TET-TATના ઉમેદવારોએ જ્ઞાન સહાયકનો વિરોધ તો કર્યો પણ સાથે સાથે ફોર્મ પણ ભર્યા? જાણો હજી સુધી કેટલા ફોર્મ ભરાયા?


  • Published By :
  • Published Date : 2023-09-07 16:31:38

છેલ્લા ઘણા સમયથી ટેટ-ટાટના ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. જ્ઞાન સહાયક યોજનાને નાબુદ કરવામાં આવે તેવી તેમની માગ છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે. એક તરફ ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે તો બીજી તરફ અનેક ઉમેદવારોએ ફોર્મ ભરી દીધું છે. જ્ઞાન સહાયક યોજના   જ્યારથી લાવવાની વાત શરૂ થઈ ત્યારથી TET-TATના ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. પરંતુ જ્યારે ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવી ઉમેદવારોને એવું લાગ્યુ કે કોઈએ ફોર્મ નથી ભર્યા પણ આવું નથી. 23 હજારથી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હોવાનું સામે આવ્યું છે.  

 23 હજારથી વધુ ઉમેદવારોએ ભરી દીધા છે ફોર્મ 

ગાંધીનગર ખાતે શિક્ષક દિવસના દિવસે ટેટ-ટાટના ઉમેદવારો વિરોધ પ્રદર્શન કરવા માટે ગયા હતા. રજૂઆત કરે તે પહેલા જ પોલીસ દ્વારા તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. એક તરફ અનેક ઉમેદવારો જ્ઞાનસહાયકનો વિરોધ કરી રહ્યા છે. યોજનાને નાબુદ કરવાની વાત કરી રહ્યા છે તો બીજી તરફ અનેક ઉમેદવારો એવા છે જેમણે જ્ઞાન સહાયકનું ફોર્મ ભર્યું છે. ઉમેદવારોના વિરોધ વચ્ચે  શિક્ષણ વિભાગે જ્ઞાન સહાયકોની ભરતી માટે અરજી સ્વીકારવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે, જેમાં અત્યાર સુધીમાં 23 હજારથી વધુ ઉમેદવારોએ અરજી કરી છે.


11 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે 

ધોરણ 1થી 12 સુધી શિક્ષકોની જેટલી ખાલી જગ્યા છે, તેની સામે જ્ઞાન સહાયકની ભરતી માટે 23060 ઉમેદવારોએ અરજી કરી હોવાનું બહાર આવ્યું છે. જ્ઞાન સહાયકની ભરતી માટે ઓનલાઇન અરજી સ્વીકારવાની અંતિમ તારીખ 11 સપ્ટેમ્બર છે, જ્યારે 6 સપ્ટેમ્બર બપોર સુધીમાં માધ્યમિક સ્કૂલના જ્ઞાન સહાયક માટે 17,723 અને પ્રાથમિકના જ્ઞાન સહાયક માટે 5337 ઉમેદવારોની અરજી મળી છે.



ઉમેદવારોએ કરી હતી હનુમાનજીને રજૂઆત 

હજુ 11 સપ્ટેમ્બર સુધીમાં અરજી સ્વીકારવાની હોવાથી તેમાં વધારો થશે તેવું શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે કહ્યું હતું એટલુંજ નહીં એવું પણ કહ્યું  જ્ઞાન સહાયકનો વિરોધ કરવાવાળા વિરોધ કરે છે, પણ વાસ્તવિકતા એ પણ છે કે, 23060 ઉમેદવારોએ ભરતી માટે અરજી કરી છે. રાજ્ય સરકારે પ્રવાસી શિક્ષકોની જગ્યાએ શિક્ષણની ગુણવત્તા સુધરે તેટલા માટે જ્ઞાન સહાયકની ભરતી કરવા જઈ રહી છે. જોકે ગઈ કાલે જ્ઞાન સહાયકની કરાર આધારિત ભરતીના સરકારના નિર્ણય સામે ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ ડભોડિયા હનુમાનજી સમક્ષ પોતાનું આવેદન પત્ર મૂકી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. હવે જોવું રહ્યું કે આ સંઘ કાશીએ પહોંચે છે કે નહીં?



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.