TET-TAT ઉમેદવારો Gandhinagarને ગજવશે! Dandi Yatra 2.0 આજે અમદાવાદ પહોંચશે પરંતુ તે પહેલા વિધાનસભાનો ઘેરાવો કરશે!


  • Published By :
  • Published Date : 2023-10-20 12:36:31

ગાંધીનગર ખાતે ટેટ-ટાટ ઉમેદવારો આંદોલન કરવાના છે. સત્યાગ્રહ છાવણી ખાતે આમ આદમી પાર્ટીએ મહા સંમેલનનું આયોજન કર્યું છે. ગુજરાતના ભાવિ શિક્ષકો આ વખતે આર-પારની લડાઈ લડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ઉમેદવારો એકદમ આક્રામક દેખાઈ રહ્યા છે સરકારના જ્ઞાન સહાયકના કાયદાના વિરોધમાં. જ્ઞાન સહાયકને નાબુદ કરવામાં આવે તેવી તેમની માગ છે.

 

વિધાનસભાને ઘેરવાનો ઉમેદવારો કરી શકે પ્રયાસ! 

ગુજરાતમાં કથળતા શિક્ષણની પરિસ્થિતિ વિશે આપણે સૌ કોઈ જાણીએ છીએ. અનેક શાળાઓમાં શિક્ષક નથી હોતા તો અનેક શાળાની હાલત દયનીય હોય છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે ઉમેદવારો લડત આપી રહ્યા છે. ઉમેદવારોને આમ આદમી પાર્ટીનો તેમજ કોંગ્રેસનો સાથ પણ મળી રહ્યો છે. યુવા અધિકાર યાત્રાનું આયોજન આપ દ્વારા કરવામાં આવ્યું છે જેમાં ધારાસભ્ય ચૈતર વસાવા, યુવરાજસિંહ, આપના કાર્યકર્તાઓ તેમજ હજારો ટેટ-ટાટના ઉમેદવારો ચાલી રહ્યા છે. ઉમેદવારોનો રોષ આ યાત્રા દરમિયાન અનેક વખત દેખાઈ આવ્યો છે. 



આજે અમદાવાદ પહોંચશે દાંડી યાત્રા 2.0

દાંડી યાત્રા 2.0ની શરૂઆત 13 ઓક્ટોબરથી કરવામાં આવી છે. આ યાત્રાને જનસમુદાયનું સમર્થન મળી રહ્યું છે. દાંડીથી નીકળેલી આ યાત્રામાં હજારો ઉમેદવારો જોડાયા છે. યુવરાજસિંહ, ચૈતર વસાવા સહિતના આમ આદમી પાર્ટીના નેતાઓ આવ્યા છે. ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ સાથે આમ આદમી પાર્ટીએ  યુવા અધિકાર યાત્રાનું આયોજન કર્યું છે. દાંડીથી નિકળેલી આ યાત્રા આજે અમદાવાદ પહોંચવાની છે. અમદાવાદ આ યાત્રા આવે એની પહેલા ગાંધીનગર ખાતે મહા સંમેલનનું આયોજન કર્યું છે. ગાંધીનગરમાં ઉમેદવારો હલ્લાબોલ કરવાના છે. વિધાનસભાને ઘેરવાનો પ્રયાસ ટેટ-ટાટના ઉમેદવારો કરવાના છે તેવી માહિતી સામે આવી છે. 


ગાંધીનગર ખાતે શું થાય છે તેની પર સૌ કોઈની નજર

જ્ઞાન સહાયક રદ્દ કરવામાં આવે તે માટે સરકારને અનેક વખત રજૂઆત કરી પરંતુ તેમનો અવાજ સાંભળવામાં આવ્યો નથી. ઉમેદવારોના સમર્થનમાં રાજકીય પાર્ટી આવી છે. વિપક્ષી નેતાઓ શિક્ષણ મામલે આક્રામક દેખાઈ રહી છે. જ્ઞાન સહાયકને રદ્દ કરવામાં આવે તેવી માગ વિપક્ષ દ્વારા કરવામાં આવી છે. જ્ઞાન સહાયકના વિરોધમાં કરવામાં આવી રહ્યું આંદોલન રંગ લાવશે કે નહીં તે જોવું રહ્યું. ગાંધીનગર ખાતે આજે શું થાય છે તેની પર સૌ કોઈની નજર છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.