Gujaratમાં કાયમી શિક્ષકોની ભરતીની માગ સાથે TET-TAT પાસ ઉમેદવારો કાલે કરશે ગાંધીનગરમાં આંદોલન, Jignesh Mevaniએ લોકોને કરી આ અપીલ, સાંભળો


  • Published By :
  • Published Date : 2024-06-17 14:14:56

શાળામાં નવા શેક્ષણિક કાર્યનો આરંભ થઈ ગયો છે.. ભણવા માટે બાળકો તો શાળામાં આવે છે પરંતુ ત્યાં શિક્ષકો નથી હોતા.. ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે તે વાત આપણે જાણીએ છીએ.. શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી કરી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતીની માગ તેઓ કરી રહ્યા છે. થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ કરી હતી ત્યારે હવે જિગ્નેશ મેવાણીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં આને લઈ વાત કરી રહ્યા છે.. 

જીગ્નેશ મેવાણીએ લોકોને અપીલ કરતા કહ્યું કે.. 

આવતી કાલે ટેટ ટાટ પાસ ઉમેદવારો ગાંધીનગરમાં આંદોલન કરવાના છે... ત્યારે આને લઈ જિગ્નેશ મેવાણીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે કહી રહ્યા છે સમગ્ર ગુજરાતમાં શિક્ષણનું તંત્ર કેટલું ખાડે ગયું છે તે આપણે જાણીએ છીએ. 70 હજારની ઘટ વિશે છાપાના મિત્રો ફ્રન્ટ પેજ પર ન્યુઝ બનાવી રહ્યા છે, છતાંય આ બહેરી સરકારના પેટનું પાણી હલતું નથી.. ટેટ ટાટ જેણે પણ પાસ કરી તે ઉમેદવાર મિત્રને નોકરી પર રાખવામાં આવે, કાયમી નોકરીએ  રાખવામાં આવે તે વાતને લઈ તેઓ 18મી તારીખે આંદોલન કરવાના છે. 



ગુજરાતમાં છે શિક્ષકોની ઘટ... 

તે સિવાય તેમણે લોકોને આ આંદોલનમાં જોડાવા માટે વિનંતી કરી હતી. ગુજરાતની અંદર આ 70 હજાર શિક્ષકોની ઘટ ભરાવી જોઈએ તો જ ગુજરાત સાચા અર્થમાં પ્રગતિશિલ ગુજરાત બની શકશે..મહત્વનું છે કે શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ ટાટ પાસ ઉમેદવાર ઘણા સમયથી કરી રહ્યા છે. અનેક વખત રજૂઆતો કરવામાં આવી, અનેક વખત આંદોલન કરવામાં આવ્યું. પરંતુ હજી સુધી તેમનો અવાજ સરકાર સુધી પહોંચ્યો નથી.. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો...     



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.