TET-TATના ઉમેદવારો ફરિયાદો લઈ Jamawat પહોંચ્યાં, સાંભળો Gandhinagar પોતાની રજૂઆત માટે જઈ રહેલા ઉમેદવારોની આપવીતી


  • Published By :
  • Published Date : 2023-08-25 11:37:46

ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે TET-TATના ઉમેદવારો ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. જ્ઞાનસહાયક નીતિને નાબુદ કરવામાં આવે તેવી ઉમેદવારોની માગ છે. કરાર આધારિત ભરતીને નાબુદ કરી શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે અનેક વખત રજૂઆત કરવા માટે ઉમેદવારો ગાંધીનગર ગયા હતા. અનેક વખત સરકારને પોતાની રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમનો અવાજ ગાંધીનગરમાં બેઠેલા મંત્રીઓ, અધિકારીઓ સુધી પહોંચે તે પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવતી. કાયમી શિક્ષકની ભરતી કરવા માટે અનેક વખત સરકારને રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ દર વખતે તે ગાંધીનગર પહોંચે તે પહેલા જ તેમને રોકી લેવામાં આવતા હતા.

જમાવટની ઓફિસે પહોંચ્યા TET-TATના ઉમેદવાર

શિક્ષકો માટે આચાર્ય ચાણક્ય કહેતા હતા કે એક શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ ઉન્કી ગોદમેં પલતે હેં... ત્યારે એવી પરિસ્થતિનું નિર્માણ થયું છે શિક્ષકો બનવા ઈચ્છુક ઉમેદવારો સરકાર સામે લડી લેવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. ગાંધીનગર સુધી પોતાની વાતને રજૂ કરવા માટે યાત્રા પણ કાઢી હતી. ચાલીને સચિવાલય તે પહોંચવાના હતા. ગાંધીનગર સચિવાલય પહોંચે તે પહેલા જ પોલીસે તેમને રોકી દીધા હતા. સરકાર તો તેમનું સાંભળતી નથી. તો પોતાની રજૂઆતને લઈ ઉમેદવારો જમાવટની ઓફિસે આવ્યા હતા. પોતાની સમસ્યાને લઈ ઉમેદવારો આવ્યા હતા. સાંભળો ઉમેદવારોની વેદના... 



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.