TET-TATના ઉમેદવારોએ શરૂ કર્યું દીપ પ્રાગટ્ય આંદોલન, દીપ પ્રગટાવી પરિવારે નોંધાવ્યો કરાર આધારીત ભરતીનો વિરોધ!


  • Published By :
  • Published Date : 2023-07-24 12:51:03

છેલ્લા ઘણા સમયથી ટેટ ટાટના ઉમેદવારો અલગ અલગ રીતે પોતાની માગ, પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. કોઈ વખત ગાંધીનગર ખાતે આવેલા સત્યાગ્રહ છાવણીમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કરી તો કોઈ વખત ટ્વિટર પર ટ્રેન્ડ ચલાવી કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. કરાર આધારીત ભરતી નાબુદ થાય તેવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી રહી છે. સરકારની યોજનાનો તેઓ વિરોધ કરી રહ્યા છે. ઉમેદવારો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. 



ટેટ ટાટના ઉમેદવારોએ શરૂ કર્યું દીપ પ્રાગટ્ય આંદોલન!

ગુરૂનો અર્થ થાય છે કે જે અંધકારમાંથી જે અજવાળા તરફ લઈ જાય તે. આપણે ત્યાં ગુરૂને વિશેષ સ્થાન તેમજ સન્માન આપવામાં આવ્યું છે. ગુરૂને ભગવાનનું રૂપ માનવામાં આવ્યું છે. ત્યારે ટેટ ટાટ પાસ કરેલા ઉમેદવારો કાયમી ભરતીની માગ સાથે વિરોધ કરી રહ્યા છે. જ્ઞાનસહાયક અંતર્ગત કરાર આધારિત ભરતી નાબુદ કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. ત્યારે ગઈકાલે એટલે કે રવિવારે ઉમેદવારોએ ઝુંબેશ ચલાવી હતી. દરેક ઉમેદવારોએ એક દિવો પ્રગટાવી શિક્ષણ જગતના અંધકારામાં અજવાળા લાવવાના સંદેશ સાથે. સોશિયલ મીડિયા પર ઉમેદવારોએ સ્ટેટસ રાખ્યું હતું. 



ઉમેદવારોએ સમજાવ્યો ગૂરુનો અર્થ!

ટેટ ટાટના ઉમેદવારો તરફથી એવો મેસેજ પણ આપવામાં આવ્યો હતો જેમાં લખવામાં આવ્યું હતું કે જેમ એક ગુરુ નો અર્થ થાય છે ગુ એટલે અંધારું અને રૂ એટલે અજવાળામાં લઇ જવું.....માટે ગુરુ એટલે અંધકાર થી ઉજાસ તરફ લઈ જનાર વ્યક્તિ.  





ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.