TET-TATના ઉમેદવારો ફરિયાદો લઈ Jamawat પહોંચ્યાં, સાંભળો Gandhinagar પોતાની રજૂઆત માટે જઈ રહેલા ઉમેદવારોની આપવીતી


  • Published By :
  • Published Date : 2023-08-25 11:37:46

ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે TET-TATના ઉમેદવારો ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. જ્ઞાનસહાયક નીતિને નાબુદ કરવામાં આવે તેવી ઉમેદવારોની માગ છે. કરાર આધારિત ભરતીને નાબુદ કરી શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે અનેક વખત રજૂઆત કરવા માટે ઉમેદવારો ગાંધીનગર ગયા હતા. અનેક વખત સરકારને પોતાની રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમનો અવાજ ગાંધીનગરમાં બેઠેલા મંત્રીઓ, અધિકારીઓ સુધી પહોંચે તે પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવતી. કાયમી શિક્ષકની ભરતી કરવા માટે અનેક વખત સરકારને રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ દર વખતે તે ગાંધીનગર પહોંચે તે પહેલા જ તેમને રોકી લેવામાં આવતા હતા.

જમાવટની ઓફિસે પહોંચ્યા TET-TATના ઉમેદવાર

શિક્ષકો માટે આચાર્ય ચાણક્ય કહેતા હતા કે એક શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ ઉન્કી ગોદમેં પલતે હેં... ત્યારે એવી પરિસ્થતિનું નિર્માણ થયું છે શિક્ષકો બનવા ઈચ્છુક ઉમેદવારો સરકાર સામે લડી લેવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. ગાંધીનગર સુધી પોતાની વાતને રજૂ કરવા માટે યાત્રા પણ કાઢી હતી. ચાલીને સચિવાલય તે પહોંચવાના હતા. ગાંધીનગર સચિવાલય પહોંચે તે પહેલા જ પોલીસે તેમને રોકી દીધા હતા. સરકાર તો તેમનું સાંભળતી નથી. તો પોતાની રજૂઆતને લઈ ઉમેદવારો જમાવટની ઓફિસે આવ્યા હતા. પોતાની સમસ્યાને લઈ ઉમેદવારો આવ્યા હતા. સાંભળો ઉમેદવારોની વેદના... 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી