TET-TAT પાસ ઉમેદવારોએ ઉતરાયણના દિવસે અનોખો વિરોધ નોંધાવ્યો, પતંગ પર સ્લોગન લખી ભરતીની માંગ કરી!


  • Published By :
  • Published Date : 2024-01-15 10:41:01

ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે Tet Tat પાસ ઉમેદવારો કેટલાય સમયથી આંદોલન કરી રહ્યા છે. જ્ઞાન સહાયક યોજનાને રદ કરી તેમની કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે. અલગ અલગ રીતે અને વિવિધ રીતે પોતાનો વિરોધ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે . ઉત્તરાયણના દિવસે પણ ઉમેદવારોએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો..


ઉમેદવારો કરી રહ્યા છે કાયમી શિક્ષકો ભરતીની માગ

સરકાર સામે છેલ્લા કેટલાય સમયથી ટેટ ટાટ પાસ ઉમેદવારો શાળાઓમાં કાયમી શિક્ષક તરીકે તેમની ભરતી થાય તે માટે લડી રહ્યા છે. કરાર આધારિત ભરતી જ્ઞાનસહાયક યોજના રદ્દ કરવા અને કાયમી ભરતી અંગે આંદોલન કરી રહ્યા છે હવે આ ઉમેદવારો સોશિયલ મીડિયાનો સહારો લઇ રહ્યા છે. અને અલગ ફોટોસ અને વિડિઓ બનાવી સરકારને વિનંતી કરી રહ્યા છે કે અમારી કાયમી ભરતી કરો.


સ્લોગન લખી  ઉમેદવારોએ નોંધાવ્યો વિરોધ  

પતંગ ઉડાવવાનો દિવસ એટલે ઉતરાયણ...પણ ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ ઉતરાયણના દિવસે પણ વિરોધ નોંધાવ્યો હતો. પતંગ પર સ્લોગન લખી પતંગ ઉડાવ્યા હતા. આ અલગ અલગ પતંગોમાં લખવામાં આવ્યું હતું કે જ્ઞાન સહાયક રૂપી કલંક હટાવો, શિક્ષકોની કાયમી ભરતી કરો સાથે સાથે બાળકોએ પણ પતંગ હાથમાં પકડી સોશિયલ મીડિયામાં ફોટોસ શેર કર્યા હતા જેમાં લખ્યું હતું કે અમારે ભણવું છે ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરો 


સોશિયલ મીડિયાનાા સહારે છે ઉમેદવારો 

ટેટ ટાટ પાસ ઉમેદવારો હવે અનોખા પ્રકારના આંદોલનો કરી સરકારને કાયમી ભરતી કરવા માંગ કરી રહ્યા છે. અને હવે આ ઉમેદવારો જ્ઞાનસહાયક યોજનાનો વિરોધ કરવા સોશિયલ મીડિયાના સહારે છે



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.