TET-TAT પાસ ઉમેદવારો પહોંચ્યા ગણપતિ બાપ્પાના શરણે, ઉમેદવારે બાપ્પાને કહ્યું કે એક વર્ષમાં સરકારે....


  • Published By :
  • Published Date : 2024-09-16 16:13:15

ગુજરાતમાં કાયમી શિક્ષકોની માગ ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી કરી રહ્યા છે. ટેટ ટાટ પાસ ઉમેદવારોએ અનેક વખત વિરોધ કરવા ગાંધીનગરના રસ્તા પર ઉતર્યા છે અને પોતાની માગ સરકાર સમક્ષ મૂકી છે.. ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે તે વાસ્તવિક્તા છે.. અનેક શાળાઓ એવી છે જ્યાં એક શિક્ષક છે... ભણવા આવવા માટે બાળકો છે પરંતુ ભણાવવા માટે શિક્ષકો નથી.. વિધાનસભામાં પણ શિક્ષકોની ઘટનો મુદ્દો ઉઠ્યો છે.. અનેક વખત અલગ અલગ રીતથી ઉમેદવારો સરકાર સુધી પોતાની વાત મૂકવાનો પ્રયત્ન કરે છે ત્યારે ફરી એક વખત ઉમેદવારો પોતાની માગ સાથે પહોંચ્યા છે પરંતુ સરકાર સમક્ષ નહીં પરંતુ ગણપતિ દાદા સમક્ષ....

શિક્ષક દિનના દિવસે ભાવિ શિક્ષકો ઉતર્યા હતા રસ્તા પર

જે પ્રમાણેના તહેવારો એ પ્રમાણે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરતા હોય છે.  ઉત્તરાયણ વખતે તેમણે પતંગ પર કાયમી શિક્ષકોની ભરતી કરો તેવું લખાણ લખી પતંગ ચગાવ્યો હતો.. ગયા વર્ષે ગણપતિ મહોત્સવ દરમિયાન ઉમેદવારોએ તેમને પ્રાર્થના કરી હતી અને કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી.. તે બાદ અનેક વખત પોતાની માગ સાથે ઉમેદવારો રસ્તા પર ઉતર્યા. પોલીસ અને ઉમેદવારો વચ્ચે અનેક વખત ઘર્ષણ પણ થયું તે પણ આપણે દ્રશ્યો જોયા છે. આ વખતે શિક્ષક દિનના દિવસે પણ રસ્તા પર ભાવિ શિક્ષકો ઉતર્યા હતા અને પોતાની માગ સરકારને રજૂ કરી હતી..


ઉમેદવારો પહોંચ્યા ગણપતિ બાપ્પાના શરણે!

ગણપતિ મહોત્સવને એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે, હાલ ગણપતિ મહોત્સવ જ ચાલી રહ્યો છે ત્યારે ફરી એક વખત ઉમેદવાર ગણેશજીના શરણે ગયા છે પ્રાર્થના કરવા માટે સરકાર કાયમી શિક્ષકોની ભરતી જલ્દી કરે.. બાપ્પા પાસે જઈ ઉમેદવારોએ કહ્યું ગયા વર્ષે પણ અમે તમને આવેદન આપવા આવ્યા હતા અને આ વર્ષે પણ તમને આવેદન આપવા આવ્યા છીએ.. સરકારે એક વર્ષથી કાયમી શિક્ષકોની ભરતી નથી કરી.. જ્યારે મળવા જઈએ છીએ ત્યારે તારીખ પે તારીખ જ મળે છે.. મહત્વનું છે કે ટેટ ટાટ પાસ ઉમેદવારો અનેક આવેદનપત્ર આપ્યા, રજૂઆતો કરી, માગ સાથે આંદોલન કરવા રસ્તા પર ઉતર્યા.. એક વર્ષ થઈ ગયું પરંતુ સરકાર દ્વારા કાયમી શિક્ષકોની ભરતી નથી કરવામાં આવી.. ત્યારે ફરી એક વખત ગણપતિ બાપ્પાના શરણે ટેટ ટાટ પાસ ઉમેદવારો ગયા છે.. 



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.