જ્ઞાનસહાયકનો વિરોધ કરવા TET-TATના ઉમેદવારો ઉતર્યા રસ્તા પર, જો કાયમી ભરતી નહીં કરવામાં આવે તો... સાંભળો શેની ઉચ્ચારવામાં આવી ચિમકી?


  • Published By :
  • Published Date : 2023-09-04 08:58:01

કાયમી ભરતીની માગ કરી રહેલા TET-TATના ઉમેદવારો હવે લડી લેવાના મૂડમાં લાગે છે. જ્ઞાનસહાયકને રદ્દ કરવામાં આવે અને શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે. હજી સુધી એવા વીડિયો સામે આવતા હતા જેમાં ઉમેદવારો ગાંધીનગર તરફ આગેકૂચ કરી રહ્યા હોય. ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હોય. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં ટેટ ટાટના ઉમેદવારો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. 

અનેક જગ્યાઓ પર ઉમેદવારોએ કર્યો જ્ઞાન સહાયકનો વિરોઘ 

એક તરફ ગુજરાતમાં અનેક શાળાઓ એવી છે જે માત્ર એક શિક્ષકના સહારે ચાલે છે. એક શિક્ષક જ શાળાની બધી જવાબદારી સંભાળી રહ્યા છે તો બીજી તરફ સરકારે જ્ઞાન સહાયકની ભરતી કરવાનો નિર્ણય લીધો છે. જ્ઞાન સહાયક નાબુદ કરી શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ ઉમેદવારો કરી રહ્યા છે. સરકાર સુધી પોતાની માગ પહોંચાડવા ઉમેદવારો અલગ અલગ માધ્યમોથી વિરોધ દર્શાવી રહ્યા છે. ગુજરાતના અનેક ખુણાઓમાં ટેટ ટાટના ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. હનુમાનજીને પત્ર લખી પોતાની વેદના વ્યક્ત કરી હતી. તે સિવાય કોઈ સ્થળેથી આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી. તો ક્યાંક રામધૂન બોલાવવામાં આવી હતી અને કાયમી ભરતી કરવામાં  આવે તેવી માગ કરવામાં આવી હતી.


જમાવટને અનેક વખત કરી છે ઉમેદવારોએ રજૂઆત 

મહત્વનું છે કે જમાવટને પણ ઉમેદવારોએ અનેક વખત રજૂઆત કરી છે. જમાવટની ઓફિસે પોતાની વાત રજૂ કરવા જ્યારે ઉમેદવારો આવ્યા છે ત્યારે તેમની આંખોમાંથી આંસુ નિકળી પડ્યા છે. પોતાને પડતી મુશ્કેલી વિશે માહિતી આપતા તેમની આંખો ભીની થઈ ગઈ હતી. પોતાના જીવનના આટલા વર્ષો શિક્ષક બનવા પાછળ આપ્યા, પરીક્ષામાં પણ પાસ થયા પરંતુ છેલ્લે તેમને મળી રહી છે કરાર આધારીત નોકરી. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં  આવે તેવી તેમની માગ છે. હવે જોવું રહ્યું આ આંદોલન કઈ દિશામાં આગળ વધે છે.   



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી