TET-TAT ઉમેદવારો Gandhinagarને ગજવશે! Dandi Yatra 2.0 આજે અમદાવાદ પહોંચશે પરંતુ તે પહેલા વિધાનસભાનો ઘેરાવો કરશે!


  • Published By :
  • Published Date : 2023-10-20 12:36:31

ગાંધીનગર ખાતે ટેટ-ટાટ ઉમેદવારો આંદોલન કરવાના છે. સત્યાગ્રહ છાવણી ખાતે આમ આદમી પાર્ટીએ મહા સંમેલનનું આયોજન કર્યું છે. ગુજરાતના ભાવિ શિક્ષકો આ વખતે આર-પારની લડાઈ લડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ઉમેદવારો એકદમ આક્રામક દેખાઈ રહ્યા છે સરકારના જ્ઞાન સહાયકના કાયદાના વિરોધમાં. જ્ઞાન સહાયકને નાબુદ કરવામાં આવે તેવી તેમની માગ છે.

 

વિધાનસભાને ઘેરવાનો ઉમેદવારો કરી શકે પ્રયાસ! 

ગુજરાતમાં કથળતા શિક્ષણની પરિસ્થિતિ વિશે આપણે સૌ કોઈ જાણીએ છીએ. અનેક શાળાઓમાં શિક્ષક નથી હોતા તો અનેક શાળાની હાલત દયનીય હોય છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે ઉમેદવારો લડત આપી રહ્યા છે. ઉમેદવારોને આમ આદમી પાર્ટીનો તેમજ કોંગ્રેસનો સાથ પણ મળી રહ્યો છે. યુવા અધિકાર યાત્રાનું આયોજન આપ દ્વારા કરવામાં આવ્યું છે જેમાં ધારાસભ્ય ચૈતર વસાવા, યુવરાજસિંહ, આપના કાર્યકર્તાઓ તેમજ હજારો ટેટ-ટાટના ઉમેદવારો ચાલી રહ્યા છે. ઉમેદવારોનો રોષ આ યાત્રા દરમિયાન અનેક વખત દેખાઈ આવ્યો છે. 



આજે અમદાવાદ પહોંચશે દાંડી યાત્રા 2.0

દાંડી યાત્રા 2.0ની શરૂઆત 13 ઓક્ટોબરથી કરવામાં આવી છે. આ યાત્રાને જનસમુદાયનું સમર્થન મળી રહ્યું છે. દાંડીથી નીકળેલી આ યાત્રામાં હજારો ઉમેદવારો જોડાયા છે. યુવરાજસિંહ, ચૈતર વસાવા સહિતના આમ આદમી પાર્ટીના નેતાઓ આવ્યા છે. ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ સાથે આમ આદમી પાર્ટીએ  યુવા અધિકાર યાત્રાનું આયોજન કર્યું છે. દાંડીથી નિકળેલી આ યાત્રા આજે અમદાવાદ પહોંચવાની છે. અમદાવાદ આ યાત્રા આવે એની પહેલા ગાંધીનગર ખાતે મહા સંમેલનનું આયોજન કર્યું છે. ગાંધીનગરમાં ઉમેદવારો હલ્લાબોલ કરવાના છે. વિધાનસભાને ઘેરવાનો પ્રયાસ ટેટ-ટાટના ઉમેદવારો કરવાના છે તેવી માહિતી સામે આવી છે. 


ગાંધીનગર ખાતે શું થાય છે તેની પર સૌ કોઈની નજર

જ્ઞાન સહાયક રદ્દ કરવામાં આવે તે માટે સરકારને અનેક વખત રજૂઆત કરી પરંતુ તેમનો અવાજ સાંભળવામાં આવ્યો નથી. ઉમેદવારોના સમર્થનમાં રાજકીય પાર્ટી આવી છે. વિપક્ષી નેતાઓ શિક્ષણ મામલે આક્રામક દેખાઈ રહી છે. જ્ઞાન સહાયકને રદ્દ કરવામાં આવે તેવી માગ વિપક્ષ દ્વારા કરવામાં આવી છે. જ્ઞાન સહાયકના વિરોધમાં કરવામાં આવી રહ્યું આંદોલન રંગ લાવશે કે નહીં તે જોવું રહ્યું. ગાંધીનગર ખાતે આજે શું થાય છે તેની પર સૌ કોઈની નજર છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.