થાનગઢ હત્યાકાંડ : આમ આદમી પાર્ટીના પ્રતિનિધિ મંડળે લીધી પીડિત પરિવારની મુલાકાત, SITની રચના થયે આટલા વર્ષો થયા પરંતુ...


  • Published By :
  • Published Date : 2024-06-12 18:45:31

જ્યારે કોઈ દુર્ઘટના સર્જાય છે તે બાદ તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવે છે.. જ્યારે એસઆઈટીની રચના થાય છે ત્યારે આશા હોય છે કે સારી રીતે તપાસ થશે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.. પરંતુ અનેક વખત એસઆઈટી દ્વારા કરાતી તપાસ અનેક સવાલો ઉભા કરે છે.. ઘણા કિસ્સાઓ એવા છે જેમાં વર્ષોના વર્ષો વિતી જાય છે પરંતુ પીડિત પરિવારને ન્યાય નથી મળતો. આવો જ એક કિસ્સો છે 2012માં થયેલા થાનગઢ હત્યાકાંડનો.. 


SITની રચના થાય છે ત્યારે પીડિત પરિવારને ન્યાયની આશા હોય છે.. 

વર્ષ 2012માં થાનગઢમાં હત્યાકાંડ થયો હતો જેમાં ત્રણ લોકોના મોત થઈ ગયા હતા... ત્રણ લોકોના મોત થયા તે બાદ એસઆઈટીની રચના કરવામાં આવી અને પીડિત પરિવારને ન્યાય મળે તેવી ઝંખના હોય છે.. દોષિ વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માગ પીડિત પરિવાર દ્વારા કરવામાં આવતી હોય છે. એસઆઈટીની રચના બાદ આશા હોય છે કે પીડિત પરિવારને ન્યાય મળશે. પરંતુ આટલા વર્ષો બાદ પણ આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને ન્યાય નથી મળ્યો.. 


એસઆઈટીની રચના બાદ પણ.. 

આ મામલાની તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી પરંતુ આટલા વર્ષો બાદ પણ ન્યાયની આશા માટે આ પરિવાર ઝંખી રહ્યો છે. SITની રચના બાદ પણ બે મૃતકોના આરોપીની ધરપકડ થઈ નથી એક મૃતકના આરોપી PSI સહિત ત્રણ વ્યક્તિઓ માત્ર છ મહિનામાં જામીન પર છૂટી ગયા હતા. આજે પ્રમોશન લઈ સારી પોસ્ટ પર બેઠા છે. તેવી વાત આમ આદમી પાર્ટીના પ્રતિનિધી મંડળ દ્વારા કરવામાં આવી હતી. 



આપના પ્રતિનિધી મંડળે લીધી પીડિત પરિવારની મુલાકાત 

ત્યારે પીડિત પરિવારની મુલાકાત આમ આદમી પાર્ટીના નેતા દ્વારા લેવામાં આવી છે. એસઆઈટીનો રિપોર્ટ પરિવારને મળ્યો નથી. આમ આદમી પાર્ટીના પ્રતિનિધિ મંડળ  રાજુ કરપડા, અમૃત મકવાણા, દેવકરણ જોગરાણા, અજીત ખોરાણી, દીપક ચિહલા સહિત આગેવાનોએ પીડિત પરિવારની મુલાકાત લીધી જેમાં SIT અને સરકાર પરથી વિશ્વાસ ઉઠી ગયાની પીડિત પરિવારે ફરિયાદ કરી હતી.. મહત્વનું છે કે પોલીસની ગોળીથી ત્રણ લોકોના મોત થઈ ગયા હતા.. 




હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.

થોડાક સમય પેહલા ઈરાને કતારમાં આવેલા અમેરિકન બેઝીઝ પર મિસાઈલ દ્વારા અટેક કર્યો છે. તે પછી ઘણાબધા અખાતી દેશોએ પોતાની એરસ્પેસ બંધ કરી દેવી પડી છે . આ પછી ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે શાંતિકરારો માટે ઓફર કરી છે. ઈઝરાઈલે તો અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના સીઝફાયરના એલાન પર સેહમતી આપી દીધી છે.પરંતુ ઈરાન હજુ પણ માનવા તૈયાર નથી

૧૮મી જૂન આજના દિવસે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. આ માટે વ્હાઇટહાઉસ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનો એક કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર હાલમાં અમેરિકાની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસે આ માટે ૧૮મી જૂનના દિવસે આખો કાર્ય્રક્રમ જાહેર કર્યો છે .

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.