TET-TATના ઉમેદવારોએ જ્ઞાન સહાયકનો વિરોધ તો કર્યો પણ સાથે સાથે ફોર્મ પણ ભર્યા? જાણો હજી સુધી કેટલા ફોર્મ ભરાયા?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-07 16:31:38

છેલ્લા ઘણા સમયથી ટેટ-ટાટના ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. જ્ઞાન સહાયક યોજનાને નાબુદ કરવામાં આવે તેવી તેમની માગ છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે. એક તરફ ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે તો બીજી તરફ અનેક ઉમેદવારોએ ફોર્મ ભરી દીધું છે. જ્ઞાન સહાયક યોજના   જ્યારથી લાવવાની વાત શરૂ થઈ ત્યારથી TET-TATના ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. પરંતુ જ્યારે ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવી ઉમેદવારોને એવું લાગ્યુ કે કોઈએ ફોર્મ નથી ભર્યા પણ આવું નથી. 23 હજારથી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હોવાનું સામે આવ્યું છે.  

 23 હજારથી વધુ ઉમેદવારોએ ભરી દીધા છે ફોર્મ 

ગાંધીનગર ખાતે શિક્ષક દિવસના દિવસે ટેટ-ટાટના ઉમેદવારો વિરોધ પ્રદર્શન કરવા માટે ગયા હતા. રજૂઆત કરે તે પહેલા જ પોલીસ દ્વારા તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. એક તરફ અનેક ઉમેદવારો જ્ઞાનસહાયકનો વિરોધ કરી રહ્યા છે. યોજનાને નાબુદ કરવાની વાત કરી રહ્યા છે તો બીજી તરફ અનેક ઉમેદવારો એવા છે જેમણે જ્ઞાન સહાયકનું ફોર્મ ભર્યું છે. ઉમેદવારોના વિરોધ વચ્ચે  શિક્ષણ વિભાગે જ્ઞાન સહાયકોની ભરતી માટે અરજી સ્વીકારવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે, જેમાં અત્યાર સુધીમાં 23 હજારથી વધુ ઉમેદવારોએ અરજી કરી છે.


11 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે 

ધોરણ 1થી 12 સુધી શિક્ષકોની જેટલી ખાલી જગ્યા છે, તેની સામે જ્ઞાન સહાયકની ભરતી માટે 23060 ઉમેદવારોએ અરજી કરી હોવાનું બહાર આવ્યું છે. જ્ઞાન સહાયકની ભરતી માટે ઓનલાઇન અરજી સ્વીકારવાની અંતિમ તારીખ 11 સપ્ટેમ્બર છે, જ્યારે 6 સપ્ટેમ્બર બપોર સુધીમાં માધ્યમિક સ્કૂલના જ્ઞાન સહાયક માટે 17,723 અને પ્રાથમિકના જ્ઞાન સહાયક માટે 5337 ઉમેદવારોની અરજી મળી છે.



ઉમેદવારોએ કરી હતી હનુમાનજીને રજૂઆત 

હજુ 11 સપ્ટેમ્બર સુધીમાં અરજી સ્વીકારવાની હોવાથી તેમાં વધારો થશે તેવું શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે કહ્યું હતું એટલુંજ નહીં એવું પણ કહ્યું  જ્ઞાન સહાયકનો વિરોધ કરવાવાળા વિરોધ કરે છે, પણ વાસ્તવિકતા એ પણ છે કે, 23060 ઉમેદવારોએ ભરતી માટે અરજી કરી છે. રાજ્ય સરકારે પ્રવાસી શિક્ષકોની જગ્યાએ શિક્ષણની ગુણવત્તા સુધરે તેટલા માટે જ્ઞાન સહાયકની ભરતી કરવા જઈ રહી છે. જોકે ગઈ કાલે જ્ઞાન સહાયકની કરાર આધારિત ભરતીના સરકારના નિર્ણય સામે ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ ડભોડિયા હનુમાનજી સમક્ષ પોતાનું આવેદન પત્ર મૂકી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. હવે જોવું રહ્યું કે આ સંઘ કાશીએ પહોંચે છે કે નહીં?



ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..

મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અનેક કેરીનો રસ બનાવતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે..