TET-TATના ઉમેદવારોએ શરૂ કર્યું દીપ પ્રાગટ્ય આંદોલન, દીપ પ્રગટાવી પરિવારે નોંધાવ્યો કરાર આધારીત ભરતીનો વિરોધ!


  • Published By :
  • Published Date : 2023-07-24 12:51:03

છેલ્લા ઘણા સમયથી ટેટ ટાટના ઉમેદવારો અલગ અલગ રીતે પોતાની માગ, પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. કોઈ વખત ગાંધીનગર ખાતે આવેલા સત્યાગ્રહ છાવણીમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કરી તો કોઈ વખત ટ્વિટર પર ટ્રેન્ડ ચલાવી કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. કરાર આધારીત ભરતી નાબુદ થાય તેવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી રહી છે. સરકારની યોજનાનો તેઓ વિરોધ કરી રહ્યા છે. ઉમેદવારો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. 



ટેટ ટાટના ઉમેદવારોએ શરૂ કર્યું દીપ પ્રાગટ્ય આંદોલન!

ગુરૂનો અર્થ થાય છે કે જે અંધકારમાંથી જે અજવાળા તરફ લઈ જાય તે. આપણે ત્યાં ગુરૂને વિશેષ સ્થાન તેમજ સન્માન આપવામાં આવ્યું છે. ગુરૂને ભગવાનનું રૂપ માનવામાં આવ્યું છે. ત્યારે ટેટ ટાટ પાસ કરેલા ઉમેદવારો કાયમી ભરતીની માગ સાથે વિરોધ કરી રહ્યા છે. જ્ઞાનસહાયક અંતર્ગત કરાર આધારિત ભરતી નાબુદ કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. ત્યારે ગઈકાલે એટલે કે રવિવારે ઉમેદવારોએ ઝુંબેશ ચલાવી હતી. દરેક ઉમેદવારોએ એક દિવો પ્રગટાવી શિક્ષણ જગતના અંધકારામાં અજવાળા લાવવાના સંદેશ સાથે. સોશિયલ મીડિયા પર ઉમેદવારોએ સ્ટેટસ રાખ્યું હતું. 



ઉમેદવારોએ સમજાવ્યો ગૂરુનો અર્થ!

ટેટ ટાટના ઉમેદવારો તરફથી એવો મેસેજ પણ આપવામાં આવ્યો હતો જેમાં લખવામાં આવ્યું હતું કે જેમ એક ગુરુ નો અર્થ થાય છે ગુ એટલે અંધારું અને રૂ એટલે અજવાળામાં લઇ જવું.....માટે ગુરુ એટલે અંધકાર થી ઉજાસ તરફ લઈ જનાર વ્યક્તિ.  





રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.