TET-TATના ઉમેદવારોની છલકાઈ વેદના, લખ્યું' 12 પાસ વાળાની , તલાટીની અને LRDજેવી બધી જ ભરતી કાયમી ધોરણે થશે, પરંતુ...'


  • Published By :
  • Published Date : 2023-09-01 13:04:42

સામાન્ય રીતે આપણે લોકોને કહેતા સાંભળતા હોઈએ છીએ કે ભણવાનો કોઈ અર્થ નથી, તે ગમે તટેલું ભણી લો પરંતુ છેલ્લે તો તમારે નોકરી જ કરવાની છે. આવી વાતો અનેક વખત આપણે સાંભળી હશે, ત્યારે આવી જ વાત TET-TATના ઉમેદવારો કરી રહ્યા છે. એક તરફ ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે તો બીજા તરફ શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવતી નથી. કરાર આધારિત ભરતીનો વિરોધ ઉમેદવારો કરી રહ્યા છે. સરકાર જ્ઞાનસહાયકને નાબુદ કરે તેવી તેમની માગ છે. પોતાની રજૂઆત સરકાર સમક્ષ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ દરેક વખતે તેમને રોકી દેવામાં આવતા હતા.  


જમાવટને મળે છે અનેક રજૂઆત 

ત્યારે જમાવટની ઓફિસમાં ઉમેદવારો રજૂઆત કરવા આવતા હોય છે પરંતુ જમાવટના મોબાઈલ પર પણ આને લઈ અનેક મેસેજો આવતા હોય છે. ત્યારે એક મેસેજ અમને મળ્યો છે જેમાં ઉમેદવારે એક વ્યાજબી સવાલ પૂછ્યો છે. ભણવા પાછળ અનેક વર્ષો વિતાવ્યા પછી પણ, અનેક ડિગ્રી મેળવ્યા પછી પણ જો તેમને પોતાના ભવિષ્ય માટે લડવું પડતું હોય તો આ ભણતર શું કામનું? જે મેસેજ તેમણે મોકલ્યો છે તેને શબ્દસહ રાખવામાં આવ્યો છે. પોતાની વેદના રજૂ કરતી તેઓ કહી રહ્યા છે...

  

કેવી કરુણતાની વાત છે ગુજરાત રાજ્યની 

12 પાસ વાળાની , તલાટીની અને LRDજેવી બધી જ ભરતી કાયમી ધોરણે થશે.

સ્નાતક, અનુસ્નાતક, બી.એડ,એમ.એડ ,એમ.એસ.સી,એમ.કોમ અને દ્વી સ્તરીય ટેટ/ટાટ પરીક્ષા પાસ કરેલા વિદ્યાર્થીઓની 11 માસ ના કરાર પર ભરતી થશે...

વાહ વાહ મારું ગતિશીલ ગુજરાત..


બીજો એક મેસેજ પણ આવ્યો છે જેમાં લખવામાં આવ્યું છે કે 

નમસ્કાર સાહેબ શ્રી,       

ભારતનું ભાવિ તેના વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે.અને દેશના ભાવિને ઘડનાર, ખુદ શિક્ષકનું ભાવિ અંધરમય અને અસલામત ન બની જાય ,તેમજ રાજ્યના લાખો વિદ્યાર્થીઓ તેમજ હજારો ભાવિ શિક્ષકોના સમૂહ હિતને ધ્યાનમાં લઈને જ્ઞાન સહાયક  યોજનામાં જરૂરી ફેરફાર કરીને ચોક્કસ સમય બાદ જ્ઞાન સહાયકને (હાલની વિદ્યા સહાયક યોજના મુજબ ) શિક્ષકને કાયમી કરવામાં આવે તેવી નમ્ર વિનંતી.                          વિકસિત અને વિકાસશીલ એવા ગુજરાત રાજ્યમાં 11 માસ ના કરાર આધરતિ હંગામી જ્ઞાન સહાયક ભરતીના બદલે કાયમી શિક્ષક ભરતી કરવા માટે રાજ્યના હજારો ટેટ ટાટ પાસ ઉમેદવારો તેમજ તેમના પરિવારજનો આપશ્રી સમક્ષ નમ્ર રજૂઆત કરી રહ્યા છીએ.       

- લિ. ટેટ ટાટ પાસ ઉમેદવારો



ઉમેદવારો કરતા રહે છે નેતાઓને કરાર પર રાખવાની વાત  

મહત્વનું છે કે અમે જ્યારે જ્યારે આ મુદ્દાને ઉઠાવ્યો છે ત્યારે ત્યારે ઉમેદવારો નેતાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમનું કહેવું હતું કે જો નેતાઓને કરાર આધારિત રાખવામાં આવે તો તેમને ઉમેદવારોની પીડાનો અહેસાસ થાય. ઉલ્લેખનિય છે કે સારી નોકરી મેળવવા માટે અનેક વર્ષો સુધી તેમણે મહેનત કરી હોય, અનેક વર્ષો જિંદગીના શિક્ષક બનવા પાછળ આપ્યા હોય.


આગળ વધશે આંદોલન કે પછી થઈ જશે શાંત?

પરીક્ષા પણ પાસ કરી દીધી હોય પરંતુ જ્યારે નોકરી મેળવવાની વાત આવે ત્યારે તેમને કરાર પર રાખવામાં આવે છે. જ્ઞાનસહાયક નાબુદ થાય તેવી ઉમેદવારોની માગ છે. હવે જોવું રહ્યું કે ઉમેદવારો દ્વારા શરૂ કરવામાં આવેલું આંદોલન કોઈ રંગ લાવે  છે કે નહીં? પોતાની લડત ઉમેદવારો ચાલુ રાખે છે કે નહીં તે તો સમય જ બતાવશે.    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.