થાનગઢ હત્યાકાંડ : આમ આદમી પાર્ટીના પ્રતિનિધિ મંડળે લીધી પીડિત પરિવારની મુલાકાત, SITની રચના થયે આટલા વર્ષો થયા પરંતુ...


  • Published By :
  • Published Date : 2024-06-12 18:45:31

જ્યારે કોઈ દુર્ઘટના સર્જાય છે તે બાદ તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવે છે.. જ્યારે એસઆઈટીની રચના થાય છે ત્યારે આશા હોય છે કે સારી રીતે તપાસ થશે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.. પરંતુ અનેક વખત એસઆઈટી દ્વારા કરાતી તપાસ અનેક સવાલો ઉભા કરે છે.. ઘણા કિસ્સાઓ એવા છે જેમાં વર્ષોના વર્ષો વિતી જાય છે પરંતુ પીડિત પરિવારને ન્યાય નથી મળતો. આવો જ એક કિસ્સો છે 2012માં થયેલા થાનગઢ હત્યાકાંડનો.. 


SITની રચના થાય છે ત્યારે પીડિત પરિવારને ન્યાયની આશા હોય છે.. 

વર્ષ 2012માં થાનગઢમાં હત્યાકાંડ થયો હતો જેમાં ત્રણ લોકોના મોત થઈ ગયા હતા... ત્રણ લોકોના મોત થયા તે બાદ એસઆઈટીની રચના કરવામાં આવી અને પીડિત પરિવારને ન્યાય મળે તેવી ઝંખના હોય છે.. દોષિ વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માગ પીડિત પરિવાર દ્વારા કરવામાં આવતી હોય છે. એસઆઈટીની રચના બાદ આશા હોય છે કે પીડિત પરિવારને ન્યાય મળશે. પરંતુ આટલા વર્ષો બાદ પણ આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને ન્યાય નથી મળ્યો.. 


એસઆઈટીની રચના બાદ પણ.. 

આ મામલાની તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી પરંતુ આટલા વર્ષો બાદ પણ ન્યાયની આશા માટે આ પરિવાર ઝંખી રહ્યો છે. SITની રચના બાદ પણ બે મૃતકોના આરોપીની ધરપકડ થઈ નથી એક મૃતકના આરોપી PSI સહિત ત્રણ વ્યક્તિઓ માત્ર છ મહિનામાં જામીન પર છૂટી ગયા હતા. આજે પ્રમોશન લઈ સારી પોસ્ટ પર બેઠા છે. તેવી વાત આમ આદમી પાર્ટીના પ્રતિનિધી મંડળ દ્વારા કરવામાં આવી હતી. 



આપના પ્રતિનિધી મંડળે લીધી પીડિત પરિવારની મુલાકાત 

ત્યારે પીડિત પરિવારની મુલાકાત આમ આદમી પાર્ટીના નેતા દ્વારા લેવામાં આવી છે. એસઆઈટીનો રિપોર્ટ પરિવારને મળ્યો નથી. આમ આદમી પાર્ટીના પ્રતિનિધિ મંડળ  રાજુ કરપડા, અમૃત મકવાણા, દેવકરણ જોગરાણા, અજીત ખોરાણી, દીપક ચિહલા સહિત આગેવાનોએ પીડિત પરિવારની મુલાકાત લીધી જેમાં SIT અને સરકાર પરથી વિશ્વાસ ઉઠી ગયાની પીડિત પરિવારે ફરિયાદ કરી હતી.. મહત્વનું છે કે પોલીસની ગોળીથી ત્રણ લોકોના મોત થઈ ગયા હતા.. 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.