TET-TATના ઉમેદવારોએ જ્ઞાન સહાયકનો વિરોધ તો કર્યો પણ સાથે સાથે ફોર્મ પણ ભર્યા? જાણો હજી સુધી કેટલા ફોર્મ ભરાયા?


  • Published By :
  • Published Date : 2023-09-07 16:31:38

છેલ્લા ઘણા સમયથી ટેટ-ટાટના ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. જ્ઞાન સહાયક યોજનાને નાબુદ કરવામાં આવે તેવી તેમની માગ છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે. એક તરફ ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે તો બીજી તરફ અનેક ઉમેદવારોએ ફોર્મ ભરી દીધું છે. જ્ઞાન સહાયક યોજના   જ્યારથી લાવવાની વાત શરૂ થઈ ત્યારથી TET-TATના ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. પરંતુ જ્યારે ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવી ઉમેદવારોને એવું લાગ્યુ કે કોઈએ ફોર્મ નથી ભર્યા પણ આવું નથી. 23 હજારથી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હોવાનું સામે આવ્યું છે.  

 23 હજારથી વધુ ઉમેદવારોએ ભરી દીધા છે ફોર્મ 

ગાંધીનગર ખાતે શિક્ષક દિવસના દિવસે ટેટ-ટાટના ઉમેદવારો વિરોધ પ્રદર્શન કરવા માટે ગયા હતા. રજૂઆત કરે તે પહેલા જ પોલીસ દ્વારા તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. એક તરફ અનેક ઉમેદવારો જ્ઞાનસહાયકનો વિરોધ કરી રહ્યા છે. યોજનાને નાબુદ કરવાની વાત કરી રહ્યા છે તો બીજી તરફ અનેક ઉમેદવારો એવા છે જેમણે જ્ઞાન સહાયકનું ફોર્મ ભર્યું છે. ઉમેદવારોના વિરોધ વચ્ચે  શિક્ષણ વિભાગે જ્ઞાન સહાયકોની ભરતી માટે અરજી સ્વીકારવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે, જેમાં અત્યાર સુધીમાં 23 હજારથી વધુ ઉમેદવારોએ અરજી કરી છે.


11 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે 

ધોરણ 1થી 12 સુધી શિક્ષકોની જેટલી ખાલી જગ્યા છે, તેની સામે જ્ઞાન સહાયકની ભરતી માટે 23060 ઉમેદવારોએ અરજી કરી હોવાનું બહાર આવ્યું છે. જ્ઞાન સહાયકની ભરતી માટે ઓનલાઇન અરજી સ્વીકારવાની અંતિમ તારીખ 11 સપ્ટેમ્બર છે, જ્યારે 6 સપ્ટેમ્બર બપોર સુધીમાં માધ્યમિક સ્કૂલના જ્ઞાન સહાયક માટે 17,723 અને પ્રાથમિકના જ્ઞાન સહાયક માટે 5337 ઉમેદવારોની અરજી મળી છે.



ઉમેદવારોએ કરી હતી હનુમાનજીને રજૂઆત 

હજુ 11 સપ્ટેમ્બર સુધીમાં અરજી સ્વીકારવાની હોવાથી તેમાં વધારો થશે તેવું શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે કહ્યું હતું એટલુંજ નહીં એવું પણ કહ્યું  જ્ઞાન સહાયકનો વિરોધ કરવાવાળા વિરોધ કરે છે, પણ વાસ્તવિકતા એ પણ છે કે, 23060 ઉમેદવારોએ ભરતી માટે અરજી કરી છે. રાજ્ય સરકારે પ્રવાસી શિક્ષકોની જગ્યાએ શિક્ષણની ગુણવત્તા સુધરે તેટલા માટે જ્ઞાન સહાયકની ભરતી કરવા જઈ રહી છે. જોકે ગઈ કાલે જ્ઞાન સહાયકની કરાર આધારિત ભરતીના સરકારના નિર્ણય સામે ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ ડભોડિયા હનુમાનજી સમક્ષ પોતાનું આવેદન પત્ર મૂકી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. હવે જોવું રહ્યું કે આ સંઘ કાશીએ પહોંચે છે કે નહીં?



અમદાવાદમાં ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનના ભાગ રૂપે ચંડોળામાં આજે પણ ફેઝ 2ની કામગીરી ચાલુ જ છે . ચંડોળા તળાવમાં આવેલી તમામ મસ્જિદ સહિતના ધાર્મિક સ્થાનોને તોડવાની શરૂઆત કરવામાં આવી છે. આ કામગીરી દરમ્યાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ક્રાઇમ બ્રાન્ચ સહીત પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો આવો જાણીએ ચંડોળામાં ચાલી રહેલા ફેઝ ૨ના મેગા ડિમોલિશન વિશે.

પાછલા ઘણા સમયથી પાકિસ્તાનમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે . ભારતની વિરુદ્ધમાં જે આતંકીઓએ ભૂતકાળમાં આતંકવાદી હુમલાઓની સાજીશ કરી હતી તે આંતકીઓની હવે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હત્યા થઇ રહી છે. આ ક્રમમાં હવે લશ્કરના આતંકી સૈફુલ્લા ખાલિદનો નંબર આવ્યો છે . જેની હત્યા અજાણ્યા હુમલાવરો દ્વારા કરી દેવાઈ છે. તેની પર આરોપ હતો કે ૨૦૦૬માં RSSના નાગપુર સ્થિત મુખ્યાલય પરના અટેકનો તે માસ્ટરમાઈન્ડ હતો . પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ત્રણ ગનમેન દ્વારા સૈફુલ્લા ખાલિદની હત્યા કર દેવાઈ છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ લઇને આજે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે , ભારતીય સેનાએ સ્પષ્ટ કરી દીધું છે કે , પાકિસ્તાન સાથે DGMO સ્તરની કોઈ પણ વાતચીત આજે નઈ થાય . સીઝફાયર ચાલુ જ રહેશે. બેઉ દેશોના DGMO એટલેકે , ડિરેક્ટોરેટ જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ વચ્ચે આજે કોઈ જ સંવાદ નથી થવા જઈ રહ્યો .

રક્ષામંત્રી રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત ગુજરાત પ્રવાસે છે. આજે રક્ષામંત્રી રાજનાથસિંહ ભુજ એરબેઝની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં તેઓ એરફોર્સે , BSF અને આર્મીના અધિકારીઓ - જવાનોને મળીને ચર્ચા કરીને સરહદ પરની સુરક્ષા અંગે સમીક્ષા કરી છે. આ સાથેજ રક્ષામંત્રી રાજનાથ સિંહ ગુજરાતમાં ભારત - પાકિસ્તાન સરહદના વિવિધ વિસ્તારોની મુલાકાત પણ કરી છે. તો આવો જાણીએ રક્ષામંત્રી રાજનાથ સિંહના પ્રવાસ વિશે.