Gujaratમાં TET-TAT પાસ ઉમેદવારો નથી કરી રહ્યા Gyan Sahayakનો વિરોધ! જાણો વિરોધ વચ્ચે શિક્ષણ મંત્રીએ શું આપ્યું નિવેદન?


  • Published By :
  • Published Date : 2023-11-22 15:59:15

એક તરફ ભાવિ શિક્ષકો કાયમી શિક્ષકોની માગ સાથે આંદોલન કરી રહ્યા છે. ગઈકાલે પણ જ્યારે ઉમેદવારો જ્ઞાન સહાયક રદ્દ થાય તે માટે રજૂઆત કરવા ગાંધીનગર પહોંચ્યા હતા ત્યારે તેમની સાથે જે રીતે વ્યવહાર થયો તે આપણે જાણીએ છીએ. પોલીસે ટીંગા ટોળી કરી તેમની અટકાયત કરી હતી. તે બધા જ દ્રશ્યો જોયા. દરેક જગ્યાઓ પર આ આંદોલનની ચર્ચા થઈ રહી છે. પરંતુ જ્યારે આ અંગે, આ વિરોધ અંગે જ્યારે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જે નિવેદન આપ્યું તે એકદમ અલગ છે. શિક્ષણ મંત્રીએ એક ટીવી ઈન્ટરવ્યુમાં એવો જવાબ પણ આપ્યો હતો કે જ્ઞાન સહાયકનો કોઈ વિરોધ નથી થઈ રહ્યો. સાથે શિક્ષણ મંત્રીએ એવું પણ કહ્યું કે આ માત્ર વૈકલ્પિક વ્યવસ્થા છે કાયમી ભરતી કરવામાં આવશે.

 

એક ટીવી ઈન્ટરવ્યુમાં શિક્ષણ મંત્રીએ આપ્યું નિવેદન!

ટેટ-ટાટ પાસ ઉમેદવારો જ્ઞાન સહાયકનો વિરોધ કરી રહ્યા છે. જે જ્ઞાન સહાયકનો વિરોધ આ ઉમેદવારો કરી રહ્યા છે એ વિરોધ શિક્ષણ મંત્રીને નથી દેખાઈ રહ્યો. એક ટીવી ચેનલના ઇન્ટરવ્યૂ દરમિયાન તેમને સવાલ પૂછવામાં આવ્યો કે જ્ઞાન સહાયકનો આટલો વિરોધ થઈ રહ્યો છે તેના પર તમારું શું કહેવું છે? જવાબ આપતા શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે કહ્યું કે જ્ઞાન સહાયકનો વિરોધ નથી થઈ રહ્યો. આખા ગુજરાતમાં જ્ઞાન સહાયકની ભરતી પણ થશે અને કોઈ આંદોલનો પણ નથી થઈ રહ્યા. સાથે શિક્ષણ મંત્રીએ એવું પણ કહ્યું કે આ માત્ર વૈકલ્પિક વ્યવસ્થા છે કાયમી ભરતી કરવામાં આવશે. 

  

આ અંગે વાત કરતા શિક્ષણ મંત્રીનો વીડિયો થયો હતો વાયરલ

જ્યારથી જ્ઞાન સહાયક યોજના લાવવાની વાત થઈ ત્યારથી અમે વિદ્યાર્થીઓને રસ્તા પર ઢસડાતા જોયા છે. વિદ્યાર્થીઓના આંખમાં આંસુ, એમનો આક્રંદ એમની ચીસો, એમની બૂમો એમનો આક્રોશ અમે જોયો છે,ખેર આ સંવેદનશીલ સરકારને આ યુવાનોની પીડા નથી દેખાઈ રહી. થોડા મહિના પહેલા આ બધા જ ઉમેદવારો જે જ્ઞાન સહાયકનો વિરોધ કરી રહ્યા હતા એ શિક્ષણ મંત્રીને જ મળવા ગયા હતા. શિક્ષણ મંત્રીના કેબિનમાં જ્યારે એ લોકો વાત કરી રહ્યા હતા ત્યારે શિક્ષણ મંત્રી એવું કહેતા દેખાયા હતા કે તમારી નોકરી લેવી હોય તો લો નહીં તો ઘરે બેસી જાઓ એના પછી બીજા દિવસે શિક્ષણ મંત્રી એવું પણ કહ્યું કે આ વિડીયો અડધો જ છે અને ખોટી રીતના બતાવવામાં આવ્યો છે. 


કાયમી શિક્ષકોની ભરતી અંગે સ્પષ્ટતા કેમ નથી કરાતી?

વિરોધ કરી રહેલા ઉમેદવારોને જ્યારે અમે મળીએ છીએ ત્યારે એક નારો તેઓ હંમેશા બોલતા હોય છે. 'હમ હમારા હક માંગતે નહીં કિસીસે ભીખ માંગતે'એ લોકોની વાત ખોટી પણ નથી. એ પોતાના હક માટે લડી રહ્યા છે. માનીએ છીએ કે જે લોકો આંદોલન કરી રહ્યા છે એમાંથી અડધાથી વધારે લોકો જ્ઞાન સહાયકમાં જોડાઈ પણ જશે. જ્ઞાન સહાયક યોજના હેઠળ નોકરી પણ લઈ લેશે. એમનું આંદોલન કાયમી શિક્ષકની ભરતી માટેનું છે. જો સરકાર એવું કહે છે કે આ વૈકલ્પિક વ્યવસ્થા છે તો પછી કાયમી શિક્ષકોની ભરતી ક્યારે કરશે. એનો જવાબ આપે આ વિદ્યાર્થીઓને ક્યાં સુધી આવી રીતના આંદોલન કરવાનું છે એનો પણ જવાબ આપે.   



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.