યા છે. કરાર આધારિત ભરતીને રદ્દ કરવામાં આવે તે માટે અલગ અલગ માર્ગ અપનાવ્યો હતો. TET-TAT પાસ શિક્ષકોએ શરૂઆતના સમયે ગુજરાત મુખ્યમંત્રી કાર્યાલય, પ્રધાનમંત્રી કાર્યાલય, શિવજી અને હનુમાનજીને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે ગુજરાત સરકારની જ્ઞાન સહાયક યોજના મામલે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. ગુજરાતના લગભગ દોઢ લાખ શિક્ષકોએ પ્રધાનમંત્રીને પત્ર લખ્યો હતો જેનો જવાબ મળ્યો હતો. 

પીએમો કાર્યલયથી આવ્યો જવાબ

ગુજરાતના શિક્ષકો ગુજરાત સરકારની કરાર આધારીત જ્ઞાન સહાયક ભરતી સામે જાણે મોરચો માંડ્યો છે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે એક પત્ર સામે આવ્યો છે. આ પત્ર પ્રધાનમંત્રી કાર્યાલયનો છે. ગુજરાતના શિક્ષકોએ બહુ સમય પહેલા પ્રધાનમંત્રી કાર્યાલયમાં પત્ર લખ્યો હતો તેનો જવાબ અત્યારે આવ્યો છે. જવાબમાં તેમણે કહ્યું કે રાજ્યકક્ષામાં ભરતી પ્રોસેસ ચાલુ છે. આનાથી અમારે કોઈ લેવા-દેવા નથી. આ જવાબ એ ઉમેદવારને આપવામાં આવ્યો જેમણે ચિઠ્ઠી લખી હતી.

પીએમ કાર્યાલયથી ઉમેદવારોને નથી મળ્યો સરખો જવાબ!

ટૂંકમાં પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી નવી શિક્ષણ નીતિ અંતર્ગત જવાબ આપવામાં આવ્યો છે. કહેવામાં આવ્યું છે કે જ્ઞાન સહાયકની ભરતી પ્રક્રિયા ચાલુ છે જે ધ્યાને લઈ અરજી પર કોઈ કાર્યવાહી કરવાની નથી રહેતી. ટૂંકમાં સરકારની બાજુથી વાત કરીએ તો તેમણે પોતાનો સત્તાવાર જવાબ પ્રધાનમંત્રી કાર્યાલયથી આપી દીધો છે અને ટેટ ટાટ પાસ શિક્ષકો અથવા જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરતા શિક્ષકો તરફથી વાત કરીએ તો તેમને યોગ્ય જવાબ નથી મળ્યો કારણ કે તે તો યોજના જ રદ કરવાની વાત કરી રહ્યા છે. 

ભગવાનને પણ પત્ર લખી ઉમેદવારોએ કરી રજૂઆત

ટેટ ટાટના શિક્ષકો હવે ગાંધીનગર તો આવી શકતા નથી કારણ કે તે આવે અને વિરોધ કરે તેના પહેલા તો ઘરેથી જ તેમની ધરપકડ થઈ જાય છે. આગળ કઈ રીતે રણનીતિ રહેશે એ જોવાનું રહેશે કારણ કે જ્યાંથી તેમને કંઈક આશા હતી તે તો કામ ન લાગી. મહત્વનું છે કે અલગ અલગ રીતે સરકાર સુધી તેમનો અવાજ પહોંચે તે માટે આંદોલન કરી રહ્યા છે. ભોળેનાથને પત્ર લખ્યો, હનુમાનજીને પત્ર લખ્યો, ગણપતિજીને પત્ર લખ્યો. મહત્વનું છે કે અનંત પટેલ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.