Gujaratમાં TET-TAT પાસ ઉમેદવારો નથી કરી રહ્યા Gyan Sahayakનો વિરોધ! જાણો વિરોધ વચ્ચે શિક્ષણ મંત્રીએ શું આપ્યું નિવેદન?


  • Published By :
  • Published Date : 2023-11-22 15:59:15

એક તરફ ભાવિ શિક્ષકો કાયમી શિક્ષકોની માગ સાથે આંદોલન કરી રહ્યા છે. ગઈકાલે પણ જ્યારે ઉમેદવારો જ્ઞાન સહાયક રદ્દ થાય તે માટે રજૂઆત કરવા ગાંધીનગર પહોંચ્યા હતા ત્યારે તેમની સાથે જે રીતે વ્યવહાર થયો તે આપણે જાણીએ છીએ. પોલીસે ટીંગા ટોળી કરી તેમની અટકાયત કરી હતી. તે બધા જ દ્રશ્યો જોયા. દરેક જગ્યાઓ પર આ આંદોલનની ચર્ચા થઈ રહી છે. પરંતુ જ્યારે આ અંગે, આ વિરોધ અંગે જ્યારે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જે નિવેદન આપ્યું તે એકદમ અલગ છે. શિક્ષણ મંત્રીએ એક ટીવી ઈન્ટરવ્યુમાં એવો જવાબ પણ આપ્યો હતો કે જ્ઞાન સહાયકનો કોઈ વિરોધ નથી થઈ રહ્યો. સાથે શિક્ષણ મંત્રીએ એવું પણ કહ્યું કે આ માત્ર વૈકલ્પિક વ્યવસ્થા છે કાયમી ભરતી કરવામાં આવશે.

 

એક ટીવી ઈન્ટરવ્યુમાં શિક્ષણ મંત્રીએ આપ્યું નિવેદન!

ટેટ-ટાટ પાસ ઉમેદવારો જ્ઞાન સહાયકનો વિરોધ કરી રહ્યા છે. જે જ્ઞાન સહાયકનો વિરોધ આ ઉમેદવારો કરી રહ્યા છે એ વિરોધ શિક્ષણ મંત્રીને નથી દેખાઈ રહ્યો. એક ટીવી ચેનલના ઇન્ટરવ્યૂ દરમિયાન તેમને સવાલ પૂછવામાં આવ્યો કે જ્ઞાન સહાયકનો આટલો વિરોધ થઈ રહ્યો છે તેના પર તમારું શું કહેવું છે? જવાબ આપતા શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે કહ્યું કે જ્ઞાન સહાયકનો વિરોધ નથી થઈ રહ્યો. આખા ગુજરાતમાં જ્ઞાન સહાયકની ભરતી પણ થશે અને કોઈ આંદોલનો પણ નથી થઈ રહ્યા. સાથે શિક્ષણ મંત્રીએ એવું પણ કહ્યું કે આ માત્ર વૈકલ્પિક વ્યવસ્થા છે કાયમી ભરતી કરવામાં આવશે. 

  

આ અંગે વાત કરતા શિક્ષણ મંત્રીનો વીડિયો થયો હતો વાયરલ

જ્યારથી જ્ઞાન સહાયક યોજના લાવવાની વાત થઈ ત્યારથી અમે વિદ્યાર્થીઓને રસ્તા પર ઢસડાતા જોયા છે. વિદ્યાર્થીઓના આંખમાં આંસુ, એમનો આક્રંદ એમની ચીસો, એમની બૂમો એમનો આક્રોશ અમે જોયો છે,ખેર આ સંવેદનશીલ સરકારને આ યુવાનોની પીડા નથી દેખાઈ રહી. થોડા મહિના પહેલા આ બધા જ ઉમેદવારો જે જ્ઞાન સહાયકનો વિરોધ કરી રહ્યા હતા એ શિક્ષણ મંત્રીને જ મળવા ગયા હતા. શિક્ષણ મંત્રીના કેબિનમાં જ્યારે એ લોકો વાત કરી રહ્યા હતા ત્યારે શિક્ષણ મંત્રી એવું કહેતા દેખાયા હતા કે તમારી નોકરી લેવી હોય તો લો નહીં તો ઘરે બેસી જાઓ એના પછી બીજા દિવસે શિક્ષણ મંત્રી એવું પણ કહ્યું કે આ વિડીયો અડધો જ છે અને ખોટી રીતના બતાવવામાં આવ્યો છે. 


