TET-TATના ઉમેદવારોની છલકાઈ વેદના, લખ્યું' 12 પાસ વાળાની , તલાટીની અને LRDજેવી બધી જ ભરતી કાયમી ધોરણે થશે, પરંતુ...'


  • Published By :
  • Published Date : 2023-09-01 13:04:42

સામાન્ય રીતે આપણે લોકોને કહેતા સાંભળતા હોઈએ છીએ કે ભણવાનો કોઈ અર્થ નથી, તે ગમે તટેલું ભણી લો પરંતુ છેલ્લે તો તમારે નોકરી જ કરવાની છે. આવી વાતો અનેક વખત આપણે સાંભળી હશે, ત્યારે આવી જ વાત TET-TATના ઉમેદવારો કરી રહ્યા છે. એક તરફ ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે તો બીજા તરફ શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવતી નથી. કરાર આધારિત ભરતીનો વિરોધ ઉમેદવારો કરી રહ્યા છે. સરકાર જ્ઞાનસહાયકને નાબુદ કરે તેવી તેમની માગ છે. પોતાની રજૂઆત સરકાર સમક્ષ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ દરેક વખતે તેમને રોકી દેવામાં આવતા હતા.  


જમાવટને મળે છે અનેક રજૂઆત 

ત્યારે જમાવટની ઓફિસમાં ઉમેદવારો રજૂઆત કરવા આવતા હોય છે પરંતુ જમાવટના મોબાઈલ પર પણ આને લઈ અનેક મેસેજો આવતા હોય છે. ત્યારે એક મેસેજ અમને મળ્યો છે જેમાં ઉમેદવારે એક વ્યાજબી સવાલ પૂછ્યો છે. ભણવા પાછળ અનેક વર્ષો વિતાવ્યા પછી પણ, અનેક ડિગ્રી મેળવ્યા પછી પણ જો તેમને પોતાના ભવિષ્ય માટે લડવું પડતું હોય તો આ ભણતર શું કામનું? જે મેસેજ તેમણે મોકલ્યો છે તેને શબ્દસહ રાખવામાં આવ્યો છે. પોતાની વેદના રજૂ કરતી તેઓ કહી રહ્યા છે...

  

કેવી કરુણતાની વાત છે ગુજરાત રાજ્યની 

12 પાસ વાળાની , તલાટીની અને LRDજેવી બધી જ ભરતી કાયમી ધોરણે થશે.

સ્નાતક, અનુસ્નાતક, બી.એડ,એમ.એડ ,એમ.એસ.સી,એમ.કોમ અને દ્વી સ્તરીય ટેટ/ટાટ પરીક્ષા પાસ કરેલા વિદ્યાર્થીઓની 11 માસ ના કરાર પર ભરતી થશે...

વાહ વાહ મારું ગતિશીલ ગુજરાત..


બીજો એક મેસેજ પણ આવ્યો છે જેમાં લખવામાં આવ્યું છે કે 

નમસ્કાર સાહેબ શ્રી,       

ભારતનું ભાવિ તેના વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે.અને દેશના ભાવિને ઘડનાર, ખુદ શિક્ષકનું ભાવિ અંધરમય અને અસલામત ન બની જાય ,તેમજ રાજ્યના લાખો વિદ્યાર્થીઓ તેમજ હજારો ભાવિ શિક્ષકોના સમૂહ હિતને ધ્યાનમાં લઈને જ્ઞાન સહાયક  યોજનામાં જરૂરી ફેરફાર કરીને ચોક્કસ સમય બાદ જ્ઞાન સહાયકને (હાલની વિદ્યા સહાયક યોજના મુજબ ) શિક્ષકને કાયમી કરવામાં આવે તેવી નમ્ર વિનંતી.                          વિકસિત અને વિકાસશીલ એવા ગુજરાત રાજ્યમાં 11 માસ ના કરાર આધરતિ હંગામી જ્ઞાન સહાયક ભરતીના બદલે કાયમી શિક્ષક ભરતી કરવા માટે રાજ્યના હજારો ટેટ ટાટ પાસ ઉમેદવારો તેમજ તેમના પરિવારજનો આપશ્રી સમક્ષ નમ્ર રજૂઆત કરી રહ્યા છીએ.       

- લિ. ટેટ ટાટ પાસ ઉમેદવારો



ઉમેદવારો કરતા રહે છે નેતાઓને કરાર પર રાખવાની વાત  

મહત્વનું છે કે અમે જ્યારે જ્યારે આ મુદ્દાને ઉઠાવ્યો છે ત્યારે ત્યારે ઉમેદવારો નેતાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમનું કહેવું હતું કે જો નેતાઓને કરાર આધારિત રાખવામાં આવે તો તેમને ઉમેદવારોની પીડાનો અહેસાસ થાય. ઉલ્લેખનિય છે કે સારી નોકરી મેળવવા માટે અનેક વર્ષો સુધી તેમણે મહેનત કરી હોય, અનેક વર્ષો જિંદગીના શિક્ષક બનવા પાછળ આપ્યા હોય.


આગળ વધશે આંદોલન કે પછી થઈ જશે શાંત?

પરીક્ષા પણ પાસ કરી દીધી હોય પરંતુ જ્યારે નોકરી મેળવવાની વાત આવે ત્યારે તેમને કરાર પર રાખવામાં આવે છે. જ્ઞાનસહાયક નાબુદ થાય તેવી ઉમેદવારોની માગ છે. હવે જોવું રહ્યું કે ઉમેદવારો દ્વારા શરૂ કરવામાં આવેલું આંદોલન કોઈ રંગ લાવે  છે કે નહીં? પોતાની લડત ઉમેદવારો ચાલુ રાખે છે કે નહીં તે તો સમય જ બતાવશે.    



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.