TET-TATના ઉમેદવારો ફરિયાદો લઈ Jamawat પહોંચ્યાં, સાંભળો Gandhinagar પોતાની રજૂઆત માટે જઈ રહેલા ઉમેદવારોની આપવીતી


  • Published By :
  • Published Date : 2023-08-25 11:37:46

ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે TET-TATના ઉમેદવારો ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. જ્ઞાનસહાયક નીતિને નાબુદ કરવામાં આવે તેવી ઉમેદવારોની માગ છે. કરાર આધારિત ભરતીને નાબુદ કરી શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે અનેક વખત રજૂઆત કરવા માટે ઉમેદવારો ગાંધીનગર ગયા હતા. અનેક વખત સરકારને પોતાની રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમનો અવાજ ગાંધીનગરમાં બેઠેલા મંત્રીઓ, અધિકારીઓ સુધી પહોંચે તે પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવતી. કાયમી શિક્ષકની ભરતી કરવા માટે અનેક વખત સરકારને રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ દર વખતે તે ગાંધીનગર પહોંચે તે પહેલા જ તેમને રોકી લેવામાં આવતા હતા.

જમાવટની ઓફિસે પહોંચ્યા TET-TATના ઉમેદવાર

શિક્ષકો માટે આચાર્ય ચાણક્ય કહેતા હતા કે એક શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ ઉન્કી ગોદમેં પલતે હેં... ત્યારે એવી પરિસ્થતિનું નિર્માણ થયું છે શિક્ષકો બનવા ઈચ્છુક ઉમેદવારો સરકાર સામે લડી લેવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. ગાંધીનગર સુધી પોતાની વાતને રજૂ કરવા માટે યાત્રા પણ કાઢી હતી. ચાલીને સચિવાલય તે પહોંચવાના હતા. ગાંધીનગર સચિવાલય પહોંચે તે પહેલા જ પોલીસે તેમને રોકી દીધા હતા. સરકાર તો તેમનું સાંભળતી નથી. તો પોતાની રજૂઆતને લઈ ઉમેદવારો જમાવટની ઓફિસે આવ્યા હતા. પોતાની સમસ્યાને લઈ ઉમેદવારો આવ્યા હતા. સાંભળો ઉમેદવારોની વેદના... 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.