કાયમી શિક્ષકોની ભરતી અંગે સ્પષ્ટતા કેમ નથી કરાતી?

વિરોધ કરી રહેલા ઉમેદવારોને જ્યારે અમે મળીએ છીએ ત્યારે એક નારો તેઓ હંમેશા બોલતા હોય છે. 'હમ હમારા હક માંગતે નહીં કિસીસે ભીખ માંગતે'એ લોકોની વાત ખોટી પણ નથી. એ પોતાના હક માટે લડી રહ્યા છે. માનીએ છીએ કે જે લોકો આંદોલન કરી રહ્યા છે એમાંથી અડધાથી વધારે લોકો જ્ઞાન સહાયકમાં જોડાઈ પણ જશે. જ્ઞાન સહાયક યોજના હેઠળ નોકરી પણ લઈ લેશે. એમનું આંદોલન કાયમી શિક્ષકની ભરતી માટેનું છે. જો સરકાર એવું કહે છે કે આ વૈકલ્પિક વ્યવસ્થા છે તો પછી કાયમી શિક્ષકોની ભરતી ક્યારે કરશે. એનો જવાબ આપે આ વિદ્યાર્થીઓને ક્યાં સુધી આવી રીતના આંદોલન કરવાનું છે એનો પણ જવાબ આપે.   



ઇટાલી અને ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સ વચ્ચે સ્ટારલિંકનું ઈન્ટરનેટ આપવાને લઇને વાર્તાલાપ પડી ભાંગ્યો છે . આ પાછળ ઇટાલીની સરકાર પર ત્યાંના વિરોધ પક્ષે જોરદાર દબાણ ઉભું કર્યું હતું . આ ઉપરાંત ઈલોન મસ્કની જે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે નિકટતા છે તેના લીધે પણ આ વાર્તાલાપ પડી ભાંગ્યો છે. ઈલોન મસ્ક હાલના સમયમાં સમગ્ર વિશ્વમાં જોરદાર વિરોધનો સામનો કરી રહ્યા છે.

વ્યક્તિ પોતાના ઘરમાં કેટલી રકમ રાખી શકે છે તેના પર કોઈ પ્રતિબંધ નથી. જ્યાં સુધી તમે સાબિત કરી શકો કે તે કાયદેસરના સ્ત્રોત માંથી કમાયા છે અને તમે તેને તમારા આવકવેરા રિટર્નમાં જાહેર કર્યું છે ત્યાં સુધી આ લાગુ રહેશે. જો તમે સાબિત કરી શકતા નથી કે પૈસા કાયદેસર નથી, તો તમને ગંભીર દંડનો સામનો કરવો પડી શકે છે.

6G ઈન્ટરનેટ માટે ચાઈનામાં તડામાર તૈયારીઓ શરુ થઇ ચુકી છે . તો આ બાજુ યુએસમાં નેક્સટજી નામનું અલાયન્સ બનાવવામાં આવ્યું છે . યુરોપમાં નોકિયા , ક્વાલકોમ , એટીએનટી આ 6G ઈન્ટરનેટ માટે કામ કરી રહ્યા છે . ભારત પણ આ રેસમાંથી બહાર નથી . ભારત ૨૦૩૦ના વર્ષ સુધી 6Gમાં ગ્લોબલ લીડર બનવા માંગે છે . આ માટે ભારતે "ભારત 6G પ્રોજેક્ટ" અમલમાં મુક્યો છે .

દિલ્હી હાઇકોર્ટના જજ યશવંત વર્મા જેમના ઘરે નોટોનો ઢગલો મળી આવ્યો છે . હવે દિલ્હી હાઈકૉર્ટે તેમને ફરજમાંથી મુક્ત કરી દીધા છે . આ બાજુ સુપ્રીમ કોર્ટે આ સંપૂર્ણ ઘટનાની તપાસ માટે ન્યાયિક કમિશન બેસાડ્યું છે . તો હવે જોઈએ કોલેજિયમ યશવંત વર્માને શું સજા ફટકારે છે.