થાનગઢ હત્યાકાંડ : આમ આદમી પાર્ટીના પ્રતિનિધિ મંડળે લીધી પીડિત પરિવારની મુલાકાત, SITની રચના થયે આટલા વર્ષો થયા પરંતુ...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-12 18:45:31

જ્યારે કોઈ દુર્ઘટના સર્જાય છે તે બાદ તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવે છે.. જ્યારે એસઆઈટીની રચના થાય છે ત્યારે આશા હોય છે કે સારી રીતે તપાસ થશે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.. પરંતુ અનેક વખત એસઆઈટી દ્વારા કરાતી તપાસ અનેક સવાલો ઉભા કરે છે.. ઘણા કિસ્સાઓ એવા છે જેમાં વર્ષોના વર્ષો વિતી જાય છે પરંતુ પીડિત પરિવારને ન્યાય નથી મળતો. આવો જ એક કિસ્સો છે 2012માં થયેલા થાનગઢ હત્યાકાંડનો.. 


SITની રચના થાય છે ત્યારે પીડિત પરિવારને ન્યાયની આશા હોય છે.. 

વર્ષ 2012માં થાનગઢમાં હત્યાકાંડ થયો હતો જેમાં ત્રણ લોકોના મોત થઈ ગયા હતા... ત્રણ લોકોના મોત થયા તે બાદ એસઆઈટીની રચના કરવામાં આવી અને પીડિત પરિવારને ન્યાય મળે તેવી ઝંખના હોય છે.. દોષિ વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માગ પીડિત પરિવાર દ્વારા કરવામાં આવતી હોય છે. એસઆઈટીની રચના બાદ આશા હોય છે કે પીડિત પરિવારને ન્યાય મળશે. પરંતુ આટલા વર્ષો બાદ પણ આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને ન્યાય નથી મળ્યો.. 


એસઆઈટીની રચના બાદ પણ.. 

આ મામલાની તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી પરંતુ આટલા વર્ષો બાદ પણ ન્યાયની આશા માટે આ પરિવાર ઝંખી રહ્યો છે. SITની રચના બાદ પણ બે મૃતકોના આરોપીની ધરપકડ થઈ નથી એક મૃતકના આરોપી PSI સહિત ત્રણ વ્યક્તિઓ માત્ર છ મહિનામાં જામીન પર છૂટી ગયા હતા. આજે પ્રમોશન લઈ સારી પોસ્ટ પર બેઠા છે. તેવી વાત આમ આદમી પાર્ટીના પ્રતિનિધી મંડળ દ્વારા કરવામાં આવી હતી. 



આપના પ્રતિનિધી મંડળે લીધી પીડિત પરિવારની મુલાકાત 

ત્યારે પીડિત પરિવારની મુલાકાત આમ આદમી પાર્ટીના નેતા દ્વારા લેવામાં આવી છે. એસઆઈટીનો રિપોર્ટ પરિવારને મળ્યો નથી. આમ આદમી પાર્ટીના પ્રતિનિધિ મંડળ  રાજુ કરપડા, અમૃત મકવાણા, દેવકરણ જોગરાણા, અજીત ખોરાણી, દીપક ચિહલા સહિત આગેવાનોએ પીડિત પરિવારની મુલાકાત લીધી જેમાં SIT અને સરકાર પરથી વિશ્વાસ ઉઠી ગયાની પીડિત પરિવારે ફરિયાદ કરી હતી.. મહત્વનું છે કે પોલીસની ગોળીથી ત્રણ લોકોના મોત થઈ ગયા હતા.. 




સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે મરીઝ સાહેબની રચના કિનારે કિનારે..

અમદાવાદથી નકલી જજ ઝડપાયા છે... ના માત્ર જજ પરંતુ નકલી કોર્ટ ઝડપાઈ છે... વાત સાંભળીને નવાઈ લાગીને કેવી રીતે આવું બને પરંતુ આવું બન્યું છે.... નકલી જજ અને નકલી કોર્ટ ઝડપાઈ છે...

22-23 ઓક્ટોબરે રશિયામાં યોજાનાાર 16માં બ્રિક્સ સંમેલનમાં સંભવતઃ પ્રધાનમંત્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ સાથે મુલાકાત થઈ શકે છે.. પણ એ પહેલા ભારત-ચીન સરહદ વિવાદને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે..

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. અનેક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે...