જ્ઞાનસહાયકનો વિરોધ કરવા TET-TATના ઉમેદવારો ઉતર્યા રસ્તા પર, જો કાયમી ભરતી નહીં કરવામાં આવે તો... સાંભળો શેની ઉચ્ચારવામાં આવી ચિમકી?


  • Published By :
  • Published Date : 2023-09-04 08:58:01

કાયમી ભરતીની માગ કરી રહેલા TET-TATના ઉમેદવારો હવે લડી લેવાના મૂડમાં લાગે છે. જ્ઞાનસહાયકને રદ્દ કરવામાં આવે અને શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે. હજી સુધી એવા વીડિયો સામે આવતા હતા જેમાં ઉમેદવારો ગાંધીનગર તરફ આગેકૂચ કરી રહ્યા હોય. ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હોય. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં ટેટ ટાટના ઉમેદવારો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. 

અનેક જગ્યાઓ પર ઉમેદવારોએ કર્યો જ્ઞાન સહાયકનો વિરોઘ 

એક તરફ ગુજરાતમાં અનેક શાળાઓ એવી છે જે માત્ર એક શિક્ષકના સહારે ચાલે છે. એક શિક્ષક જ શાળાની બધી જવાબદારી સંભાળી રહ્યા છે તો બીજી તરફ સરકારે જ્ઞાન સહાયકની ભરતી કરવાનો નિર્ણય લીધો છે. જ્ઞાન સહાયક નાબુદ કરી શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ ઉમેદવારો કરી રહ્યા છે. સરકાર સુધી પોતાની માગ પહોંચાડવા ઉમેદવારો અલગ અલગ માધ્યમોથી વિરોધ દર્શાવી રહ્યા છે. ગુજરાતના અનેક ખુણાઓમાં ટેટ ટાટના ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. હનુમાનજીને પત્ર લખી પોતાની વેદના વ્યક્ત કરી હતી. તે સિવાય કોઈ સ્થળેથી આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી. તો ક્યાંક રામધૂન બોલાવવામાં આવી હતી અને કાયમી ભરતી કરવામાં  આવે તેવી માગ કરવામાં આવી હતી.


જમાવટને અનેક વખત કરી છે ઉમેદવારોએ રજૂઆત 

મહત્વનું છે કે જમાવટને પણ ઉમેદવારોએ અનેક વખત રજૂઆત કરી છે. જમાવટની ઓફિસે પોતાની વાત રજૂ કરવા જ્યારે ઉમેદવારો આવ્યા છે ત્યારે તેમની આંખોમાંથી આંસુ નિકળી પડ્યા છે. પોતાને પડતી મુશ્કેલી વિશે માહિતી આપતા તેમની આંખો ભીની થઈ ગઈ હતી. પોતાના જીવનના આટલા વર્ષો શિક્ષક બનવા પાછળ આપ્યા, પરીક્ષામાં પણ પાસ થયા પરંતુ છેલ્લે તેમને મળી રહી છે કરાર આધારીત નોકરી. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં  આવે તેવી તેમની માગ છે. હવે જોવું રહ્યું આ આંદોલન કઈ દિશામાં આગળ વધે છે.   



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.