TET-TAT ઉમેદવારો Gandhinagarને ગજવશે! Dandi Yatra 2.0 આજે અમદાવાદ પહોંચશે પરંતુ તે પહેલા વિધાનસભાનો ઘેરાવો કરશે!


  • Published By :
  • Published Date : 2023-10-20 12:36:31

ગાંધીનગર ખાતે ટેટ-ટાટ ઉમેદવારો આંદોલન કરવાના છે. સત્યાગ્રહ છાવણી ખાતે આમ આદમી પાર્ટીએ મહા સંમેલનનું આયોજન કર્યું છે. ગુજરાતના ભાવિ શિક્ષકો આ વખતે આર-પારની લડાઈ લડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ઉમેદવારો એકદમ આક્રામક દેખાઈ રહ્યા છે સરકારના જ્ઞાન સહાયકના કાયદાના વિરોધમાં. જ્ઞાન સહાયકને નાબુદ કરવામાં આવે તેવી તેમની માગ છે.

 

વિધાનસભાને ઘેરવાનો ઉમેદવારો કરી શકે પ્રયાસ! 

ગુજરાતમાં કથળતા શિક્ષણની પરિસ્થિતિ વિશે આપણે સૌ કોઈ જાણીએ છીએ. અનેક શાળાઓમાં શિક્ષક નથી હોતા તો અનેક શાળાની હાલત દયનીય હોય છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે ઉમેદવારો લડત આપી રહ્યા છે. ઉમેદવારોને આમ આદમી પાર્ટીનો તેમજ કોંગ્રેસનો સાથ પણ મળી રહ્યો છે. યુવા અધિકાર યાત્રાનું આયોજન આપ દ્વારા કરવામાં આવ્યું છે જેમાં ધારાસભ્ય ચૈતર વસાવા, યુવરાજસિંહ, આપના કાર્યકર્તાઓ તેમજ હજારો ટેટ-ટાટના ઉમેદવારો ચાલી રહ્યા છે. ઉમેદવારોનો રોષ આ યાત્રા દરમિયાન અનેક વખત દેખાઈ આવ્યો છે. 



આજે અમદાવાદ પહોંચશે દાંડી યાત્રા 2.0

દાંડી યાત્રા 2.0ની શરૂઆત 13 ઓક્ટોબરથી કરવામાં આવી છે. આ યાત્રાને જનસમુદાયનું સમર્થન મળી રહ્યું છે. દાંડીથી નીકળેલી આ યાત્રામાં હજારો ઉમેદવારો જોડાયા છે. યુવરાજસિંહ, ચૈતર વસાવા સહિતના આમ આદમી પાર્ટીના નેતાઓ આવ્યા છે. ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ સાથે આમ આદમી પાર્ટીએ  યુવા અધિકાર યાત્રાનું આયોજન કર્યું છે. દાંડીથી નિકળેલી આ યાત્રા આજે અમદાવાદ પહોંચવાની છે. અમદાવાદ આ યાત્રા આવે એની પહેલા ગાંધીનગર ખાતે મહા સંમેલનનું આયોજન કર્યું છે. ગાંધીનગરમાં ઉમેદવારો હલ્લાબોલ કરવાના છે. વિધાનસભાને ઘેરવાનો પ્રયાસ ટેટ-ટાટના ઉમેદવારો કરવાના છે તેવી માહિતી સામે આવી છે. 


ગાંધીનગર ખાતે શું થાય છે તેની પર સૌ કોઈની નજર

જ્ઞાન સહાયક રદ્દ કરવામાં આવે તે માટે સરકારને અનેક વખત રજૂઆત કરી પરંતુ તેમનો અવાજ સાંભળવામાં આવ્યો નથી. ઉમેદવારોના સમર્થનમાં રાજકીય પાર્ટી આવી છે. વિપક્ષી નેતાઓ શિક્ષણ મામલે આક્રામક દેખાઈ રહી છે. જ્ઞાન સહાયકને રદ્દ કરવામાં આવે તેવી માગ વિપક્ષ દ્વારા કરવામાં આવી છે. જ્ઞાન સહાયકના વિરોધમાં કરવામાં આવી રહ્યું આંદોલન રંગ લાવશે કે નહીં તે જોવું રહ્યું. ગાંધીનગર ખાતે આજે શું થાય છે તેની પર સૌ કોઈની નજર છે.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.